શાહ, કે. ટી.

શાહ, કે. ટી. (જ. 20 ફેબ્રુઆરી 1888, માંડવી, કચ્છ; અ. 10 માર્ચ 1953, મુંબઈ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી, પ્રખર દેશભક્ત તથા આર્થિક આયોજનના હિમાયતી. મૂળ ગુજરાતના કચ્છ પ્રદેશના વતની. આખું નામ ખુશાલ તલકસી શાહ. પ્રાથમિક, માધ્યમિક અને અર્થશાસ્ત્રમાં બી.એ. સુધીનું ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં લીધા બાદ વધુ શિક્ષણ…

વધુ વાંચો >

શાહ, ગજેન્દ્ર

શાહ, ગજેન્દ્ર (જ. 1937, સાદરા, ગુજરાત) : ગુજરાતના આધુનિક  ચિત્રકાર. મૅટ્રિક્યુલેશન પછી 1956માં મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં વિદ્યાર્થી તરીકે જોડાયા અને 1961માં ત્યાંથી ચિત્રકલાનો ડિપ્લોમા હાંસલ કર્યો. ત્યારબાદ પહેલાં દિલ્હીમાં અને પછી અમદાવાદમાં 1961થી 1996 સુધી મકાનોની સજાવટ કરવાનો ઇન્ટિરિયર ડિઝાઇનરનો હુન્નર સ્વીકાર્યો અને 35 વરસ આ…

વધુ વાંચો >

શાહ ગઝની

શાહ, ગઝની (જ. ?, અ. ઈ.સ. 1512, અમદાવાદ) : અમદાવાદના સોળમી સદીના મુસ્લિમ સંત. ગુજરાતના સ્વતંત્ર સુલતાનોના શાહ ગઝની ઘણા જ નજીકના સગા થતા હતા. પરિણામે તેઓ અત્યંત ગર્વિષ્ઠ બની ગયેલા અને આમપ્રજાને પજવતા હતા. એક વખત તો તેમણે સંત શાહઆલમસાહેબના એક મુરીદ (સેવક) શેખ અહમદ પાસેથી પૈસા ખૂંચવી લીધા…

વધુ વાંચો >

શાહ, ગુણવંત

શાહ, ગુણવંત (જ. 12 માર્ચ 1937, સૂરત) : જાણીતા ગુજરાતી સાહિત્યકાર. સારા વક્તા અને ચિંતક. લલિત નિબંધોના લેખનમાં તેમણે એક આગવી મુદ્રા ઉપસાવી છે. માતાનું નામ પ્રેમીબહેન. પિતાનું નામ ભૂષણલાલ. પિતા વ્યવસાયે શિક્ષક હોવાના કારણે સદ્વાચન, શિક્ષણ અને સાહિત્યના સંસ્કાર તેમને બાળપણથી જ મળ્યા. બી.એસસી. અને એમ.એડ. સુધીનો ઉચ્ચ અભ્યાસ…

વધુ વાંચો >

શાહ, ચુનીલાલ વર્ધમાન

શાહ, ચુનીલાલ વર્ધમાન (જ. 2 મે 1887, વઢવાણ, સૌરાષ્ટ્ર; અ. 12 મે 1966, અમદાવાદ) : ગુજરાતી નવલકથાકાર, પત્રકાર વાર્તાકાર અને વિવેચક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણમાં. 1903માં મૅટ્રિક થયા બાદ કર્મભૂમિ તરીકે અમદાવાદ પસંદ કર્યું. તેમણે ‘રાજસ્થાન’ અને ‘જૈનોદય’ પત્રોનું સંપાદનકાર્ય કરેલું. એના સંપાદકીય અનુભવોના આધારે 1919માં ‘ગુજરાત સમાચાર’ તરફથી…

વધુ વાંચો >

શાહ, જગુભાઈ

શાહ, જગુભાઈ (જ. 1916, ટીંબડી, ગિરનાર નજીક, ગુજરાત; અ. 22 મે 2001, અમેરિકા) : ગુજરાતના ચિત્રકાર અને કલાગુરુ. માતા લાધીબાઈ અને પિતા ભીમજીભાઈ આઝાદીના લડવૈયા હતા; પરંતુ જગુભાઈના બાળપણ દરમિયાન જ તેમનાં માબાપનું મૃત્યુ થયું; તેથી માંગરોળ(સૌરાષ્ટ્ર)માં રહેલાં તેમનાં માશીએ તેમને પોતાને ત્યાં જ બોલાવી લઈને તેમને અંગ્રેજી ધોરણ પાંચ…

વધુ વાંચો >

શાહ, જયાબહેન વજુભાઈ

શાહ, જયાબહેન વજુભાઈ (જ. 1 ઑક્ટોબર 1922, ભાવનગર) : સ્વાતંત્ર્યસૈનિક તથા હિન્દીપ્રચાર, ખાદીપ્રચાર, હરિજનસેવા, મહિલાવિકાસપ્રવૃત્તિ અને ગ્રામવિદ્યાપીઠમાં મહત્વનું યોગદાન આપનાર ગુજરાતનાં ગાંધીવિચારનિષ્ઠ મહિલા કાર્યકર. પિતા ત્રિભુવનદાસ અને માતાનું નામ લક્ષ્મીબહેન હતું. રાજનીતિ અને અર્થશાસ્ત્ર સાથે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યા બાદ ગુજરાતના જાણીતા રાજકીય આગેવાન અને રચનાત્મક કાર્યકર શ્રી વજુભાઈ શાહ…

વધુ વાંચો >

શાહજહાનપુર

શાહજહાનપુર : ઉત્તરપ્રદેશના ઉત્તર ભાગમાં નૈર્ઋત્ય નેપાળની દક્ષિણે રોહિલખંડ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 27° 28´થી 28° 28´ ઉ. અ. અને 79° 17´ થી 80° 23´ પૂ. રે. વચ્ચેનો 4,575 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાની સરહદ રાજ્યના બીજા…

વધુ વાંચો >

શાહજહાં

શાહજહાં : જાણીતા બંગાળી નાટકકાર કવિ દ્વિજેન્દ્રલાલ રાય(1863-1913)નું પ્રસિદ્ધ ઐતિહાસિક નાટક. તેમનું રામાયણ-આધારિત ‘સીતા’ નાટક પણ અત્યંત વિખ્યાત છે. રાજપૂત ઇતિહાસના આધારે તેમણે ‘પ્રતાપસિંહ’ નાટક લખ્યું છે. ગુજરાતીમાં તેનો ઝવેરચંદ મેઘાણીએ ‘રાણો પ્રતાપ’ (1923) નામથી અનુવાદ કર્યો છે. દ્વિજેન્દ્રલાલનું મૂળ ‘સાજાહન’(1910)નો ‘શાહજહાં’ (1927) નામે મેઘાણીનો જ અનુવાદ મળે છે. આ…

વધુ વાંચો >

શાહજહાં

શાહજહાં (જ. 15 જાન્યુઆરી 1592, લાહોર; અ. 22 જાન્યુઆરી 1666, આગ્રા) : શહેનશાહ જહાંગીરનો પુત્ર અને પાંચમો મુઘલ સમ્રાટ. તેનું મૂળ નામ ખુર્રમ હતું. તેની માતા મારવાડના નરેશ ઉદયસિંહની પુત્રી હતી. ખુર્રમ અકબરને બહુ પસંદ હતો. તેણે સૂફી વિદ્વાનો પાસે અભ્યાસ કર્યો હતો. તેને તીરંદાજી, પટ્ટાબાજી અને ઘોડેસવારીમાં વધુ રસ…

વધુ વાંચો >

શાહ, રૂપાંદે

Jan 12, 2006

શાહ, રૂપાંદે (જ. 21 જૂન 1940, અમદાવાદ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરનાં ગાયક તથા દેશભરમાં ખ્યાતિ ધરાવતી શાસ્ત્રીય સંગીતની શિક્ષણ, પ્રચાર અને પ્રસારને વરેલી ‘સપ્તક’ સંસ્થાનાં સ્થાપક સભ્ય. પિતાનું નામ કાંતિલાલ મણિલાલ. તેઓ શાસ્ત્રીય સંગીતના મર્મજ્ઞ હતા. માતાનું નામ પુષ્પાવતી. સમગ્ર શિક્ષણ અમદાવાદમાં. સ્થાનિક ગુજરાત કૉલેજમાંથી …

વધુ વાંચો >

શાહ, લલ્લુભાઈ આશારામ (સર)

Jan 12, 2006

શાહ, લલ્લુભાઈ આશારામ (સર) (જ. 4 ફેબ્રુઆરી 1873; અ. 16 નવેમ્બર 1926) : મુંબઈની હાઈકૉર્ટના કાર્યકારી (acting) મુખ્ય ન્યાયમૂર્તિ. તેમના પિતાશ્રી આશારામ દલીચંદ માળિયા, લાઠી, ચૂડા અને બાંટવા રાજ્યમાં કારભારી હતા. લલ્લુભાઈએ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અભ્યાસ કરીને એમ.એ. તથા મુંબઈમાં અભ્યાસ કરીને એલએલ.બી.ની ડિગ્રી મેળવી. તેમણે 1895માં મુંબઈમાં વકીલાત શરૂ…

વધુ વાંચો >

શાહ વજુભાઈ મણિલાલ

Jan 12, 2006

શાહ વજુભાઈ મણિલાલ (જ. 6 ફેબ્રુઆરી 1910, વાવડી, જિ. રાજકોટ; અ. 9 જાન્યુઆરી 1983, અમદાવાદ) : સ્વચ્છ રાજકીય પ્રતિભા ધરાવતા ગાંધીવાદી રચનાત્મક નેતા. પ્રથમ પંક્તિના આગેવાન, યુવાનોના પ્રેરણામૂર્તિ, રાષ્ટ્રભાષાના પ્રચારક તેમજ ભૂદાન ચળવળના વાહક. માતાનું નામ સમજુબહેન. પિતા મણિલાલ ફૂલચંદ શાહ એજન્સીની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક હતા. લાઠીમાં અભ્યાસનો પ્રારંભ…

વધુ વાંચો >

શાહ, વજીહુદ્દીન અલવી

Jan 12, 2006

શાહ, વજીહુદ્દીન અલવી (જ. ?; અ. 1589, અમદાવાદ) : અમદાવાદના અરબી-ફારસીના જાણીતા વિદ્વાન અને સંત પુરુષ. આ સૂફી સંત ચાંપાનેરના વતની હતા અને ઈ. સ. 1537થી અમદાવાદમાં આવીને વસ્યા હતા. તેમણે અમદાવાદમાં મદરેસા સ્થાપી હતી. એમનું અવસાન થતાં એમના નિવાસસ્થાન પાસે ખાનપુરમાં દફનાવવામાં આવ્યા હતા. એમની કબર ઉપર તત્કાલીન ગુજરાતના…

વધુ વાંચો >

શાહ, વલીઉલ્લાહ દહેલવી

Jan 12, 2006

શાહ, વલીઉલ્લાહ દહેલવી (જ. 1702, ફલિત, જિ. મુઝફ્ફરનગર, ઉત્તર પ્રદેશ; અ. 1762) : અઢારમા સૈકાના ભારતના ધર્મપુરુષ, સૂફી સંત, સુધારક, વિચારક અને લેખક. તેમની અરબી તથા ફારસી ભાષામાં લખાયેલી કૃતિઓ આજપર્યંત સમયાનુરૂપ અને સુસંગત ગણાય છે. તેમણે કુરાન અને હદીસની તાલીમ દ્વારા, સમાજની બૂરાઈઓ દૂર કરવા માટેનો માર્ગ સૂચવ્યો હતો.…

વધુ વાંચો >

શાહ, વાજિદઅલી

Jan 12, 2006

શાહ, વાજિદઅલી (જ. 1822, લખનઉ; અ. 1887, કોલકાતા) : અવધના નવાબ, ઉર્દૂ કવિ, નાટ્યલેખક, કલાકાર, સંગીતકાર અને સ્થપતિ. હિન્દુસ્તાનના નવાબો રાજવીઓમાં સ્વચ્છંદતા માટે સૌથી વધુ બદનામ થયેલા વાજિદ અલી શાહ 1847માં વીસ વર્ષની યુવાન વયે અવધના નવાબ બન્યા હતા. શરૂઆતમાં તેમણે રાજ્યવહીવટ, ન્યાય તથા પ્રજાકીય કામોમાં રસ લીધો હતો. તેમણે…

વધુ વાંચો >

શાહ, વાડીલાલ મોતીલાલ

Jan 12, 2006

શાહ, વાડીલાલ મોતીલાલ (જ. 11 જુલાઈ 1878, વીરમગામ, ગુજરાત; અ. 21 નવેમ્બર 1931) : ગુજરાતી પત્રકાર, નવલકથાકાર અને સુધારાવાદી નિબંધલેખક. સ્થાનકવાસી જૈન કુટુંબમાં જન્મ. તીવ્ર જ્ઞાનપિપાસુ અને લેખક. પિતા મોતીલાલ તરફથી સંસ્કારવારસો મળ્યો. પ્રાથમિક શિક્ષણ વીરમગામમાં. માધ્યમિક શિક્ષણ માટે 14 વર્ષની વયે અમદાવાદમાં ટ્યૂશન કરતાં કરતાં ગુજરાત કૉલેજમાં જોડાયા. ત્યાં…

વધુ વાંચો >

શાહ, વારિસ

Jan 12, 2006

શાહ, વારિસ (જ. 1735, જંદિયાલા શેરખાન હાલ પાકિસ્તાનમાં; અ. ?) : પંજાબી કવિ. સૈયદ પરિવારમાં જન્મ. બાળપણમાં તેમણે માતાપિતા ગુમાવ્યાં. કાસુરની મદરેસામાં સૂફી ફકીરો પાસે શિક્ષણ લીધું. તેઓ  પોતાને કાસુરના પીર મખદૂમના શિષ્ય માનતા. ‘કિસ્સા હિર-રાંઝા’ નામક પ્રેમાખ્યાન રચવાની સાથે તેઓ લોકપ્રિય બન્યા. ‘સસ્સી-પુન્નુ’ અને ‘સી-હરફિસ’ પણ તેમની ભાવનાપ્રધાન કૃતિઓ…

વધુ વાંચો >

શાહ, વિદ્યાબહેન

Jan 12, 2006

શાહ, વિદ્યાબહેન (જ. 7 નવેમ્બર 1922, જેતપુર, રાજકોટ) : જાણીતાં મહિલા-કાર્યકર અને ‘પદ્મશ્રી’ ઍવૉર્ડ-વિજેતા. કુટુંબની સુધારક વિચારસરણીને કારણે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં અભ્યાસની તક સાંપડી અને 1942માં અર્થશાસ્ત્ર વિષયનાં સ્નાતક બન્યાં. ‘હિંદ છોડો’ આંદોલનના આ વર્ષમાં તેઓ રાષ્ટ્રીય આંદોલનની અસર હેઠળ આવ્યાં. રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લઈ સામાજિક સેવાની પ્રવૃત્તિઓના પાઠ શીખ્યાં.…

વધુ વાંચો >

શાહ, વિનોદ

Jan 12, 2006

શાહ, વિનોદ (જ. 23 સપ્ટેમ્બર 1934, રાજકોટ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં નારાયણ શ્રીધર બેન્દ્રે, શંખ ચૌધરી અને કે. જી. સુબ્રમણ્યન્ પાસે અભ્યાસ કરીને 1961માં ચિત્રકલાની સ્નાતક તથા 1963માં ચિત્રકલાની અનુસ્નાતક પદવીઓ હાંસલ કરી. આ જ અભ્યાસ દરમિયાન તેઓ યુરોપના…

વધુ વાંચો >