૧૭.૧૫

રંગનાયકમ્મા (શ્રીમતી)થી રાઇડર્સ ટુ ધ સી

રંધાવા, એન. એસ.

રંધાવા, એન. એસ. (જ. 13 માર્ચ 1927, નવશેરા પાનું, જિ. અમૃતસર; અ. 25 નવેમ્બર 1996) : રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા કૃષિવિજ્ઞાની અને સંશોધક. તેમણે બી.એસસી.- (ઍગ્રિકલ્ચર)ની પદવી 1947માં પંજાબ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, લયાલપુર(જે હાલ પાકિસ્તાનમાં છે)માંથી; એમ.એસસી.- (ઍગ્રિકલ્ચર)ની 1956માં પંજાબ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટીમાંથી અને પીએચ.ડી.ની પદવી જમીનવિજ્ઞાન વિષય સાથે કૅલિફૉર્નિયા યુનિવર્સિટી,…

વધુ વાંચો >

રંભ (stele)

રંભ (stele) સંવહન પેશીધારી વનસ્પતિઓના અક્ષનો મધ્યસ્થ નળાકાર સ્તંભ કે અંતર્ભાગ (core). ‘stele’ શબ્દ ગ્રીક ભાષામાંથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ સ્તંભ (column) થાય છે. આ રંભ સંવહન પેશીતંત્ર, અંતરાપૂલીય (interfascicular) પેશીઓ, મજ્જા (pith) અને પરિચક્ર (pericycle) ધરાવે છે. વાન ટીધેમ અને ડુલિયટે (1886) રંભનો સિદ્ધાંત આપ્યો. આ સિદ્ધાંત પ્રમાણે…

વધુ વાંચો >

રંભા

રંભા : કશ્યપ અને પ્રાધાની કન્યા. એક અતિ સુંદર અપ્સરા. તે કુબેરની સભામાં નૃત્ય દ્વારા મનોરંજન કરાવતી હતી. કુબેરના પુત્ર નલ-કુબેર સાથે એ પત્ની રૂપે રહેતી હતી. રાવણે એનો ઉપહાસ કરતાં રંભાએ રાવણને શાપ આપેલો કે તે કોઈ પણ સ્ત્રીને એની ઇચ્છા વિરુદ્ધ સ્પર્શ કરશે તો તેણે તેના પ્રાણ ગુમાવવા…

વધુ વાંચો >

રંભામંજરી (1384)

રંભામંજરી (1384) : સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલી નાટ્યકૃતિ. એક સુંદર સટ્ટક. ત્રણ યવનિકાવાળી નાટિકા છે. કર્તા કૃષ્ણર્ષિગચ્છના નયચન્દ્રસૂરિ. તેઓ જયસિંહસૂરિશિષ્ય પ્રસન્નચંદ્રના શિષ્ય અને ગ્વાલિયરના તોમરવંશીય રાજા વીરમના દરબારના પ્રસિદ્ધ કવિ હતા. નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ દ્વારા 1889માં, પ્રાચીન સંસ્કૃત ટિપ્પણી સાથે, પ્રકાશિત. સંપાદક પંડિત રામચન્દ્ર દીનાનાથ શાસ્ત્રી. આમાં કુલ 106…

વધુ વાંચો >

રા (સૂર્યદેવ)

રા (સૂર્યદેવ) : પ્રાચીન ઇજિપ્તના એક દેવ. સર્વ દેવોમાં તે સૌથી વધુ મહત્વના હતા. તેઓ દરરોજ આકાશમાં પોતાની હોડીમાં પ્રવાસ કરે છે. ‘રા’ નામના સૂર્યદેવની પ્રાચીન ઇજિપ્તમાં પૂજા થતી હતી. પ્રાચીન ઇજિપ્તમાં ઘણા રાજવંશોએ રાજ્ય કર્યું હતું. તેમાં પાંચમા રાજવંશના શાસન દરમિયાન ‘રા’ અથવા ‘રે’ (Ra or Re) નામના સૂર્યદેવની…

વધુ વાંચો >

‘રા’ અભિયાન

‘રા’ અભિયાન : રાડાંથી બનાવેલા જહાજમાં આટલાન્ટિક મહાસાગર પાર કરવા માટેનું અભિયાન. આ અભિયાનના 1969 તથા 1970માં થૉર હેરડાલના નેતૃત્વ હેઠળ બે વાર પ્રયાસ કરાયા હતા. આ અભિયાન પાછળ, પ્રાચીન ઇજિપ્તના નાવિકો નવા વિશ્વ(New World)માં પહોંચ્યા હશે તેવું પ્રતિપાદિત કરવાનો અભિગમ હતો. પ્રાચીન ઇજિપ્તના સૂર્યદેવનું નામ રા હતું. તેથી આ…

વધુ વાંચો >

રાઈ

રાઈ દ્વિદળી વર્ગમાં આવેલા બ્રૅસિકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica juncea (Linn.) Czern. syn. Sinapis juncea Linn. (સં. રાજિકા; મ. મોહરી; હિં. રાઈ; બં. સારિષા; ક. સાસીરાઈ; તે. બર્ણાલું; અ. ખરદલ; અં. બ્રાઉન મસ્ટાર્ડ, લીફ મસ્ટાર્ડ, ઇંડિયન મસ્ટાર્ડ) છે. તે 1.0 મી.થી 1.8 મી. ઊંચી એકવર્ષાયુ શાકીય વનસ્પતિ…

વધુ વાંચો >

રાઇખસ્ટાઇન, ટેડ્યઝ

રાઇખસ્ટાઇન, ટેડ્યઝ (જ. 20 જુલાઈ 1897, પોલૅન્ડ અ. 1 ઑગસ્ટ 1996, બસેલ, સ્વિટ્ઝર્લૅન્ડ) : સન 1950ના ફિલિપ શ્વૉલ્ટર હેન્ચ અને એડવર્ડ સી. કેન્ડાલ સાથે તબીબી અને દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કારના વિજેતા તથા સ્વિટ્ઝર્લૅન્ડના નાગરિક. તેમને અધિવૃક્ક બાહ્યક નામની અંતસ્રાવી ગ્રંથિના અંતઃસ્રાવોની રાસાયણિક સંરચના, જૈવિક અસરો વગેરે બાબતો વિશે શોધ કરવા બદલ…

વધુ વાંચો >

રાઇઝોફોરેસી

રાઇઝોફોરેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેને ઉપવર્ગમુક્તદલા (polypetalae), શ્રેણી વજ્રપુષ્પી (calyciflorae) અને ગોત્ર મીરટેલ્સમાં મૂકવામાં આવે છે. ચેર (mangrove) વનસ્પતિઓ ધરાવતા આ કુળમાં લગભગ 16 પ્રજાતિઓ અને 120 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં 7 પ્રજાતિઓ અને 14 જેટલી જાતિઓ તેમજ ગુજરાતમાં 3…

વધુ વાંચો >

રાઇટ, પીટર

રાઇટ, પીટર (જ. 1916, ચેસ્ટરફીલ્ડ, ડર્બિશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1995) : જાસૂસી કામગીરીના નિષ્ણાત અંગ્રેજ અધિકારી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ વૈજ્ઞાનિક અધિકારી તરીકે ઍડમિરલ્ટી રિસર્ચ લૅબોરેટરીમાં જોડાયા. બદલી થયેથી, 1955થી 1976 દરમિયાન તેમણે એમ-15 નામક શાખા એટલે કે પ્રતિ-જાસૂસી સંસ્થામાં કાર્યભાર સંભાળ્યો. ત્યાં તેમણે જાસૂસી કામની અનેકવિધ પ્રયુક્તિઓમાં તથા રશિયાના છૂપા…

વધુ વાંચો >

રંગનાયકમ્મા (શ્રીમતી)

Jan 15, 2003

રંગનાયકમ્મા (શ્રીમતી) (જ. 21 સપ્ટેમ્બર 1929, દાચવરામ, જિ. ખામ્મામ, આંધ્રપ્રદેશ) : તેલુગુ ભાષાનાં મહિલા-નવલકથાકાર. પારંપરિક શિક્ષણ સાવ ઓછું. તેઓ  માર્કસવાદની અસર નીચે આવ્યાં અને સ્ત્રી-હકના આંદોલનનાં પ્રણેતા બન્યાં. સામ્યવાદી વિચારસરણીનો અભ્યાસ કર્યો. સત્તાધારી વર્ગોના અન્યાયને પડકારીને તેમણે નિરાધાર આમજનતાના શોષણ સામે જેહાદ કરી. તેમની પ્રથમ નવલ ‘કૃષ્ણ વેણી’(1957)માં ભાવનાની વિવશતા…

વધુ વાંચો >

રંગપુર

Jan 15, 2003

રંગપુર : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં સુકભાદર નદીના ડાબા કાંઠા પર આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : 22° 26´ ઉ. અ. અને 71° 58´ પૂ. રે. . તે લીંબડીથી ઈશાનકોણમાં અને નળસરોવરથી 24 કિમી.ને અંતરે આવેલું છે. આ સ્થળ પ્રાગૈતિહાસિક સંસ્કૃતિના અવશેષો માટે જાણીતું બન્યું છે. 1931માં લીંબડી-ધંધુકા માર્ગનું બાંધકામ હાથ…

વધુ વાંચો >

રંગપુર (જિલ્લો)

Jan 15, 2003

રંગપુર (જિલ્લો) : બાંગ્લાદેશના રાજશાહી વિભાગમાં આવેલો એક જિલ્લો. તેનું ક્ષેત્રફળ 9,586 ચોકિમી. જેટલું છે. તેનું ભૂપૃષ્ઠ કાંપનાં મેદાનોથી બનેલું છે. મેદાનોના પૂર્વભાગમાં નદીનો ખીણપ્રદેશ છે. જિલ્લામાં લગભગ બધે જ ખેતી થાય છે. તમાકુ, ડાંગર, શણ અને તેલીબિયાં અહીંના મુખ્ય કૃષિપાકો છે. જિલ્લામાં રેલમાર્ગો સારી રીતે ગૂંથાયેલા હોવાથી અહીં પેદા…

વધુ વાંચો >

રંગબંધકો (mordants)

Jan 15, 2003

રંગબંધકો (mordants) : સૂક્ષ્મજીવોના વિવિધ ભાગોની અભિરંજન- પ્રક્રિયામાં રંગદ્રવ્યોનું ગ્રહણ સારી રીતે થઈ શકે તે માટે વપરાતાં રસાયણો. દાખલા તરીકે સૂક્ષ્મજીવોમાં આવેલાં કશા (flagella) જેવાં અંગો ખૂબ જ પાતળાં હોવાથી તેઓ સૂક્ષ્મદર્શકો વડે પણ જોઈ શકાતાં નથી; તેથી કશાઓના વ્યાસ વધારવામાં તેના પર સૌપ્રથમ રંગબંધકો વડે પ્રક્રિયા કરવામાં આવે છે.…

વધુ વાંચો >

રંગ બિન્નપા

Jan 15, 2003

રંગ બિન્નપા (1963) : કન્નડ લેખક એસ. વી. રંગન્ના રચિત ચિંતનાત્મક લખાણો તથા ધાર્મિક બોધનો ગ્રંથ. તેમાં ‘વચન’ના નમૂના મુજબ લખાયેલી 1,212 પદ્યાત્મક ગદ્ય રચનાઓનો સંગ્રહ છે. જ્ઞાનસાધનાને વરેલા આ વિદ્વાનની પારદર્શક દૂરંદેશિતા તેમાં ઠલવાઈ છે. સ્ત્રી-પુરુષોનાં સ્વભાવ તથા રીતભાતનાં આ વિલક્ષણ નિરીક્ષકનાં કેટલાંક ચિંતનો સંક્ષિપ્ત, મુદ્દાસર તથા અર્થસાધક છે;…

વધુ વાંચો >

રંગભાવન (toning)

Jan 15, 2003

રંગભાવન (toning) : છબીકલાની એક મહત્વની પ્રક્રિયા. સાદી ભાષામાં કહીએ તો છબીનો સૌથી ઊજળો સફેદ ભાગ, સૌથી શામળો ભાગ અને એ બે વચ્ચેનો સામાન્ય પ્રકાશવાળો ભાગ – એમ ત્રણ વિભાગમાં વહેંચાયેલા વિસ્તારનો મુખ્ય આધાર પદાર્થ પર પડતા પ્રકાશની દિશા અને તીવ્રતા પર હોય છે. રંગીન કે શ્યામ-શ્ર્વેત, કોઈ પણ સારી…

વધુ વાંચો >

રંગભૂમિ

Jan 15, 2003

રંગભૂમિ : મુંબઈમાં 1949માં સ્થપાયેલી નાટ્યસંસ્થા. પ્રતાપ ઓઝા, વિષ્ણુકુમાર વ્યાસ, લીલા જરીવાલા, મધુકર રાંદેરિયા, મંગળદાસ પકવાસા, ગુણવંતરાય આચાર્ય વગેરેના સથવારે અમર જરીવાલાના મહામંત્રીપદે આ સંસ્થાએ અનેક નાટકોની રજૂઆત કરી; અને પ્રતાપ ઓઝા, વિષ્ણુકુમાર વ્યાસ વગેરેએ એમાં યથોચિત ફાળો આપ્યો. દસ વર્ષની કારકિર્દી પછી આ સંસ્થાએ નાટ્યમિલન યોજ્યું અને ‘નાટ્યરંગ’ નામનું…

વધુ વાંચો >

રંગભેદ

Jan 15, 2003

રંગભેદ : રંગના આધારે નાગરિકો વચ્ચે ભેદભાવ દર્શાવવાની સરકારી નીતિ. દક્ષિણ આફ્રિકાની સરકારે દેશની અંદર વસતી વિવિધ જાતિઓ, વર્ગો અને જૂથોને રંગને આધારે અલગ ગણી તેમની વચ્ચે ભેદભાવભર્યો વ્યવહાર આચર્યો હતો. 1909માં દક્ષિણ આફ્રિકાની સરકારે ઍક્ટ ઑવ્ યુનિયન દ્વારા શ્યામ બહુમતીને રાજકારણથી જોજનો દૂર રાખી સત્તાવિહીન બનાવવાની ચાલનો આરંભ કર્યો.…

વધુ વાંચો >

રંગમંચ

Jan 15, 2003

રંગમંચ (1961) : પંજાબી નાટ્યલેખક તથા દિગ્દર્શક બળવંત ગાર્ગી લિખિત ભારતીય રંગભૂમિનો ઇતિહાસ. આ કૃતિને 1962ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. બળવંત ગાર્ગી(જ. 1918)એ પંજાબી રંગભૂમિ પર નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમનાં કેટલાંક નાટકો પરદેશમાં અનુવાદ પામ્યાં છે અને ભજવાયાં છે. પુરસ્કૃત ગ્રંથમાં પ્રાચીન કાળથી માંડીને અર્વાચીન પ્રવાહો…

વધુ વાંચો >

રંગમંડપ

Jan 15, 2003

રંગમંડપ : ગુજરાતનાં સોલંકીકાલીન મંદિરોમાં ગર્ભગૃહની સંમુખ કરાતો સ્તંભાવલિયુક્ત મંડપ. તેને ‘સભામંડપ’ને નામે પણ ઓળખવામાં આવે છે. મહામંદિરોમાં મંડપને ચારેય બાજુ પૂર્ણ દીવાલોથી આચ્છાદિત કરવામાં આવે ત્યારે તેને ‘ગૂઢમંડપ’ કહે છે. પ્રદક્ષિણાપથને અનુરૂપ, મંડપના તલમાન(ground plan)માં ત્રણે બાજુ વિસ્તાર કરવામાં આવે ત્યારે તેને ‘મહામંડપ’ કહે છે. તલમાનની દૃષ્ટિએ મંડપની દીવાલ…

વધુ વાંચો >