૨૫.૦૪

હરિતસ્રોત સરિતા (સ્રોતહરણ)થી હર્સ્ટ, ડૅમિયન

હરિતસ્રોત સરિતા (સ્રોતહરણ)

હરિતસ્રોત સરિતા (સ્રોતહરણ) : એક નદીનું બીજી નદી દ્વારા હરણ થઈ જવાની ક્રિયા. આ ઘટનાને સ્રોતહરણ (river capture or river piracy) પણ કહે છે. એક જળપરિવાહ થાળાનો જળપ્રવાહ બીજા કોઈ નજીકના જળપરિવાહ થાળામાં ભળી જાય ત્યારે જે નદીનાં પાણીનું હરણ થયું હોય તે નદીને હરિતસ્રોત સરિતા તરીકે ઓળખાવાય છે. આમાં…

વધુ વાંચો >

હરિદાસ સ્વામી

હરિદાસ સ્વામી (જ. 1520, ગ્રામ રાજપુર, જિલ્લો મથુરા, ઉત્તર પ્રદેશ; અ. 1615, વૃંદાવન) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રવર્તક અને વૈષ્ણવ ધર્મના મહાન સંત. તેમના અંગત જીવન વિશે જે માહિતી પ્રચલિત થઈ છે તેમાંની મોટા ભાગની વિગતો કિંવદંતી હોવાથી તે પ્રમાણભૂત ગણાય નહિ; પરંતુ જે માહિતી વિશ્વાસપાત્ર છે તે મુજબ…

વધુ વાંચો >

હરિ દિલગિર

હરિ દિલગિર [જ. 15 જૂન 1916, લારખાના, સિંધ (હાલ પાકિસ્તાનમાં)] : સિંધી લેખક. તેમણે ડી. જે. સિંઘ કૉલેજ, કરાચીમાંથી બી.એસસી. તથા બી.ઈ.(સિવિલ)ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ ઇજનેરી સેવામાંથી નિવૃત્ત થયા અને લેખનકાર્યમાં પડ્યા. 1965માં તેઓ ગાંધીધામ મ્યુનિસિપાલિટીમાં અધ્યક્ષ, 1994–1999 દરમિયાન સિંધી સાહિત્ય અકાદમી, ગુજરાતના અધ્યક્ષ રહ્યા. તેમણે સિંધીમાં 20 ગ્રંથો…

વધુ વાંચો >

હરિપુરા કૉંગ્રેસ અધિવેશન

હરિપુરા કૉંગ્રેસ અધિવેશન : સૂરત જિલ્લાના બારડોલી તાલુકાના હરિપુરા ગામે યોજાયેલ કૉંગ્રેસનું અધિવેશન. હિંદી રાષ્ટ્રીય મહાસભાનું 51મું અધિવેશન તા. 19, 20, 21 ફેબ્રુઆરી, 1938ના રોજ ગુજરાતમાં હરિપુરા મુકામે યોજાયું હતું. આ સમયે ખેડા જિલ્લાના કૉંગ્રેસી આગેવાનોએ ચરોતરમાં આવેલ રાસ ગામમાં અધિવેશન યોજવાની ઇચ્છા પ્રદર્શિત કરી હતી; પરંતુ એ પછી એમણે…

વધુ વાંચો >

હરિભદ્રસૂરિ (વિરહાંક)

હરિભદ્રસૂરિ (વિરહાંક) : જૈન સાહિત્યના ટીકાલેખક, મહાન કવિ અને દાર્શનિક. તેઓ શ્વેતાંબર સંપ્રદાયના વિદ્યાધર ગચ્છના હતા. ગચ્છપતિ આચાર્યનું નામ જિનભદ્ર, દીક્ષાગુરુનું નામ જિનદત્ત અને ધર્મજનની સાધ્વીનું નામ યાકિની મહત્તરા હતું. તેઓ ચિત્રકૂટ(ચિતોડ)ના સમર્થ બ્રાહ્મણ વિદ્વાન અને રાજપુરોહિત હતા. તેઓ ઈ. સ. 705થી 775ના સમયગાળામાં થયા હોવાનું મનાય છે. તેમણે સંસ્કૃત…

વધુ વાંચો >

હરિભદ્રસૂરિ (બારમી સદી)

હરિભદ્રસૂરિ (બારમી સદી) : બૃહદગચ્છના માનદેવસૂરિ અને એમના શિષ્ય જિનદેવ ઉપાધ્યાયના શિષ્ય. તેમણે ઈ. સ. 1116(સંવત 1172)માં પાટણમાં સિદ્ધરાજના રાજ્યમાં આશાવર સોનીની વસતિમાં રહીને ‘બંધસ્વામિત્વ’ નામના ગ્રંથ પર 650 શ્લોક પ્રમાણે વૃત્તિ રચી છે. એ જ વર્ષમાં પાટણની આશાપુર વસતિમાં રહીને જિનવલ્લભસૂરિના ‘આગમિક વસ્તુવિચારસાર’ ગ્રંથ પર 850 શ્લોક-પ્રમાણ વૃત્તિ રચી…

વધુ વાંચો >

હરિભદ્રસૂરિ (બારમો સૈકો)

હરિભદ્રસૂરિ (બારમો સૈકો) : આચાર્ય શ્રી ચંદ્રસૂરિના શિષ્ય અને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના વિશારદ કવિ. તેમણે મંત્રીશ્વર પૃથ્વીપાલની વિનંતિથી ચોવીસે તીર્થંકરોનાં ચરિત્રોની રચના દ્વારા જૈન વાઙમયની વિશિષ્ટ સેવા કરી છે. તેમણે પ્રાકૃતમાં રચેલાં ચરિત્રો પૈકી ‘ચંદપ્પહચરિય’, ‘મલ્લિનાહચરિય’ અને ‘નેમિનાહચરિય’ મળી આવે છે. એ ત્રણેયનું શ્લોક-પ્રમાણ 24,000 થાય છે. ‘નેમિનાહચરિય’…

વધુ વાંચો >

હરિમંદિર

હરિમંદિર : જુઓ ગુરુદ્વારા.

વધુ વાંચો >

હરિયાણા

હરિયાણા : ઉત્તર ભારતમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 27° 35´થી 30° 55´ ઉ. અ. અને 74° 20´થી 77° 40´ પૂ. રે. વચ્ચેનો 44,212 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ પંજાબ અને હિમાચલ પ્રદેશ, પૂર્વ તરફ દિલ્હી અને યમુના નદીથી અલગ પડતો ઉત્તર પ્રદેશ, દક્ષિણ અને…

વધુ વાંચો >

હરિયાળી ક્રાંતિ (Green Revolution)

હરિયાળી ક્રાંતિ (Green Revolution) : નવી ટૅક્નૉલૉજી પ્રયોજાવાથી ભારતમાં કૃષિક્ષેત્રે સમયના ટૂંકા ગાળામાં થયેલી મોટી ઉત્પાદનવૃદ્ધિ. ઊંચી ઉત્પાદકતા ધરાવતાં સંકર બીજ પર આધારિત આ ટૅક્નૉલૉજીનો ઉપયોગ 1966ના ચોમાસુ પાકથી કરવામાં આવ્યો હતો. ઘઉં, ચોખા, મકાઈ જેવાં કેટલાંક ધાન્યો માટે આ પ્રકારનાં બીજ શોધાયાં હતાં. આ ટૅક્નૉલૉજીના ત્રણ ઘટકો હતા :…

વધુ વાંચો >

હરિહર-2

Feb 4, 2009

હરિહર-2 (જ. 13મી સદીનો મધ્ય ભાગ) : શિવભક્તોનાં કાવ્યમય ચરિત્રો લખનાર મહાન કન્નડ સંતકવિ. તેમની માતાનું નામ શરવણી અને પિતાનું નામ મહાદેવ હતું. તેમની બહેન રુદ્રાણીનાં લગ્ન હમ્પીના મહાદેવ ભટ્ટ સાથે થયેલાં અને તેમનો પુત્ર રાઘવાંક હરિહર જેટલો જ પરમ ભક્ત કવિ અને તેમનો પટ્ટશિષ્ય હતો. આ સિવાય તેમના વિશે…

વધુ વાંચો >

હરિહરન

Feb 4, 2009

હરિહરન (જ. 3 એપ્રિલ 1955, પથન થેરુવુ, જિલ્લો તિરુવનંતપુરમ્, કેરળ) : ચલચિત્ર જગતના જાણીતા પાર્શ્વગાયક, અગ્રેસર ગઝલ-ગાયક તથા ભારતીય ફ્યૂઝન સંગીતના સર્જકોમાંના એક અગ્રણી સંગીતકાર. તેમણે હિંદી ચલચિત્રો ઉપરાંત તમિળ, મલયાળમ અને તેલુગુ ચલચિત્રોમાં પણ પાર્શ્વગાયન કર્યું છે. કર્ણાટકી સંગીતની ગાયિકા અલામેલુ તથા અનંત સુબ્રમણ્યમ ઐયરનાં સંતાન. માતાપિતા પાસેથી સંગીતના…

વધુ વાંચો >

હરિહરિહરિવાહન

Feb 4, 2009

હરિહરિહરિવાહન : બોધિસત્વ અવલોકિતેશ્વરનું વિશિષ્ટ મૂર્તિ સ્વરૂપ. શ્વેતવર્ણનું આ સ્વરૂપ ષડ્ભુજ છે. તેમના વાહનમાં સિંહ, ગરુડ અને વિષ્ણુને દર્શાવ્યા છે. ‘સાધનમાલા’માં જણાવ્યા પ્રમાણે તેમના મસ્તકે જટામુકુટ અને શરીરે સુંદર વસ્ત્રાલંકારો ધારણ કરેલાં હોય છે. જમણી બાજુના એક હાથમાં તથાગતનું સ્વરૂપ, બીજા હાથમાં અક્ષમાલા અને ત્રીજો હાથ વ્યાખ્યાન મુદ્રામાં હોય છે.…

વધુ વાંચો >

હરિ: ૐ આશ્રમ

Feb 4, 2009

હરિ: ૐ આશ્રમ : આધ્યાત્મિક સાધના માટેની સંસ્થા. ગઈ સદીના ગુજરાતના જુદી જ ભાતના સંત પૂજ્ય શ્રીમોટાની સમાજને આગવી દેણ. તેમણે તામિલનાડુમાં કાવેરીના કિનારે કુંભકોણમમાં 1950માં પ્રથમ આશ્રમ સ્થાપ્યો. ત્યાર બાદ 1955–56માં ગુજરાતમાં બે સ્થળે હરિ: ૐ આશ્રમ સ્થાપ્યા. નડિયાદ નજીક શેઢી નદીને કિનારે પ્રથમ અને સૂરત નજીક જહાંગીરપુરામાં તાપી…

વધુ વાંચો >

હરીરી બદીઉઝ્ઝમાન (1054–1122)

Feb 4, 2009

હરીરી બદીઉઝ્ઝમાન (1054–1122) : અરબી ભાષાનો કવિ, ભાષા-શાસ્ત્રી અને ‘મકામાત’ નામની વિખ્યાત ગદ્યકૃતિનો લેખક. અબૂ મુહમ્મદ અલ-કાસમ બિન અલી બિન મુહમ્મદ બિન ઉસ્માન અલ-હરીરીનો જન્મ 1054માં ઇરાકના શહેર બસરાની પાસે થયો હતો. તેણે બસરામાં શિક્ષણ મેળવ્યું હતું અને તેની નિમણૂક ગુપ્ત બાતમી એકત્ર કરનાર સરકારી વિભાગના વડા અધિકારી તરીકે થઈ…

વધુ વાંચો >

હરેરામ હરેકૃષ્ણ સંપ્રદાય

Feb 4, 2009

હરેરામ હરેકૃષ્ણ સંપ્રદાય : શ્રીરામ અને શ્રીકૃષ્ણને મહત્વ આપતો આધુનિક વૈષ્ણવ સંપ્રદાય. શ્રીકૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ(ઈ. સ. 1486–1533)નો પ્રાદુર્ભાવ બંગાળમાં થયો હતો. ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય એમણે સ્થાપ્યો હતો. પૂર્વ ભારતમાં એમનો પ્રભાવ ઉત્તરોત્તર વધતો ગયો. મહાપ્રભુએ સંકીર્તન યજ્ઞની અલૌકિક પદ્ધતિ પ્રસ્તુત કરી છે. ભગવાનનું નામ ગાવાની આ પદ્ધતિ મનુષ્યમાત્રને મુક્તિ અપાવે…

વધુ વાંચો >

હર્ક્યુલેનિયમ

Feb 4, 2009

હર્ક્યુલેનિયમ : ઇટાલીમાં આવેલું રોમન સંસ્કૃતિ ધરાવતું એક વખતનું પ્રાચીન શહેર. ભૌગોલિક સ્થાન : 40° 50´ ઉ. અ. અને 14° 15´ પૂ. રે.. પૉમ્પી અને સ્ટૅબ્યાની જેમ આ શહેર પણ ઈ. સ. 79માં વિસુવિયસના જ્વાળામુખી પ્રસ્ફુટન દ્રવ્ય ખડકાવાથી દટાઈ ગયેલું. જે પંક અને લાવા હેઠળ હર્ક્યુલેનિયમ દટાઈ ગયું, તેની નીચે…

વધુ વાંચો >

હર્ઝબર્ગ ગરહાર્ડ (Herzberg Gerhard)

Feb 4, 2009

હર્ઝબર્ગ, ગરહાર્ડ (Herzberg, Gerhard) (જ. 29 ડિસેમ્બર 1904, હેમ્બુર્ગ, જર્મની; અ. 3 માર્ચ 1999, ઓટાવા, કૅનેડા) : પારમાણ્વિક અને આણ્વિક સ્પૅક્ટ્રમિકી(સ્પેક્ટ્રમવિજ્ઞાન, spectroscopy)માં મહત્વનું સંશોધન કરનાર અને 1971ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા જર્મન-કેનેડિયન ભૌતિકવિજ્ઞાની. જર્મનીમાં જ શિક્ષણ પ્રાપ્ત કરી તેઓ 1928માં ડાર્મસ્ટાડ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી સ્નાતક થયા. 1930માં ત્યાં જ…

વધુ વાંચો >

હર્ઝોગ વર્નર

Feb 4, 2009

હર્ઝોગ, વર્નર (જ. 5 સપ્ટેમ્બર 1942, મ્યૂનિક, જર્મની) : જર્મન ચલચિત્ર-દિગ્દર્શક, નિર્માતા, અભિનેતા, પટકથાલેખક. મૂળ નામ વર્નર એચ. સ્ટિપેટિક. પોતાની આગવી શૈલીનાં ચલચિત્રો બનાવવા માટે જાણીતા વર્નર હર્ઝોગે બીજા વિશ્વયુદ્ધ પછીના પશ્ચિમ જર્મનીમાં ચલિચત્રની ઝુંબેશને આગળ વધારવામાં રેઇનર ફાસબાઇન્ડર અને વોલ્કર શ્લોન્ડ્રોફ સાથે મળીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. હર્ઝોગે મ્યુનિકમાં…

વધુ વાંચો >

હર્ટ્ઝસ્પ્રુંગ એજનર

Feb 4, 2009

હર્ટ્ઝસ્પ્રુંગ, એજનર (જ. 8 ઑક્ટોબર 1873, કોપનહેગન, ડેન્માર્ક; અ. 21 ઑક્ટોબર 1967, ડેન્માર્ક) : તારકોના ઉદભવ (જન્મ) અને અંત(મૃત્યુ)ના પ્રખર અભ્યાસી અને પથપ્રદર્શક ડેનિશ ખગોળવિદ. તેમણે વિરાટ (giant) અને વામન (dwarf) તારકોનું અસ્તિત્વ પુરવાર કર્યું તેમજ હર્ટ્ઝસ્પ્રુંગ-રસેલ રેખાકૃતિ(diagram)ની રચના તૈયાર કરી. એજનર હર્ટ્ઝસ્પ્રુંગ કોપનહેગનમાં રહીને તેમણે રસાયણ-ઇજનેરીનો અભ્યાસ કર્યો તથા…

વધુ વાંચો >