૨૫.૦૪

હરિતસ્રોત સરિતા (સ્રોતહરણ)થી હર્સ્ટ, ડૅમિયન

હર્ષલ જ્હૉન સર

હર્ષલ, જ્હૉન સર (જ. 1792; અ. 1871) : અંગ્રેજ વિજ્ઞાની, ખ્યાતનામ ખગોળવિદ અને તત્વવેત્તા. હજારો સમીપ દ્વિ-તારકો (binary stars), તારકવૃંદો અને નિહારિકાઓની શોધ કરી. અવકાશીય સંશોધનો અને અભ્યાસના સંદર્ભમાં તેમણે ફોટોગ્રાફી, પૉઝિટિવ અને નેગેટિવ જેવા શબ્દો શોધીને પ્રચલિત કર્યા. જ્હૉન સર હર્ષલ સિલ્વર હેલાઇડના નિગ્રાહક (fixer) તરીકે સોડિયમ થાયોસલ્ફાઇડની શોધ…

વધુ વાંચો >

હર્ષલ વિલિયમ (સર)

હર્ષલ, વિલિયમ (સર) (જ. 1738, હેનોવર, જર્મની; અ. 1822) : બ્રિટિશ ખગોળવિદ. જન્મે જર્મન. 1751માં યુરેનસ ગ્રહ શોધી કાઢવા બદલ તેમને સારી એવી ખ્યાતિ મળી. ઉપરાંત તેમણે નિહારિકાઓની સમજમાં મોટો ફાળો આપ્યો હતો. તેમના સમયમાં નિહારિકાઓ અને તારાવિશ્વો(galaxies)ની સંખ્યાની જાણકારીમાં ઘણો વધારો થયો. તેઓ દૂરબીનના નિર્માતા પણ ગણાય છે. કેટલાંક…

વધુ વાંચો >

હર્ષવર્ધન

હર્ષવર્ધન (શાસનકાળ : ઈ. સ. 606–647) : ઉત્તર ભારતમાં થાણેશ્વરના પુષ્પભૂતિ વંશનો પ્રાચીન ભારતનો એક મહાન સમ્રાટ, બહાદુર લશ્કરી નેતા તથા સાહિત્યકારોનો આશ્રયદાતા. તેના પિતા પ્રભાકરવર્ધનનું અવસાન થયું. પછી માળવાના રાજા દેવગુપ્તે કનોજ પર ચઢાઈ કરી ત્યાંના રાજા ગૃહવર્મા(હર્ષના બનેવી)ને મારી નાખ્યો તથા તેની રાણી રાજ્યશ્રી(હર્ષની બહેન)ને કેદ કરી. તે…

વધુ વાંચો >

હર્ષ સંવત

હર્ષ સંવત : જુઓ સંવત

વધુ વાંચો >

હર્ષી આલ્ફ્રેડ ડી. (Hershey Alfred D.)

હર્ષી, આલ્ફ્રેડ ડી. (Hershey, Alfred D.) (જ. 4 ડિસેમ્બર 1908, ઓવોસો, મિશિગન, યુ.એસ.; અ. 22 મે 1997) : સન 1969ના મૅક્સ ડેલ્બ્રુક અને સેલ્વેડોર લ્યૂરિયા સાથેના તબીબીવિદ્યા તથા દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમને વિષાણુઓની જનીનીય સંરચના (બંધારણ) અને તેમની સસ્વરૂપજનન (replication) અંગે કરેલી શોધ માટે આ માન મળ્યું હતું. વિષાણુઓનાં…

વધુ વાંચો >

હર્સિનિયન ગિરિનિર્માણ (Hercynian Orogeny)

હર્સિનિયન ગિરિનિર્માણ (Hercynian Orogeny) : પશ્ચ-કાર્બોનિફેરસ ગિરિનિર્માણક્રિયા. કાર્બોપર્મિયન ભૂસંચલન-ઘટના. કાર્બોનિફેરસ કાળના અંતિમ ચરણ વખતે મોટા પાયા પર શરૂ થઈને પર્મિયનના મધ્યકાળ વખતે સમાપ્ત થયેલી, પર્વતમાળાઓનું નિર્માણ કરતી, પૃથ્વીના પોપડામાં થયેલી પ્રચંડ હલનચલનની ઘટના. મુખ્યત્વે કરીને વાયવ્ય યુરોપ, યુરોપીય રશિયા તેમજ ઉત્તર અમેરિકાના ભૂપૃષ્ઠમાં થયેલાં ઘણાં અગત્યનાં ભૂસંચલનોની ક્રમિક શ્રેણીઓ દ્વારા…

વધુ વાંચો >

હર્સ્ટ ડૅમિયન

હર્સ્ટ, ડૅમિયન (જ. 1965, બ્રિસ્ટલ, ઇંગ્લૅન્ડ) : કલાક્ષેત્રે અવનવીન વસ્તુઓના પ્રવર્તક. આંગ્લ કલાકાર. તેમણે લંડનની ગોલ્ડસ્મિથ કૉલેજ ખાતે કલાનો અભ્યાસ કર્યો અને અનેક ચિત્રો તેમજ મિશ્ર માધ્યમનાં શિલ્પોનું સર્જન કર્યું. ડૅમિયન હર્સ્ટ  ત્યાર પછી તેમણે મૃત પ્રાણીઓનાં શરીર કે અમુક ભાગોનો ઉપયોગ કરીને બનાવેલી કૃતિઓથી તે બહુ જાણીતા થયા. ‘મધર…

વધુ વાંચો >

હરિતસ્રોત સરિતા (સ્રોતહરણ)

Feb 4, 2009

હરિતસ્રોત સરિતા (સ્રોતહરણ) : એક નદીનું બીજી નદી દ્વારા હરણ થઈ જવાની ક્રિયા. આ ઘટનાને સ્રોતહરણ (river capture or river piracy) પણ કહે છે. એક જળપરિવાહ થાળાનો જળપ્રવાહ બીજા કોઈ નજીકના જળપરિવાહ થાળામાં ભળી જાય ત્યારે જે નદીનાં પાણીનું હરણ થયું હોય તે નદીને હરિતસ્રોત સરિતા તરીકે ઓળખાવાય છે. આમાં…

વધુ વાંચો >

હરિદાસ સ્વામી

Feb 4, 2009

હરિદાસ સ્વામી (જ. 1520, ગ્રામ રાજપુર, જિલ્લો મથુરા, ઉત્તર પ્રદેશ; અ. 1615, વૃંદાવન) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રવર્તક અને વૈષ્ણવ ધર્મના મહાન સંત. તેમના અંગત જીવન વિશે જે માહિતી પ્રચલિત થઈ છે તેમાંની મોટા ભાગની વિગતો કિંવદંતી હોવાથી તે પ્રમાણભૂત ગણાય નહિ; પરંતુ જે માહિતી વિશ્વાસપાત્ર છે તે મુજબ…

વધુ વાંચો >

હરિ દિલગિર

Feb 4, 2009

હરિ દિલગિર [જ. 15 જૂન 1916, લારખાના, સિંધ (હાલ પાકિસ્તાનમાં)] : સિંધી લેખક. તેમણે ડી. જે. સિંઘ કૉલેજ, કરાચીમાંથી બી.એસસી. તથા બી.ઈ.(સિવિલ)ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ ઇજનેરી સેવામાંથી નિવૃત્ત થયા અને લેખનકાર્યમાં પડ્યા. 1965માં તેઓ ગાંધીધામ મ્યુનિસિપાલિટીમાં અધ્યક્ષ, 1994–1999 દરમિયાન સિંધી સાહિત્ય અકાદમી, ગુજરાતના અધ્યક્ષ રહ્યા. તેમણે સિંધીમાં 20 ગ્રંથો…

વધુ વાંચો >

હરિપુરા કૉંગ્રેસ અધિવેશન

Feb 4, 2009

હરિપુરા કૉંગ્રેસ અધિવેશન : સૂરત જિલ્લાના બારડોલી તાલુકાના હરિપુરા ગામે યોજાયેલ કૉંગ્રેસનું અધિવેશન. હિંદી રાષ્ટ્રીય મહાસભાનું 51મું અધિવેશન તા. 19, 20, 21 ફેબ્રુઆરી, 1938ના રોજ ગુજરાતમાં હરિપુરા મુકામે યોજાયું હતું. આ સમયે ખેડા જિલ્લાના કૉંગ્રેસી આગેવાનોએ ચરોતરમાં આવેલ રાસ ગામમાં અધિવેશન યોજવાની ઇચ્છા પ્રદર્શિત કરી હતી; પરંતુ એ પછી એમણે…

વધુ વાંચો >

હરિભદ્રસૂરિ (વિરહાંક)

Feb 4, 2009

હરિભદ્રસૂરિ (વિરહાંક) : જૈન સાહિત્યના ટીકાલેખક, મહાન કવિ અને દાર્શનિક. તેઓ શ્વેતાંબર સંપ્રદાયના વિદ્યાધર ગચ્છના હતા. ગચ્છપતિ આચાર્યનું નામ જિનભદ્ર, દીક્ષાગુરુનું નામ જિનદત્ત અને ધર્મજનની સાધ્વીનું નામ યાકિની મહત્તરા હતું. તેઓ ચિત્રકૂટ(ચિતોડ)ના સમર્થ બ્રાહ્મણ વિદ્વાન અને રાજપુરોહિત હતા. તેઓ ઈ. સ. 705થી 775ના સમયગાળામાં થયા હોવાનું મનાય છે. તેમણે સંસ્કૃત…

વધુ વાંચો >

હરિભદ્રસૂરિ (બારમી સદી)

Feb 4, 2009

હરિભદ્રસૂરિ (બારમી સદી) : બૃહદગચ્છના માનદેવસૂરિ અને એમના શિષ્ય જિનદેવ ઉપાધ્યાયના શિષ્ય. તેમણે ઈ. સ. 1116(સંવત 1172)માં પાટણમાં સિદ્ધરાજના રાજ્યમાં આશાવર સોનીની વસતિમાં રહીને ‘બંધસ્વામિત્વ’ નામના ગ્રંથ પર 650 શ્લોક પ્રમાણે વૃત્તિ રચી છે. એ જ વર્ષમાં પાટણની આશાપુર વસતિમાં રહીને જિનવલ્લભસૂરિના ‘આગમિક વસ્તુવિચારસાર’ ગ્રંથ પર 850 શ્લોક-પ્રમાણ વૃત્તિ રચી…

વધુ વાંચો >

હરિભદ્રસૂરિ (બારમો સૈકો)

Feb 4, 2009

હરિભદ્રસૂરિ (બારમો સૈકો) : આચાર્ય શ્રી ચંદ્રસૂરિના શિષ્ય અને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના વિશારદ કવિ. તેમણે મંત્રીશ્વર પૃથ્વીપાલની વિનંતિથી ચોવીસે તીર્થંકરોનાં ચરિત્રોની રચના દ્વારા જૈન વાઙમયની વિશિષ્ટ સેવા કરી છે. તેમણે પ્રાકૃતમાં રચેલાં ચરિત્રો પૈકી ‘ચંદપ્પહચરિય’, ‘મલ્લિનાહચરિય’ અને ‘નેમિનાહચરિય’ મળી આવે છે. એ ત્રણેયનું શ્લોક-પ્રમાણ 24,000 થાય છે. ‘નેમિનાહચરિય’…

વધુ વાંચો >

હરિમંદિર

Feb 4, 2009

હરિમંદિર : જુઓ ગુરુદ્વારા.

વધુ વાંચો >

હરિયાણા

Feb 4, 2009

હરિયાણા : ઉત્તર ભારતમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 27° 35´થી 30° 55´ ઉ. અ. અને 74° 20´થી 77° 40´ પૂ. રે. વચ્ચેનો 44,212 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ પંજાબ અને હિમાચલ પ્રદેશ, પૂર્વ તરફ દિલ્હી અને યમુના નદીથી અલગ પડતો ઉત્તર પ્રદેશ, દક્ષિણ અને…

વધુ વાંચો >

હરિયાળી ક્રાંતિ (Green Revolution)

Feb 4, 2009

હરિયાળી ક્રાંતિ (Green Revolution) : નવી ટૅક્નૉલૉજી પ્રયોજાવાથી ભારતમાં કૃષિક્ષેત્રે સમયના ટૂંકા ગાળામાં થયેલી મોટી ઉત્પાદનવૃદ્ધિ. ઊંચી ઉત્પાદકતા ધરાવતાં સંકર બીજ પર આધારિત આ ટૅક્નૉલૉજીનો ઉપયોગ 1966ના ચોમાસુ પાકથી કરવામાં આવ્યો હતો. ઘઉં, ચોખા, મકાઈ જેવાં કેટલાંક ધાન્યો માટે આ પ્રકારનાં બીજ શોધાયાં હતાં. આ ટૅક્નૉલૉજીના ત્રણ ઘટકો હતા :…

વધુ વાંચો >