શિવભારત : મરાઠા શાસન દરમિયાન છત્રપતિ શિવાજી વિશે કવિ પરમાણંદ દ્વારા સંસ્કૃત ભાષામાં લખાયેલ કાવ્યગ્રંથ. તેમાં શિવાજી મહારાજની કારકિર્દી, તેમના વિજયો તથા તેમના રાજ્યાભિષેકની વિધિ વગેરે પ્રસંગો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ કાવ્યગ્રંથમાં 31 પ્રકરણો છે અને છત્રપતિ શિવાજીની સિદ્ધિઓ વિશેની માહિતી, કાન્હોજી જેધેએ લખેલ ‘જેધે શકાવલી’(1697)માંની આ પ્રકારની હકીકતો સાથે મળતી આવે છે.

જયકુમાર ર. શુક્લ