૮.૩૦

તિલોયપણ્ણતિથી તુલસીશ્યામ

તિલોયપણ્ણતિ

તિલોયપણ્ણતિ (સં. त्रिलोकप्रज्ञप्ति) (ઈ. સ.ની પાંચમી સદી) : કષાયપ્રાભૃત નામે દ્વિતીય શ્રુતસ્કંધ ચૂર્ણીસૂત્રોના રચયિતા યતિવૃષભ આચાર્યે કરણાનુયોગ પર પ્રાકૃતમાં રચેલો ગ્રંથ. તે સર્વનંદીના પ્રાકૃત ‘લોક વિભાગ’ પછીનો હોઈ તે 479 આસપાસનો હશે તેમ અનુમાની શકાય. ગ્રંથકાર યતિવૃષભ તે આર્યમંક્ષુના શિષ્ય અને નાગહસ્તિના અંતેવાસી હતા. તેથી આર્યમંક્ષુ – નાગહસ્તિ–યતિ–વૃષભમાં સાક્ષાત્ ગુરુ–શિષ્ય…

વધુ વાંચો >

તિવાડી, માલચંદ

તિવાડી, માલચંદ (જ. 19 માર્ચ 1958, બીકાનેર, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી સાહિત્યકાર. શિક્ષણ અજમેર કૉલેજમાં. મુખ્ય વિષય હિંદી સાથે એમ.એ.ની ઉપાધિ મેળવી. રાજસ્થાન સરકારના સહકારી વિભાગમાં નિરીક્ષક તરીકે તેઓ સેવા આપે છે. જિલ્લાની સાહિત્યિક પરિષદના કાર્યમાં સક્રિય છે. અત્યાર સુધીમાં તેમની ટૂંકી વાર્તાઓના ચાર સંગ્રહો હિંદીમાં અને રાજસ્થાની ભાષામાં…

વધુ વાંચો >

તિવારી, ઉદયનારાયણ

તિવારી, ઉદયનારાયણ (જ. 1903, પીપરપાંતી, જિ. બલિયા, ઉ.પ્ર.) : હિંદીના ભાષાશાસ્ત્રી. 1929માં તેમણે અર્થશાસ્ત્ર સાથે એમ.એ.ની ડિગ્રી લીધી. ભાષાવિજ્ઞાનક્ષેત્રે સંશોધનની દિશામાં જવાની પ્રેરણા તેમને વિદ્વાન ભાષાશાસ્ત્રી બાબુરામ સક્સેના પાસેથી મળી. પોતાના શોધ-ગ્રંથ ‘ભોજપુરી ભાષા ઔર સાહિત્ય’ની ભૂમિકામાં લેખકે નોંધ્યા પ્રમાણે માતૃભાષા પ્રત્યેનો પ્રેમ તેમને ભાષાવિજ્ઞાનની દિશામાં લઈ ગયો. અભ્યાસ દરમિયાન…

વધુ વાંચો >

તિવારી, વી. એન.

તિવારી, વી. એન. (જ. 1936, પતિયાળા; અ. 1984) : પંજાબી કવિ અને વિદ્વાન. તેમના કાવ્યસંગ્રહ ‘ફુટપાથ તોં ગૅરેજ તક’ને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. પંજાબ યુનિવર્સિટીમાંથી તેમણે પંજાબીમાં પ્રથમ વર્ગ સાથે એમ.એ.ની ડિગ્રી તેમજ પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. તેઓ ભાઈ વીરસિંગ સ્ટડીઝ ઇન મૉડર્ન લિટરેચરના પ્રાધ્યાપકપદ સાથે…

વધુ વાંચો >

તિવારી, સીયારામ

તિવારી, સીયારામ (જ. 10 માર્ચ 1919; અ. 1998) : ધ્રુપદ ગાયકી ઉપરાંત ખયાલ અને ઠૂમરી ગાયન–શૈલીના કલાકારોમાંના એક. જન્મ મોસાળ ગામ મિથિલામાં. પિતાનું નામ બલદેવ તિવારી, જે ગયાના નિવાસી હતા અને ખયાલ તથા ઠૂમરીના પ્રસિદ્ધ ગાયક હતા. તેમણે સંગીતની શિક્ષા બાળપણમાં આઠ વર્ષની વયથી તેમના માતામહ અને વિખ્યાત પખવાજ–વાદક તથા…

વધુ વાંચો >

તિષ્યરક્ષિતા

તિષ્યરક્ષિતા : સમ્રાટ અશોકની પટરાણી. મૌર્ય રાજવી અશોકને અનેક રાણીઓ હતી. એના અભિલેખોમાં કારુવાકી નામે દ્વિતીય રાણીનો ઉલ્લેખ આવે છે. બૌદ્ધ અનુશ્રુતિ અનુસાર અશોક અવંતિમાં રાજ્યપાલ હતો ત્યારે એ વિદિશાની દેવી નામે  શાક્ય પુત્રીને પરણ્યો હતો. અન્ય અનુશ્રુતિ અનુસાર અશોકની અગ્રમહિષી અસન્ધિમિત્રા હતી ને એના મૃત્યુ પછી અશોકે એ સ્થાન…

વધુ વાંચો >

તિંગ લિંગ

તિંગ લિંગ (જ. 1907, લિન્લી કો, ચીન; અ. 1985) : ચીનનાં વાર્તા- લેખિકા. મૂળ નામ જિઆંગ બિંગઝા. બેજિંગ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ 1930માં ડાબેરી લેખકોની લીગમાં જોડાયાં અને તેના મુખપત્રનાં તંત્રી બન્યાં. 1932માં તેઓ સામ્યવાદી પક્ષમાં જોડાયાં પણ પુરુષોની આંધળી દેશદાઝ તથા અન્ય ભેદભાવની ઉઘાડેછોગ ટીકા કરવા બદલ પક્ષ તરફથી…

વધુ વાંચો >

તીગવાનું મંદિર

તીગવાનું મંદિર : ઈ. સ. 350થી 650ના ગાળામાં વિકસેલ રચનામૂલક મંદિરશૈલીનું પ્રારંભિક તબક્કાનું સ્થાપત્ય. ગુપ્ત કાળમાં આશરે ઈ. સ. 450માં તીગવામાં કાન્કાલીદેવીનું વિષ્ણુ મંદિર ભારતીય સ્થાપત્યનું એક સીમાચિહન ગણાય છે. તેમાં મૂળ પ્રાસાદ તથા તેની આગળના મંડપ પર સપાટ છત છે જે તત્કાલીન મંદિરશૈલીની ખાસિયત હતી. તે ઉપરાંત મંડપના સ્તંભોની…

વધુ વાંચો >

તીડ

તીડ (Locust) : સરળપક્ષ (orthoptera) શ્રેણીના એક્રીડિડી કુળનું એક કીટક. તેના ત્રીજા પગની જોડ લાંબી હોઈને તે કૂદકો મારવા માટે અનુકૂલન પામેલું છે. તીડ લીલો કે ભૂખરો રંગ ધરાવે છે. શરીર પર પથરાયેલી બે જોડ પાંખો પૈકી, બહારની પાંખ કઠણ અને રક્ષણાત્મક હોય છે, જ્યારે અંદરની પાંખો સરળ પાતળી અને…

વધુ વાંચો >

તીતીઘોડો

તીતીઘોડો : તીતીઘોડો એ સરળપક્ષ (orthoptera) શ્રેણીનું એક્રીડિડી કુળનું કીટક છે. આ શ્રેણીમાં લગભગ છ હજાર જાતો નોંધાઈ છે. તે જમીન ઉપર રહેનારું અને કૂદકા મારી ચાલનારું કીટક છે. અમુક જાતના તીતીઘોડા પાકને ઘણું જ નુકસાન કરે છે. તીતીઘોડાની મુખ્યત્વે હાઇરોગ્લાયફસ બનિયન (Hieroglyphus banian fab), હાઇરોલાયફસ નિગ્રોરેપ્લેટસ (H. nigrorepletus Bol),…

વધુ વાંચો >

તીથલ

Jan 30, 1997

તીથલ : ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના મુખ્ય મથક વલસાડથી 4–5 કિમી. દૂર આવેલું  હવા ખાવાનું સ્થળ અને પ્રવાસધામ. તે અરબી સમુદ્રના પૂર્વ કનારે 20° 37´ ઉ. અ. અને 72° 50´ પૂ. રે. પર આવેલું છે. દરિયાકાંઠે હોવાથી ઉનાળો ઓછો ગરમ અને શિયાળો સાધારણ ઠંડો હોય છે. સરેરાશ ગુરુતમ દૈનિક તાપમાન…

વધુ વાંચો >

તીરથ બસંત

Jan 30, 1997

તીરથ બસંત (જ. 7 સપ્ટેમ્બર 1909, લુકમાન, સિંધ; અ. 1994) : વીસમી સદીના નવચેતનાકાળના પ્રમુખ સિંધી સાહિત્યકાર. બે વરસની વયે માતાનું અવસાન થતાં દાદીમાએ તેમનું પાલનપોષણ કર્યું હતું. તેમણે ખુલ્લા પ્રાકૃતિક વાતાવરણમાંથી જીવનશિક્ષણ મેળવ્યું હતું અને પૂર્વ-પશ્ચિમના સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. દર્શન, સંસ્કૃતિ, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, વિજ્ઞાન જેવા વિષયોનો પણ ઊંડો…

વધુ વાંચો >

તીર, વિધાતાસિંહ

Jan 30, 1997

તીર, વિધાતાસિંહ (જ. 1900, રાવલપિંડી, પાકિસ્તાન; અ. 1976) : પંજાબી લેખક. આર્થિક સ્થિતિ ઘણી નબળી હોવાને કારણે એ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી માધ્યમિક શિક્ષણ લઈ શક્યા નહિ. આમ છતાં એમની અભ્યાસનિષ્ઠા એવી હતી કે એમણે હિંદી અને ઉર્દૂ ભાષા પર પ્રભુત્વ મેળવ્યું હતું. બંને ભાષામાં તેમણે લેખન કર્યું હતું.…

વધુ વાંચો >

તીરસ્થ નિક્ષેપ

Jan 30, 1997

તીરસ્થ નિક્ષેપ (Littoral deposit) : દરિયાકિનારા પરનો નિક્ષેપ, કંઠારનિક્ષેપ. દરિયાકિનારાથી અંદર તરફ તળ પરની આશરે 200 મીટરની લંબાઈ સુધી વિસ્તરેલા વિભાગમાં જામેલા દ્રવ્યજથ્થા માટે શબ્દ ઉપયોગમાં લઈ શકાય, અર્થાત્, સમુદ્રજળની ગુરુતમ ભરતી અને લઘુતમ ભરતીથી રચાતી રેખાઓ વચ્ચેના વિભાગમાં જોવા મળતા નિક્ષેપને તીરસ્થ નિક્ષેપ તરીકે ઓળખાવી શકાય. કંઠારપ્રદેશના સ્થાનિક ખડકોના…

વધુ વાંચો >

તીરંદાજી

Jan 30, 1997

તીરંદાજી : ધનુષ્ય ઉપર બાણ ચઢાવી, પણછ ખેંચીને બાણ છોડી લક્ષ્યવેધ કરવાની રમત. આ રમત પ્રાચીન કાળથી ચાલી આવેલી છે. ભારતમાં ધનુર્વિદ્યા યા તીરંદાજીના નામે અને પાશ્ર્ચાત્ય દેશોમાં ‘આર્ચરી’ના નામે તે જાણીતી છે. માનવીએ શિકાર કરવા માટે તથા હિંસક પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે અને પાછળથી યુદ્ધમાં શસ્ત્ર તરીકે ધનુષ્ય-બાણનો ઉપયોગ…

વધુ વાંચો >

તીર્થ

Jan 30, 1997

તીર્થ : પાવનકારી સ્થળ, વ્યક્તિ કે ગ્રંથ. જેના વડે તરી જવાય તેનું નામ તીર્થ. મૂળ અર્થ જળાશય કે નદી એવો છે. જળની પાસે આવેલા પવિત્ર કરનારા સ્થળને પણ ‘તીર્થ’ શબ્દથી ઓળખવામાં આવે એ કુદરતી છે. મેલનો નાશ કરી સ્વચ્છ કરનાર જળની જેમ, પાપનો નાશ કરી પવિત્ર કરનાર ઘણી વસ્તુઓ માટે…

વધુ વાંચો >

તીર્થંકર

Jan 30, 1997

તીર્થંકર : તીર્થની સ્થાપના કરનાર. ગૃહવાસનો ત્યાગ કરી શ્રમણત્વ (સાધુપણું) સ્વીકારી યોગસાધના દ્વારા રાગદ્વેષનો આત્યંતિક ક્ષય કરી આત્મિક શક્તિઓનું આવરણ કરનાર, બધાં જ કર્મોનો ધ્વંસ કરી કેવળ જ્ઞાન (સર્વજ્ઞત્વ) પામ્યા પછી જે કોઈ જીવ તીર્થની સ્થાપના કરે છે તે તીર્થંકર. તીર્થ એટલે (1) સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ…

વધુ વાંચો >

તીસરી કસમ

Jan 30, 1997

તીસરી કસમ : 1966ના વર્ષનું રાષ્ટ્રીય પારિતોષિક મેળવનાર શ્રેષ્ઠ હિંદી ચલચિત્ર. બિહારની પૃષ્ઠભૂમિમાં આકાર લેતી ગામના એક ભલાભોળા ગાડીવાન હીરામન અને નૌટંકીની નર્તકી હીરાબાઈના હૃદયમાં એકબીજાં પ્રત્યે પાંગરતી કુમળી લાગણીઓનું સુંદર નિરૂપણ આ શ્વેત અને શ્યામ ચલચિત્રમાં કરાયું છે. ખ્યાતનામ હિંદી સાહિત્યકાર ફણીશ્વરનાથ ‘રેણુ’ની એક પ્રસિદ્ધ ટૂંકી વાર્તા ‘મારે ગયે…

વધુ વાંચો >

તુકડોજી મહારાજ, (સંત)

Jan 30, 1997

તુકડોજી મહારાજ, (સંત) (જ. 29 એપ્રિલ 1909, યાવલી, જિ. અમરાવતી; અ. 10 નવેમ્બર 1968, મોઝરી આશ્રમ, જિ. અમરાવતી) : સ્વાતંત્ર્યસેનાની, રાષ્ટ્રસંત, કવિ અને સમાજ-સુધારક. મૂળ નામ માણિક. પિતાનું નામ બંડોજી. અટક ઠાકુર. પંઢરપુરના વિઠોબા તેમના કુલદેવતા. મરાઠી ત્રણ ધોરણ સુધી ભણ્યા પછી શાળાનો ત્યાગ કર્યો. બાળપણમાં અત્યંત તોફાની અને કેટલીક…

વધુ વાંચો >

તુકારામ

Jan 30, 1997

તુકારામ (જ. 1608, દેહૂ, પુણે પાસે; અ. 1649, ઇન્દ્રાયણી) : વિખ્યાત મરાઠી સંત તથા કવિ. મહારાષ્ટ્રના લોકલાડીલા સાત સંતો તે નિવૃત્તિ, જ્ઞાનદેવ, સોપાન, મુક્તાબાઈ, એકનાથ, નામદેવ અને તુકારામ હતા. પુણે નજીકના દેહૂ ગામમાં મોરે વંશમાં જન્મ. પિતાનું નામ બોલ્હોબા અને માતાનું નામ કનકાઈ. પરિવારની અટક આંબિલે. કુટુંબનો વ્યવસાય વેપાર. તેમની…

વધુ વાંચો >