શિવગંગા (પસુમ્પન્ મુથુરામલિંગમ્)

શિવગંગા (પસુમ્પન્ મુથુરામલિંગમ્) : તમિલનાડુ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 9°52´ ઉ. અ. અને 78° 29´ પૂ. રે.ની આજુબાજુનો 4,086 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે તિરુચિરાપલ્લી અને પુડુકોટ્ટાઈ, પૂર્વે પુડુકોટ્ટાઈ અને રામનાથપુરમ્, દક્ષિણે રામનાથપુરમ્ અને કામરાજર તથા પશ્ચિમે…

વધુ વાંચો >

શિવજ્ઞાનમ્, એમ. પી.

શિવજ્ઞાનમ્, એમ. પી. [જ. 1906 ચેન્નાઈ, (મદ્રાસ)] : ખ્યાતનામ તમિળ લેખક, પત્રકાર અને જાહેર કાર્યકર. તેઓ ‘મા. પો. શિ’ તરીકે વધુ જાણીતા હતા. ચેન્નાઈના ગંદા વસવાટમાં જન્મ અને ગરીબીને લીધે અભ્યાસ વહેલો છોડવો પડ્યો. તેથી તમિળ દૈનિક ‘તમિળનાડુ’માં કંપોઝિટર તરીકે જોડાયા. સાથોસાથ સાંજના વર્ગો ભરીને તમિળ અભ્યાસમાં ઊંડો અને કાયમી…

વધુ વાંચો >

શિવપુરી

શિવપુરી : મધ્યપ્રદેશના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 25° 20´ ઉ. અ. અને 77° 40´ પૂ. રે.ની આજુબાજુનો 10,278 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મોરેના, ગ્વાલિયર અને દાતિયા જિલ્લા; પૂર્વમાં ઝાંસી જિલ્લો (ઉ. પ્ર.); દક્ષિણે ગુના જિલ્લો તથા પશ્ચિમે…

વધુ વાંચો >

શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાન (Shivpuri National Park)

શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાન (Shivpuri National Park) : મધ્યપ્રદેશ રાજ્યના શિવપુરી જિલ્લામાં આવેલો રાષ્ટ્રીય ઉદ્યાન. તે મુંબઈ-આગ્રા મુખ્ય માર્ગ પર ગ્વાલિયર શહેરની દક્ષિણે આશરે 116 કિમી. અંતરે આવેલો છે અને 158 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તે વિંધ્ય હારમાળાના પ્રદેશમાં હોવાથી તેનું ભૂપૃષ્ઠ ટેકરીઓ તથા ખીણોથી બનેલું છે. અહીં જોવા મળતી…

વધુ વાંચો >

શિવપ્રકાશ, એચ. એસ.

શિવપ્રકાશ, એચ. એસ. (જ. 15 જૂન 1954, બૅંગલોર, કર્ણાટક) : કન્નડ કવિ અને નાટ્યકાર. બૅંગલોર યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. (1976) અને પીએચ.ડી.(1998)ની ડિગ્રી મેળવી. બૅંગલોરની મહારાણી આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક. હાલ (2002માં) કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અંગ્રેજી મુખપત્ર ‘ઇન્ડિયન લિટરેચર’ના તંત્રી. તેમને મળેલ સન્માન આ પ્રમાણે છે : કર્ણાટક સાહિત્ય અકાદમી ઍવૉર્ડ,…

વધુ વાંચો >

શિવભાગપુર

શિવભાગપુર : મૈત્રક સમય દરમિયાનનો એક વહીવટી વિભાગ. મૈત્રકવંશના રાજા ધ્રુવસેન 3જાના ઈ. સ. 653ના દાનશાસનમાં તથા રાજા ખરગ્રહ 2જાના ઈ. સ. 656ના દાનશાસનમાં ‘શિવભાગપુર વિષય’નાં ગામોનાં દાન સૂચવાયાં છે. પહેલામાં દક્ષિણપટ્ટનો ઉલ્લેખ છે, એટલે એનો ઉત્તરપટ પણ હોવો જોઈએ. એ વિષય(પ્રાદેશિક વિભાગ)નું વડું મથક શિવભાગપુર હતું. આ નગર એ…

વધુ વાંચો >

શિવભારત

શિવભારત : મરાઠા શાસન દરમિયાન છત્રપતિ શિવાજી વિશે કવિ પરમાણંદ દ્વારા સંસ્કૃત ભાષામાં લખાયેલ કાવ્યગ્રંથ. તેમાં શિવાજી મહારાજની કારકિર્દી, તેમના વિજયો તથા તેમના રાજ્યાભિષેકની વિધિ વગેરે પ્રસંગો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ કાવ્યગ્રંથમાં 31 પ્રકરણો છે અને છત્રપતિ શિવાજીની સિદ્ધિઓ વિશેની માહિતી, કાન્હોજી જેધેએ લખેલ ‘જેધે શકાવલી’(1697)માંની આ પ્રકારની…

વધુ વાંચો >

શિવરાત્રિ

શિવરાત્રિ : ગુજરાતમાં માઘ (ઉત્તર ભારતમાં ફાલ્ગુન) માસની કૃષ્ણ ચતુર્દશીએ ઊજવાતું શિવરાત્રિ વ્રતપર્વ. આને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. આ દિવસે શિવ અને પાર્વતીનાં લગ્ન થયાં હતાં. હસ્તમેળાપ વિષ્ણુ ભગવાને કરાવ્યો હતો અને બ્રહ્માજીએ પૌરોહિત કાર્ય સંભાળ્યું હતું. આ તિથિએ શંકરે તાંડવનૃત્ય કર્યું હતું અને પોતાના ડમરુથી સર્વત્ર જ્ઞાન-વિજ્ઞાનને ફેલાવ્યું હતું.…

વધુ વાંચો >

શિવરામ, એમ.

શિવરામ, એમ. (જ. 1905, બૅંગલોર; અ. 1984) : કન્નડ વાર્તાકાર, નવલકથાકાર અને હાસ્યરસજ્ઞ. તેમને તેમની વિજ્ઞાન અને મનોવિજ્ઞાન-વિષયક કૃતિ ‘મનમંથન’ (1974) માટે 1976ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે મૈસૂર યુનિવર્સિટીની યુનિવર્સિટી મેડિકલ કૉલેજમાંથી મેડિસિન અને સર્જરીમાં સ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ડૉક્ટરના વ્યવસાયમાં એક નિષ્ણાત ડૉક્ટર…

વધુ વાંચો >

શિવરુદ્રપ્પા, જી. એસ.

શિવરુદ્રપ્પા, જી. એસ. (જ. 7 ફેબ્રુઆરી 1926, શિકારીપુરા, જિ. શિમોગા, કર્ણાટક) : કન્નડ ભાષાના લેખક. મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ.એ. (1953) તથા પીએચ.ડી.(1960)ની ડિગ્રી મેળવી. નિવૃત્ત પ્રાધ્યાપક અને નિયામક, સેન્ટર ઑવ્ કન્નડ સ્ટડિઝ, બૅંગલોર યુનિવર્સિટી. 2002થી સ્વતંત્ર લેખનપ્રવૃત્તિમાં રોકાયેલા રહ્યા છે. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : પ્રમુખ, કર્ણાટક સાહિત્ય અકાદમી (1987-90);…

વધુ વાંચો >

શિલાવરણ (lithosphere)

Jan 16, 2006

શિલાવરણ (lithosphere) : ખડકોથી બનેલું આવરણ. પૃથ્વીનો પોપડો કે જે વિવિધ પ્રકારના ખડકોથી બનેલો છે તેને શિલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તેની નીચેની સીમા ભૂમધ્યાવરણ (mantle) અને ઉપરની સીમા જલાવરણ, જીવાવરણ અને વાતાવરણથી આવૃત છે. જલાવરણ અને વાતાવરણની સરખામણીએ જોતાં આ આવરણ ઘનદ્રવ્યથી બનેલું છે. મોટાભાગના અભ્યાસીઓ શિલાવરણને પોપડાના સમાનાર્થી…

વધુ વાંચો >

શિલાહાર રાજ્યો

Jan 16, 2006

શિલાહાર રાજ્યો : દક્ષિણ ભારતમાં આવેલાં શિલાહાર વંશનાં રાજ્યો. શિલાહાર વંશનાં ત્રણ રાજ્યો કોલ્હાપુર, ઉત્તર કોંકણ અને દક્ષિણ કોંકણ પ્રદેશમાં આવેલાં હતાં. આ ત્રણેય રાજ્યોની સ્થાપના રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થઈ હતી અને તેઓ રાષ્ટ્રકૂટોના સામંતો તરીકે સત્તા ભોગવતા હતા. શિલાહાર વંશના બધા રાજાઓએ ‘તગરપુર  વરાધીશ્વર’નો ઇલકાબ ધારણ કર્યો હતો; તેથી…

વધુ વાંચો >

શિલોંગ

Jan 16, 2006

શિલોંગ : ભારતના પૂર્વભાગમાં આવેલા મેઘાલય રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 25° 34´ ઉ. અ. અને 91° 53´ પૂ. રે.. તે કોલકાતાથી ઈશાનમાં 480 કિમી.ના અંતરે આવેલું છે. રાજ્યના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલા ‘ઈસ્ટ ખાસી હિલ્સ’ જિલ્લાનું તે વડું વહીવટી મથક છે. ભૂપૃષ્ઠ-જળપરિવાહ-આબોહવા : આ શહેર ખાસીની ટેકરીઓથી બનેલા શિલોંગના ઉચ્ચપ્રદેશ…

વધુ વાંચો >

શિલોંગ ઉચ્ચપ્રદેશ

Jan 16, 2006

શિલોંગ ઉચ્ચપ્રદેશ : મેઘાલય રાજ્યના પૂર્વભાગમાં આવેલો ઉચ્ચપ્રદેશ. મથાળે મેજ આકારની સપાટ ભૂમિનું શ્ય રચતો આ પહાડી પ્રદેશ મેઘાલયના ઘણાખરા ભાગને આવરી લે છે. ઉચ્ચપ્રદેશના પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ વિભાગો અનુક્રમે ગારો, જેંતિયા અને ખાસી ટેકરીઓને નામે ઓળખાય છે. વાસ્તવમાં આ ઉચ્ચપ્રદેશ દ્વીપકલ્પીય ભારતના મુખ્ય ઉચ્ચપ્રદેશમાં નવવિવૃતિ (outlier) રૂપે રજૂ…

વધુ વાંચો >

શિલ્પકલા (shaping art)

Jan 16, 2006

શિલ્પકલા (shaping art) અર્થ, પ્રકારો અને માધ્યમો : રૂપપ્રદ કલાઓમાંની એક કલા. શિલ્પ એ ઘાટ આપનારી કલા છે. શિલ્પમાં ત્રણ પરિમાણોલંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ(જાડાઈ)ને ધ્યાનમાં રાખવામાં આવે છે. રચનાની દૃષ્ટિએ શિલ્પના બે પ્રકાર છે : (1) પૂર્ણમૂર્ત શિલ્પ (sculpture in round) : જે શિલ્પનું કોતરકામ ચારેય બાજુ કરવામાં આવ્યું હોય…

વધુ વાંચો >

શિલ્પરત્નાકર

Jan 16, 2006

શિલ્પરત્નાકર : ભારતીય શિલ્પસ્થાપત્યનો ગ્રંથ. ધ્રાંગધ્રાના મૂળ વતની શિલ્પશાસ્ત્રી નર્મદાશંકર મૂળજીભાઈ સોમપુરાએ આ ગ્રંથની રચના ઈ. સ. 1939માં કરી હતી. નર્મદાશંકરે જાતે શિલ્પશાસ્ત્રનો અભ્યાસ કરી સ્વહસ્તે કેટલાક પ્રાસાદો અને દેવાલયોની રચના કરી હતી. આવા અનુભવી શિલ્પશાસ્ત્રીના પરિશ્રમથી આ ગ્રંથ પ્રસિદ્ધ થયો છે. એમની કુશળતાને લીધે વડોદરા રાજ્યમાં કલાભવનમાં પ્રાચીન શિલ્પશાસ્ત્રના…

વધુ વાંચો >

શિલ્પશાસ્ત્રના ગ્રંથો (ભારતીય)

Jan 16, 2006

શિલ્પશાસ્ત્રના ગ્રંથો (ભારતીય) : શિલ્પશાસ્ત્રની ભારતમાં બે પરંપરા છે – ઉત્તરી અથવા નાગરી અને દક્ષિણી અથવા દ્રવિડ. નાગરી શૈલીના વાસ્તુગ્રંથોના મુખ્ય પ્રણેતા વિશ્વકર્મા મનાય છે. નાગરી શૈલીના ગ્રંથોમાં ‘વિશ્વકર્મા-વાસ્તુશાસ્ત્ર’ (‘વિશ્વકર્મ-પ્રકાશ’), ભોજદેવનું ‘સમરાંગણસૂત્રધાર’ અને ભુવનદેવનું ‘અપરાજિતપૃચ્છા’ મુખ્ય છે. દ્રવિડ શૈલીના મુખ્ય પ્રણેતા મય ગણાય છે. આ શૈલીનો મુખ્ય ગ્રંથ ‘માનસાર’ છે.…

વધુ વાંચો >

શિલ્પી, જસુબહેન

Jan 16, 2006

શિલ્પી, જસુબહેન (જ. 10 ડિસેમ્બર 1948, ચંદ્રપુર, મહારાષ્ટ્ર) : ઐતિહાસિક અને જાહેર જીવનની ખ્યાતનામ વ્યક્તિઓનાં સ્મારક-શિલ્પો ઘડવા માટે જાણીતાં આધુનિક મહિલા-શિલ્પી. મૂળ નામ જસુબહેન આશરા. મધ્યમ વર્ગના સૌરાષ્ટ્રના આશરા અટક ધરાવતા કુટુંબમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ તેમણે અમદાવાદમાં કર્યો. મૅટ્રિક પસાર કર્યા પછી તેમણે 1965માં અમદાવાદની શેઠ સી. એન.…

વધુ વાંચો >

શિવ

Jan 16, 2006

શિવ : હિંદુ ધર્મના એક દેવ. ‘મહાદેવ’, ‘શંકર’, ‘શંભુ’, ‘ઈશ્વર’ જેવાં તેમનાં અન્ય નામો છે. તેઓ રુદ્ર રૂપે સૃષ્ટિસંહારનું મૂર્તિમંત સ્વરૂપ મનાય છે. ત્રિદેવની કલ્પનામાં બ્રહ્માને સૃષ્ટિના સર્જક, વિષ્ણુને સૃષ્ટિના પાલક તથા શિવ કે રુદ્રને સૃષ્ટિના સંહારક માનવામાં આવ્યા છે. વેદોમાં ‘શિવ’ નામ પ્રાપ્ત થતું નથી. જોકે ‘રુદ્ર’ માટે ‘શિવ’…

વધુ વાંચો >

શિવકાંચી

Jan 16, 2006

શિવકાંચી : દક્ષિણ ભારતનું એક શૈવ તીર્થ. અહીં 108 મંદિરો આવેલાં છે જેમાં મુખ્ય મંદિર એકાગ્રેશ્વરનું છે. સપ્તતીર્થ સરોવર પાસે આ વિશાળ મંદિર ત્રણ ગોપુર દ્વારોની ભીતર આવેલું છે. રેતિયા પથ્થરના મંદિરના ગર્ભગૃહમાં શ્યામવર્ણની લિંગમૂર્તિનાં દર્શન થાય છે. અહીં એકાગ્રેશ્વર પર જળાભિષેક થતો નથી. તેમનો અભિષેક ચમેલીના સુગંધિત તેલથી કરવામાં…

વધુ વાંચો >