૧૬.૦૯

મુદ્રણક્ષમ કલાથી મુલર એરવિન વિલ્હેલ્મ

મુર્શિદાબાદ (જિલ્લો)

મુર્શિદાબાદ (જિલ્લો) : પશ્ચિમ બંગાળ રાજ્યનો મધ્ય પૂર્વમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 23° 43´થી 24° 50´ ઉ. અ. અને 87° 49´થી 88° 46´ પૂ. રે. વચ્ચેનો 5,324 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. ઉત્તર તરફ તે ગંગા નદી દ્વારા માલ્દા જિલ્લાથી અલગ પડે છે. પૂર્વમાં બાંગ્લાદેશનો રાજશાહી જિલ્લો આવેલો…

વધુ વાંચો >

મુલતાન

મુલતાન :પાકિસ્તાનના પશ્ચિમ પંજાબના નૈર્ઋત્ય ભાગમાં આવેલા જિલ્લાનું શહેર. તે ધર્મગુરુઓના શહેર તરીકે પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : 30 11´ ઉ. અ. અને 71 28´ પૂ. રે. તે ચિનાબ (ચંદ્રભાગા) નદીને કાંઠે સ્થિત છે. આ શહેરનો વિસ્તાર 560 ચો. કિમી. જ્યારે તેની મહત્તમ ઊંચાઈ 153 મીટર છે. પાકિસ્તાનનાં મોટાં…

વધુ વાંચો >

મુલતાનની મુસ્લિમ ઇમારતો

મુલતાનની મુસ્લિમ ઇમારતો  : વિદેશી મુસ્લિમ સ્થાપત્યશૈલી અનુસાર સૈકાઓ સુધી બંધાયેલી ભવ્ય ઇમારતો. આ પ્રાંતમાં 8મી સદીમાં મોહમ્મદ બિન કાસિમ દ્વારા આધિપત્ય સ્થપાયા પછી અનેક સદીઓ સુધી મુસ્લિમ સ્થાપત્યો બંધાતાં રહ્યાં. ઊંચી પીઠ, મહેરાબદાર તોરણદ્વારો, વિશાળ ઊંચા ઘુંમટ, દીવાલોમાં મોટા ગોખલા, કળશયુક્ત બુરજો વગેરે મુલતાની ઇમારતોનાં લક્ષણ છે. આ ઇમારતો…

વધુ વાંચો >

મુલતાની માટી

મુલતાની માટી (Fuller’s Earth) : માટીનો એક પ્રકાર. સિંધમાં મુલતાની માટીના થર મળે છે. અગાઉ તે મુલતાનમાંથી મળી રહેતી હોવાને કારણે આ નામ પડ્યું હોય એ સંભવિત છે. આ માટીમાં તૈલી પદાર્થોનું શોષણ કરી લેવાનો ગજબનો ગુણધર્મ હોવાથી તે અગાઉના સમયમાં ગ્રીઝવાળા પદાર્થોમાંથી ચીકાશ શોષી લેવાના ઉપયોગમાં લેવાતી હતી. જૂના…

વધુ વાંચો >

મુલર, એરવિન વિલ્હેલ્મ

મુલર, એરવિન વિલ્હેલ્મ (Mueller Erwin Wilhelm) (જ. 13 જૂન 1911, બર્લિન; અ. 1977) : ભૌતિકશાસ્ત્રી તેમજ શિક્ષણશાસ્ત્રી. પિતાનું નામ વિલ્હેમ અને માતાનું નામ કેથ (Kathe). 1935માં ટૅકનિકલ યુનિવર્સિટી ઑવ્ બર્લિનમાં ડિપ્લોમા લીધો. 1936માં ડૉક્ટરેટ મેળવી. 13મી ફેબ્રુઆરી 1939ના રોજ ક્લૅરા ઈ. થ્યુસિંગ (Klara E. Thussing) સાથે લગ્નગ્રંથિથી જોડાયા. 1951માં જર્મનીથી…

વધુ વાંચો >

મુદ્રણક્ષમ કલા

Feb 9, 2002

મુદ્રણક્ષમ કલા (graphic prints) : નિજી કલાત્મક અભિવ્યક્તિ માટે કલાકારો દ્વારા જાતે કરવામાં આવતી મુદ્રણપ્રક્રિયા. ચિત્ર અને શિલ્પ જેવી કલાકૃતિઓ અનન્ય હોય છે અને તેથી સામાન્ય રીતે તેની પ્રતિકૃતિ શક્ય નથી; પરંતુ કલાકાર મુદ્રણપ્રક્રિયા વડે જાતે રચેલી પોતાની કલાકૃતિની એકથી વધુ કૃતિઓ પ્રયોજી શકે છે અને તેને મુદ્રણક્ષમ કલા કહે…

વધુ વાંચો >

મુદ્રારાક્ષસ

Feb 9, 2002

મુદ્રારાક્ષસ : વિશાખદત્તે રચેલું સંસ્કૃત ભાષાનું જાણીતું નાટક. આ રાજકીય દાવપેચવાળું નાયિકા વગરનું, પ્રાય: સ્ત્રીપાત્ર વગરનું વીરરસપ્રધાન નાટક છે. નાટકનાં સંધ્યંગોનાં ઉદાહરણો પૂરાં પાડવામાં આદર્શ નાટક છે. એમાં જ્ઞાનતંતુનું યુદ્ધ છે અને લોહીનું બિંદુ પણ પાડ્યા વગર શત્રુને માત કરવાનું તેમાં મુખ્ય કથાનક છે. સાત અંકોના બનેલા આ નાટકમાં જટિલ…

વધુ વાંચો >

મુદ્રા સ્કૂલ ઑવ્ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સિઝ

Feb 9, 2002

મુદ્રા સ્કૂલ ઑવ્ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સિઝ : મુદ્રા આર્ટ ઍન્ડ કલ્ચરલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સંચાલિત મંચનલક્ષી કલાનાં શિક્ષણ-તાલીમ અને સંશોધન માટેની કલાસંસ્થા. તેની સ્થાપના 1973માં શ્રીમતી મૃણાલિની સારાભાઈના પ્રમુખપદે વિખ્યાત નૃત્યાંગના રાધા મેનન (જ. 1948) અને તેમના પતિ જાણીતા નર્તક ભાસ્કર મેનન(જ. 1943)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. તેઓ બંને તથા…

વધુ વાંચો >

મુદ્રિત કુમુદચંદ્ર નાટક

Feb 9, 2002

મુદ્રિત કુમુદચંદ્ર નાટક : સોલંકીકાળના ગુજરાતમાં સંસ્કૃત ભાષામાં રચાયેલું નાટક. આ નાટકના કર્તા કવિ યશશ્ચંદ્ર સિદ્ધરાજ જયસિંહના સમકાલીન હતા. એમના પિતા પદ્મચંદ્ર અને પિતામહ ધનદેવ પણ વિદ્વાન હતા, પરંતુ તેમની કોઈ સાહિત્યિક કૃતિ મળી નથી. કવિ યશશ્ચંદ્ર પોતે અનેક પ્રબંધોના કર્તા હોવાનું જણાવે છે. ‘મુદ્રિત કુમુદચંદ્ર નાટક’માંના ઉલ્લેખ પરથી માલૂમ…

વધુ વાંચો >

મુધોળકર, રઘુનાથ, રાવબહાદુર

Feb 9, 2002

મુધોળકર, રઘુનાથ, રાવબહાદુર (જ. 16 મે 1857, ધૂળે, ખાનદેશ; અ. 13 જાન્યુઆરી 1921, અમરાવતી, વિદર્ભ) : મવાળ રાજકીય વિચારસરણી ધરાવતા દેશનેતા, કૉંગ્રેસના પ્રમુખ; વિદર્ભના ઔદ્યોગિક વિકાસના અગ્રેસર. રઘુનાથ નરસિંહ મુધોળકરનો જન્મ પ્રતિષ્ઠિત મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતાશ્રી ધૂળેની જિલ્લા અદાલતમાં દફતરદાર (record-keeper) હતા. રઘુનાથે ધૂળેમાં 1873માં મૅટ્રિકની પરીક્ષા પાસ…

વધુ વાંચો >

મુનશી, અમીર અહમદ અમીર મીનાઈ

Feb 9, 2002

મુનશી, અમીર અહમદ અમીર મીનાઈ (જ. 1826; અ. 13 ઑક્ટોબર 1900, હૈદરાબાદ) : ઉર્દૂ કવિતાની લખનૌ-વિચારધારાના પ્રખ્યાત કવિ. તેઓ તેમની નઅતિયા શાયરી માટે જાણીતા છે. તેમાં પયગંબર મુહમ્મદસાહેબ(સ.અ.વ.)ની પ્રશંસા અને તેમના જીવન-પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યાં છે. તેઓ લખનૌના એક પ્રતિષ્ઠિત ખાનદાનના નબીરા અને શરૂઆતમાં નવાબ વાજિદઅલી શાહના દરબારી હતા. 1857ના…

વધુ વાંચો >

મુનશી, કનૈયાલાલ માણેકલાલ

Feb 9, 2002

મુનશી, કનૈયાલાલ માણેકલાલ (જ. 30 ડિસેમ્બર 1887, ભરૂચ; અ. 8 ફેબ્રુઆરી 1971, મુંબઈ) : યુગસર્જક ગુજરાતી સાહિત્યકાર. ઉપનામ ‘ઘનશ્યામ વ્યાસ’. પરંપરાપ્રાપ્ત કુલાભિમાન અને ભક્તિસંસ્કાર; સ્વાભિમાની, પુરુષાર્થી, રસિક પ્રકૃતિના પિતા તથા પ્રભાવશાળી, વ્યવહારકુશળ, વહીવટમાં કાબેલ અને પદ્યકર્તા માતા તાપીબાનો વારસો; પૌરાણિક કથાપ્રસંગો અને તે સમયે ભજવાતાં નાટકોનું, નારાયણ હેમચંદ્ર અને જેહાંગીર…

વધુ વાંચો >

મુનશી, નવલકિશોર જમનાપ્રસાદ

Feb 9, 2002

મુનશી, નવલકિશોર જમનાપ્રસાદ (જ. 3 જાન્યુઆરી 1836, મથુરા, અ. 1895) : લખનૌની પ્રકાશનસંસ્થા મુનશી નવલકિશોરના સ્થાપક. તેમણે ભારતીય વિદ્યા, કલા તથા સંસ્કૃતિને ઉત્તેજન આપ્યું, તથા ઉર્દૂ ભાષા-સાહિત્યના મહાન પ્રણેતા બની રહ્યા. મુનશી નવલકિશોર એક વ્યક્તિ નહિ, પરંતુ એક સંસ્થા સમાન હતા. તેમણે 1858–1895ના 38 વર્ષના ગાળામાં અરબી, ફારસી, ઉર્દૂ તથા…

વધુ વાંચો >

મુનશી, પ્રેમચંદ

Feb 9, 2002

મુનશી, પ્રેમચંદ (જ. 31 જુલાઈ 1880, લમહી, બનારસ પાસે; અ. 8 ઓક્ટોબર 1936, વારાણસી) : ઉર્દૂ તથા હિંદી ભાષાના ખ્યાતનામ સર્જક. મૂળ નામ ધનપતરાય શ્રીવાસ્તવ. લાડમાં તેમનું નામ ‘નવાબરાય’ પડ્યું હતું અને પરિવારમાં તથા જાહેરમાં તેઓ એ નામે ઓળખાવા માંડ્યા હતા. પિતા અજાયબરાય અને માતા આનન્દીદેવી. વ્યવસાય ખેતીનો, છતાં પારિવારિક…

વધુ વાંચો >

મુનશી, લીલાવતી

Feb 9, 2002

મુનશી, લીલાવતી (જ. 23 મે 1899, અમદાવાદ; અ. 6 જાન્યુઆરી, 1978, મુંબઈ) : ચરિત્રાત્મક નિબંધનાં ગુજરાતી લેખિકા. શાળાકીય અભ્યાસ માત્ર 4 ધોરણ સુધીનો જ, પણ પછી આપબળે ઘેર રહીને અંગ્રેજી તેમજ સંસ્કૃત જેવી ઇતર ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું. નવી નારીનાં લગભગ બધાં લક્ષણો – સાહિત્યપ્રીતિ, સ્વાતંત્ર્યપ્રીતિ, સ્ત્રીસ્વાતંત્ર્ય, પ્રણાલિકાભંજન – વગેરે…

વધુ વાંચો >