૧૬.૦૯

મુદ્રણક્ષમ કલાથી મુલર એરવિન વિલ્હેલ્મ

મુનશી, સૌમિલ; મુનશી, શ્યામલ

મુનશી, સૌમિલ; મુનશી, શ્યામલ : ગુજરાતી સુગમ સંગીતક્ષેત્રે નામના પ્રાપ્ત કરેલા બે ભાઈઓ. સૌમિલ મુનશીનો જન્મ 5 સપ્ટેમ્બર 1960ના રોજ અને શ્યામલ મુનશીનો જન્મ 14 એપ્રિલ 1962ના રોજ થયેલો. પિતાનું નામ પરેશભાઈ અને માતાનું નામ ભક્તિબહેન. આ બંને પતિ-પત્નીએ તેમના આ બંને પુત્રોમાં નાનપણથી જ સંગીતના સંસ્કાર સિંચ્યા હતા. ગુજરાતી…

વધુ વાંચો >

મુનસર તળાવ

મુનસર તળાવ : સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીના સ્મરણાર્થે વીરમગામ(જિલ્લો અમદાવાદ)માં બંધાયેલું તળાવ. તે ‘માનસર તળાવ’ તરીકે પણ ઓળખાય છે. સહસ્રલિંગ તળાવ બંધાયું તે જ અરસામાં આ તળાવ બંધાયું હોવાનું મનાય છે. આ તળાવ સહસ્રલિંગની પ્રતિકૃતિ સમાન છે, પરંતુ કદમાં નાનું છે. આ તળાવનો આકાર શંખાકૃતિ જેવો છે. તળાવમાં પાણીની આવજા…

વધુ વાંચો >

મુનાદી, સૈયદ અઝીમુદ્દીન

મુનાદી, સૈયદ અઝીમુદ્દીન (જ. 1890; અ. 1972) : ગુજરાતના પ્રખ્યાત પત્રકાર, કેળવણીકાર અને લેખક. તેઓ એક પ્રતિષ્ઠિત કુટુંબના નબીરા હતા. તેમણે ‘મુસ્લિમ ગુજરાત’ નામના સાપ્તાહિકના સ્થાપક, તંત્રી, લેખક અને સંચાલક તરીકે સમાજની સેવા બજાવી હતી. તેમણે ગુજરાતી ભાષાની પોતાની આગવી શૈલી વિકસાવી હતી અને સ્વતંત્ર તથા નિષ્પક્ષ પત્રકારત્વનાં ઊંચાં મૂલ્યો…

વધુ વાંચો >

મુનિપલ્લે, બિ. રાજુ

મુનિપલ્લે, બિ. રાજુ (જ. 1925, જિ. ગુંટૂર, આંધ્રપ્રદેશ) : તેલુગુ વાર્તાકાર. તેમને તેમની કૃતિ ‘અસ્તિત્વનદમ્ આવલિ તીરાન’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેઓ અંગ્રેજી ભાષાની જાણકારી ધરાવે છે. તેઓ 1943માં રક્ષા મંત્રાલયની સેવામાં જોડાયા અને 1983માં વહીવટી અધિકારીના પદેથી સેવાનિવૃત્ત થયા. તેમણે નાની વયે જ…

વધુ વાંચો >

મુનિ પુણ્યવિજયજી

મુનિ પુણ્યવિજયજી (જ. 27 ઑક્ટોબર 1895, કપડવણજ, જિ. ખેડા; અ. 14 જૂન 1971, મુંબઈ) : આગમાદિ જૈન સાહિત્યના પ્રખર સંશોધક, સંપાદક, ભાષ્યકાર તથા હસ્તપ્રતવિદ્યાવિદ જૈન મુનિ. જન્મનામ મણિલાલ. પિતા ડાહ્યાભાઈ દોશી. માતા માણેકબહેન. જિન આગમોના વૈજ્ઞાનિક સંશોધન-સંપાદનના પિતામહ ‘આગમપ્રભાકર’ તરીકે પંકાયેલા મુનિ પુણ્યવિજયજી જૈન શ્વેતાંબર પરંપરાના મહાન જ્ઞાનોદ્ધારક મનીષી હતા.…

વધુ વાંચો >

મુનિબાવાનું મંદિર

મુનિબાવાનું મંદિર : ગુજરાત રાજ્યમાં થાન(તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર)ની દક્ષિણમાં આવેલું સોલંકીકાલીન મંદિર. એકાંડી (એક- શિખર) શૈલીનું આ મંદિર પૂર્વાભિમુખ છે. મંદિરના ગર્ભગૃહ આગળ ખુલ્લા મંડપની રચના જોવા મળે છે. ગર્ભગૃહનું તલમાન ‘પંચરથ’ પ્રકારનું છે. ગર્ભગૃહના દ્વાર પર શિવ મુખ્ય દેવ તરીકે બિરાજે છે. દ્વાર ઉપરના ઓતરંગમાં બ્રહ્મા અને વિષ્ણુનાં…

વધુ વાંચો >

મુનિશ્રી સંતબાલજી

મુનિશ્રી સંતબાલજી (જ. 26 ઑગસ્ટ 1904, ટોળ, ટંકારા, તા. મોરબી; અ. 26 માર્ચ 1982) : હિંદુ, બૌદ્ધ, જૈન, ઇસ્લામ, ખ્રિસ્ત અને જરથુષ્ટ્રનાં ષડ્દર્શનનો ગુણાત્મક સમન્વય કરનાર સમાજસેવક. માતા મોતીબાઈ અને પિતા નાગજીભાઈ. મૂળ નામ શિવલાલ. તેઓ પાંચ વર્ષની ઉંમરના હતા ત્યારે પિતાનું અવસાન. સાત ગુજરાતી સુધીનો અભ્યાસ. પૈસા કમાવા મુંબઈ…

વધુ વાંચો >

મુનિ સુવ્રતસ્વામી

મુનિ સુવ્રતસ્વામી : જૈન પરંપરાના વીસમા તીર્થંકર. સ્થાનાંગ, સમવાયાંગ અને ભગવતીસૂત્રમાં તેમજ આગમિક ટીકાસાહિત્યમાં તેમની અલ્પ માહિતી મળે છે. ‘ચઉપન્નમહાપુરિસચરિયં’માં તેમનું સંક્ષિપ્ત ચરિત્ર મળે છે. તેમાં તેમના તીર્થંકર ભવનું નિરૂપણ છે. પ્રાણતકલ્પમાંથી ચ્યવન પામીને તેઓ ભરતક્ષેત્રની રાજગૃહ નગરીમાં સુમિત્ર રાજા અને પદ્માવતી રાણીના પુત્ર રૂપે જન્મ્યા. કાળક્રમે લગ્ન કરી, રાજ્યનું…

વધુ વાંચો >

મુની, પોલ

મુની, પોલ (જ. 22 સપ્ટેમ્બર 1895, લૅમ્બર્ગ, ઑસ્ટ્રિયા; અ. 25 ઑગસ્ટ 1967) : 1930ના દાયકામાં સશક્ત અભિનય દ્વારા મહાપુરુષોને પડદા પર જીવંત કરીને હૉલિવુડમાં ચરિત્રાત્મક ચિત્રોનો દોર શરૂ કરનાર યહૂદી અભિનેતા. ‘અનેક ચહેરા ધરાવતા માણસ’ તરીકે ખ્યાતિ મેળવનાર પોલ મુનીએ કલાકાર માતા-પિતા પાસેથી અભિનયનો વારસો મેળવ્યો હતો. સાત વર્ષના હતા…

વધુ વાંચો >

મુનુસ્વામી, એલ.

મુનુસ્વામી, એલ. (જ. 1927, ચેન્નાઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર. શિલ્પી અને ચિત્રકાર દેવીપ્રસાદ રાયચૌધરીની દોરવણી નીચે અભ્યાસ કરીને 1953માં ચેન્નાઈની ‘ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ’માંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1956–57માં તેમને ભારત સરકાર તરફથી ‘કલ્ચરલ સ્કૉલરશિપ ફૉર રિસર્ચ ઇન પેઇન્ટિંગ’ મળી. 1958માં તે ચેન્નાઈની ‘ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ’માં…

વધુ વાંચો >

મુદ્રણક્ષમ કલા

Feb 9, 2002

મુદ્રણક્ષમ કલા (graphic prints) : નિજી કલાત્મક અભિવ્યક્તિ માટે કલાકારો દ્વારા જાતે કરવામાં આવતી મુદ્રણપ્રક્રિયા. ચિત્ર અને શિલ્પ જેવી કલાકૃતિઓ અનન્ય હોય છે અને તેથી સામાન્ય રીતે તેની પ્રતિકૃતિ શક્ય નથી; પરંતુ કલાકાર મુદ્રણપ્રક્રિયા વડે જાતે રચેલી પોતાની કલાકૃતિની એકથી વધુ કૃતિઓ પ્રયોજી શકે છે અને તેને મુદ્રણક્ષમ કલા કહે…

વધુ વાંચો >

મુદ્રારાક્ષસ

Feb 9, 2002

મુદ્રારાક્ષસ : વિશાખદત્તે રચેલું સંસ્કૃત ભાષાનું જાણીતું નાટક. આ રાજકીય દાવપેચવાળું નાયિકા વગરનું, પ્રાય: સ્ત્રીપાત્ર વગરનું વીરરસપ્રધાન નાટક છે. નાટકનાં સંધ્યંગોનાં ઉદાહરણો પૂરાં પાડવામાં આદર્શ નાટક છે. એમાં જ્ઞાનતંતુનું યુદ્ધ છે અને લોહીનું બિંદુ પણ પાડ્યા વગર શત્રુને માત કરવાનું તેમાં મુખ્ય કથાનક છે. સાત અંકોના બનેલા આ નાટકમાં જટિલ…

વધુ વાંચો >

મુદ્રા સ્કૂલ ઑવ્ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સિઝ

Feb 9, 2002

મુદ્રા સ્કૂલ ઑવ્ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સિઝ : મુદ્રા આર્ટ ઍન્ડ કલ્ચરલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સંચાલિત મંચનલક્ષી કલાનાં શિક્ષણ-તાલીમ અને સંશોધન માટેની કલાસંસ્થા. તેની સ્થાપના 1973માં શ્રીમતી મૃણાલિની સારાભાઈના પ્રમુખપદે વિખ્યાત નૃત્યાંગના રાધા મેનન (જ. 1948) અને તેમના પતિ જાણીતા નર્તક ભાસ્કર મેનન(જ. 1943)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. તેઓ બંને તથા…

વધુ વાંચો >

મુદ્રિત કુમુદચંદ્ર નાટક

Feb 9, 2002

મુદ્રિત કુમુદચંદ્ર નાટક : સોલંકીકાળના ગુજરાતમાં સંસ્કૃત ભાષામાં રચાયેલું નાટક. આ નાટકના કર્તા કવિ યશશ્ચંદ્ર સિદ્ધરાજ જયસિંહના સમકાલીન હતા. એમના પિતા પદ્મચંદ્ર અને પિતામહ ધનદેવ પણ વિદ્વાન હતા, પરંતુ તેમની કોઈ સાહિત્યિક કૃતિ મળી નથી. કવિ યશશ્ચંદ્ર પોતે અનેક પ્રબંધોના કર્તા હોવાનું જણાવે છે. ‘મુદ્રિત કુમુદચંદ્ર નાટક’માંના ઉલ્લેખ પરથી માલૂમ…

વધુ વાંચો >

મુધોળકર, રઘુનાથ, રાવબહાદુર

Feb 9, 2002

મુધોળકર, રઘુનાથ, રાવબહાદુર (જ. 16 મે 1857, ધૂળે, ખાનદેશ; અ. 13 જાન્યુઆરી 1921, અમરાવતી, વિદર્ભ) : મવાળ રાજકીય વિચારસરણી ધરાવતા દેશનેતા, કૉંગ્રેસના પ્રમુખ; વિદર્ભના ઔદ્યોગિક વિકાસના અગ્રેસર. રઘુનાથ નરસિંહ મુધોળકરનો જન્મ પ્રતિષ્ઠિત મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતાશ્રી ધૂળેની જિલ્લા અદાલતમાં દફતરદાર (record-keeper) હતા. રઘુનાથે ધૂળેમાં 1873માં મૅટ્રિકની પરીક્ષા પાસ…

વધુ વાંચો >

મુનશી, અમીર અહમદ અમીર મીનાઈ

Feb 9, 2002

મુનશી, અમીર અહમદ અમીર મીનાઈ (જ. 1826; અ. 13 ઑક્ટોબર 1900, હૈદરાબાદ) : ઉર્દૂ કવિતાની લખનૌ-વિચારધારાના પ્રખ્યાત કવિ. તેઓ તેમની નઅતિયા શાયરી માટે જાણીતા છે. તેમાં પયગંબર મુહમ્મદસાહેબ(સ.અ.વ.)ની પ્રશંસા અને તેમના જીવન-પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યાં છે. તેઓ લખનૌના એક પ્રતિષ્ઠિત ખાનદાનના નબીરા અને શરૂઆતમાં નવાબ વાજિદઅલી શાહના દરબારી હતા. 1857ના…

વધુ વાંચો >

મુનશી, કનૈયાલાલ માણેકલાલ

Feb 9, 2002

મુનશી, કનૈયાલાલ માણેકલાલ (જ. 30 ડિસેમ્બર 1887, ભરૂચ; અ. 8 ફેબ્રુઆરી 1971, મુંબઈ) : યુગસર્જક ગુજરાતી સાહિત્યકાર. ઉપનામ ‘ઘનશ્યામ વ્યાસ’. પરંપરાપ્રાપ્ત કુલાભિમાન અને ભક્તિસંસ્કાર; સ્વાભિમાની, પુરુષાર્થી, રસિક પ્રકૃતિના પિતા તથા પ્રભાવશાળી, વ્યવહારકુશળ, વહીવટમાં કાબેલ અને પદ્યકર્તા માતા તાપીબાનો વારસો; પૌરાણિક કથાપ્રસંગો અને તે સમયે ભજવાતાં નાટકોનું, નારાયણ હેમચંદ્ર અને જેહાંગીર…

વધુ વાંચો >

મુનશી, નવલકિશોર જમનાપ્રસાદ

Feb 9, 2002

મુનશી, નવલકિશોર જમનાપ્રસાદ (જ. 3 જાન્યુઆરી 1836, મથુરા, અ. 1895) : લખનૌની પ્રકાશનસંસ્થા મુનશી નવલકિશોરના સ્થાપક. તેમણે ભારતીય વિદ્યા, કલા તથા સંસ્કૃતિને ઉત્તેજન આપ્યું, તથા ઉર્દૂ ભાષા-સાહિત્યના મહાન પ્રણેતા બની રહ્યા. મુનશી નવલકિશોર એક વ્યક્તિ નહિ, પરંતુ એક સંસ્થા સમાન હતા. તેમણે 1858–1895ના 38 વર્ષના ગાળામાં અરબી, ફારસી, ઉર્દૂ તથા…

વધુ વાંચો >

મુનશી, પ્રેમચંદ

Feb 9, 2002

મુનશી, પ્રેમચંદ (જ. 31 જુલાઈ 1880, લમહી, બનારસ પાસે; અ. 8 ઓક્ટોબર 1936, વારાણસી) : ઉર્દૂ તથા હિંદી ભાષાના ખ્યાતનામ સર્જક. મૂળ નામ ધનપતરાય શ્રીવાસ્તવ. લાડમાં તેમનું નામ ‘નવાબરાય’ પડ્યું હતું અને પરિવારમાં તથા જાહેરમાં તેઓ એ નામે ઓળખાવા માંડ્યા હતા. પિતા અજાયબરાય અને માતા આનન્દીદેવી. વ્યવસાય ખેતીનો, છતાં પારિવારિક…

વધુ વાંચો >

મુનશી, લીલાવતી

Feb 9, 2002

મુનશી, લીલાવતી (જ. 23 મે 1899, અમદાવાદ; અ. 6 જાન્યુઆરી, 1978, મુંબઈ) : ચરિત્રાત્મક નિબંધનાં ગુજરાતી લેખિકા. શાળાકીય અભ્યાસ માત્ર 4 ધોરણ સુધીનો જ, પણ પછી આપબળે ઘેર રહીને અંગ્રેજી તેમજ સંસ્કૃત જેવી ઇતર ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું. નવી નારીનાં લગભગ બધાં લક્ષણો – સાહિત્યપ્રીતિ, સ્વાતંત્ર્યપ્રીતિ, સ્ત્રીસ્વાતંત્ર્ય, પ્રણાલિકાભંજન – વગેરે…

વધુ વાંચો >