૧૬.૦૯

મુદ્રણક્ષમ કલાથી મુલર એરવિન વિલ્હેલ્મ

મુરલીધરન, કે.

મુરલીધરન, કે. (જ. 1954, ચેન્નાઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાંથી 1976માં ચિત્રકલાનો પોસ્ટ-ડિપ્લોમા મેળવ્યો. આ પછી બૅંગાલુરુ, ચેન્નાઈ, દિલ્હી અને મુંબઈમાં પોતાની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. કૉલકાતાની એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સ ખાતે સમૂહ પ્રદર્શનમાં ભાગ લીધો. ચિત્રકલા પરિષદે અને ચેન્નાઈ ખાતેની તામિલનાડુ…

વધુ વાંચો >

મુરવાડા

મુરવાડા : મધ્યપ્રદેશ રાજ્યના જબલપુર જિલ્લાનું નગર. ભૌગોલિક સ્થાન : 23° 05´ ઉ. અ. અને 80° 24´ પૂ. રે.. તે કટની અને સુમરાર નદીઓની વચ્ચે કટની નદીને દક્ષિણ કાંઠે આવેલું છે. તે રેલમાર્ગ પરનું જંક્શન હોવાને કારણે તેની આજુબાજુના વિસ્તાર માટેનું વેપારી મથક બની રહેલું છે. રેલજંક્શન બન્યા પછી તેનો…

વધુ વાંચો >

મુરાદાબાદી, જિગરઅલી સિકંદર

મુરાદાબાદી, જિગરઅલી સિકંદર (જ. 1890, મુરાદાબાદ; અ. 9 સપ્ટેમ્બર 1960, ગોંડા) : વીસમી સદીના પૂર્વાર્ધના ઉર્દૂ ગઝલના અગ્રેસર કવિ. જિગર મુરાદાબાદીનું નામ અલી સિકંદર હતું. તેઓ મુરાદાબાદમાં જન્મ્યા હોઈ તેમના તખલ્લુસ ‘જિગર’ની સાથે ‘મુરાદાબાદી’ પણ કહેવામાં આવતું. જિગરના પૂર્વજો મૌલવી મોહંમદસુમા મોગલશાહજાદા શાહજહાંના ઉસ્તાદ હતા; પરંતુ કોઈ કારણસર શાહી કુટુંબ…

વધુ વાંચો >

મુરારિ

મુરારિ (800 આસપાસ) : સંસ્કૃત ભાષાના નાટ્યલેખક. તેમના જીવન વિશે થોડીક માહિતી તેમણે લખેલા ‘અનર્ઘરાઘવ’ નામના નાટકની પ્રસ્તાવનામાંથી પ્રાપ્ત થાય છે. તેમના પિતાનું નામ વર્ધમાન ભટ્ટ હતું અને તેમની માતાનું નામ તંતુમતી હતું. તેઓ મૌદગલ્ય ગોત્રના બ્રાહ્મણ હતા. તેઓ જાણીતા મહાકવિ માઘ અને નાટ્યકાર ભવભૂતિ જેવા ઉત્તમ સાહિત્યકાર હોવાની પ્રશંસા…

વધુ વાંચો >

મુરારિ મિશ્ર

મુરારિ મિશ્ર : 12મી સદીમાં થઈ ગયેલા મીમાંસાદર્શનના આચાર્ય. તેમના જીવન વિશે કશી વિગતો મળતી નથી. તેમના ફક્ત બે જ ગ્રંથો પ્રકાશિત થયા છે કે જેમાં જૈમિનિના મીમાંસાદર્શનનાં પ્રારંભિક સૂત્રો વિશે ‘ત્રિપાદનીતિનય’નો અને મીમાંસાદર્શનના 11મા અધ્યાયનાં થોડાંક અધિકરણો વિશે ‘એકાદશાધ્યાયાધિકરણ’નો સમાવેશ થાય છે. તેમણે પ્રામાણ્યવાદ વિશે મૌલિક ચિંતન રજૂ કરેલું…

વધુ વાંચો >

મુરિડેન, જેમ્સ

મુરિડેન, જેમ્સ : ખગોળવિજ્ઞાનના જાણીતા લેખક અને પ્રયોગશીલ, અવૈતનિક (ઍમેચ્યોર) ખગોળશાસ્ત્રી. જેમ્સ મુરિડેન ટેલિસ્કૉપનિર્માણમાં ઘણા કુશળ છે. ખગોળની બધી જ ઘટનાઓનું નિરીક્ષણ કરવાનો તેમને બહોળો અનુભવ છે. પોતાના અનુભવોના નિચોડરૂપ ઘણાં પુસ્તકો તેમણે લખ્યાં છે, જેમાંથી કેટલાંક તો આ ક્ષેત્રે પ્રમાણભૂત ગણાય છે. ખગોળ ઉપરનાં તેમનાં મહત્વનાં પુસ્તકોમાં 1963માં પ્રસિદ્ધ…

વધુ વાંચો >

મુરે-ડાર્લિંગ (નદીઓ)

મુરે-ડાર્લિંગ (નદીઓ) : ઑસ્ટ્રેલિયા ખંડની મુખ્ય નદીરચના (river system).  મુરે : તે ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરિયા તથા સાઉથ ઑસ્ટ્રેલિયા રાજ્યોમાં થઈને વહે છે, અને ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયા રાજ્યો વચ્ચેની સરહદ રચે છે. તેનો જળસ્રાવ-વિસ્તાર 10,56,720 ચોકિમી. જેટલો છે, જે સમગ્ર ઑસ્ટ્રેલિયા ખંડના કુલ વિસ્તારના આશરે સાતમા ભાગ જેટલો…

વધુ વાંચો >

મુર્ડિયા, કિરણ

મુર્ડિયા, કિરણ (જ. 1951, ઉદયપુર, રાજસ્થાન) : આધુનિક ભારતીય ચિત્રકાર. 1972માં ઉદયપુર યુનિવર્સિટીમાંથી ચિત્રકલાના વિષય સાથે અનુસ્નાતક કક્ષાની ડિગ્રી મેળવી. એ પછી જયપુર અને દિલ્હીમાં પોતાની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં તથા ઉદયપુર, મુંબઈ, દિલ્હી, ચંડીગઢ, અમદાવાદ અને ચેન્નાઈ ખાતે સમૂહ પ્રદર્શનોમાં ભાગ લીધો. ચિત્રકલા માટે રાજસ્થાન લલિત કલા અકાદમી તથા…

વધુ વાંચો >

મુર્ડેશ્વર, દેવેન્દ્ર

મુર્ડેશ્વર, દેવેન્દ્ર (જ. 19 સપ્ટેમ્બર 1923; અ. 29 જાન્યુઆરી 2000, મુંબઈ) : પ્રસિદ્ધ વાંસળીવાદક. પિતા શંકર મુર્ડેશ્વર સંગીતપ્રેમી તો હતા જ, પરંતુ પોતે કેટલાંક વાદ્યો વગાડતા હતા. પુત્ર દેવેન્દ્રને પણ બાળપણથી જ સંગીત પ્રત્યે અને ખાસ કરી વાંસળી પ્રત્યે વિશેષ રુચિ હતી. 1941માં તેઓ મુંબઈ આવ્યા અને ત્યાં 1944–47 દરમિયાન…

વધુ વાંચો >

મુર્મૂ, દ્રોપદી

મુર્મૂ, દ્રોપદી (જ. 20 જૂન 1958, મયૂરભંજ, ઓડિશા) : આઝાદી પછી જન્મેલ સૌથી નાની વયના આદિવાસી સમુદાયના પ્રથમ અને ભારતના 15મા રાષ્ટ્રપતિ. દ્રૌપદી મુર્મુનો જન્મ સંથાલી આદિવાસી પરિવારમાં થયો હતો. પિતાનું નામ બિરંચી નારાયણ ટુડુ. પિતા અને દાદા ગ્રામપરિષદ(ગ્રામપંચાયત)ના પરંપરાગત વડા(નિયુક્ત સરપંચ) હતા. તેમના પરિવારે તેમનું નામ પુતિ ટુડુ રાખ્યું…

વધુ વાંચો >

મુદ્રણક્ષમ કલા

Feb 9, 2002

મુદ્રણક્ષમ કલા (graphic prints) : નિજી કલાત્મક અભિવ્યક્તિ માટે કલાકારો દ્વારા જાતે કરવામાં આવતી મુદ્રણપ્રક્રિયા. ચિત્ર અને શિલ્પ જેવી કલાકૃતિઓ અનન્ય હોય છે અને તેથી સામાન્ય રીતે તેની પ્રતિકૃતિ શક્ય નથી; પરંતુ કલાકાર મુદ્રણપ્રક્રિયા વડે જાતે રચેલી પોતાની કલાકૃતિની એકથી વધુ કૃતિઓ પ્રયોજી શકે છે અને તેને મુદ્રણક્ષમ કલા કહે…

વધુ વાંચો >

મુદ્રારાક્ષસ

Feb 9, 2002

મુદ્રારાક્ષસ : વિશાખદત્તે રચેલું સંસ્કૃત ભાષાનું જાણીતું નાટક. આ રાજકીય દાવપેચવાળું નાયિકા વગરનું, પ્રાય: સ્ત્રીપાત્ર વગરનું વીરરસપ્રધાન નાટક છે. નાટકનાં સંધ્યંગોનાં ઉદાહરણો પૂરાં પાડવામાં આદર્શ નાટક છે. એમાં જ્ઞાનતંતુનું યુદ્ધ છે અને લોહીનું બિંદુ પણ પાડ્યા વગર શત્રુને માત કરવાનું તેમાં મુખ્ય કથાનક છે. સાત અંકોના બનેલા આ નાટકમાં જટિલ…

વધુ વાંચો >

મુદ્રા સ્કૂલ ઑવ્ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સિઝ

Feb 9, 2002

મુદ્રા સ્કૂલ ઑવ્ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સિઝ : મુદ્રા આર્ટ ઍન્ડ કલ્ચરલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સંચાલિત મંચનલક્ષી કલાનાં શિક્ષણ-તાલીમ અને સંશોધન માટેની કલાસંસ્થા. તેની સ્થાપના 1973માં શ્રીમતી મૃણાલિની સારાભાઈના પ્રમુખપદે વિખ્યાત નૃત્યાંગના રાધા મેનન (જ. 1948) અને તેમના પતિ જાણીતા નર્તક ભાસ્કર મેનન(જ. 1943)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. તેઓ બંને તથા…

વધુ વાંચો >

મુદ્રિત કુમુદચંદ્ર નાટક

Feb 9, 2002

મુદ્રિત કુમુદચંદ્ર નાટક : સોલંકીકાળના ગુજરાતમાં સંસ્કૃત ભાષામાં રચાયેલું નાટક. આ નાટકના કર્તા કવિ યશશ્ચંદ્ર સિદ્ધરાજ જયસિંહના સમકાલીન હતા. એમના પિતા પદ્મચંદ્ર અને પિતામહ ધનદેવ પણ વિદ્વાન હતા, પરંતુ તેમની કોઈ સાહિત્યિક કૃતિ મળી નથી. કવિ યશશ્ચંદ્ર પોતે અનેક પ્રબંધોના કર્તા હોવાનું જણાવે છે. ‘મુદ્રિત કુમુદચંદ્ર નાટક’માંના ઉલ્લેખ પરથી માલૂમ…

વધુ વાંચો >

મુધોળકર, રઘુનાથ, રાવબહાદુર

Feb 9, 2002

મુધોળકર, રઘુનાથ, રાવબહાદુર (જ. 16 મે 1857, ધૂળે, ખાનદેશ; અ. 13 જાન્યુઆરી 1921, અમરાવતી, વિદર્ભ) : મવાળ રાજકીય વિચારસરણી ધરાવતા દેશનેતા, કૉંગ્રેસના પ્રમુખ; વિદર્ભના ઔદ્યોગિક વિકાસના અગ્રેસર. રઘુનાથ નરસિંહ મુધોળકરનો જન્મ પ્રતિષ્ઠિત મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતાશ્રી ધૂળેની જિલ્લા અદાલતમાં દફતરદાર (record-keeper) હતા. રઘુનાથે ધૂળેમાં 1873માં મૅટ્રિકની પરીક્ષા પાસ…

વધુ વાંચો >

મુનશી, અમીર અહમદ અમીર મીનાઈ

Feb 9, 2002

મુનશી, અમીર અહમદ અમીર મીનાઈ (જ. 1826; અ. 13 ઑક્ટોબર 1900, હૈદરાબાદ) : ઉર્દૂ કવિતાની લખનૌ-વિચારધારાના પ્રખ્યાત કવિ. તેઓ તેમની નઅતિયા શાયરી માટે જાણીતા છે. તેમાં પયગંબર મુહમ્મદસાહેબ(સ.અ.વ.)ની પ્રશંસા અને તેમના જીવન-પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યાં છે. તેઓ લખનૌના એક પ્રતિષ્ઠિત ખાનદાનના નબીરા અને શરૂઆતમાં નવાબ વાજિદઅલી શાહના દરબારી હતા. 1857ના…

વધુ વાંચો >

મુનશી, કનૈયાલાલ માણેકલાલ

Feb 9, 2002

મુનશી, કનૈયાલાલ માણેકલાલ (જ. 30 ડિસેમ્બર 1887, ભરૂચ; અ. 8 ફેબ્રુઆરી 1971, મુંબઈ) : યુગસર્જક ગુજરાતી સાહિત્યકાર. ઉપનામ ‘ઘનશ્યામ વ્યાસ’. પરંપરાપ્રાપ્ત કુલાભિમાન અને ભક્તિસંસ્કાર; સ્વાભિમાની, પુરુષાર્થી, રસિક પ્રકૃતિના પિતા તથા પ્રભાવશાળી, વ્યવહારકુશળ, વહીવટમાં કાબેલ અને પદ્યકર્તા માતા તાપીબાનો વારસો; પૌરાણિક કથાપ્રસંગો અને તે સમયે ભજવાતાં નાટકોનું, નારાયણ હેમચંદ્ર અને જેહાંગીર…

વધુ વાંચો >

મુનશી, નવલકિશોર જમનાપ્રસાદ

Feb 9, 2002

મુનશી, નવલકિશોર જમનાપ્રસાદ (જ. 3 જાન્યુઆરી 1836, મથુરા, અ. 1895) : લખનૌની પ્રકાશનસંસ્થા મુનશી નવલકિશોરના સ્થાપક. તેમણે ભારતીય વિદ્યા, કલા તથા સંસ્કૃતિને ઉત્તેજન આપ્યું, તથા ઉર્દૂ ભાષા-સાહિત્યના મહાન પ્રણેતા બની રહ્યા. મુનશી નવલકિશોર એક વ્યક્તિ નહિ, પરંતુ એક સંસ્થા સમાન હતા. તેમણે 1858–1895ના 38 વર્ષના ગાળામાં અરબી, ફારસી, ઉર્દૂ તથા…

વધુ વાંચો >

મુનશી, પ્રેમચંદ

Feb 9, 2002

મુનશી, પ્રેમચંદ (જ. 31 જુલાઈ 1880, લમહી, બનારસ પાસે; અ. 8 ઓક્ટોબર 1936, વારાણસી) : ઉર્દૂ તથા હિંદી ભાષાના ખ્યાતનામ સર્જક. મૂળ નામ ધનપતરાય શ્રીવાસ્તવ. લાડમાં તેમનું નામ ‘નવાબરાય’ પડ્યું હતું અને પરિવારમાં તથા જાહેરમાં તેઓ એ નામે ઓળખાવા માંડ્યા હતા. પિતા અજાયબરાય અને માતા આનન્દીદેવી. વ્યવસાય ખેતીનો, છતાં પારિવારિક…

વધુ વાંચો >

મુનશી, લીલાવતી

Feb 9, 2002

મુનશી, લીલાવતી (જ. 23 મે 1899, અમદાવાદ; અ. 6 જાન્યુઆરી, 1978, મુંબઈ) : ચરિત્રાત્મક નિબંધનાં ગુજરાતી લેખિકા. શાળાકીય અભ્યાસ માત્ર 4 ધોરણ સુધીનો જ, પણ પછી આપબળે ઘેર રહીને અંગ્રેજી તેમજ સંસ્કૃત જેવી ઇતર ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું. નવી નારીનાં લગભગ બધાં લક્ષણો – સાહિત્યપ્રીતિ, સ્વાતંત્ર્યપ્રીતિ, સ્ત્રીસ્વાતંત્ર્ય, પ્રણાલિકાભંજન – વગેરે…

વધુ વાંચો >