૧૭.૦૨

યજ્ઞથી યહૂદી ધર્મ

યજ્ઞ

યજ્ઞ : વૈદિક સાહિત્યમાં રજૂ થયેલો, દેવોને હવિ આપી પ્રસન્ન કરવાનો ધાર્મિક વિધિ. વૈદિક અને પ્રશિષ્ટ સંસ્કૃતમાં ‘યજ્ઞ’ના ‘પૂજા’, ‘ભક્તિ’, ‘દાન’, ‘બલિ’ વગેરે ઘણા અર્થો છે. પરંતુ સામાન્યત: આ શબ્દ ‘યજનકર્મ’ના અર્થમાં રૂઢ થયેલો છે એવી ‘નિરુક્ત’(3–4–19)માં નોંધ છે. ‘ભાટ્ટદીપિકા’ (4–2–12) આની સ્પષ્ટતા કરતાં જણાવે છે કે દેવતાને ઉદ્દેશીને જેમાં…

વધુ વાંચો >

યજ્ઞપુરુષ

યજ્ઞપુરુષ : સમષ્ટિરૂપ સ્થૂળ જગતની પ્રતિકૃતિરૂપ યજ્ઞ. ઋગ્વેદમાં ઋષિઓએ યજ્ઞને સમષ્ટિરૂપ પુરુષ કહ્યો છે.   ચંદ્રમા એનું મન છે, સૂર્ય એની આંખ છે, વાયુ એના કર્ણ છે અને પ્રાણ તેમજ અગ્નિ એનું મુખ છે. આ રીતે વૈદિક યજ્ઞપુરુષ યજ્ઞદેવના પ્રતીકરૂપ હતા. યજ્ઞ-ફળમાં પણ એથી એમનો ભાગ ગણાતો. યજ્ઞપુરુષ આ મહત્તાને કારણે…

વધુ વાંચો >

યજ્ઞશાળા

યજ્ઞશાળા : યજ્ઞનું અનુષ્ઠાન કરવા માટેનો અલાયદો ખંડ કે મંડપ. વેદકાળમાં યજ્ઞશાળા રૂપે ઘરનો એક ખંડ પ્રયોજાતો અને તેમાં નિત્ય અને નૈમિત્તિક એમ બંને પ્રકારના હોમ કરવામાં આવતા. મોટા ઉત્સવો, પર્વો તેમજ જાહેર અને વિશિષ્ટ યાજ્ઞિક અનુષ્ઠાનો કરવા પ્રસંગે અલગ યજ્ઞમંડપ ઊભો કરાતો. તેમાં મધ્યમાં યજ્ઞકુંડની રચના શુલ્વાદિસૂત્ર ગ્રંથાનુસારે થતી.…

વધુ વાંચો >

યજ્ઞશ્રી શાતકર્ણી

યજ્ઞશ્રી શાતકર્ણી (શાસનકાળ – ઈ. સ. 174–203) : દખ્ખણ કે દક્ષિણાપથના સાતવાહન વંશનો મહત્વનો રાજા. તેના અભિલેખો નાસિક, કાન્હેરી તથા કૃષ્ણા જિલ્લાના ચિના ગંજમમાંથી અને સિક્કા તમિલનાડુ રાજ્યના કૃષ્ણા અને ગોદાવરી જિલ્લા તથા મધ્યપ્રદેશના ચાંદ જિલ્લામાંથી વરાડ, ઉત્તર કોંકણ, વડોદરા તથા સૌરાષ્ટ્રમાંથી મળી આવ્યા છે. સોપારા(પ્રાચીન સુપ્રારક)માંથી તેના ચાંદીના સિક્કા…

વધુ વાંચો >

યજ્ઞસેન

યજ્ઞસેન (ઈ. પૂ.ની બીજી સદી) : વિદર્ભનો રાજા. પુષ્યમિત્ર શુંગ(ઈ. પૂ. 187–151)નો હરીફ અને મૌર્ય સમ્રાટના સચિવનો બનેવી. સંસ્કૃત નાટક ‘માલવિકાગ્નિમિત્ર’માં કાલિદાસે જણાવ્યું છે કે અગ્નિમિત્ર(પુષ્યમિત્રનો પુત્ર)નો મિત્ર માધવસેન યજ્ઞસેનનો પિતરાઈ હતો. તે વિદિશા જતો હતો ત્યારે યજ્ઞસેનના અંતપાલે (સરહદ પરના સૂબાએ) તેની ધરપકડ કરી. તેથી અગ્નિમિત્રે તુરત જ તેને…

વધુ વાંચો >

યજ્ઞોપવીત

યજ્ઞોપવીત : જુઓ સંસ્કાર

વધુ વાંચો >

યઝીદ બિન હઝરત મુઆવિયા

યઝીદ બિન હઝરત મુઆવિયા (જ. 642, હવારીન; અ. 11 નવેમ્બર 683) : પ્રસિદ્ધ મુસ્લિમ ઉમૈયા વંશના સ્થાપક અમીર મુઆવિયાનો પુત્ર, સીરિયાનો અત્યાચારી બાદશાહ. માતાનું નામ મૈસૂન બિન્તે બજદલ. હઝરત ઇમામ હસનની ખિલાફત પછી હઝરત અમીર મુઆવિયા અમીરુલ મોમિનીન એટલે કે ખલીફા બન્યા. અંતિમ સમયમાં તેમણે પોતાના પુત્ર યઝીદને ગાદી મળે…

વધુ વાંચો >

યત દૂરેઇ જાઇ (1962)

યત દૂરેઇ જાઇ (1962) : બંગાળી કવિ સુભાષ મુખોપાધ્યાય (1919) રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1964ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. સુભાષ મુખોપાધ્યાય કોલકાતા યુનિવર્સિટીના સ્નાતક હતા. તેમના રાજ્યનાં રાજકીય આંદોલનોથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા અને વિદ્યાર્થી અવસ્થાથી જ તેમાં સક્રિય ભાગ લેતા હતા. 1942માં તેઓ ભારતના સામ્યવાદી…

વધુ વાંચો >

યથાપૂર્વ જળપરિવાહ (anticedent drainage)

યથાપૂર્વ જળપરિવાહ (anticedent drainage) : ગિરિનિર્માણ-ભૂસંચલન થયા અગાઉ જે તે પ્રદેશમાં અસ્તિત્વ ધરાવતી નદીનો જળપરિવાહ ભૂમિ-ઉત્થાન થઈ ગયા પછી પણ લગભગ ત્યાં જ યથાવત્ જળવાઈ રહેવાની સ્થિતિ. ભૂસંચલન દરમિયાન અસરગ્રાહ્ય ભૂમિભાગોનું ક્રમશ: ઉત્થાન થતું જાય અને છેવટે ગિરિનિર્માણમાં પરિણમે એ પ્રસ્થાપિત થઈ ચૂકેલી ભૂસ્તરીય ઘટના ગણાય છે. આવા ભૂમિભાગોમાં વહેતી…

વધુ વાંચો >

યથાર્થવાદ (realism)

યથાર્થવાદ (realism) : ઓગણીસમી સદીના મધ્યમાં ફ્રાંસમાં પ્રકટેલ કલાપ્રવાહ. આ કલાપ્રવાહનો પ્રણેતા ચિત્રકાર ગુસ્તાફ કૉર્બે (Gustave Corbet, 1819–1877) સમકાલીન બે મુખ્ય કલાપ્રવાહો – રંગદર્શિતાવાદ (romanticism) અને નવપ્રશિષ્ટતાવાદ-(neoclassicism)થી કંટાળ્યો હતો. રંગદર્શિતાવાદના માનવમનને બહેકાવતી લાગણીઓના સ્વપ્નિલ વિહાર તેમજ નવપ્રશિષ્ટતાવાદમાં અંકિત થતાં ગ્રેકોરોમન વીરનાયકો, નાયિકાઓ અને દેવદેવીઓનાં ચિત્રો અને શિલ્પો નિહાળી-નિહાળીને તે થાક્યો…

વધુ વાંચો >

યદુઓ

Jan 2, 2003

યદુઓ : ઋગ્વેદના સમયની પ્રસિદ્ધ જાતિ (tribe). પરૂષ્ણી નદીના કાંઠે થયેલ દાશરાજ્ઞ યુદ્ધમાં યદુઓએ ભરતોની વિરુદ્ધ ભાગ લીધો હતો અને તેમાં ત્રિત્સુ પરિવારના ભરતોના રાજા સુદાસનો વિજય થયો હતો. ઋગ્વેદમાં યદુઓનો ઉલ્લેખ અનુઓ, ધૃહ્યુઓ, પુરુઓ તથા તુર્વસુઓ સાથે થયો છે. તેઓ ભરતોની વિરુદ્ધમાં એકબીજાને મદદ કરતા હતા. યદુઓ દક્ષિણ પંજાબમાં…

વધુ વાંચો >

યદૃચ્છાવાદ

Jan 2, 2003

યદૃચ્છાવાદ : ભારતીય તત્વજ્ઞાનનો એક મત. જગતના કારણની, વિશ્વવૈચિત્ર્યના કારણની ખોજ કરતાં કેટલાક ભારતીય ચિંતકોએ કર્મવાદના સ્થાને અન્ય વાદોની સ્થાપના કરી. ઉપનિષદોમાં, પાલિ પિટકોમાં અને જૈન આગમોમાં આ વાદોના ઉલ્લેખો છે. આ વાદો છે  કાલવાદ, સ્વભાવવાદ, નિયતિવાદ, યચ્છાવાદ, ભૂતવાદ અને પુરુષવાદ. શ્વેતાશ્વતરોપનિષદના મંત્રમાં પણ તે ઉલ્લેખાયેલા છે : काल: स्वभावो…

વધુ વાંચો >

યમન

Jan 2, 2003

યમન : હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનો કલ્યાણ થાટનો પ્રચલિત રાગ. તે ‘યમન’, ‘ઇમન’, ‘કલ્યાણ’ એમ જુદા જુદા નામે ઓળખાય છે. તે એક સંપૂર્ણ રાગ છે, એટલે કે તેના આરોહ તથા અવરોહ બંનેમાં સાતે સ્વરોનો ઉપયોગ થાય છે. તેની વિસ્તારક્ષમતા ઘણી છે અને ત્રણેય સપ્તકમાં યથેચ્છ ગાઈ શકાય છે. આ રાગ રાત્રિના…

વધુ વાંચો >

યમી વૈવસ્વતી

Jan 2, 2003

યમી વૈવસ્વતી : ઋગ્વેદ અનુસાર સૂર્યવિવસ્વત્ની પુત્રી. ઋગ્વેદ 10–17–1, 2માં કથા છે, તે મુજબ ત્વષ્ટાએ પોતાની પુત્રી સરણ્યુને વિવસ્વત્ (સૂર્ય) સાથે પરણાવી હતી. તેનાથી વિવસ્વત્ને સંતાનયુગ્મ પ્રાપ્ત થયું : યમ અને યમી. આ રીતે યમી વિવસ્વત્ની પુત્રી હોવાથી યમી વૈવસ્વતી તરીકે પ્રસિદ્ધ થઈ. શ્રીમદભાગવત 6–6–40માં એની માતાનું નામ ‘સંજ્ઞા’ આપ્યું…

વધુ વાંચો >

યમુના (નદી)

Jan 2, 2003

યમુના (નદી) : ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલી ઉત્તર ભારતની અગત્યની પ્રસિદ્ધ નદી. તે ‘જમુના’ નામથી પણ ઓળખાય છે. આ નદી હિમાલયના જમનોત્રી સ્થળેથી નીકળે છે. ત્યાંથી હિમાલયની તળેટીમાં તે દક્ષિણ તરફ વહે છે. તે ઉત્તરપ્રદેશ અને હરિયાણા રાજ્યોની સીમા રચે છે અને ઉત્તર ભારતનાં મેદાનોમાં પ્રવેશે છે. આ વિસ્તારમાં તેનાં જળ…

વધુ વાંચો >

યમુનાનગર

Jan 2, 2003

યમુનાનગર : હરિયાણા રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 15´ ઉ. અ. અને 77° 15´ પૂ. રે.ની આજુબાજુનો 1,756 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હિમાચલ પ્રદેશ રાજ્ય, પૂર્વ અને અગ્નિ તરફ ઉત્તરાંચલ રાજ્ય, નૈર્ઋત્યમાં કર્નલ અને કુરુક્ષેત્ર…

વધુ વાંચો >

યમુનાપર્યટન (1857)

Jan 2, 2003

યમુનાપર્યટન (1857) : મરાઠીમાં શરૂઆતની કેટલીક નવલકથાઓ પૈકીની બાબા પદ્મનજીકૃત નવલકથા. લેખકે 1854માં ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો, પરંતુ તેમનાં પત્નીએ તેનો અસ્વીકાર કર્યો અને તેમના પર કૉર્ટમાં કેસ દાખલ કર્યો. કૉર્ટના આ ખર્ચને પહોંચી વળવા બાબાએ આ નવલકથા લખી હોવાનું મનાય છે. બાબા હિંદુ સમાજમાં સ્ત્રીઓની – ખાસ કરીને વિધવાઓની –…

વધુ વાંચો >

યયાતિ (1959)

Jan 2, 2003

યયાતિ (1959) : મરાઠી લેખક વિ. સ. ખાંડેકરની નવલકથા. તેને મળેલા અનેક ઍવૉર્ડોમાં રાજ્ય સરકારનો ઍવૉર્ડ, કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1960) અને જ્ઞાનપીઠ ઍવૉર્ડ (1974) મુખ્ય છે. વિકાસશીલતાના મહાકાવ્ય જેવી આ નવલકથાનું વિષયવસ્તુ રાજા યયાતિની પૌરાણિક કથામાંથી લેવામાં આવ્યું છે. યયાતિ પોતાના પુત્રનું યૌવન મેળવીને શાશ્વત તારુણ્ય ઝંખતો હતો. આ…

વધુ વાંચો >

યયાતિ (Perseus)

Jan 2, 2003

યયાતિ (Perseus) : આકાશના ઉત્તરી ગોળાર્ધનું એક જાણીતું તારામંડળ. તેનો અધિકાંશ ભાગ આકાશગંગાના પટમાં આવેલો છે; પરિણામે તેની પશ્ચાદભૂમિકામાં અસંખ્ય તારાઓ દેખાય છે. તેનો આકાર ફૂલછોડ જેવો ધારીએ, તો તેની ત્રણ તારાસેરોને છોડની ત્રણ ડાળીઓ માની શકાય. તેની વચલી તારાસેરથી સહેજ ઊંચે નજદીકના વૃષભ તારામંડળમાંનો કૃત્તિકા (Pleiades) નામનો અત્યંત જાણીતો…

વધુ વાંચો >

યર્કિસ ઑબ્ઝર્વેટરી (Yerkes Observatory), શિકાગો

Jan 2, 2003

યર્કિસ ઑબ્ઝર્વેટરી (Yerkes Observatory), શિકાગો : શિકાગો યુનિવર્સિટીના ખગોળ અને ખગોળભૌતિક વિભાગ સાથે સંકળાયેલી, શિકાગોથી સોએક કિલોમીટરના અંતરે આવેલી અમેરિકાની એક પ્રમુખ વેધશાળા. આ વેધશાળા વિલિયમ્સ બે, વિસકૉન્સિન-(Williams Bay, Wisconsin)માં આશરે 334 મીટરની ઊંચાઈએ જિનીવા લેક(Lake Geneva)ના ઉત્તરી કિનારે આવેલી છે. આ વેધશાળાની સ્થાપના જ્યૉર્જ એલરી હેલ (George Ellery Hale…

વધુ વાંચો >