શિવરૉય ટેકરીઓ (Shevroy Hills)

શિવરૉય ટેકરીઓ (Shevroy Hills) : ભારતીય દ્વીપકલ્પના પૂર્વ કાંઠાથી અંદર તરફ આવેલી હારમાળા. પૂર્વઘાટની ટેકરીઓથી બનેલી આ હારમાળા તામિલનાડુ રાજ્યના સેલમ જિલ્લામાં આવેલી છે. તે અહીંનો આશરે 390 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. હારમાળાના નૈર્ઋત્યભાગમાં ઊંચાં શિખરો આવેલાં છે. યેરકૉડ ઉચ્ચપ્રદેશ ખાતે સન્યાસીમલાઈ અથવા ડફ ટેકરીની ઊંચાઈ 1,594 મીટર…

વધુ વાંચો >

શિવલગન

શિવલગન (18મીથી 19મી સદી) : કાશ્મીરી કવિ પરમાનંદ (1791-1874) દ્વારા કાશ્મીરીમાં રચાયેલ ત્રીજું મહાન ‘લીલા’-કાવ્ય. તે 380 ધ્રુવપદ કડીઓનું બનેલું છે. તેમાં શિવ સાથે પાર્વતીનાં લગ્નની મંત્રમુગ્ધ કથા વણાયેલી છે. તે બંને વિશ્વવ્યાપી અને અનુભવાતીત સ્તરે શિવ અને શક્તિનું આવશ્યક ઐક્ય સૂચવે છે. કાવ્યની શરૂઆતની કડીમાં અનુપ્રાસવાળા દુહા છે અને…

વધુ વાંચો >

શિવશંકરન્, તિ. ક.

શિવશંકરન્, તિ. ક. (જ. 30 માર્ચ 1925, તિરુનેલવેલી, તામિલનાડુ) : તમિળ વિવેચક અને અનુવાદક. તેમને તેમના વિવેચનગ્રંથ ‘મતિપ્પુરૈકળ પેટ્ટિકળ’ માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઇન્ટરમીડિયેટ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ અંગ્રેજીના જાણકાર છે. તેઓ 20 વર્ષ સુધી બૅંકમાં સેવા આપ્યા બાદ સોવિયેત ઇન્ફર્મેશન વિભાગના…

વધુ વાંચો >

શિવસાગર

શિવસાગર : આસામના પૂર્વભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 59´ ઉ. અ. અને 94° 39´ પૂ. રે.ની આજુબાજુનો 2,668 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે દિબ્રુગઢ જિલ્લો, પૂર્વ તરફ અરુણાચલ પ્રદેશ (રાજ્ય), દક્ષિણે નાગાલૅન્ડ તથા પશ્ચિમે જોરહટ જિલ્લો આવેલા છે.…

વધુ વાંચો >

શિવસેના

શિવસેના : મહારાષ્ટ્રનો 1966માં સ્થપાયેલ કટ્ટર હિંદુત્વવાદી અને ચુસ્ત પ્રદેશવાદી રાજકીય પક્ષ. મહારાષ્ટ્રમાં ‘ધરતીના પુત્રો’(sons of the soil)ને પ્રાથમિકતા મળવી જોઈએ – એ તેનું ધ્યેય છે. દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજન પછી મહારાષ્ટ્રનું અલગ રાજ્ય રચાયું ત્યારે મહારાષ્ટ્રની પ્રજાનો અવાજ બુલંદ બનાવવા ટોચના મહારાષ્ટ્રવાસીઓની એક બેઠક બોલાવવામાં આવેલી. આ સૌએ એક…

વધુ વાંચો >

શિવહર (Sheohar)

શિવહર (Sheohar) : બિહાર રાજ્યના તિરહાટ વિભાગમાં ઉત્તર તરફ આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે આશરે 26° 40´થી 27° 30´ ઉ. અ. અને 85° 30´થી 86° 00´ પૂ. રે. વચ્ચેનો 443 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. જિલ્લાની ઉ.-દ. લંબાઈ પૂ.-પ. પહોળાઈ કરતાં વધુ છે. તેની ઉત્તરે નેપાળ, પૂર્વમાં સીતામઢી…

વધુ વાંચો >

શિવાજી

શિવાજી (જ. 6 એપ્રિલ 1627, શિવનેરનો કિલ્લો, જુન્નર પાસે, મહારાષ્ટ્ર; અ. 4 એપ્રિલ 1680, રાયગઢ, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રમાં સ્વરાજના સ્થાપક, મહાન સેનાપતિ અને કુશળ વહીવટકર્તા. શિવાજીના પિતા શાહજી ભોંસલે પુણે પાસે એક જાગીર ધરાવતા હતા અને બીજાપુર રાજ્યની નોકરીમાં હતા. શિવાજી પુણેમાં માતા જીજાબાઈ તથા દાદાજી કોંડદેવ સાથે રહેતા હતા.…

વધુ વાંચો >

શિલાવરણ (lithosphere)

Jan 16, 2006

શિલાવરણ (lithosphere) : ખડકોથી બનેલું આવરણ. પૃથ્વીનો પોપડો કે જે વિવિધ પ્રકારના ખડકોથી બનેલો છે તેને શિલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તેની નીચેની સીમા ભૂમધ્યાવરણ (mantle) અને ઉપરની સીમા જલાવરણ, જીવાવરણ અને વાતાવરણથી આવૃત છે. જલાવરણ અને વાતાવરણની સરખામણીએ જોતાં આ આવરણ ઘનદ્રવ્યથી બનેલું છે. મોટાભાગના અભ્યાસીઓ શિલાવરણને પોપડાના સમાનાર્થી…

વધુ વાંચો >

શિલાહાર રાજ્યો

Jan 16, 2006

શિલાહાર રાજ્યો : દક્ષિણ ભારતમાં આવેલાં શિલાહાર વંશનાં રાજ્યો. શિલાહાર વંશનાં ત્રણ રાજ્યો કોલ્હાપુર, ઉત્તર કોંકણ અને દક્ષિણ કોંકણ પ્રદેશમાં આવેલાં હતાં. આ ત્રણેય રાજ્યોની સ્થાપના રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થઈ હતી અને તેઓ રાષ્ટ્રકૂટોના સામંતો તરીકે સત્તા ભોગવતા હતા. શિલાહાર વંશના બધા રાજાઓએ ‘તગરપુર  વરાધીશ્વર’નો ઇલકાબ ધારણ કર્યો હતો; તેથી…

વધુ વાંચો >

શિલોંગ

Jan 16, 2006

શિલોંગ : ભારતના પૂર્વભાગમાં આવેલા મેઘાલય રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 25° 34´ ઉ. અ. અને 91° 53´ પૂ. રે.. તે કોલકાતાથી ઈશાનમાં 480 કિમી.ના અંતરે આવેલું છે. રાજ્યના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલા ‘ઈસ્ટ ખાસી હિલ્સ’ જિલ્લાનું તે વડું વહીવટી મથક છે. ભૂપૃષ્ઠ-જળપરિવાહ-આબોહવા : આ શહેર ખાસીની ટેકરીઓથી બનેલા શિલોંગના ઉચ્ચપ્રદેશ…

વધુ વાંચો >

શિલોંગ ઉચ્ચપ્રદેશ

Jan 16, 2006

શિલોંગ ઉચ્ચપ્રદેશ : મેઘાલય રાજ્યના પૂર્વભાગમાં આવેલો ઉચ્ચપ્રદેશ. મથાળે મેજ આકારની સપાટ ભૂમિનું શ્ય રચતો આ પહાડી પ્રદેશ મેઘાલયના ઘણાખરા ભાગને આવરી લે છે. ઉચ્ચપ્રદેશના પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ વિભાગો અનુક્રમે ગારો, જેંતિયા અને ખાસી ટેકરીઓને નામે ઓળખાય છે. વાસ્તવમાં આ ઉચ્ચપ્રદેશ દ્વીપકલ્પીય ભારતના મુખ્ય ઉચ્ચપ્રદેશમાં નવવિવૃતિ (outlier) રૂપે રજૂ…

વધુ વાંચો >

શિલ્પકલા (shaping art)

Jan 16, 2006

શિલ્પકલા (shaping art) અર્થ, પ્રકારો અને માધ્યમો : રૂપપ્રદ કલાઓમાંની એક કલા. શિલ્પ એ ઘાટ આપનારી કલા છે. શિલ્પમાં ત્રણ પરિમાણોલંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ(જાડાઈ)ને ધ્યાનમાં રાખવામાં આવે છે. રચનાની દૃષ્ટિએ શિલ્પના બે પ્રકાર છે : (1) પૂર્ણમૂર્ત શિલ્પ (sculpture in round) : જે શિલ્પનું કોતરકામ ચારેય બાજુ કરવામાં આવ્યું હોય…

વધુ વાંચો >

શિલ્પરત્નાકર

Jan 16, 2006

શિલ્પરત્નાકર : ભારતીય શિલ્પસ્થાપત્યનો ગ્રંથ. ધ્રાંગધ્રાના મૂળ વતની શિલ્પશાસ્ત્રી નર્મદાશંકર મૂળજીભાઈ સોમપુરાએ આ ગ્રંથની રચના ઈ. સ. 1939માં કરી હતી. નર્મદાશંકરે જાતે શિલ્પશાસ્ત્રનો અભ્યાસ કરી સ્વહસ્તે કેટલાક પ્રાસાદો અને દેવાલયોની રચના કરી હતી. આવા અનુભવી શિલ્પશાસ્ત્રીના પરિશ્રમથી આ ગ્રંથ પ્રસિદ્ધ થયો છે. એમની કુશળતાને લીધે વડોદરા રાજ્યમાં કલાભવનમાં પ્રાચીન શિલ્પશાસ્ત્રના…

વધુ વાંચો >

શિલ્પશાસ્ત્રના ગ્રંથો (ભારતીય)

Jan 16, 2006

શિલ્પશાસ્ત્રના ગ્રંથો (ભારતીય) : શિલ્પશાસ્ત્રની ભારતમાં બે પરંપરા છે – ઉત્તરી અથવા નાગરી અને દક્ષિણી અથવા દ્રવિડ. નાગરી શૈલીના વાસ્તુગ્રંથોના મુખ્ય પ્રણેતા વિશ્વકર્મા મનાય છે. નાગરી શૈલીના ગ્રંથોમાં ‘વિશ્વકર્મા-વાસ્તુશાસ્ત્ર’ (‘વિશ્વકર્મ-પ્રકાશ’), ભોજદેવનું ‘સમરાંગણસૂત્રધાર’ અને ભુવનદેવનું ‘અપરાજિતપૃચ્છા’ મુખ્ય છે. દ્રવિડ શૈલીના મુખ્ય પ્રણેતા મય ગણાય છે. આ શૈલીનો મુખ્ય ગ્રંથ ‘માનસાર’ છે.…

વધુ વાંચો >

શિલ્પી, જસુબહેન

Jan 16, 2006

શિલ્પી, જસુબહેન (જ. 10 ડિસેમ્બર 1948, ચંદ્રપુર, મહારાષ્ટ્ર) : ઐતિહાસિક અને જાહેર જીવનની ખ્યાતનામ વ્યક્તિઓનાં સ્મારક-શિલ્પો ઘડવા માટે જાણીતાં આધુનિક મહિલા-શિલ્પી. મૂળ નામ જસુબહેન આશરા. મધ્યમ વર્ગના સૌરાષ્ટ્રના આશરા અટક ધરાવતા કુટુંબમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ તેમણે અમદાવાદમાં કર્યો. મૅટ્રિક પસાર કર્યા પછી તેમણે 1965માં અમદાવાદની શેઠ સી. એન.…

વધુ વાંચો >

શિવ

Jan 16, 2006

શિવ : હિંદુ ધર્મના એક દેવ. ‘મહાદેવ’, ‘શંકર’, ‘શંભુ’, ‘ઈશ્વર’ જેવાં તેમનાં અન્ય નામો છે. તેઓ રુદ્ર રૂપે સૃષ્ટિસંહારનું મૂર્તિમંત સ્વરૂપ મનાય છે. ત્રિદેવની કલ્પનામાં બ્રહ્માને સૃષ્ટિના સર્જક, વિષ્ણુને સૃષ્ટિના પાલક તથા શિવ કે રુદ્રને સૃષ્ટિના સંહારક માનવામાં આવ્યા છે. વેદોમાં ‘શિવ’ નામ પ્રાપ્ત થતું નથી. જોકે ‘રુદ્ર’ માટે ‘શિવ’…

વધુ વાંચો >

શિવકાંચી

Jan 16, 2006

શિવકાંચી : દક્ષિણ ભારતનું એક શૈવ તીર્થ. અહીં 108 મંદિરો આવેલાં છે જેમાં મુખ્ય મંદિર એકાગ્રેશ્વરનું છે. સપ્તતીર્થ સરોવર પાસે આ વિશાળ મંદિર ત્રણ ગોપુર દ્વારોની ભીતર આવેલું છે. રેતિયા પથ્થરના મંદિરના ગર્ભગૃહમાં શ્યામવર્ણની લિંગમૂર્તિનાં દર્શન થાય છે. અહીં એકાગ્રેશ્વર પર જળાભિષેક થતો નથી. તેમનો અભિષેક ચમેલીના સુગંધિત તેલથી કરવામાં…

વધુ વાંચો >