૬(૧).૧૪

ખાનગી આંતરરાષ્ટ્રીય કાયદો (વિધિસંઘર્ષ)થી ખીલ (acne)

ખાનગી આંતરરાષ્ટ્રીય કાયદો

ખાનગી આંતરરાષ્ટ્રીય કાયદો (વિધિસંઘર્ષ) : કોઈ પણ દેશે વ્યક્તિઓના પરદેશી તત્વવાળા વાદગ્રસ્ત પ્રશ્નોના ઉકેલ માટે સ્વીકારેલા નિયમોનો સમૂહ. દરેક નાગરિકના વ્યવહારો પોતાના દેશના કાયદાને અધીન હોય છે; પરંતુ જ્યારે જુદા જુદા દેશના માણસો પરસ્પર વેપાર કે અન્ય વ્યવહારો કરે ત્યારે તે ‘પરદેશી તત્વ’વાળા વ્યવહારો ગણાય છે અને તેમને કયા દેશનો…

વધુ વાંચો >

ખાનગીકરણ, અર્થતંત્રનું

ખાનગીકરણ, અર્થતંત્રનું (privatisation) : સરકારની સીધી માલિકી હેઠળનાં અથવા સરકાર દ્વારા સંચાલિત/ નિર્દેશિત સાહસોને ખાનગી માલિકી કે સંચાલન હેઠળ મૂકવાની આર્થિક નીતિ. આ નીતિ વિરાષ્ટ્રીયકરણ (denationalisation) નામથી પણ ઓળખાય છે. ઑક્ટોબર, 1917માં રશિયામાં રાજકીય ક્રાંતિ થતાં ત્યાં બૉલ્શેવિક પક્ષની સામ્યવાદી સરકાર સત્તા પર આવી ત્યારથી તબક્કાવાર સમાજવાદી આયોજનના યુગની શરૂઆત…

વધુ વાંચો >

ખાનગી કંપની

ખાનગી કંપની : કંપની ધારા, 1956ની કલમ 3 મુજબની કંપની. તેના આર્ટિકલ્સથી તેમાં (1) શૅરના હસ્તાંતર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય; (2) સભ્યસંખ્યા વધુમાં વધુ 50 ઠરાવવામાં આવી હોય; અને (3) શૅર ખરીદવાનું જાહેર જનતાને આમંત્રણ આપવાની મનાઈ હોય. ખાનગી કંપની સ્થાપવા માટે ઓછામાં ઓછા બે સભ્યો હોવા જોઈએ. આવી…

વધુ વાંચો >

ખાનગી ક્ષેત્ર

ખાનગી ક્ષેત્ર : મુક્ત બજારતંત્રના નિયમોને અધીન આર્થિક પ્રવૃત્તિઓનું સ્વયંસંચાલિત ક્ષેત્ર. બીજી રીતે કહીએ તો જાહેર ક્ષેત્ર અથવા સરકારી ક્ષેત્રના સીધા અંકુશ હેઠળ ન હોય તેવી ઔદ્યોગિક, આર્થિક અને વાણિજ્યિક પ્રવૃત્તિઓનો ખાનગી ક્ષેત્રમાં સમાવેશ થાય છે. સરકારી હસ્તક્ષેપથી મુક્ત સ્વૈરવિહાર (laissez-faire) વિચારસરણી ઉપર ખાનગી ક્ષેત્રની રચના થયેલી છે, જે આર્થિક…

વધુ વાંચો >

ખાનદેશ

ખાનદેશ : ઉત્તર મહારાષ્ટ્રના ધૂળિયા (ધુળે) અને જળગાંવ જિલ્લાનો બનેલો પ્રદેશ. ખાનદેશમાં સમાવિષ્ટ થતા ધૂળે તથા જળગાંવનો વિસ્તાર તેમજ વસ્તી અનુક્રમે 8061 અને 11757 ચોકિમી. તથા 22 લાખ (2011) અને 40 લાખ (2011) જેટલી છે. આ પ્રદેશ 21°-22° ઉ.અ. અને 75°-76° પૂ.રે. વચ્ચે આવેલો છે. ખાનદેશની પૂર્વ દિશાએ પ્રાચીન વિદર્ભ,…

વધુ વાંચો >

ખાન મસ્જિદ

ખાન મસ્જિદ (ધોળકા) : ઈંટેરી સ્થાપત્યનો એક શ્રેષ્ઠ નમૂનો. ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના ધોળકા ગામમાં આવેલી આ મસ્જિદ ખૂબ મોટી છે. સંપૂર્ણપણે ઈંટ અને ચૂનાથી બંધાયેલી આ મસ્જિદ ખલજી વંશના સૂબા અલફખાને (1304-15) બંધાવેલી. 60 મીટર લાંબી આ મસ્જિદ એની વિશિષ્ટ બાંધણી અને એના ઉપરના ચૂનાના નકશીકામ માટે જોવાલાયક છે.…

વધુ વાંચો >

ખાન મહમ્મદ ઝફરુલ્લાખાન

ખાન મહમ્મદ ઝફરુલ્લાખાન (જ. 6 ફેબ્રુઆરી 1893, સિયાલકોટ, પંજાબ; અ. 1 સપ્ટેમ્બર 1985, લાહોર, પાકિસ્તાન) : અખંડ હિંદની તરફેણ કરનારા મુસ્લિમ રાજકારણી. તેમના પિતા નસરુલ્લાખાન આગળ પડતા ધારાશાસ્ત્રી હતા. ઝફરુલ્લાખાન લાહોરની ગવર્નમેન્ટ કૉલેજમાંથી બી.એ. (ઑનર્સ) અને લિંક્ધા ઇન, લંડનમાંથી એલએલ.બી. તથા બાર-ઍટ-લૉ થયા હતા. બે વર્ષ (1914-16) સિયાલકોટમાં વકીલાત કર્યા…

વધુ વાંચો >

ખાન સરોવર

ખાન સરોવર : અકબરના દૂધભાઈ ખાન-એ-આઝમ મીરજા અઝીઝ કોકાના નામ સાથે જોડાયેલું, ગુજરાતમાં પાટણથી ચાણસ્મા જવાને રસ્તે આવેલું પાટણનું મુઘલકાલીન સરોવર. ‘મિરાત-એ-સિકંદરી’ પ્રમાણે ઝફરખાન-મુઝફ્ફરશાહના સમયમાં તે વિદ્યમાન હતું. એટલે મૂળ ચૌલુક્ય-કાળમાં આ જળાશય અસ્તિત્વમાં આવ્યું હશે. અઝીઝ કોકાના સમયમાં તેનો પુનરુદ્ધાર થયો હતો (1589-94). તે ચતુરસ્ર આકારનું 400 X 400…

વધુ વાંચો >

ખાનસાહેબ

ખાનસાહેબ (ડૉ.) (જ. 1883, ઉતમાનઝાઈ, પેશાવર; અ. 9 મે 1958, લાહોર) : ભારતના વાયવ્ય સરહદ પ્રદેશના પઠાણ નેતા અને સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાનના મોટા ભાઈ. તેમના પિતા ખાન બહેરામખાન ગામના મુખી અને મોટા જમીનદાર હતા. 1857ના વિપ્લવ વખતે મદદ કરવા બદલ બ્રિટિશ સરકારે તેમને જાગીરો બક્ષી હતી; પરંતુ પાછલી…

વધુ વાંચો >

ખાનેખાનાન

ખાનેખાનાન (જ. ઈ. સ. 1556, લાહોર; અ. ઈ. સ. 1627, દિલ્હી) : મુઘલ સમ્રાટ અકબરના સામ્રાજ્યના પ્રથમ વકીલ (વડા પ્રધાન) બહેરામખાનનો પુત્ર અને તુર્કમાન લોકોની બહારલૂ શાખાનો વંશજ. સમ્રાટ હુમાયૂંએ તેનું નામ અબ્દુર્રહીમ રાખ્યું હતું. પિતાના અવસાન સમયે ચાર વર્ષનો હોવાથી અકબરની છત્રછાયા હેઠળ તે મોટો થયો. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત…

વધુ વાંચો >

ખાંડવપ્રસ્થ

Jan 14, 1994

ખાંડવપ્રસ્થ : જુઓ ઇન્દ્રપ્રસ્થ

વધુ વાંચો >

ખાંડવવન

Jan 14, 1994

ખાંડવવન : ભારતનાં પ્રસિદ્ધ વનોમાંનું એક. આ વન મત્સ્યદેશની ઉત્તરમાં હસ્તિનાપુરની નજીક આવેલું હતું. પ્રાચીન કુરુક્ષેત્રમાં આનો સમાવેશ થાય છે. અર્જુને આ વન અગ્નિને ભસ્મ કરવા આપ્યું હતું. તેમાં તક્ષક કુળના નાગલોકો રહેતા હતા. આ વન બળતું હતું ત્યારે મયદાનવ તેમાંથી બચવા નાઠો અને અર્જુનને શરણે જઈ બચ્યો. ખાંડવ-વનમાં મૂળ…

વધુ વાંચો >

ખાંડેકર, વિષ્ણુ સખારામ

Jan 14, 1994

ખાંડેકર, વિષ્ણુ સખારામ (જ. 11 જાન્યુઆરી 1898, સાંગલી; અ. 2 સપ્ટેમ્બર 1976) : પ્રસિદ્ધ મરાઠી નવલકથાકાર. એમની નવલકથા ‘યયાતિ’ માટે 1961માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો તથા 1967માં એ જ પુસ્તક માટે ભારતનો સર્વશ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરેલો. સાંગલીમાં જ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ લઈને ઉચ્ચ અભ્યાસ અર્થે પૂણેની ફર્ગ્યુસન કૉલેજમાં જોડાયા…

વધુ વાંચો >

ખાંસી

Jan 14, 1994

ખાંસી : શ્વસનમાર્ગમાંનો કચરો, પ્રવાહી, અતિશય સ્રાવ, પરુ કે બાહ્ય પદાર્થને દૂર કરવા માટેની સ્વૈચ્છિક કે પ્રતિવર્તી (reflex) સુરક્ષાલક્ષી ક્રિયા. તેને ઉધરસ (ઉત્કાસ, cough) પણ કહે છે. માણસની શ્વસનનલિકાઓમાં થોડા પ્રમાણમાં સ્રાવ (secretion) થાય છે જે શ્વસનમાર્ગમાંની કશા(cilia)ના હલનચલન વડે ઉપર તરફ ધકેલાય છે અને ગળામાં આવે ત્યારે અજાણપણે તેને…

વધુ વાંચો >

ખિન્નતા

Jan 14, 1994

ખિન્નતા : ખિન્ન મનોદશા (depressed mood), આસપાસની વસ્તુઓમાં ઘટેલો રસ અથવા આનંદ(pleasure)માં ઘટાડો થાય એવો માનસિક વિકાર. વ્યક્તિની લાગણીઓની સ્થિતિને મનોદશા (mood) કહે છે જ્યારે તેની બાહ્ય જગતમાં વ્યક્ત થવાની ક્રિયાને અભિવ્યક્તિ (affect) કહે છે, મનોદશાના વિકારોમાં વ્યક્તિ મનોદશાની અસ્થિરતા, તેને નિયંત્રણ કરી શકવાની ભાવનાનો અભાવ તથા મહાદુ:ખ(great distress)નો અનુભવ…

વધુ વાંચો >

ખિન્નતારોધકો

Jan 14, 1994

ખિન્નતારોધકો (antidepressants) : ખિન્નતા(depression)ની સારવારમાં વપરાતી દવાઓ. પ્રથમ તબક્કામાં વપરાશમાં આવેલી આ પ્રકારની દવાઓનાં બે મુખ્ય જૂથો છે – ટ્રાયસાઇક્લિક એન્ટિડિપ્રેસેન્ટ્સ (TCAs) અને મૉનોઍમાઇનો ઑક્સિડેઝ ઇન્હિબિટર્સ (MAOIs). TCAs હાલ પ્રમાણિત ખિન્નતારોધક દવાઓ તરીકે વપરાય છે જ્યારે MAOIs જૂથની દવાઓની અન્ય દવાઓ કે ખોરાકના પદાર્થો સાથેની આંતરક્રિયા(interaction)ને કારણે તેમનું સ્થાન બીજી…

વધુ વાંચો >

ખિલનમર્ગ

Jan 14, 1994

ખિલનમર્ગ : કાશ્મીર પ્રદેશનું વિખ્યાત પર્યટનસ્થળ. ભૌ. સ્થાન આશરે 39° 03’ ઉ.અ. અને 74° 23’ પૂ.રે. શ્રીનગરથી પશ્ચિમે 52 કિમી. તથા ગુલમર્ગથી 6 કિમી.ના અંતરે રાજ્યના બારામુલા જિલ્લામાં તે આવેલું છે. દરિયાની સપાટીથી 3,200 મીટર ઊંચાઈ પર તે વસેલું છે. ગુલમર્ગની ઊંચાઈ કરતાં આ પર્યટનકેન્દ્રની ઊંચાઈ આશરે 610 મીટર વધુ…

વધુ વાંચો >

ખિલનાણી, કોડોમલ ચંદનમલ

Jan 14, 1994

ખિલનાણી, કોડોમલ ચંદનમલ (જ. 5 ઑક્ટોબર 1844, ભિર્યા, સિંધ, પાકિસ્તાન; અ. 16 ડિસેમ્બર 1916) : અર્વાચીન સિંધી લેખક. વિદ્યોપાર્જનમાં અધિક રુચિ અને તીક્ષ્ણ બુદ્ધિને કારણે તેઓ શાળામાં બીજા વિદ્યાર્થીઓથી જુદા તરી આવતા હતા. મૅટ્રિક પાસ થયા પછી તેમણે શિક્ષક તરીકે અને પછી અનુવાદક તરીકે કાર્ય કર્યું. સિંધી ભાષા અને સાહિત્યનાં…

વધુ વાંચો >

ખિલાણી, લખમી

Jan 14, 1994

ખિલાણી, લખમી (જ. 2 ઑક્ટોબર 1935, સક્કર, સિંધ, હાલ પાકિસ્તાન) : જાણીતા સિંધી વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘ગુફા જે હુન પાર’ માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. શાળાકીય શિક્ષણ સક્કરમાં લીધું. આઝાદી પછી ભારતમાં કૉલકાતા ખાતે સ્થાયી થયા. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એસસી.(ઇજનેરી)ની પદવી મેળવી. પછી…

વધુ વાંચો >

ખિલાફત આંદોલન

Jan 14, 1994

ખિલાફત આંદોલન : ખલીફાનું સ્થાન અને ઇસ્લામનાં પવિત્ર સ્થળો સાચવવા ભારતના મુસ્લિમોએ કરેલું આંદોલન. તુર્કીના રાજવીઓ મુસ્લિમ જગતમાં ખલીફા તરીકે ઓળખાતા. 1914ના પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી જર્મની પક્ષે જોડાયેલું હતું અને જર્મની સાથે તુર્કી પણ ઇંગ્લૅન્ડ અને મિત્રરાષ્ટ્રો સામે હાર્યું. 1919માં યોજાયેલી પૅરિસ શાંતિ પરિષદે ગ્રીક લોકોને સ્મર્નામાં દાખલ થવાની…

વધુ વાંચો >