૬(૧).૧૪

ખાનગી આંતરરાષ્ટ્રીય કાયદો (વિધિસંઘર્ષ)થી ખીલ (acne)

ખિસકોલી

ખિસકોલી (squirrel) : ગોળાકાર બાહ્ય કર્ણો, લાંબી ગુચ્છાદાર પૂંછડી, ચડવા માટે આંકડી જેવા નહોરયુક્ત લાંબી અંગુલીઓ ધરાવતું મધ્યમ કદનું, શ્રેણી રોડેન્શિયા અને કુળ scluridaeનું સસ્તન પ્રાણી. શાસ્ત્રીય નામ funambulus pennanti. ખિસકોલી ભારતમાં સર્વત્ર જોવા મળે છે. તેની પીઠ પર ઘાટા રંગના પાંચ પટ્ટા હોય છે. ધાર્મિક માન્યતા મુજબ આ પટ્ટાઓ…

વધુ વાંચો >

ખિસ્તે, નારાયણ શાસ્ત્રી

ખિસ્તે, નારાયણ શાસ્ત્રી (જ. ઈ. સ. 1885 કાશી અ. 1961) : સંસ્કૃતના પ્રકાંડ પંડિત. મહામહોપાધ્યાય ગંગાધર શાસ્ત્રી પાસે સંસ્કૃતનું અધ્યયન કર્યું. લાંબા સમય સુધી વારાણસેય સંસ્કૃત કૉલેજ સરસ્વતીભવનના અધ્યક્ષ રહ્યા. પછી એ કૉલેજના પ્રાચાર્ય પણ થયા. દરમિયાનમાં 50 જેટલા ગ્રંથો રચ્યા. ભારત સરકારે તેમને 1946માં મહામહોપાધ્યાયની પદવીથી નવાજ્યા. તંત્રશાસ્ત્રના અધ્યેતા…

વધુ વાંચો >

ખીચી ચૌહાણ વંશ

ખીચી ચૌહાણ વંશ : રણથંભોરના ખીચી ચૌહાણ હમીરદેવના પુત્ર રામદેવે ચાંપાનેરમાં તથા ત્યાર બાદ તેના વંશજોએ છોટાઉદેપુર અને દેવગઢબારિયામાં સ્થાપેલ વંશ. ઈ. સ. 1300 આસપાસ રણથંભોર(રાજસ્થાન)નો ખીચી ચૌહાણ હમીરદેવ અલ્લાઉદ્દીનના આક્રમણમાં માર્યો ગયો. તેણે સલામતી માટે પોતાના પુત્ર રામદેવને રવાના કરી દીધેલો જે પોતાના થોડા સરદારો સાથે ગુજરાતમાં આવ્યો અને…

વધુ વાંચો >

ખીજડો

ખીજડો : દ્વિદળી વર્ગના માઇમોઝેસી કુળની એક વનસ્પતિ. (ગુ. શમી, હિં. સમડી) તેનાં સહસભ્યોમાં બાવળ, ખેર, લજામણી, રતનગુંજ, શિરીષ, ગોરસ આંબલી વગેરે છે. તેનું શાસ્ત્રીય નામ Prosopis cineraria Druce છે. વનસ્પતિ મોટા વૃક્ષ સ્વરૂપે સંયુક્ત, દ્વિપિચ્છાકાર, દ્વિતીય ક્રમની 3 જોડ અને દરેક ધરી પર પર્ણિકાઓની 7થી 12 જોડ હોય છે.…

વધુ વાંચો >

ખીણ

ખીણ : પર્વતો કે ટેકરીઓની હારમાળાઓના સામસામેના ઢોળાવોની વચ્ચેના ભાગ ઉપર લાંબા ગાળાની સતત ઘસારા અને ધોવાણની ક્રિયાની અસરથી પરિણમતો નીચાણવાળો ભૂમિ-આકાર. ક્યારેક કોઈ એક પર્વત કે ટેકરીના પોતાના ઢોળાવ પર પણ સાંકડા-પહોળા કાપા સ્વરૂપે નાના પાયા પર પ્રાથમિક ખીણ-આકારો તૈયાર થતા હોય છે. નીચાણવાળી તળભૂમિમાં પાણી વહી જવા માટે…

વધુ વાંચો >

ખીણહિમનદી

ખીણહિમનદી : ખીણમાંથી પસાર થતી હિમનદી. યુરોપના આલ્પ્સ પર્વતોમાં આશરે 2,000 જેટલી ખીણહિમનદીઓ હોવાનું અંદાજવામાં આવ્યું છે. દુનિયાની લાંબામાં લાંબી ખીણહિમનદી અલાસ્કામાં આવેલી છે જે હબ્બાર્ડ હિમનદીના નામથી જાણીતી છે, તેની લંબાઈ આશરે 128.72 કિમી. છે. ખીણહિમનદીઓ હિમાલય પર્વતમાળામાં પણ આવેલી છે. હિમાલયની મોટા ભાગની હિમનદીઓ આ પ્રકારની છે, જેમાંની…

વધુ વાંચો >

ખીમેશ્વરનાં મંદિરો

ખીમેશ્વરનાં મંદિરો : પોરબંદર પાસે આવેલ કુછડી ગામથી પશ્ચિમે આવેલાં મૈત્રકકાલીન મંદિરોનો સમૂહ. મૈત્રકકાલીન મંદિરોના સ્થાપત્યમાં ઘણી વિવિધતા જોવા મળે છે. આ મંદિરો તેની વિશિષ્ટ રચનાને કારણે પ્રસિદ્ધ છે. આ મંદિરસમૂહમાં શિવ, સૂર્ય, રાંદલ અને ભૈરવનાં મળી કુલ સાત મંદિરો આવેલાં છે. આ મંદિરસમૂહ પૈકી મંદિર નં. 7 ગર્ભગૃહ અને…

વધુ વાંચો >

ખીલ

ખીલ (acne) : યુવાનોના ચહેરાની ચામડી પર સફેદ કે કાળાં ટોપચાં (comedones), લાલ ફોલ્લીઓ અને પરુવાળી નાની ફોલ્લીઓ કરતા કેશ અને તેલગ્રંથિએકમો(pilosebaceous units)નો દીર્ઘકાલી શોથ. તે કુમારાવસ્થા(adolescence)માં શરૂ થઈને 22થી 25 વર્ષે આપોઆપ શમતો વિકાર છે. ચામડીની તેલગ્રંથિઓમાં ચીકણા ત્વક્તેલ(sebum)નું ઉત્પાદન વધે છે અને તેમાં વિષમ પ્રકારના જીવાણુ (bacteria) સ્થાયી…

વધુ વાંચો >

ખાનગી આંતરરાષ્ટ્રીય કાયદો

Jan 14, 1994

ખાનગી આંતરરાષ્ટ્રીય કાયદો (વિધિસંઘર્ષ) : કોઈ પણ દેશે વ્યક્તિઓના પરદેશી તત્વવાળા વાદગ્રસ્ત પ્રશ્નોના ઉકેલ માટે સ્વીકારેલા નિયમોનો સમૂહ. દરેક નાગરિકના વ્યવહારો પોતાના દેશના કાયદાને અધીન હોય છે; પરંતુ જ્યારે જુદા જુદા દેશના માણસો પરસ્પર વેપાર કે અન્ય વ્યવહારો કરે ત્યારે તે ‘પરદેશી તત્વ’વાળા વ્યવહારો ગણાય છે અને તેમને કયા દેશનો…

વધુ વાંચો >

ખાનગીકરણ, અર્થતંત્રનું

Jan 14, 1994

ખાનગીકરણ, અર્થતંત્રનું (privatisation) : સરકારની સીધી માલિકી હેઠળનાં અથવા સરકાર દ્વારા સંચાલિત/ નિર્દેશિત સાહસોને ખાનગી માલિકી કે સંચાલન હેઠળ મૂકવાની આર્થિક નીતિ. આ નીતિ વિરાષ્ટ્રીયકરણ (denationalisation) નામથી પણ ઓળખાય છે. ઑક્ટોબર, 1917માં રશિયામાં રાજકીય ક્રાંતિ થતાં ત્યાં બૉલ્શેવિક પક્ષની સામ્યવાદી સરકાર સત્તા પર આવી ત્યારથી તબક્કાવાર સમાજવાદી આયોજનના યુગની શરૂઆત…

વધુ વાંચો >

ખાનગી કંપની

Jan 14, 1994

ખાનગી કંપની : કંપની ધારા, 1956ની કલમ 3 મુજબની કંપની. તેના આર્ટિકલ્સથી તેમાં (1) શૅરના હસ્તાંતર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય; (2) સભ્યસંખ્યા વધુમાં વધુ 50 ઠરાવવામાં આવી હોય; અને (3) શૅર ખરીદવાનું જાહેર જનતાને આમંત્રણ આપવાની મનાઈ હોય. ખાનગી કંપની સ્થાપવા માટે ઓછામાં ઓછા બે સભ્યો હોવા જોઈએ. આવી…

વધુ વાંચો >

ખાનગી ક્ષેત્ર

Jan 14, 1994

ખાનગી ક્ષેત્ર : મુક્ત બજારતંત્રના નિયમોને અધીન આર્થિક પ્રવૃત્તિઓનું સ્વયંસંચાલિત ક્ષેત્ર. બીજી રીતે કહીએ તો જાહેર ક્ષેત્ર અથવા સરકારી ક્ષેત્રના સીધા અંકુશ હેઠળ ન હોય તેવી ઔદ્યોગિક, આર્થિક અને વાણિજ્યિક પ્રવૃત્તિઓનો ખાનગી ક્ષેત્રમાં સમાવેશ થાય છે. સરકારી હસ્તક્ષેપથી મુક્ત સ્વૈરવિહાર (laissez-faire) વિચારસરણી ઉપર ખાનગી ક્ષેત્રની રચના થયેલી છે, જે આર્થિક…

વધુ વાંચો >

ખાનદેશ

Jan 14, 1994

ખાનદેશ : ઉત્તર મહારાષ્ટ્રના ધૂળિયા (ધુળે) અને જળગાંવ જિલ્લાનો બનેલો પ્રદેશ. ખાનદેશમાં સમાવિષ્ટ થતા ધૂળે તથા જળગાંવનો વિસ્તાર તેમજ વસ્તી અનુક્રમે 8061 અને 11757 ચોકિમી. તથા 22 લાખ (2011) અને 40 લાખ (2011) જેટલી છે. આ પ્રદેશ 21°-22° ઉ.અ. અને 75°-76° પૂ.રે. વચ્ચે આવેલો છે. ખાનદેશની પૂર્વ દિશાએ પ્રાચીન વિદર્ભ,…

વધુ વાંચો >

ખાન મસ્જિદ

Jan 14, 1994

ખાન મસ્જિદ (ધોળકા) : ઈંટેરી સ્થાપત્યનો એક શ્રેષ્ઠ નમૂનો. ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના ધોળકા ગામમાં આવેલી આ મસ્જિદ ખૂબ મોટી છે. સંપૂર્ણપણે ઈંટ અને ચૂનાથી બંધાયેલી આ મસ્જિદ ખલજી વંશના સૂબા અલફખાને (1304-15) બંધાવેલી. 60 મીટર લાંબી આ મસ્જિદ એની વિશિષ્ટ બાંધણી અને એના ઉપરના ચૂનાના નકશીકામ માટે જોવાલાયક છે.…

વધુ વાંચો >

ખાન મહમ્મદ ઝફરુલ્લાખાન

Jan 14, 1994

ખાન મહમ્મદ ઝફરુલ્લાખાન (જ. 6 ફેબ્રુઆરી 1893, સિયાલકોટ, પંજાબ; અ. 1 સપ્ટેમ્બર 1985, લાહોર, પાકિસ્તાન) : અખંડ હિંદની તરફેણ કરનારા મુસ્લિમ રાજકારણી. તેમના પિતા નસરુલ્લાખાન આગળ પડતા ધારાશાસ્ત્રી હતા. ઝફરુલ્લાખાન લાહોરની ગવર્નમેન્ટ કૉલેજમાંથી બી.એ. (ઑનર્સ) અને લિંક્ધા ઇન, લંડનમાંથી એલએલ.બી. તથા બાર-ઍટ-લૉ થયા હતા. બે વર્ષ (1914-16) સિયાલકોટમાં વકીલાત કર્યા…

વધુ વાંચો >

ખાન સરોવર

Jan 14, 1994

ખાન સરોવર : અકબરના દૂધભાઈ ખાન-એ-આઝમ મીરજા અઝીઝ કોકાના નામ સાથે જોડાયેલું, ગુજરાતમાં પાટણથી ચાણસ્મા જવાને રસ્તે આવેલું પાટણનું મુઘલકાલીન સરોવર. ‘મિરાત-એ-સિકંદરી’ પ્રમાણે ઝફરખાન-મુઝફ્ફરશાહના સમયમાં તે વિદ્યમાન હતું. એટલે મૂળ ચૌલુક્ય-કાળમાં આ જળાશય અસ્તિત્વમાં આવ્યું હશે. અઝીઝ કોકાના સમયમાં તેનો પુનરુદ્ધાર થયો હતો (1589-94). તે ચતુરસ્ર આકારનું 400 X 400…

વધુ વાંચો >

ખાનસાહેબ

Jan 14, 1994

ખાનસાહેબ (ડૉ.) (જ. 1883, ઉતમાનઝાઈ, પેશાવર; અ. 9 મે 1958, લાહોર) : ભારતના વાયવ્ય સરહદ પ્રદેશના પઠાણ નેતા અને સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાનના મોટા ભાઈ. તેમના પિતા ખાન બહેરામખાન ગામના મુખી અને મોટા જમીનદાર હતા. 1857ના વિપ્લવ વખતે મદદ કરવા બદલ બ્રિટિશ સરકારે તેમને જાગીરો બક્ષી હતી; પરંતુ પાછલી…

વધુ વાંચો >

ખાનેખાનાન

Jan 14, 1994

ખાનેખાનાન (જ. ઈ. સ. 1556, લાહોર; અ. ઈ. સ. 1627, દિલ્હી) : મુઘલ સમ્રાટ અકબરના સામ્રાજ્યના પ્રથમ વકીલ (વડા પ્રધાન) બહેરામખાનનો પુત્ર અને તુર્કમાન લોકોની બહારલૂ શાખાનો વંશજ. સમ્રાટ હુમાયૂંએ તેનું નામ અબ્દુર્રહીમ રાખ્યું હતું. પિતાના અવસાન સમયે ચાર વર્ષનો હોવાથી અકબરની છત્રછાયા હેઠળ તે મોટો થયો. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત…

વધુ વાંચો >