૬(૧).૧૪

ખાનગી આંતરરાષ્ટ્રીય કાયદો (વિધિસંઘર્ષ)થી ખીલ (acne)

ખાનગી આંતરરાષ્ટ્રીય કાયદો

ખાનગી આંતરરાષ્ટ્રીય કાયદો (વિધિસંઘર્ષ) : કોઈ પણ દેશે વ્યક્તિઓના પરદેશી તત્વવાળા વાદગ્રસ્ત પ્રશ્નોના ઉકેલ માટે સ્વીકારેલા નિયમોનો સમૂહ. દરેક નાગરિકના વ્યવહારો પોતાના દેશના કાયદાને અધીન હોય છે; પરંતુ જ્યારે જુદા જુદા દેશના માણસો પરસ્પર વેપાર કે અન્ય વ્યવહારો કરે ત્યારે તે ‘પરદેશી તત્વ’વાળા વ્યવહારો ગણાય છે અને તેમને કયા દેશનો…

વધુ વાંચો >

ખાનગીકરણ, અર્થતંત્રનું

ખાનગીકરણ, અર્થતંત્રનું (privatisation) : સરકારની સીધી માલિકી હેઠળનાં અથવા સરકાર દ્વારા સંચાલિત/ નિર્દેશિત સાહસોને ખાનગી માલિકી કે સંચાલન હેઠળ મૂકવાની આર્થિક નીતિ. આ નીતિ વિરાષ્ટ્રીયકરણ (denationalisation) નામથી પણ ઓળખાય છે. ઑક્ટોબર, 1917માં રશિયામાં રાજકીય ક્રાંતિ થતાં ત્યાં બૉલ્શેવિક પક્ષની સામ્યવાદી સરકાર સત્તા પર આવી ત્યારથી તબક્કાવાર સમાજવાદી આયોજનના યુગની શરૂઆત…

વધુ વાંચો >

ખાનગી કંપની

ખાનગી કંપની : કંપની ધારા, 1956ની કલમ 3 મુજબની કંપની. તેના આર્ટિકલ્સથી તેમાં (1) શૅરના હસ્તાંતર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય; (2) સભ્યસંખ્યા વધુમાં વધુ 50 ઠરાવવામાં આવી હોય; અને (3) શૅર ખરીદવાનું જાહેર જનતાને આમંત્રણ આપવાની મનાઈ હોય. ખાનગી કંપની સ્થાપવા માટે ઓછામાં ઓછા બે સભ્યો હોવા જોઈએ. આવી…

વધુ વાંચો >

ખાનગી ક્ષેત્ર

ખાનગી ક્ષેત્ર : મુક્ત બજારતંત્રના નિયમોને અધીન આર્થિક પ્રવૃત્તિઓનું સ્વયંસંચાલિત ક્ષેત્ર. બીજી રીતે કહીએ તો જાહેર ક્ષેત્ર અથવા સરકારી ક્ષેત્રના સીધા અંકુશ હેઠળ ન હોય તેવી ઔદ્યોગિક, આર્થિક અને વાણિજ્યિક પ્રવૃત્તિઓનો ખાનગી ક્ષેત્રમાં સમાવેશ થાય છે. સરકારી હસ્તક્ષેપથી મુક્ત સ્વૈરવિહાર (laissez-faire) વિચારસરણી ઉપર ખાનગી ક્ષેત્રની રચના થયેલી છે, જે આર્થિક…

વધુ વાંચો >

ખાનદેશ

ખાનદેશ : ઉત્તર મહારાષ્ટ્રના ધૂળિયા (ધુળે) અને જળગાંવ જિલ્લાનો બનેલો પ્રદેશ. ખાનદેશમાં સમાવિષ્ટ થતા ધૂળે તથા જળગાંવનો વિસ્તાર તેમજ વસ્તી અનુક્રમે 8061 અને 11757 ચોકિમી. તથા 22 લાખ (2011) અને 40 લાખ (2011) જેટલી છે. આ પ્રદેશ 21°-22° ઉ.અ. અને 75°-76° પૂ.રે. વચ્ચે આવેલો છે. ખાનદેશની પૂર્વ દિશાએ પ્રાચીન વિદર્ભ,…

વધુ વાંચો >

ખાન મસ્જિદ

ખાન મસ્જિદ (ધોળકા) : ઈંટેરી સ્થાપત્યનો એક શ્રેષ્ઠ નમૂનો. ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના ધોળકા ગામમાં આવેલી આ મસ્જિદ ખૂબ મોટી છે. સંપૂર્ણપણે ઈંટ અને ચૂનાથી બંધાયેલી આ મસ્જિદ ખલજી વંશના સૂબા અલફખાને (1304-15) બંધાવેલી. 60 મીટર લાંબી આ મસ્જિદ એની વિશિષ્ટ બાંધણી અને એના ઉપરના ચૂનાના નકશીકામ માટે જોવાલાયક છે.…

વધુ વાંચો >

ખાન મહમ્મદ ઝફરુલ્લાખાન

ખાન મહમ્મદ ઝફરુલ્લાખાન (જ. 6 ફેબ્રુઆરી 1893, સિયાલકોટ, પંજાબ; અ. 1 સપ્ટેમ્બર 1985, લાહોર, પાકિસ્તાન) : અખંડ હિંદની તરફેણ કરનારા મુસ્લિમ રાજકારણી. તેમના પિતા નસરુલ્લાખાન આગળ પડતા ધારાશાસ્ત્રી હતા. ઝફરુલ્લાખાન લાહોરની ગવર્નમેન્ટ કૉલેજમાંથી બી.એ. (ઑનર્સ) અને લિંક્ધા ઇન, લંડનમાંથી એલએલ.બી. તથા બાર-ઍટ-લૉ થયા હતા. બે વર્ષ (1914-16) સિયાલકોટમાં વકીલાત કર્યા…

વધુ વાંચો >

ખાન સરોવર

ખાન સરોવર : અકબરના દૂધભાઈ ખાન-એ-આઝમ મીરજા અઝીઝ કોકાના નામ સાથે જોડાયેલું, ગુજરાતમાં પાટણથી ચાણસ્મા જવાને રસ્તે આવેલું પાટણનું મુઘલકાલીન સરોવર. ‘મિરાત-એ-સિકંદરી’ પ્રમાણે ઝફરખાન-મુઝફ્ફરશાહના સમયમાં તે વિદ્યમાન હતું. એટલે મૂળ ચૌલુક્ય-કાળમાં આ જળાશય અસ્તિત્વમાં આવ્યું હશે. અઝીઝ કોકાના સમયમાં તેનો પુનરુદ્ધાર થયો હતો (1589-94). તે ચતુરસ્ર આકારનું 400 X 400…

વધુ વાંચો >

ખાનસાહેબ

ખાનસાહેબ (ડૉ.) (જ. 1883, ઉતમાનઝાઈ, પેશાવર; અ. 9 મે 1958, લાહોર) : ભારતના વાયવ્ય સરહદ પ્રદેશના પઠાણ નેતા અને સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાનના મોટા ભાઈ. તેમના પિતા ખાન બહેરામખાન ગામના મુખી અને મોટા જમીનદાર હતા. 1857ના વિપ્લવ વખતે મદદ કરવા બદલ બ્રિટિશ સરકારે તેમને જાગીરો બક્ષી હતી; પરંતુ પાછલી…

વધુ વાંચો >

ખાનેખાનાન

ખાનેખાનાન (જ. ઈ. સ. 1556, લાહોર; અ. ઈ. સ. 1627, દિલ્હી) : મુઘલ સમ્રાટ અકબરના સામ્રાજ્યના પ્રથમ વકીલ (વડા પ્રધાન) બહેરામખાનનો પુત્ર અને તુર્કમાન લોકોની બહારલૂ શાખાનો વંશજ. સમ્રાટ હુમાયૂંએ તેનું નામ અબ્દુર્રહીમ રાખ્યું હતું. પિતાના અવસાન સમયે ચાર વર્ષનો હોવાથી અકબરની છત્રછાયા હેઠળ તે મોટો થયો. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત…

વધુ વાંચો >

ખાનેખાનાન બહેરામખાન

Jan 14, 1994

ખાનેખાનાન બહેરામખાન (અ. 1560, પાટણ, ગુજરાત) : હુમાયૂંના દરબારનો એક મહત્વનો કવિ અને હુમાયૂંનો વફાદાર સેનાની. બદખ્શાંમાં કરાકૂમલૂ કબીલામાં તે જન્મેલ. તેમની માતા જમાલખાન મેવાતીનાં પુત્રી હતાં. તેમણે બલ્ખમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. સોળ વર્ષની નાની વયે તે હુમાયૂંની સાથે જોડાયા અને તેના એક અતિ વફાદાર મિત્ર બની ગયા. કનોજમાં…

વધુ વાંચો >

ખાપરા બીટલ

Jan 14, 1994

ખાપરા બીટલ : ઘઉંની વાંતરી તરીકે જાણીતો ઢાલપક્ષ (coleoptera) શ્રેણીના ડરમેસ્ટિડી કુળનો કીટક. ખાસ કરીને ઘઉંને નુકસાન કરવા ઉપરાંત આ કીટક જવ, ચોખા, જુવાર, મકાઈને પણ નુકસાન કરે છે. પુખ્ત કીટક 2.5 મિમી. જેટલો લાંબો અને લગભગ લંબગોળ આકારનો હોય છે. તે શરીરે ભૂખરા વાળ તેમજ આછા બદામી રંગના ડાઘા…

વધુ વાંચો >

ખાપર્ડે, ગણેશ શ્રીકૃષ્ણ (દાદાસાહેબ)

Jan 14, 1994

ખાપર્ડે, ગણેશ શ્રીકૃષ્ણ (દાદાસાહેબ) : (જ. 27 ઑગસ્ટ 1854, ઇંગોલી, વરાડ; અ. 1 જુલાઈ 1938, અમરાવતી) : અગ્રણી રાજદ્વારી નેતા. પિતા શ્રીકૃષ્ણ વરાડમાં સરકારી નોકરીમાં હતા. શરૂઆતનું શિક્ષણ નાગપુર, અમરાવતી અને અકોલા ખાતે. 1872માં મૅટ્રિક, 1877માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ. 1877-78 દરમિયાન કૉલેજમાં ફેલો. 1884માં એલએલ.બી. 1885-90 દરમિયાન વરાડ પ્રાંતમાં…

વધુ વાંચો >

ખાફીખાન

Jan 14, 1994

ખાફીખાન : સત્તર અને અઢારમી સદી દરમિયાન થઈ ગયેલા પ્રસિદ્ધ ઇતિહાસકાર. આખું નામ મહમ્મદ હાશિમઅલી ખાફીખાન. તેઓ ખાફીના ટૂંકા અને હુલામણા નામથી વધારે જાણીતા હતા. ખોરાસાનમાંના ખોફ નામના પ્રદેશના મૂળ વતની હોવાના કારણે આ નામ પડ્યું હોવાનો સંભવ છે. તેઓ ઔરંગઝેબના સમકાલીન હતા અને તેમના પછી ગાદીએ આવેલ ફરૂખશિયર તથા…

વધુ વાંચો >

ખામા, સેરેત્સે

Jan 14, 1994

ખામા, સેરેત્સે (જ. 1 જુલાઈ 1921, સિરોઈ; અ. 13 જુલાઈ 1980, ગાબ્રોર્ની) : દક્ષિણ આફ્રિકાના ભૂમિ-અંતર્ગત (દરિયાકાંઠા વિનાના) બોત્સ્વાના(જૂના બેચુઆના લૅન્ડ)ના વડા. ખામાએ આ દરિદ્ર પ્રદેશમાં સ્થિરતા લાવીને જ નહિ પરંતુ વિકાસની કેડી કંડારીને અગત્યનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મહત્વની ત્સ્વાના (બામાન્ગ્વાટો) ટોળીના વંશગત વડા હોવાને નાતે ખામા પ્રત્યે પરંપરાગત…

વધુ વાંચો >

ખારવેલ

Jan 14, 1994

ખારવેલ : (ઈ. પૂ. પહેલી સદી) કલિંગ(ઓરિસા)નો પ્રસિદ્ધ પ્રાચીન રાજવી. એ ચેદિ વંશનો ત્રીજો રાજા હતો. એ સોળમા વર્ષે યુવરાજ અને ચોવીસમા વર્ષે મહારાજપદે આવ્યો હતો. ખારવેલે કલિંગ નગરીનો અનેક રીતે ર્જીણોદ્ધાર કર્યો. એણે પશ્ચિમમાં કૃષ્ણા નદી સુધી વિજયકૂચ કરી, જૂની નહેરને રાજધાની સુધી લંબાવી, મગધના પાટનગર રાજગૃહને તારાજ કર્યું.…

વધુ વાંચો >

ખારાઘોડા

Jan 14, 1994

ખારાઘોડા : ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં મીઠાના ઉત્પાદન માટે જાણીતું મથક અને કચ્છના રણના કાંઠે આવેલું શહેર. ‘ખારાઘોડા’ નામનો અર્થ ‘ખારાપાટમાં આવેલાં ઘરોનું ઝૂમખું’ (ખાર=ક્ષાર, ઘોડા=ઘરોનું ઝૂમખું) થાય છે. આ શહેર 23°-11´ ઉ. અ. અને 71°-44´ પૂ. રે. ઉપર અમદાવાદ-વીરમગામ-ખારાઘોડા રેલમાર્ગ ઉપર છે. ઝુંડ-કંડલા બ્રૉડગેજ રેલ માર્ગ થતાં…

વધુ વાંચો >

ખારાવાલા, અમરદાસબાપુ

Jan 14, 1994

ખારાવાલા, અમરદાસબાપુ (રામાયણી) (જ. ઈ. સ. 1923, કુંભણ, તા. પાલિતાણા, જિ. ભાવનગર) : રામાયણના પ્રખ્યાત કથાકાર. અમરદાસજીનો જન્મ સંસ્કારી અને ભાવિક કુટુંબમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કુંભણમાં. ઘૂંટી દામનગર પાસેના ખારા ગામે મોસાળમાં પરબની જગાની ગાદી મળતાં ત્યાં ગયા. પછી ‘ખારાવાલા’ તરીકે પ્રખ્યાત થયા. અભ્યાસ સાત ચોપડી. લોકજીવનની શાળામાં –…

વધુ વાંચો >

ખારિજી (બહુવચન ખ્વારિજ = વિખૂટા પડનારા)

Jan 14, 1994

ખારિજી (બહુવચન ખ્વારિજ = વિખૂટા પડનારા) : ઇસ્લામના સૌથી જૂના સંપ્રદાયના અનુયાયી. તેમણે માત્ર શ્રદ્ધા અથવા કર્મ પર આધારિત રાજ્ય વિશે પ્રશ્નો પ્રસ્તુત કર્યા. ઇસ્લામના રાજકીય ઇતિહાસમાં તેમના સતત બળવાની માહિતી મળે છે; પરિણામે કેટલાક પ્રાંતો થોડા વખત માટે તેમના કબજા હેઠળ આવેલા તેથી હજરત અલીની ખિલાફતનાં છેલ્લાં બે વર્ષોમાં…

વધુ વાંચો >

ખારી

Jan 14, 1994

ખારી (1) : સાબરકાંઠા, અમદાવાદ અને ખેડા જિલ્લામાં વહેતી તથા સાબરમતીને મળતી ગુજરાતની એક નદી. તે સિંચાઈની ર્દષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. તે હિંમતનગરથી 16 કિમી. દૂર કેશવપુરા ગામ પાસેની ટેકરીઓમાંથી નીકળે છે. તેની કુલ લંબાઈ 160 કિમી. છે. સમતળ પ્રદેશમાંથી વહેતી નદીના ઉપરના કાંઠે માટીનો બંધ હતો. ખારી નદીમાંથી…

વધુ વાંચો >