૧૭.૧૫

રંગનાયકમ્મા (શ્રીમતી)થી રાઇડર્સ ટુ ધ સી

રંગનાયકમ્મા (શ્રીમતી)

રંગનાયકમ્મા (શ્રીમતી) (જ. 21 સપ્ટેમ્બર 1929, દાચવરામ, જિ. ખામ્મામ, આંધ્રપ્રદેશ) : તેલુગુ ભાષાનાં મહિલા-નવલકથાકાર. પારંપરિક શિક્ષણ સાવ ઓછું. તેઓ  માર્કસવાદની અસર નીચે આવ્યાં અને સ્ત્રી-હકના આંદોલનનાં પ્રણેતા બન્યાં. સામ્યવાદી વિચારસરણીનો અભ્યાસ કર્યો. સત્તાધારી વર્ગોના અન્યાયને પડકારીને તેમણે નિરાધાર આમજનતાના શોષણ સામે જેહાદ કરી. તેમની પ્રથમ નવલ ‘કૃષ્ણ વેણી’(1957)માં ભાવનાની વિવશતા…

વધુ વાંચો >

રંગપુર

રંગપુર : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં સુકભાદર નદીના ડાબા કાંઠા પર આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : 22° 26´ ઉ. અ. અને 71° 58´ પૂ. રે. . તે લીંબડીથી ઈશાનકોણમાં અને નળસરોવરથી 24 કિમી.ને અંતરે આવેલું છે. આ સ્થળ પ્રાગૈતિહાસિક સંસ્કૃતિના અવશેષો માટે જાણીતું બન્યું છે. 1931માં લીંબડી-ધંધુકા માર્ગનું બાંધકામ હાથ…

વધુ વાંચો >

રંગપુર (જિલ્લો)

રંગપુર (જિલ્લો) : બાંગ્લાદેશના રાજશાહી વિભાગમાં આવેલો એક જિલ્લો. તેનું ક્ષેત્રફળ 9,586 ચોકિમી. જેટલું છે. તેનું ભૂપૃષ્ઠ કાંપનાં મેદાનોથી બનેલું છે. મેદાનોના પૂર્વભાગમાં નદીનો ખીણપ્રદેશ છે. જિલ્લામાં લગભગ બધે જ ખેતી થાય છે. તમાકુ, ડાંગર, શણ અને તેલીબિયાં અહીંના મુખ્ય કૃષિપાકો છે. જિલ્લામાં રેલમાર્ગો સારી રીતે ગૂંથાયેલા હોવાથી અહીં પેદા…

વધુ વાંચો >

રંગબંધકો (mordants)

રંગબંધકો (mordants) : સૂક્ષ્મજીવોના વિવિધ ભાગોની અભિરંજન- પ્રક્રિયામાં રંગદ્રવ્યોનું ગ્રહણ સારી રીતે થઈ શકે તે માટે વપરાતાં રસાયણો. દાખલા તરીકે સૂક્ષ્મજીવોમાં આવેલાં કશા (flagella) જેવાં અંગો ખૂબ જ પાતળાં હોવાથી તેઓ સૂક્ષ્મદર્શકો વડે પણ જોઈ શકાતાં નથી; તેથી કશાઓના વ્યાસ વધારવામાં તેના પર સૌપ્રથમ રંગબંધકો વડે પ્રક્રિયા કરવામાં આવે છે.…

વધુ વાંચો >

રંગ બિન્નપા

રંગ બિન્નપા (1963) : કન્નડ લેખક એસ. વી. રંગન્ના રચિત ચિંતનાત્મક લખાણો તથા ધાર્મિક બોધનો ગ્રંથ. તેમાં ‘વચન’ના નમૂના મુજબ લખાયેલી 1,212 પદ્યાત્મક ગદ્ય રચનાઓનો સંગ્રહ છે. જ્ઞાનસાધનાને વરેલા આ વિદ્વાનની પારદર્શક દૂરંદેશિતા તેમાં ઠલવાઈ છે. સ્ત્રી-પુરુષોનાં સ્વભાવ તથા રીતભાતનાં આ વિલક્ષણ નિરીક્ષકનાં કેટલાંક ચિંતનો સંક્ષિપ્ત, મુદ્દાસર તથા અર્થસાધક છે;…

વધુ વાંચો >

રંગભાવન (toning)

રંગભાવન (toning) : છબીકલાની એક મહત્વની પ્રક્રિયા. સાદી ભાષામાં કહીએ તો છબીનો સૌથી ઊજળો સફેદ ભાગ, સૌથી શામળો ભાગ અને એ બે વચ્ચેનો સામાન્ય પ્રકાશવાળો ભાગ – એમ ત્રણ વિભાગમાં વહેંચાયેલા વિસ્તારનો મુખ્ય આધાર પદાર્થ પર પડતા પ્રકાશની દિશા અને તીવ્રતા પર હોય છે. રંગીન કે શ્યામ-શ્ર્વેત, કોઈ પણ સારી…

વધુ વાંચો >

રંગભૂમિ

રંગભૂમિ : મુંબઈમાં 1949માં સ્થપાયેલી નાટ્યસંસ્થા. પ્રતાપ ઓઝા, વિષ્ણુકુમાર વ્યાસ, લીલા જરીવાલા, મધુકર રાંદેરિયા, મંગળદાસ પકવાસા, ગુણવંતરાય આચાર્ય વગેરેના સથવારે અમર જરીવાલાના મહામંત્રીપદે આ સંસ્થાએ અનેક નાટકોની રજૂઆત કરી; અને પ્રતાપ ઓઝા, વિષ્ણુકુમાર વ્યાસ વગેરેએ એમાં યથોચિત ફાળો આપ્યો. દસ વર્ષની કારકિર્દી પછી આ સંસ્થાએ નાટ્યમિલન યોજ્યું અને ‘નાટ્યરંગ’ નામનું…

વધુ વાંચો >

રંગભેદ

રંગભેદ : રંગના આધારે નાગરિકો વચ્ચે ભેદભાવ દર્શાવવાની સરકારી નીતિ. દક્ષિણ આફ્રિકાની સરકારે દેશની અંદર વસતી વિવિધ જાતિઓ, વર્ગો અને જૂથોને રંગને આધારે અલગ ગણી તેમની વચ્ચે ભેદભાવભર્યો વ્યવહાર આચર્યો હતો. 1909માં દક્ષિણ આફ્રિકાની સરકારે ઍક્ટ ઑવ્ યુનિયન દ્વારા શ્યામ બહુમતીને રાજકારણથી જોજનો દૂર રાખી સત્તાવિહીન બનાવવાની ચાલનો આરંભ કર્યો.…

વધુ વાંચો >

રંગમંચ

રંગમંચ (1961) : પંજાબી નાટ્યલેખક તથા દિગ્દર્શક બળવંત ગાર્ગી લિખિત ભારતીય રંગભૂમિનો ઇતિહાસ. આ કૃતિને 1962ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. બળવંત ગાર્ગી(જ. 1918)એ પંજાબી રંગભૂમિ પર નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમનાં કેટલાંક નાટકો પરદેશમાં અનુવાદ પામ્યાં છે અને ભજવાયાં છે. પુરસ્કૃત ગ્રંથમાં પ્રાચીન કાળથી માંડીને અર્વાચીન પ્રવાહો…

વધુ વાંચો >

રંગમંડપ

રંગમંડપ : ગુજરાતનાં સોલંકીકાલીન મંદિરોમાં ગર્ભગૃહની સંમુખ કરાતો સ્તંભાવલિયુક્ત મંડપ. તેને ‘સભામંડપ’ને નામે પણ ઓળખવામાં આવે છે. મહામંદિરોમાં મંડપને ચારેય બાજુ પૂર્ણ દીવાલોથી આચ્છાદિત કરવામાં આવે ત્યારે તેને ‘ગૂઢમંડપ’ કહે છે. પ્રદક્ષિણાપથને અનુરૂપ, મંડપના તલમાન(ground plan)માં ત્રણે બાજુ વિસ્તાર કરવામાં આવે ત્યારે તેને ‘મહામંડપ’ કહે છે. તલમાનની દૃષ્ટિએ મંડપની દીવાલ…

વધુ વાંચો >

રંગમંડળ (1939) :

Jan 15, 2003

રંગમંડળ (1939) : અમદાવાદમાં જાણીતા મરાઠી નાટ્યકાર મામા વરેરકરની પ્રેરણાથી એલિસબ્રિજ આરોગ્ય સમિતિ દ્વારા સ્થપાયેલી નાટ્યસંસ્થા. રંગમંડળ ગુજરાતમાં અવેતન રંગભૂમિની ઇમારતની પાયાની ઈંટ બન્યું, એમાં જાણીતા સામાજિક કાર્યકર હીરાલાલ ભગવતી પત્રકાર નીરુભાઈ દેસાઈ, લેખક ગિરીશ ભચેચ, નટ-દિગ્દર્શક ધનંજય ઠાકર અને અરુણ ઠાકોર વગેરે સંકળાયેલા હતા. તેઓએ શરૂઆતમાં એકાંકીઓ (‘સોયનું નાકું’,…

વધુ વાંચો >

રંગવિકાર (pleochroism)

Jan 15, 2003

રંગવિકાર (pleochroism) : ખનિજછેદોમાં જોવા મળતો પ્રકાશીય ગુણધર્મ. ખનિજછેદોની પરખ માટેના ગુણધર્મો પૈકી વિશ્લેષક-(analyser)ની અસર હેઠળ જોવા મળતી રંગફેરફારની પ્રકાશીય ઘટના. અમુક ખનિજોના છેદો સાદા ધ્રુવીભૂત પ્રકાશમાં જે કોઈ રંગ દર્શાવતા હોય તે સૂક્ષ્મદર્શકની પીઠિકાને ફેરવતા જઈને જોવામાં આવે ત્યારે રંગફેરફારની ઘટના બતાવે છે; જેમ કે, પીળો કથ્થાઈમાં, આછો લીલો…

વધુ વાંચો >

રંગવિકારી વલય (pleochroic haloes)

Jan 15, 2003

રંગવિકારી વલય (pleochroic haloes) : સૂક્ષ્મદર્શક હેઠળ અમુક ખનિજછેદોમાં જોવા મળતી પ્રકાશીય ગુણધર્મધારક ઘટના. ખનિજદળમાં રહેલા અન્ય ખનિજીય આગંતુક કણોની આજુબાજુ ક્યારેક જોવા મળતાં રંગવાળાં કે રંગતફાવતવાળાં વલય (કૂંડાળાં). 1873માં હૅરી રોઝેનબુશે કૉર્ડિરાઇટની આજુબાજુમાં અને તે પછીથી અન્ય નિરીક્ષકોએ ઘણાં ખનિજોમાં આવાં વલય જોયાની નોંધ મળે છે. દ્વિવક્રીભવનનો ગુણધર્મ ધરાવતાં…

વધુ વાંચો >

રંગૂસત્રો (chromosomes) (વનસ્પતિ)

Jan 15, 2003

રંગૂસત્રો (chromosomes) (વનસ્પતિ) : સસીમ કેન્દ્રી (eukaryote) કોષોના (કોષ)કેન્દ્રમાં ન્યૂક્લીઇક ઍસિડો અને પ્રોટીનના અણુઓના સંયોજનથી બનેલ સૂત્રમય અંગ. અસીમ કેન્દ્રી (prokaryote) કોષોમાં રંગસૂત્ર હોતું નથી. તેના સ્થાને ગોળાકાર DNAનો એક અણુ કોષરસમાં પ્રસરેલો હોય છે. રંગસૂત્રમાં આવેલા DNAના અણુઓ કોષોમાં અગત્યના જનીનિક ઘટકો તરીકે આવેલા હોય છે અને તેઓ સાંકેતિક…

વધુ વાંચો >

રંગહીનતા (albinism)

Jan 15, 2003

રંગહીનતા (albinism) : રંગકણો(chromoplasts)ના અભાવમાં વનસ્પતિઓમાં અને મેલેનિન વર્ણરંજક (pigment) ઉત્પાદન  કરવાની ક્ષમતાના અભાવમાં પ્રાણીઓમાં ઉદભવતી એક પરિઘટના (phenomenon). મેલેનિન એક ઘેરું શ્યામ રંગદ્રવ્ય છે અને તે કણસ્વરૂપે વાળ, પીંછાં, નેત્રપટલ, ત્વચા જેવાં અંગોમાં જોવા મળે છે. તે ટાયરોઝીન અને ટ્રિપ્ટોફૅન એમીનો ઍસિડોના ઑક્સિડેશનને લીધે નિર્માણ થાય છે. સસ્તનોમાં આ…

વધુ વાંચો >

રંગા, એન. જી.

Jan 15, 2003

રંગા, એન. જી. (જ. 7 નવેમ્બર 1900, નીડુબ્રોલુ, ગંતુર જિલ્લો, આંધ્રપ્રદેશ; અ. 8 જૂન 1995, ગુંતુર) : આખું નામ રંગાનાયકુલુ નીડુબ્રોલુ ગોજિનેની. બંધારણ-સભાના સભ્ય, પીઢ સાંસદ. કૃષિવિદ્, સ્વાતંત્ર્ય-સેનાની, અને સમાજવાદી રાજકારણી. મધ્યમવર્ગીય ગ્રામીણ કુટુંબમાં જન્મ. નાની વયે માતાપિતાનું શિરછત્ર ગુમાવ્યું. શાલેય અને કૉલેજશિક્ષણ ગંતુર જિલ્લામાં પૂરું કર્યું. આ દરમિયાન સાહિત્યવાચનનો…

વધુ વાંચો >

રંગારેડ્ડી

Jan 15, 2003

રંગારેડ્ડી : આંધ્રપ્રદેશ રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે આશરે 16° 45´થી 17° 40´ ઉ. અ. અને 77° 20´થી 79° 00´ પૂ. રે. વચ્ચેનો 7,493 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે, પૂર્વમાં અને દક્ષિણે અનુક્રમે આંધ્રના મેડક, નાલગોંડા અને મહેબૂબનગર જિલ્લા તથા પશ્ચિમે કર્ણાટક રાજ્યનો…

વધુ વાંચો >

રંગા, લક્ષ્મીનારાયણ

Jan 15, 2003

રંગા, લક્ષ્મીનારાયણ (જ. 4 ફેબ્રુઆરી 1934, બીકાનેર, રાજસ્થાન) : હિંદી નાટ્યકાર અને વાર્તાકાર. તેમણે હિંદીમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘પૂર્ણમિદમ્’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ રાજસ્થાન સરકારના ભાષા વિભાગમાં અનુવાદ પ્રમુખપદેથી સેવાનિવૃત્ત થયા છે. 1952થી તેમણે લેખનકાર્ય શરૂ કર્યું. તેમનું…

વધુ વાંચો >

રંગાવરણ

Jan 15, 2003

રંગાવરણ : સૂર્યના શ્યબિંબના તેજાવરણ ઉપર આવેલ એક પાતળું સ્તર. સૂર્યના દૃશ્યબિંબની જે સપાટી દેખાય છે તે તેનું તેજાવરણ અર્થાત્ photosphere કહેવાય છે. આ તેજાવરણની ઉપર આવેલ એક પાતળું સ્તર તે રંગાવરણ એટલે કે chromosphere સૂર્યના કેન્દ્રથી તેજાવરણની સપાટી સાત લાખ કિમી.ના અંતરે છે, પરંતુ તેની ઉપર આવેલ આ રંગાવરણના…

વધુ વાંચો >

રંગાવલિ

Jan 15, 2003

રંગાવલિ : પ્રયોગશીલ નાટ્યજૂથ (1977-1985), વડોદરા. વડોદરાના ‘રંગાવલિ’ નાટ્યજૂથમાં કેન્દ્રમાં હતા નટ અને દિગ્દર્શક ઉત્પલ ત્રિવેદી. 1977થી 1985ની વચ્ચે આ જૂથે અનેક એકાંકીઓ (‘વતેસરની વાત’, ‘ડાયલનાં પંખી’, ‘તમે સુંદર છો’ વગેરે); સળંગ નાટકો (‘હું જ મિસ્ટર આનંદ’, ‘સૉલ્યુશન એક્સ’, ‘પ્રતિશોધ’ વગેરે); ભવાઈનાટ્યો (‘અમે રે પોલીસ, તમે ચોર’, ‘ખુશનુમા ખયાલનો ખેલ’…

વધુ વાંચો >