૧૭.૧૫

રંગનાયકમ્મા (શ્રીમતી)થી રાઇડર્સ ટુ ધ સી

રંગાસ્વામી કપ

રંગાસ્વામી કપ : હૉકીમાં પુરુષ-ખેલાડીઓને રાષ્ટ્રીય ચૅમ્પિયન બનવા બદલ આપવામાં આવતો કપ. આ કપની શરૂઆત 1928માં કરવામાં આવી હતી. ઇન્ડિયન હૉકી ફેડરેશનની સ્થાપના 7 નવેમ્બર 1925ના રોજ ગ્વાલિયર મુકામે કરવામાં આવી હતી. દેશમાં પુરુષોની હૉકીમાં સર્વશ્રેષ્ઠ ટીમ કઈ છે તે જાણવા માટે તેમજ દેશમાં હૉકી-રમતનો વિકાસ થાય તે દૃષ્ટિએ રાષ્ટ્રીય…

વધુ વાંચો >

રંગાસ્વામી, શાન્તા

રંગાસ્વામી, શાન્તા (જ. 1954; બૅંગલોર) : કર્ણાટકનાં મહિલા ટેસ્ટ-ક્રિકેટર. તેમણે 1977ના ભારતીય મહિલા ક્રિકેટ-ટીમનાં કપ્તાન તરીકે ન્યૂઝીલૅન્ડના ક્રિકેટ-પ્રવાસમાં ડ્યુનેડીન ખાતે 8થી 11 જાન્યુઆરી દરમિયાન ન્યૂઝીલૅન્ડ સામેની પ્રથમ સત્તાવાર ટેસ્ટમાં 108 રન કર્યા અને તે રીતે ભારતીય મહિલા ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સદી ફટકારનાર તે પ્રથમ (ભારતીય) મહિલા ટેસ્ટ ક્રિકેટર બન્યાં હતાં.…

વધુ વાંચો >

રંગીતાતા નદી

રંગીતાતા નદી : ન્યૂઝીલૅન્ડના દક્ષિણ ટાપુના પૂર્વ-મધ્ય ભાગમાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 44° 12´ દ. અ. અને 171° 30´ પૂ. રે. . આ નદી ત્યાંના દક્ષિણ આલ્પ્સ પર્વતોમાંથી નીકળતી ક્લાઇડ અને હૅવલૉક નદીઓના સંગમથી બને છે. તે રંગીતાતા કોતરમાંથી પસાર થાય છે. તે 121 કિમી.ની લંબાઈમાં અગ્નિ તરફ વહે…

વધુ વાંચો >

રંગીતીકી નદી

રંગીતીકી નદી : ન્યૂઝીલૅન્ડના ઉત્તર ટાપુના નૈર્ઋત્ય ભાગમાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 40° 18´ દ. અ. અને 175° 14´ પૂ. રે. . તે કૈમાનાવા પર્વતોમાંના પૂર્વ ઢોળાવોમાંથી નીકળે છે, તે દક્ષિણ તરફ 240 કિમી.ના અંતર સુધી વહે છે અને વાગાનુઈથી દક્ષિણે 40 કિમી.ના અંતરે તસ્માન સમુદ્રના તારાનાકી ઉપસાગરમાં ઠલવાય…

વધુ વાંચો >

રંગીન છબીકલા

રંગીન છબીકલા : જુઓ છબીકલા

વધુ વાંચો >

રંગૂન (નદી)

રંગૂન (નદી) : દક્ષિણ મ્યાનમારમાં પાટનગર રંગૂન ખાતે આવેલી દરિયાઈ નાળ (marine estuary). આ નાળ પેગુ અને મીતમાકા નદીઓના સંગમથી બને છે. આ નાળનાં પાણી રંગૂનથી 40 કિમી. અગ્નિ તરફ આંદામાન સમુદ્રના મર્તબાન અખાતમાં ઠલવાય છે. પશ્ચિમ તરફ ઇરાવદી નદી સાથે ત્વાન્તે નહેર (1883માં તે સર્વપ્રથમ ખોદવામાં આવેલી) મારફતે તેને…

વધુ વાંચો >

રંગૂન (યાન્ગોન)

રંગૂન (યાન્ગોન) : મ્યાનમારનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 16° 45´ ઉ. અ. અને 96° 07´ પૂ. રે. દેશનું તે મુખ્ય બંદર તેમજ ઔદ્યોગિક મથક પણ છે. તે દેશના દક્ષિણ ભાગમાં રંગૂન નદીના બંને કાંઠા પર વસેલું છે અને હિન્દી મહાસાગરના ફાંટારૂપ મર્તબાનના અખાતની ઉત્તરે 32 કિમી.ને…

વધુ વાંચો >

રંજકદ્રવ્યો (pigments) (સૂક્ષ્મજીવવિજ્ઞાન)

રંજકદ્રવ્યો (pigments) (સૂક્ષ્મજીવવિજ્ઞાન) : વિવિધ જાતના સૂક્ષ્મજીવોના કોષરસના ભાગ રૂપે દેહધર્મ-પ્રક્રિયા દરમિયાન નિર્માણ થતાં રંજકદ્રવ્યો. આમ તો રંજકદ્રવ્યો બધાં સજીવોમાં એક યા બીજા સ્વરૂપે આવેલાં હોય છે. કોષના બંધારણ રૂપે આવેલાં રંજકદ્રવ્યોનો ખ્યાલ પરાવર્તન (reflection) અને પ્રકીર્ણન (scattering) જેવી પ્રક્રિયાઓને અધીન અભિવ્યક્ત થતો હોય છે. લીલ-શેવાળ (green alga), પ્રકાશ-સંશ્લેષક જીવાણુઓ…

વધુ વાંચો >

રંજકહીનતા

રંજકહીનતા : જુઓ કોઢ

વધુ વાંચો >

રંજુવુલ

રંજુવુલ (શાસનકાળ ઈ. સ. 1થી 15) : મથુરાનો શકક્ષત્રપ (પ્રાંતનો સૂબેદાર કે ગવર્નર) અને ત્યારબાદ મહાક્ષત્રપ. તેણે શરૂઆતમાં કેટલાંક વર્ષ ક્ષત્રપ તરીકે અને તે પછી તેનો પુત્ર શોનદાસ ત્યાંનો ક્ષત્રપ બન્યો ત્યારે મહાક્ષત્રપ તરીકે શાસન કર્યું હતું. રંજુવુલના શરૂઆતના શાસનકાળના સિક્કા ગ્રીક અને ખરોષ્ઠી લિપિમાં કોતરેલા તથા પછીના સમયના સિક્કા…

વધુ વાંચો >

રંગનાયકમ્મા (શ્રીમતી)

Jan 15, 2003

રંગનાયકમ્મા (શ્રીમતી) (જ. 21 સપ્ટેમ્બર 1929, દાચવરામ, જિ. ખામ્મામ, આંધ્રપ્રદેશ) : તેલુગુ ભાષાનાં મહિલા-નવલકથાકાર. પારંપરિક શિક્ષણ સાવ ઓછું. તેઓ  માર્કસવાદની અસર નીચે આવ્યાં અને સ્ત્રી-હકના આંદોલનનાં પ્રણેતા બન્યાં. સામ્યવાદી વિચારસરણીનો અભ્યાસ કર્યો. સત્તાધારી વર્ગોના અન્યાયને પડકારીને તેમણે નિરાધાર આમજનતાના શોષણ સામે જેહાદ કરી. તેમની પ્રથમ નવલ ‘કૃષ્ણ વેણી’(1957)માં ભાવનાની વિવશતા…

વધુ વાંચો >

રંગપુર

Jan 15, 2003

રંગપુર : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં સુકભાદર નદીના ડાબા કાંઠા પર આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : 22° 26´ ઉ. અ. અને 71° 58´ પૂ. રે. . તે લીંબડીથી ઈશાનકોણમાં અને નળસરોવરથી 24 કિમી.ને અંતરે આવેલું છે. આ સ્થળ પ્રાગૈતિહાસિક સંસ્કૃતિના અવશેષો માટે જાણીતું બન્યું છે. 1931માં લીંબડી-ધંધુકા માર્ગનું બાંધકામ હાથ…

વધુ વાંચો >

રંગપુર (જિલ્લો)

Jan 15, 2003

રંગપુર (જિલ્લો) : બાંગ્લાદેશના રાજશાહી વિભાગમાં આવેલો એક જિલ્લો. તેનું ક્ષેત્રફળ 9,586 ચોકિમી. જેટલું છે. તેનું ભૂપૃષ્ઠ કાંપનાં મેદાનોથી બનેલું છે. મેદાનોના પૂર્વભાગમાં નદીનો ખીણપ્રદેશ છે. જિલ્લામાં લગભગ બધે જ ખેતી થાય છે. તમાકુ, ડાંગર, શણ અને તેલીબિયાં અહીંના મુખ્ય કૃષિપાકો છે. જિલ્લામાં રેલમાર્ગો સારી રીતે ગૂંથાયેલા હોવાથી અહીં પેદા…

વધુ વાંચો >

રંગબંધકો (mordants)

Jan 15, 2003

રંગબંધકો (mordants) : સૂક્ષ્મજીવોના વિવિધ ભાગોની અભિરંજન- પ્રક્રિયામાં રંગદ્રવ્યોનું ગ્રહણ સારી રીતે થઈ શકે તે માટે વપરાતાં રસાયણો. દાખલા તરીકે સૂક્ષ્મજીવોમાં આવેલાં કશા (flagella) જેવાં અંગો ખૂબ જ પાતળાં હોવાથી તેઓ સૂક્ષ્મદર્શકો વડે પણ જોઈ શકાતાં નથી; તેથી કશાઓના વ્યાસ વધારવામાં તેના પર સૌપ્રથમ રંગબંધકો વડે પ્રક્રિયા કરવામાં આવે છે.…

વધુ વાંચો >

રંગ બિન્નપા

Jan 15, 2003

રંગ બિન્નપા (1963) : કન્નડ લેખક એસ. વી. રંગન્ના રચિત ચિંતનાત્મક લખાણો તથા ધાર્મિક બોધનો ગ્રંથ. તેમાં ‘વચન’ના નમૂના મુજબ લખાયેલી 1,212 પદ્યાત્મક ગદ્ય રચનાઓનો સંગ્રહ છે. જ્ઞાનસાધનાને વરેલા આ વિદ્વાનની પારદર્શક દૂરંદેશિતા તેમાં ઠલવાઈ છે. સ્ત્રી-પુરુષોનાં સ્વભાવ તથા રીતભાતનાં આ વિલક્ષણ નિરીક્ષકનાં કેટલાંક ચિંતનો સંક્ષિપ્ત, મુદ્દાસર તથા અર્થસાધક છે;…

વધુ વાંચો >

રંગભાવન (toning)

Jan 15, 2003

રંગભાવન (toning) : છબીકલાની એક મહત્વની પ્રક્રિયા. સાદી ભાષામાં કહીએ તો છબીનો સૌથી ઊજળો સફેદ ભાગ, સૌથી શામળો ભાગ અને એ બે વચ્ચેનો સામાન્ય પ્રકાશવાળો ભાગ – એમ ત્રણ વિભાગમાં વહેંચાયેલા વિસ્તારનો મુખ્ય આધાર પદાર્થ પર પડતા પ્રકાશની દિશા અને તીવ્રતા પર હોય છે. રંગીન કે શ્યામ-શ્ર્વેત, કોઈ પણ સારી…

વધુ વાંચો >

રંગભૂમિ

Jan 15, 2003

રંગભૂમિ : મુંબઈમાં 1949માં સ્થપાયેલી નાટ્યસંસ્થા. પ્રતાપ ઓઝા, વિષ્ણુકુમાર વ્યાસ, લીલા જરીવાલા, મધુકર રાંદેરિયા, મંગળદાસ પકવાસા, ગુણવંતરાય આચાર્ય વગેરેના સથવારે અમર જરીવાલાના મહામંત્રીપદે આ સંસ્થાએ અનેક નાટકોની રજૂઆત કરી; અને પ્રતાપ ઓઝા, વિષ્ણુકુમાર વ્યાસ વગેરેએ એમાં યથોચિત ફાળો આપ્યો. દસ વર્ષની કારકિર્દી પછી આ સંસ્થાએ નાટ્યમિલન યોજ્યું અને ‘નાટ્યરંગ’ નામનું…

વધુ વાંચો >

રંગભેદ

Jan 15, 2003

રંગભેદ : રંગના આધારે નાગરિકો વચ્ચે ભેદભાવ દર્શાવવાની સરકારી નીતિ. દક્ષિણ આફ્રિકાની સરકારે દેશની અંદર વસતી વિવિધ જાતિઓ, વર્ગો અને જૂથોને રંગને આધારે અલગ ગણી તેમની વચ્ચે ભેદભાવભર્યો વ્યવહાર આચર્યો હતો. 1909માં દક્ષિણ આફ્રિકાની સરકારે ઍક્ટ ઑવ્ યુનિયન દ્વારા શ્યામ બહુમતીને રાજકારણથી જોજનો દૂર રાખી સત્તાવિહીન બનાવવાની ચાલનો આરંભ કર્યો.…

વધુ વાંચો >

રંગમંચ

Jan 15, 2003

રંગમંચ (1961) : પંજાબી નાટ્યલેખક તથા દિગ્દર્શક બળવંત ગાર્ગી લિખિત ભારતીય રંગભૂમિનો ઇતિહાસ. આ કૃતિને 1962ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. બળવંત ગાર્ગી(જ. 1918)એ પંજાબી રંગભૂમિ પર નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમનાં કેટલાંક નાટકો પરદેશમાં અનુવાદ પામ્યાં છે અને ભજવાયાં છે. પુરસ્કૃત ગ્રંથમાં પ્રાચીન કાળથી માંડીને અર્વાચીન પ્રવાહો…

વધુ વાંચો >

રંગમંડપ

Jan 15, 2003

રંગમંડપ : ગુજરાતનાં સોલંકીકાલીન મંદિરોમાં ગર્ભગૃહની સંમુખ કરાતો સ્તંભાવલિયુક્ત મંડપ. તેને ‘સભામંડપ’ને નામે પણ ઓળખવામાં આવે છે. મહામંદિરોમાં મંડપને ચારેય બાજુ પૂર્ણ દીવાલોથી આચ્છાદિત કરવામાં આવે ત્યારે તેને ‘ગૂઢમંડપ’ કહે છે. પ્રદક્ષિણાપથને અનુરૂપ, મંડપના તલમાન(ground plan)માં ત્રણે બાજુ વિસ્તાર કરવામાં આવે ત્યારે તેને ‘મહામંડપ’ કહે છે. તલમાનની દૃષ્ટિએ મંડપની દીવાલ…

વધુ વાંચો >