૩.૨૭

ઑક્સીભૂત નિક્ષેપોથી ઑટોમૅટિક ડેટા પ્લૅટફૉર્મ

ઑક્સીભૂત નિક્ષેપો

ઑક્સીભૂત નિક્ષેપો : આર્થિક મૂલ્ય વગરના તેમજ ખનનયોગ્ય ન હોય તેવા ભૂપૃષ્ઠ પર ખુલ્લા થયેલા કેટલાક ધાત્વિક સલ્ફાઇડ ખનિજ ઘટકો ઉપર ઑક્સિજન અને પાણી દ્વારા થતી રાસાયણિક ખવાણક્રિયા – ઑક્સીભવન (ઉપચયન-oxidation) – મારફત મળતા સલ્ફેટ દ્રાવણોના મિશ્રણમાંથી અવક્ષેપિત થતાં ખનિજો. ખનિજોના ઉપચયનથી તૈયાર થતાં વિવિધ દ્રાવણો વચ્ચે પારસ્પરિક પ્રક્રિયા થતાં…

વધુ વાંચો >

ઑક્સેલિડેસી

ઑક્સેલિડેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી – બિંબપુષ્પી (Disciflorae), ગોત્ર – જિરાનિયેલ્સ, કુળ – ઑક્સેલિડેસી. આ કુળ 7 પ્રજાતિઓ અને લગભગ 1,000 જાતિઓનું બનેલું છે અને તે મોટેભાગે ઉષ્ણપ્રદેશોમાં વિતરણ…

વધુ વાંચો >

ઑક્સોક્રોમ

ઑક્સોક્રોમ (auxochrome) : કાર્બનિક અણુઓમાં અબંધકારક ઇલેક્ટ્રૉન ધરાવતા પરમાણુ અથવા પરમાણુસમૂહો. OH, NO, NO2, NH2, Cl, OR1 વગેરેનો આમાં સમાવેશ કરી શકાય. આવા સમૂહને ક્રોમોફોર સાથે લગાડતાં શોષણપટ લાંબી તરંગલંબાઈ તરફ ખસે છે અને શોષણપટની તીવ્રતામાં પણ વધારો થાય છે. એકલા ઑક્સોક્રોમથી આ ફેરફાર શક્ય નથી. આ પ્રકારના સમૂહો અબંધકારક…

વધુ વાંચો >

ઑક્સોનિયમ આયન

ઑક્સોનિયમ આયન : કેન્દ્રસ્થ ઑક્સિજન પરમાણુ ધરાવતો ધનાયન. હાઇડ્રૉક્સોનિયમ આયન (અથવા H3O+) સરળમાં સરળ ઑક્સોનિયમ આયન છે અને ઍસિડના જલીય દ્રાવણમાં તે હાજર હોય છે. આ આયનયુક્ત ધન ક્ષારો મેળવી શકાય છે. કેટલાંક પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહૉલનું નિર્જલીકરણ (dehydration) સમજાવવા માટે વ્હિટમોરે આલ્કોહૉલમાંથી પ્રોટોની-કરણ(protonation)માં ઑક્સોનિયમ આયનના નિર્માણની કલ્પના કરી હતી.…

વધુ વાંચો >

ઑક્સો-પ્રવિધિ

ઑક્સો-પ્રવિધિ (Oxo process) : ઑલિફિન (olefin) હાઇડ્રૉકાર્બનમાંથી આલ્ડિહાઇડ, આલ્કોહૉલ અને અન્ય ઑક્સિજનકૃત (oxygenated) કાર્બનિક સંયોજનોના ઉત્પાદન માટેની એક વિધિ. આમાં ઑલિફિન હાઇડ્રૉકાર્બન(આલ્કિન)ની બાષ્પને કાર્બન મૉનૉક્સાઇડ અને હાઇડ્રોજનની હાજરીમાં કોબાલ્ટ ઉદ્દીપકો પરથી પસાર કરવામાં આવે છે. આ પ્રવિધિ દ્વિતીય વિશ્વયુદ્ધના અરસામાં (1938માં) રોલેન (Roelen) દ્વારા જર્મનીમાં શોધાઈ હતી અને સંક્રમણ (transition)…

વધુ વાંચો >

ઓખા

ઓખા : સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના વાયવ્ય છેડા પર આવેલું બંદર. ભૌગોલિક સ્થાન : 220 28′ ઉ. અ. અને 690 05′ પૂ. રે.. ભૂમિમાર્ગે તે દ્વારકાથી 32 કિમી., મીઠાપુરથી 11 કિમી. અને જામનગરથી 161 કિમી.ના અંતરે તથા જળમાર્ગે તે મુંબઈથી 323 નૉટિકલ માઈલના અંતરે આવેલું છે. ભારતનાં પશ્ચિમ કિનારા પરનાં, વિશેષે કરીને…

વધુ વાંચો >

ઓખાહરણ

ઓખાહરણ : ઉષા-અનિરુદ્ધની પૌરાણિક કથા, જેના પરથી ગુજરાતીમાં પ્રેમાનંદ આદિ કવિએ આખ્યાનો રચ્યાં છે. મધ્યકાળના ગુજરાતી સાહિત્યમાં જે કથાઓ લોકપ્રિય હતી, એમાંની એક ઓખા/ઉષાની કથા છે. એ સમયના ઘણા કવિઓએ યથાશક્તિમતિ ઓખાની કથાને રસમય બનાવવાની કોશિશ કરી છે. આ પૌરાણિક કથા હરિવંશપુરાણના વિષ્ણુપર્વના 116થી 128મા અધ્યાયમાં અને શ્રીમદભાગવતના દશમસ્કંધના ઉત્તરાર્ધમાં…

વધુ વાંચો >

ઓખોટસ્કનો સમુદ્ર

ઓખોટસ્કનો સમુદ્ર : જાપાનની ઉત્તરે પ્રશાંત (પૅસિફિક) મહાસાગરનો આશરે 15.38 લાખ ચોકિમી.નો જળરાશિ વિસ્તાર ધરાવતો સમુદ્ર. ઉત્તર ધ્રુવની નજીક આવેલો હોવાથી તે વર્ષનો મોટો ભાગ બરફાચ્છાદિત રહે છે. આ સમુદ્રની ઈશાન દિશામાં સાઇબીરિયા, કામચટકાનો દ્વીપકલ્પ તેમજ કુરાઇલ ટાપુઓ પથરાયેલા છે, જ્યારે તેની દક્ષિણે વિશાળ સખાલિન ટાપુ તેમજ દૂર જાપાન દેશ…

વધુ વાંચો >

ઓગરા, સોરાબજી ફરામજી

ઓગરા, સોરાબજી ફરામજી (જ. 26 મે 1853; અ. 3 એપ્રિલ 1933) : પારસી રંગમંચના નામી કલાકાર. ગરીબ કુટુંબમાં ઉછેર થયો હતો. શાળાના અભ્યાસમાં મન ન લાગ્યું એટલે પિતાએ એમને કારખાનામાં નોકરીએ રાખ્યા. યંત્રના સંચા પણ સંગીત છેડતા હોય એમ એમને લાગતું અને તે સ્વપ્નોની દુનિયામાં ખોવાઈ જતા. હિંદી શીખ્યા પછી,…

વધુ વાંચો >

ઑગસ્ટ ઑફર

ઑગસ્ટ ઑફર : ભારતને સાંસ્થાનિક દરજ્જાનું સ્વરાજ્ય આપવા બ્રિટને 1940ના ઑગસ્ટ માસમાં કરેલી દરખાસ્ત. દેશને સ્વતંત્ર કરવાની અને કેન્દ્રમાં જવાબદાર કામચલાઉ સરકાર સ્થાપવાની માગણી સ્વીકારવામાં આવે તો દ્વિતીય વિશ્વયુદ્ધમાં સહકાર આપવાની ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે સરકાર સમક્ષ દરખાસ્ત મૂકી હતી. તેના જવાબમાં 8 ઑગસ્ટ, 1940ના રોજ વાઇસરૉય લૉર્ડ લિનલિથગોએ એક નિવેદનમાં…

વધુ વાંચો >

ઓઝમા પ્રૉજેક્ટ

Jan 27, 1991

ઓઝમા પ્રૉજેક્ટ : લાંબા અંતરે આવેલા ગ્રહો ઉપરના રહેવાસીઓ વચ્ચે એકબીજાના સંપર્ક અર્થે, જો કોઈ રેડિયો-સંદેશાઓની આપલે થતી હોય, તો તેમને ઝીલવા માટેનો એક પ્રૉજેક્ટ. અમેરિકન લેખક એલ. ફ્રૅન્ક બૌમની વાર્તાના અતિ દૂર આવેલા એક સુંદર કાલ્પનિક સ્થળ ‘ઓઝ’(Oz)ના નામ પરથી આ પ્રૉજેક્ટના નિયામક ફ્રેન્કે-ડી-ડ્રેડે પ્રૉજેક્ટનું નામ ‘ઓઝમા પ્રૉજેક્ટ’ આપ્યું.…

વધુ વાંચો >

ઓઝા, કિરીટ અનંતરાય

Jan 27, 1991

ઓઝા, કિરીટ અનંતરાય (જ. 20 જાન્યુઆરી 1951, ભાવનગર) : બાસ્કેટ બૉલની રમત માટે ગુજરાત સરકારના સરદાર પટેલ એવૉર્ડના વિજેતા. માતાનું નામ જયશ્રીબહેન. પ્રાથમિક શિક્ષણ ભાવનગરની ડી. એ. વી. સ્કૂલ, માધ્યમિક શિક્ષણ ઘરશાળા અને કૉલેજશિક્ષણ સર પી. પી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સમાં પ્રાપ્ત કર્યું. સ્ટેટ બૅંક ઑવ્ સૌરાષ્ટ્રમાં અધિકારી છે. કૉલેજમાં પ્રવેશ…

વધુ વાંચો >

ઓઝા, ગૌરીશંકર ઉદયશંકર

Jan 27, 1991

ઓઝા, ગૌરીશંકર ઉદયશંકર (જ. 21 ઑગસ્ટ 1805, ઘોઘા; અ. 1 ડિસેમ્બર 1891) : ગગા ઓઝા તરીકે જાણીતા, દીર્ઘકાલીન (57 વર્ષ) યશસ્વી કારકિર્દી ધરાવતા, જૂના ભાવનગર રાજ્યના દીવાન. ઘોઘામાં વડનગરા નાગર જ્ઞાતિમાં જન્મ. પિતા ઉદયશંકર, માતા અજબબા. ગામઠી નિશાળમાં સામાન્ય શિક્ષણ. દોઢ વર્ષે માતાનું અને તેર વર્ષે પિતાનું છત્ર ગુમાવનાર, મોસાળમાં…

વધુ વાંચો >

ઓઝા, ગૌરીશંકર હી.

Jan 27, 1991

ઓઝા, ગૌરીશંકર હી. (જ. 18 સપ્ટેમ્બર 1863, રોહેડા, સિરોહી; અ. 20 એપ્રિલ 1947, રોહેડા, સિરોહી) : રજપૂતાનાના ઇતિહાસના આદ્યલેખક અને ભારતના અગ્રણી વિદ્વાન. એક ગરીબ શ્રીમાળી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. ગામઠી શાળામાં કેળવણી લીધા પછી તેમણે મુંબઈમાં 1885માં સંસ્કૃત અને ગુજરાતી સાથે મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિક્યુલેશન પરીક્ષા પાસ કરી. તે પછી વિલ્સન…

વધુ વાંચો >

ઓઝા, ઘનશ્યામભાઈ

Jan 27, 1991

ઓઝા, ઘનશ્યામભાઈ (જ. 25 ઑક્ટોબર 1911, ઉમરાળા; અ. 12 જુલાઈ 2002, અમદાવાદ) : સ્વાતંત્ર્ય સેનાની અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી. પિતા છોટાલાલ અને માતા સવિતાબહેન. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વઢવાણ કૅમ્પમાં (સુરેન્દ્રનગર) લીધું. હાઇસ્કૂલના આચાર્ય મગનભાઈ દેસાઈ તથા શિક્ષક વી. વી. મહેતાની અસર. રાષ્ટ્રીય ભાવનાનું મહેતાએ સિંચન કર્યું. ઇતિહાસ, અર્થશાસ્ત્ર…

વધુ વાંચો >

ઓઝા, જયન્તીલાલ દેવશંકર

Jan 27, 1991

ઓઝા, જયન્તીલાલ દેવશંકર (જ. 25 જુલાઈ 1907; અ. 16 ફેબ્રુઆરી 1981) : ગુજરાતના અગ્રણી વનસ્પતિવિદ્ અધ્યાપક. મુખ્ય વિષય વનસ્પતિવિજ્ઞાન સાથે 1929માં ફરગ્યુસન કૉલેજ, પુણેમાંથી સ્નાતકની પદવી મેળવી. 1932માં પ્રા. એસ. એલ. અજરેકરના માર્ગદર્શન નીચે ગુજરાત કૉલેજ, અમદાવાદમાં ‘A study of fungus parasites of Tinospora cordifolia miels’ (ગળો) ઉપર સંશોધનનિબંધ લખીને…

વધુ વાંચો >

ઓઝા, ત્ર્યંબકલાલ મ.

Jan 27, 1991

ઓઝા, ત્ર્યંબકલાલ મ. (જ. 1907, ધ્રાંગધ્રા; અ. ) : રસાયણશાસ્ત્રના ગુજરાતના અગ્રણી અધ્યાપક તથા સંશોધક. સામાન્ય કુટુંબમાં જન્મ. મેટ્રિક સુધી વતનમાં અભ્યાસ કરી ગુજરાત કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે જોડાયા. ત્યાંથી સ્નાતક, અનુસ્નાતક અને ડૉક્ટરેટની ઉપાધિ (અકાર્બનિક રસાયણ) મેળવીને તે જ કૉલેજમાં 1937થી ડેમોન્સ્ટ્રેટર તરીકે જોડાયા. સરકારી નોકરીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરીને…

વધુ વાંચો >

ઓઝા, પ્રતાપ

Jan 27, 1991

ઓઝા, પ્રતાપ (જ. 20 જુલાઈ 1920) : નૂતન ગુજરાતી રંગભૂમિમાં મહત્વનું પ્રદાન કરનારા ગુજરાતી નટ અને દિગ્દર્શક. રંગભૂમિપ્રવૃત્તિનો પ્રારંભ 1937થી ગુજરાત કૉલેજ અમદાવાદથી. પારિવારિક વાતાવરણ રાષ્ટ્રપ્રીતિ તેમજ સંસ્કારપ્રીતિનું હોઈ તેમનામાં અંકુરિત થયેલી ભાવનાઓ અમદાવાદ-મુંબઈના શિક્ષણ તથા સંસ્કાર-પ્રવૃત્તિઓના કાર્યે મુક્તપણે વિકસી. તેમણે 1943થી 1948 દરમિયાન ધી ઇન્ડિયન પીપલ્સ થિયેટરમાં સક્રિય રસ…

વધુ વાંચો >

ઓઝા, મૂળજીભાઈ આશારામ

Jan 27, 1991

ઓઝા, મૂળજીભાઈ આશારામ (‘ભરથરી’) (જ. ; અ. 31 ઑગસ્ટ 1919, વડોદરા) : ‘આર્યસુબોધ નાટક મંડળી’થી રંગમંચ પર અભિનયની શરૂઆત કરી. ‘ભર્તૃહરિ’માં ભર્તૃહરિ (1880), ‘ચાંપરાજ હાડો’માં ચાંપરાજ (1887), ‘રાણકદેવી’માં સિદ્ધરાજ (1891), ‘જગદેવ પરમાર’માં શ્રીધર પાળ (1892), ‘ત્રિવિક્રમ’માં સુભટ સેન (1893), ‘ચંદ્રહાસ’માં કૌતલરાય (1894), ‘વીરબાળા’માં જયસિંહ (1896), ‘દેવયાની’માં કમલાકર (1899), ‘સતી અનસૂયા’માં…

વધુ વાંચો >

ઓઝા, રમેશ વ્રજલાલ

Jan 27, 1991

ઓઝા, રમેશ વ્રજલાલ (‘ભાઈશ્રી’) (જ. 31 ઑગસ્ટ 1957, દેવકા) : ગુજરાત અને ગુજરાત બહાર ભાગવતરામાયણનું પારાયણ કરનારા વિદ્વાન કથાકાર. સમાજમાં ‘ભાઈશ્રી’ના નામથી વિખ્યાત. એમના પિતાનું નામ વ્રજલાલ કાનજીભાઈ ઓઝા. માતાનું નામ લક્ષ્મીબહેન. એમના પરિવારમાં તેઓ બીજું સંતાન હતા. જ્ઞાતિએ ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ. કુટુંબ સંસ્કારી અને ધર્મપ્રિય. ભાઈશ્રી પછી બે પુત્રો…

વધુ વાંચો >