૧૭.૦૨

યજ્ઞથી યહૂદી ધર્મ

યજ્ઞ

યજ્ઞ : વૈદિક સાહિત્યમાં રજૂ થયેલો, દેવોને હવિ આપી પ્રસન્ન કરવાનો ધાર્મિક વિધિ. વૈદિક અને પ્રશિષ્ટ સંસ્કૃતમાં ‘યજ્ઞ’ના ‘પૂજા’, ‘ભક્તિ’, ‘દાન’, ‘બલિ’ વગેરે ઘણા અર્થો છે. પરંતુ સામાન્યત: આ શબ્દ ‘યજનકર્મ’ના અર્થમાં રૂઢ થયેલો છે એવી ‘નિરુક્ત’(3–4–19)માં નોંધ છે. ‘ભાટ્ટદીપિકા’ (4–2–12) આની સ્પષ્ટતા કરતાં જણાવે છે કે દેવતાને ઉદ્દેશીને જેમાં…

વધુ વાંચો >

યજ્ઞપુરુષ

યજ્ઞપુરુષ : સમષ્ટિરૂપ સ્થૂળ જગતની પ્રતિકૃતિરૂપ યજ્ઞ. ઋગ્વેદમાં ઋષિઓએ યજ્ઞને સમષ્ટિરૂપ પુરુષ કહ્યો છે.   ચંદ્રમા એનું મન છે, સૂર્ય એની આંખ છે, વાયુ એના કર્ણ છે અને પ્રાણ તેમજ અગ્નિ એનું મુખ છે. આ રીતે વૈદિક યજ્ઞપુરુષ યજ્ઞદેવના પ્રતીકરૂપ હતા. યજ્ઞ-ફળમાં પણ એથી એમનો ભાગ ગણાતો. યજ્ઞપુરુષ આ મહત્તાને કારણે…

વધુ વાંચો >

યજ્ઞશાળા

યજ્ઞશાળા : યજ્ઞનું અનુષ્ઠાન કરવા માટેનો અલાયદો ખંડ કે મંડપ. વેદકાળમાં યજ્ઞશાળા રૂપે ઘરનો એક ખંડ પ્રયોજાતો અને તેમાં નિત્ય અને નૈમિત્તિક એમ બંને પ્રકારના હોમ કરવામાં આવતા. મોટા ઉત્સવો, પર્વો તેમજ જાહેર અને વિશિષ્ટ યાજ્ઞિક અનુષ્ઠાનો કરવા પ્રસંગે અલગ યજ્ઞમંડપ ઊભો કરાતો. તેમાં મધ્યમાં યજ્ઞકુંડની રચના શુલ્વાદિસૂત્ર ગ્રંથાનુસારે થતી.…

વધુ વાંચો >

યજ્ઞશ્રી શાતકર્ણી

યજ્ઞશ્રી શાતકર્ણી (શાસનકાળ – ઈ. સ. 174–203) : દખ્ખણ કે દક્ષિણાપથના સાતવાહન વંશનો મહત્વનો રાજા. તેના અભિલેખો નાસિક, કાન્હેરી તથા કૃષ્ણા જિલ્લાના ચિના ગંજમમાંથી અને સિક્કા તમિલનાડુ રાજ્યના કૃષ્ણા અને ગોદાવરી જિલ્લા તથા મધ્યપ્રદેશના ચાંદ જિલ્લામાંથી વરાડ, ઉત્તર કોંકણ, વડોદરા તથા સૌરાષ્ટ્રમાંથી મળી આવ્યા છે. સોપારા(પ્રાચીન સુપ્રારક)માંથી તેના ચાંદીના સિક્કા…

વધુ વાંચો >

યજ્ઞસેન

યજ્ઞસેન (ઈ. પૂ.ની બીજી સદી) : વિદર્ભનો રાજા. પુષ્યમિત્ર શુંગ(ઈ. પૂ. 187–151)નો હરીફ અને મૌર્ય સમ્રાટના સચિવનો બનેવી. સંસ્કૃત નાટક ‘માલવિકાગ્નિમિત્ર’માં કાલિદાસે જણાવ્યું છે કે અગ્નિમિત્ર(પુષ્યમિત્રનો પુત્ર)નો મિત્ર માધવસેન યજ્ઞસેનનો પિતરાઈ હતો. તે વિદિશા જતો હતો ત્યારે યજ્ઞસેનના અંતપાલે (સરહદ પરના સૂબાએ) તેની ધરપકડ કરી. તેથી અગ્નિમિત્રે તુરત જ તેને…

વધુ વાંચો >

યજ્ઞોપવીત

યજ્ઞોપવીત : જુઓ સંસ્કાર

વધુ વાંચો >

યઝીદ બિન હઝરત મુઆવિયા

યઝીદ બિન હઝરત મુઆવિયા (જ. 642, હવારીન; અ. 11 નવેમ્બર 683) : પ્રસિદ્ધ મુસ્લિમ ઉમૈયા વંશના સ્થાપક અમીર મુઆવિયાનો પુત્ર, સીરિયાનો અત્યાચારી બાદશાહ. માતાનું નામ મૈસૂન બિન્તે બજદલ. હઝરત ઇમામ હસનની ખિલાફત પછી હઝરત અમીર મુઆવિયા અમીરુલ મોમિનીન એટલે કે ખલીફા બન્યા. અંતિમ સમયમાં તેમણે પોતાના પુત્ર યઝીદને ગાદી મળે…

વધુ વાંચો >

યત દૂરેઇ જાઇ (1962)

યત દૂરેઇ જાઇ (1962) : બંગાળી કવિ સુભાષ મુખોપાધ્યાય (1919) રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1964ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. સુભાષ મુખોપાધ્યાય કોલકાતા યુનિવર્સિટીના સ્નાતક હતા. તેમના રાજ્યનાં રાજકીય આંદોલનોથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા અને વિદ્યાર્થી અવસ્થાથી જ તેમાં સક્રિય ભાગ લેતા હતા. 1942માં તેઓ ભારતના સામ્યવાદી…

વધુ વાંચો >

યથાપૂર્વ જળપરિવાહ (anticedent drainage)

યથાપૂર્વ જળપરિવાહ (anticedent drainage) : ગિરિનિર્માણ-ભૂસંચલન થયા અગાઉ જે તે પ્રદેશમાં અસ્તિત્વ ધરાવતી નદીનો જળપરિવાહ ભૂમિ-ઉત્થાન થઈ ગયા પછી પણ લગભગ ત્યાં જ યથાવત્ જળવાઈ રહેવાની સ્થિતિ. ભૂસંચલન દરમિયાન અસરગ્રાહ્ય ભૂમિભાગોનું ક્રમશ: ઉત્થાન થતું જાય અને છેવટે ગિરિનિર્માણમાં પરિણમે એ પ્રસ્થાપિત થઈ ચૂકેલી ભૂસ્તરીય ઘટના ગણાય છે. આવા ભૂમિભાગોમાં વહેતી…

વધુ વાંચો >

યથાર્થવાદ (realism)

યથાર્થવાદ (realism) : ઓગણીસમી સદીના મધ્યમાં ફ્રાંસમાં પ્રકટેલ કલાપ્રવાહ. આ કલાપ્રવાહનો પ્રણેતા ચિત્રકાર ગુસ્તાફ કૉર્બે (Gustave Corbet, 1819–1877) સમકાલીન બે મુખ્ય કલાપ્રવાહો – રંગદર્શિતાવાદ (romanticism) અને નવપ્રશિષ્ટતાવાદ-(neoclassicism)થી કંટાળ્યો હતો. રંગદર્શિતાવાદના માનવમનને બહેકાવતી લાગણીઓના સ્વપ્નિલ વિહાર તેમજ નવપ્રશિષ્ટતાવાદમાં અંકિત થતાં ગ્રેકોરોમન વીરનાયકો, નાયિકાઓ અને દેવદેવીઓનાં ચિત્રો અને શિલ્પો નિહાળી-નિહાળીને તે થાક્યો…

વધુ વાંચો >

યશોદા

Jan 2, 2003

યશોદા : વ્રજના ગોપ જાતિના પ્રમુખ નંદગોપની પત્ની, જેણે બાલકૃષ્ણનું પાલનપોષણ કર્યું હતું. કંસના કારાગૃહમાં કૃષ્ણનો જન્મ થયો તે સમયે યશોદાએ પણ એક કન્યાને જન્મ આપ્યો હતો. વસુદેવ કૃષ્ણને યશોદા પાસે મૂકીને એ કન્યાને લઈ આવ્યા હતા. પુરાણો પ્રમાણે પૂર્વજન્મમાં નંદ-યશોદા ક્રમશઃ વસુઓના પ્રમુખ દ્રોણ અને તેની પત્ની ધરા હતાં.…

વધુ વાંચો >

યશોદા રેડ્ડી, પખાલા (શ્રીમતી)

Jan 2, 2003

યશોદા રેડ્ડી, પખાલા (શ્રીમતી) (જ. 8 ઑગસ્ટ 1929, બિજિનાપલ્લી, જિ. મહેબૂબનગર, આંધ્રપ્રદેશ) : તેલુગુનાં વિદુષી. તેઓ ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી તેલુગુમાં અને સંસ્કૃતમાં એમ.એ. અને પીએચ.ડી. થયાં. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી ડી. લિટ્.ની ડિગ્રી પણ મેળવી. ઓસ્માનિયા યુનિવર્સિટીમાં તેલુગુ વિભાગનાં પ્રાધ્યાપિકા તરીકે નિવૃત્તિ પર્યંત કાર્ય કર્યું. 1990–93 દરમિયાન તેમણે રાજભાષાનાં અધ્યક્ષા તરીકે સફળ…

વધુ વાંચો >

યશોધરા

Jan 2, 2003

યશોધરા : સિદ્ધાર્થ ગૌતમની પત્ની અને એમના પુત્ર રાહુલની માતા. બૌદ્ધ સાહિત્યમાં એને સુભદ્રકા, બિંબા  અને ગોપા પણ કહેલ છે. તેનો અને સિદ્ધાર્થનો જન્મ એક જ દિવસે થયો હતો. 16 વર્ષની વયે તેનું સિદ્ધાર્થ સાથે લગ્ન થયું હતું. યશોધરાને સિદ્ધાર્થથી રાહુલ નામે પુત્ર જન્મ્યો હતો. સિદ્ધાર્થને જીવનની અસારતા જણાતાં તેમણે…

વધુ વાંચો >

યશોધર્મન, વિષ્ણુવર્ધન

Jan 2, 2003

યશોધર્મન, વિષ્ણુવર્ધન (ઈ. સ.ની છઠ્ઠી સદીનો પૂર્વાર્ધ) : ઉત્તર ભારતનો પરાક્રમી રાજા અને મહાન વિજેતા. હૂણો તથા વાકાટકોનાં આક્રમણોના કારણે તથા ગુપ્તોનો અંકુશ નબળો પડવાથી ઈ. સ.ની છઠ્ઠી સદીમાં માળવા પ્રાંત મુશ્કેલીઓમાંથી પસાર થતો હતો. આ પરિસ્થિતિનો લાભ લઈને યશોધર્મન નામના એક સ્થાનિક રાજાએ પોતાની સ્વતંત્ર સત્તા સ્થાપી. થોડા સમયમાં…

વધુ વાંચો >

યશોવર્મા

Jan 2, 2003

યશોવર્મા (શાસનકાળ : આશરે ઈ. સ. 700–740) : કનોજનો પ્રતાપી રાજા અને મહાન વિજેતા. તેના પૂર્વજો તથા તેનો પૂર્વ ઇતિહાસ જાણવા મળતો નથી; પરંતુ તેના દરબારના પ્રસિદ્ધ રાજકવિ વાક્પતિરાજે પ્રાકૃત ભાષામાં લખેલ ‘ગૌડવહો’ નામના કાવ્યગ્રંથમાંથી તેનું જીવન, શાસન તથા વિજયોની માહિતી પ્રાપ્ત થાય છે. તેમાં કરેલા વર્ણન અનુસાર રાજા યશોવર્મા…

વધુ વાંચો >

યશોવિજયજી

Jan 2, 2003

યશોવિજયજી (જ. આશરે 1619; અ. 1687, ડભોઈ) : જૈન ધર્મ અને તત્વજ્ઞાનના પ્રકાંડ પંડિત સાધુ. કવિ આચાર્ય સિદ્ધસેન દિવાકર, કુંદકુંદાચાર્ય, સમંતભદ્ર, હરિભદ્રસૂરિ, અકલંક, વિદ્યાનંદ અને હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ જૈન વિદ્વાનોની શ્રેણીમાં વિક્રમની સત્તરમી સદીમાં થઈ ગયેલા ઉપાધ્યાય યશોવિજયજીનાં નામ અને કામ યશસ્વી છે. તેઓ જૈન ધર્મ અને દર્શનના પ્રતિભાસંપન્ન વિદ્વાન,…

વધુ વાંચો >

યસ્ટરડે, ટુડે ઍન્ડ ટુમૉરો

Jan 2, 2003

યસ્ટરડે, ટુડે ઍન્ડ ટુમૉરો : ઇટાલિયન ચલચિત્ર. નિર્માણવર્ષ : 1964, રંગીન. ભાષા : ઇટાલિયન. નિર્માતા : કાર્લો પૉન્ટી. દિગ્દર્શક : વિટ્ટોરિયો દ સિકા. પટકથા : એડ્વર્ડો દ ફિલિપો, ઇસાબેલા ક્વેરેન્ટોટી, સીઝર ઝાવાટ્ટીની અને બિલ્લા બિલ્લા ઝાનુસો. છબિકલા : ગિસેપ્પી, રોટુન્નો. સંગીત : અર્માન્ડો ટ્રોવાજોલી. કલાનિર્દેશન : એઝિયો ફ્રિગેરિયો. મુખ્ય કલાકારો…

વધુ વાંચો >

યહૂદીઓનું તિથિપત્ર

Jan 2, 2003

યહૂદીઓનું તિથિપત્ર : વિક્રમ સંવત મુજબના તિથિપત્ર સાથે સારું એવું સામ્ય ધરાવતું તિથિપત્ર. યહૂદીઓના તિથિપત્ર (calendar) અને વિક્રમ સંવત અનુસારના તિથિપત્ર વચ્ચે સારી એવી સમાનતા છે – બંને પદ્ધતિઓ ચાંદ્ર-સૌર (luni-solar) પ્રકારની છે. ચાંદ્ર-સૌર એટલે જેમાં મહિનાના દિવસો ચંદ્રની કળા અનુસારના હોય અને આવા 12 મહિનાનું એક વર્ષ ગણાય. પરંતુ…

વધુ વાંચો >

યહૂદી ધર્મ

Jan 2, 2003

યહૂદી ધર્મ જગતના જાણીતા ધર્મોમાંનો એક ધર્મ. યહૂદી ધર્મનો પાયો ‘તોરાહ’ છે, જેનો અર્થ ‘law’, ‘કાયદો’, ‘નિયમ’ એવો કરવામાં આવે છે; પણ ‘ઉપદેશ’, ‘માર્ગદર્શન’ એ વધારે ઉચિત ગણાય. સંકુચિત અર્થમાં ‘તોરાહ’નો મતલબ સિનાઈ પર્વત પર મોશે (Moses) પયગંબરને ઈશ્વરનો આવિષ્કાર થયો અને તેમને ઉપદેશ મળ્યો, જે મોશેના પાંચ ગ્રંથોમાં સંગૃહીત…

વધુ વાંચો >