૮.૩૦

તિલોયપણ્ણતિથી તુલસીશ્યામ

તિલોયપણ્ણતિ

તિલોયપણ્ણતિ (સં. त्रिलोकप्रज्ञप्ति) (ઈ. સ.ની પાંચમી સદી) : કષાયપ્રાભૃત નામે દ્વિતીય શ્રુતસ્કંધ ચૂર્ણીસૂત્રોના રચયિતા યતિવૃષભ આચાર્યે કરણાનુયોગ પર પ્રાકૃતમાં રચેલો ગ્રંથ. તે સર્વનંદીના પ્રાકૃત ‘લોક વિભાગ’ પછીનો હોઈ તે 479 આસપાસનો હશે તેમ અનુમાની શકાય. ગ્રંથકાર યતિવૃષભ તે આર્યમંક્ષુના શિષ્ય અને નાગહસ્તિના અંતેવાસી હતા. તેથી આર્યમંક્ષુ – નાગહસ્તિ–યતિ–વૃષભમાં સાક્ષાત્ ગુરુ–શિષ્ય…

વધુ વાંચો >

તિવાડી, માલચંદ

તિવાડી, માલચંદ (જ. 19 માર્ચ 1958, બીકાનેર, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી સાહિત્યકાર. શિક્ષણ અજમેર કૉલેજમાં. મુખ્ય વિષય હિંદી સાથે એમ.એ.ની ઉપાધિ મેળવી. રાજસ્થાન સરકારના સહકારી વિભાગમાં નિરીક્ષક તરીકે તેઓ સેવા આપે છે. જિલ્લાની સાહિત્યિક પરિષદના કાર્યમાં સક્રિય છે. અત્યાર સુધીમાં તેમની ટૂંકી વાર્તાઓના ચાર સંગ્રહો હિંદીમાં અને રાજસ્થાની ભાષામાં…

વધુ વાંચો >

તિવારી, ઉદયનારાયણ

તિવારી, ઉદયનારાયણ (જ. 1903, પીપરપાંતી, જિ. બલિયા, ઉ.પ્ર.) : હિંદીના ભાષાશાસ્ત્રી. 1929માં તેમણે અર્થશાસ્ત્ર સાથે એમ.એ.ની ડિગ્રી લીધી. ભાષાવિજ્ઞાનક્ષેત્રે સંશોધનની દિશામાં જવાની પ્રેરણા તેમને વિદ્વાન ભાષાશાસ્ત્રી બાબુરામ સક્સેના પાસેથી મળી. પોતાના શોધ-ગ્રંથ ‘ભોજપુરી ભાષા ઔર સાહિત્ય’ની ભૂમિકામાં લેખકે નોંધ્યા પ્રમાણે માતૃભાષા પ્રત્યેનો પ્રેમ તેમને ભાષાવિજ્ઞાનની દિશામાં લઈ ગયો. અભ્યાસ દરમિયાન…

વધુ વાંચો >

તિવારી, વી. એન.

તિવારી, વી. એન. (જ. 1936, પતિયાળા; અ. 1984) : પંજાબી કવિ અને વિદ્વાન. તેમના કાવ્યસંગ્રહ ‘ફુટપાથ તોં ગૅરેજ તક’ને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. પંજાબ યુનિવર્સિટીમાંથી તેમણે પંજાબીમાં પ્રથમ વર્ગ સાથે એમ.એ.ની ડિગ્રી તેમજ પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. તેઓ ભાઈ વીરસિંગ સ્ટડીઝ ઇન મૉડર્ન લિટરેચરના પ્રાધ્યાપકપદ સાથે…

વધુ વાંચો >

તિવારી, સીયારામ

તિવારી, સીયારામ (જ. 10 માર્ચ 1919; અ. 1998) : ધ્રુપદ ગાયકી ઉપરાંત ખયાલ અને ઠૂમરી ગાયન–શૈલીના કલાકારોમાંના એક. જન્મ મોસાળ ગામ મિથિલામાં. પિતાનું નામ બલદેવ તિવારી, જે ગયાના નિવાસી હતા અને ખયાલ તથા ઠૂમરીના પ્રસિદ્ધ ગાયક હતા. તેમણે સંગીતની શિક્ષા બાળપણમાં આઠ વર્ષની વયથી તેમના માતામહ અને વિખ્યાત પખવાજ–વાદક તથા…

વધુ વાંચો >

તિષ્યરક્ષિતા

તિષ્યરક્ષિતા : સમ્રાટ અશોકની પટરાણી. મૌર્ય રાજવી અશોકને અનેક રાણીઓ હતી. એના અભિલેખોમાં કારુવાકી નામે દ્વિતીય રાણીનો ઉલ્લેખ આવે છે. બૌદ્ધ અનુશ્રુતિ અનુસાર અશોક અવંતિમાં રાજ્યપાલ હતો ત્યારે એ વિદિશાની દેવી નામે  શાક્ય પુત્રીને પરણ્યો હતો. અન્ય અનુશ્રુતિ અનુસાર અશોકની અગ્રમહિષી અસન્ધિમિત્રા હતી ને એના મૃત્યુ પછી અશોકે એ સ્થાન…

વધુ વાંચો >

તિંગ લિંગ

તિંગ લિંગ (જ. 1907, લિન્લી કો, ચીન; અ. 1985) : ચીનનાં વાર્તા- લેખિકા. મૂળ નામ જિઆંગ બિંગઝા. બેજિંગ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ 1930માં ડાબેરી લેખકોની લીગમાં જોડાયાં અને તેના મુખપત્રનાં તંત્રી બન્યાં. 1932માં તેઓ સામ્યવાદી પક્ષમાં જોડાયાં પણ પુરુષોની આંધળી દેશદાઝ તથા અન્ય ભેદભાવની ઉઘાડેછોગ ટીકા કરવા બદલ પક્ષ તરફથી…

વધુ વાંચો >

તીગવાનું મંદિર

તીગવાનું મંદિર : ઈ. સ. 350થી 650ના ગાળામાં વિકસેલ રચનામૂલક મંદિરશૈલીનું પ્રારંભિક તબક્કાનું સ્થાપત્ય. ગુપ્ત કાળમાં આશરે ઈ. સ. 450માં તીગવામાં કાન્કાલીદેવીનું વિષ્ણુ મંદિર ભારતીય સ્થાપત્યનું એક સીમાચિહન ગણાય છે. તેમાં મૂળ પ્રાસાદ તથા તેની આગળના મંડપ પર સપાટ છત છે જે તત્કાલીન મંદિરશૈલીની ખાસિયત હતી. તે ઉપરાંત મંડપના સ્તંભોની…

વધુ વાંચો >

તીડ

તીડ (Locust) : સરળપક્ષ (orthoptera) શ્રેણીના એક્રીડિડી કુળનું એક કીટક. તેના ત્રીજા પગની જોડ લાંબી હોઈને તે કૂદકો મારવા માટે અનુકૂલન પામેલું છે. તીડ લીલો કે ભૂખરો રંગ ધરાવે છે. શરીર પર પથરાયેલી બે જોડ પાંખો પૈકી, બહારની પાંખ કઠણ અને રક્ષણાત્મક હોય છે, જ્યારે અંદરની પાંખો સરળ પાતળી અને…

વધુ વાંચો >

તીતીઘોડો

તીતીઘોડો : તીતીઘોડો એ સરળપક્ષ (orthoptera) શ્રેણીનું એક્રીડિડી કુળનું કીટક છે. આ શ્રેણીમાં લગભગ છ હજાર જાતો નોંધાઈ છે. તે જમીન ઉપર રહેનારું અને કૂદકા મારી ચાલનારું કીટક છે. અમુક જાતના તીતીઘોડા પાકને ઘણું જ નુકસાન કરે છે. તીતીઘોડાની મુખ્યત્વે હાઇરોગ્લાયફસ બનિયન (Hieroglyphus banian fab), હાઇરોલાયફસ નિગ્રોરેપ્લેટસ (H. nigrorepletus Bol),…

વધુ વાંચો >

તુલસીદાસ

Jan 30, 1997

તુલસીદાસ (જ. 1532, રાજાપુર, પ્રયાગ પાસે; અ. 1623, અસીઘાટ, વારાણસી, ઉ.પ્ર.) : હિંદીના યુગપ્રવર્તક સંતકવિ. હિંદી સાહિત્યના ભક્તિકાલની રામભક્તિ શાખાના તે પ્રતિનિધિ ગણાય છે. તેમના જન્મ તથા અવસાનના સમય વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ જ્યોતિષની ગણતરી મુજબ તેમનો જન્મ સંવત 1589 (ઈ. સ. 1532)માં થયો હતો એવો વિદ્વાનોનો મત…

વધુ વાંચો >

તુલસીશ્યામ

Jan 30, 1997

તુલસીશ્યામ : જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું વૈષ્ણવ સંપ્રદાયનું તીર્થધામ. તે ઉનાથી ઉત્તરે 30 કિમી. દૂર ગીરના મધ્યભાગમાં આવેલું છે અને કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. ભૌગોલિક સ્થાન : અંદાજે 20° 49´ ઉ. અ. અને 71° 02´ પૂ. રે.. અહીં ગરમ પાણીના ઝરા છે. તે કારણે તેનો પુરાણોમાં ‘તપ્તોદક’ તરીકે…

વધુ વાંચો >