૧૫.૧૯

મહેતા સુજાતા પ્રહલાદરાયથી મંચલેખા

મહેતા, સુજાતા પ્રહલાદરાય

મહેતા, સુજાતા પ્રહલાદરાય (જ. 11 માર્ચ 1959, નવસારી) : ગુજરાતી રંગમંચનાં અભિનેત્રી. અભિજાત દશા શ્રીમાળી પોરવાડ પરિવારના સંસ્કારોથી સંપન્ન રેખાબહેન તે તેમની માતા અને સ્વાતંત્ર્યસેનાની પ્રહલાદરાય તે તેમના પિતા. સુજાતા મનોવિજ્ઞાનના વિષય સાથે સ્નાતક થયાં. કાકા હસુ મહેતા અને કાકી દેવયાની મહેતા મુંબઈના તખ્તાના કલાકારો હતાં. તેમના અભિનય-સંસ્કારો ઝીલીને બાળપણથી…

વધુ વાંચો >

મહેતા, (ડૉ.) સુમંતભાઈ

મહેતા, (ડૉ.) સુમંતભાઈ (જ. 1 જુલાઈ 1877, સૂરત; અ. 15 ડિસેમ્બર 1968) : સ્વાતંત્ર્ય-સૈનિક, જાહેર કાર્યકર, સમાજસુધારક. તેમનો જન્મ સૂરતના પ્રગતિશીલ નાગર બ્રાહ્મણ પરિવારમાં. પિતા ડૉ. બટુકરામ શોભારામ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના અંગત ડૉક્ટર હતા. તેમની માતા ડાહીગૌરી સૂરતના સંસ્કારી પરિવારનાં સભ્ય હતાં. સુમંતભાઈએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરા…

વધુ વાંચો >

મહેતા, હંસા

મહેતા, હંસા (જ. 3 જુલાઈ 1897, સૂરત; અ. 4 એપ્રિલ 1995, મુંબઈ) : કેળવણી, બાલસાહિત્ય તેમજ અનુવાદક્ષેત્રે ઉલ્લેખનીય કાર્ય કરનાર ગુજરાતનાં અગ્રણી મહિલા. વડોદરાના દીવાનપદને શોભાવનાર મનુભાઈ મહેતા પિતા. માતાનું નામ હર્ષદકુમારી. ગુજરાતને પ્રથમ ઐતિહાસિક નવલકથા ‘કરણ ઘેલો’ (1866) આપનાર નંદશંકર તુળજાશંકર મહેતાનાં પૌત્રી. દાદાનો સાહિત્યવારસો અને પિતાની તીવ્ર બુદ્ધિ…

વધુ વાંચો >

મહેદવી પંથ

મહેદવી પંથ : ભારતમાં મધ્યકાલમાં પ્રગટેલો ઇસ્લામનો એક ઉદારવાદી પંથ. તેના અનુયાયીઓ ‘ગયર મેહદી’ કે કયામત પહેલાં આવનાર ઇમામ મહેદીમાં નહિ માનતા હોવાથી પોતાને મહેદવી તરીકે ઓળખાવતા. ઇસ્લામની માન્યતા છે કે આ દુનિયા પર પાપ વધી જશે અને ઇસ્લામમાંથી લોકોનું યકીન ઘટી જશે ત્યારે કયામત પહેલાં ઇમામ મહેદી આવીને સાત…

વધુ વાંચો >

મહેન્દ્ર (મહેન્દુ)

મહેન્દ્ર (મહેન્દુ) : અગિયારમી સદીમાં થઈ ગયેલો નડૂલનો ચાહમાન રાજા. ચાહમાનો(ચૌહાણો)નાં કેટલાંક રાજ્યો રાજસ્થાનમાં સ્થપાયાં, તેમાં શાકંભરી(સાંભર-અજમેર)નું રાજ્ય ગણનાપાત્ર છે. શાકંભરીનું ચાહમાન રાજ્ય વાસુદેવે સાતમી સદીમાં સ્થાપ્યું. એના વંશમાં થયેલ દુર્લભરાજના પિતા સિંહરાજના કનિષ્ઠ ભાઈ લક્ષ્મણે નડૂલ કે નાડોલ(જોધપુર પાસે)માં ચાહમાન રાજ્યની એક અલગ શાખા સ્થાપી. એના પુત્ર શોભિતે આબુ…

વધુ વાંચો >

મહેન્દ્રગઢ

મહેન્દ્રગઢ : હરિયાણા રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 27° 47´ 50´´થી 28° 28´ ઉ. અ. અને 75° 54´થી 76° 51´ પૂ. રે. વચ્ચેનો 1,683 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ભિવાની અને રોહતક જિલ્લા; ઈશાન અને પૂર્વમાં ગુરગાંવ જિલ્લો; પૂર્વ,…

વધુ વાંચો >

મહેન્દ્રગિરિ

મહેન્દ્રગિરિ : એક પર્વત તથા એ નામનું શહેર. ઓરિસાથી માંડીને તમિલનાડુ રાજ્યના મદુરાઈ જિલ્લા સુધીની સમગ્ર ગિરિમાળા. તેને મહેન્દ્રપર્વત પણ કહે છે. આ ગિરિમાળા પૂર્વ ઘાટની દ્યોતક છે. ગંજામ પાસેનો એનો એક ભાગ હજી ‘મહેન્દ્રમલેઈ’ (મહેન્દ્ર ટેકરીઓ) કહેવાય છે. તે મલય પર્વતમાં ભળે છે. રામથી પરાજય પામ્યા પછી પરશુરામ આ…

વધુ વાંચો >

મહેન્દ્રનગર

મહેન્દ્રનગર : નેપાળના નૈર્ઋત્ય ભાગમાં, ભારત-નેપાળની સરહદ નજીક આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 28° 55´ ઉ. અ. અને 80° 20´ પૂ. રે. . હિમાલયની તળેટી ટેકરીઓના તરાઈ વિસ્તારમાં તે આશરે 4,000 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ શહેરની દક્ષિણે ગંગાની સહાયક નદીઓ પૈકીની એક નદીનું ઉદગમસ્થાન આવેલું છે. ઊંચાઈને કારણે…

વધુ વાંચો >

મહેન્દ્રપાલ પહેલો

મહેન્દ્રપાલ પહેલો (રાજ્યઅમલ : 885–908) : કનોજના રાજા ભોજનો પુત્ર અને પ્રતીહાર વંશનો રાજા. તે ‘મહેન્દ્રાયુધ’, ‘નિર્ભય-નરેન્દ્ર’ અથવા ‘નિર્ભયરાજ’ તરીકે પણ ઓળખાતો હતો. તેણે વારસામાં મળેલ સામ્રાજ્ય સાચવી રાખ્યું તથા તેને પૂર્વ તરફ વિસ્તાર્યું હતું. તખ્તનશીન થયા બાદ તેણે મગધ તથા ઉત્તર બંગાળના મોટા-ભાગના પ્રદેશો પાલ રાજા પાસેથી જીતી લીધા…

વધુ વાંચો >

મહેન્દ્રપાલ બીજો

મહેન્દ્રપાલ બીજો (ઈ. સ. 945–’46) : પ્રતીહાર વંશનો રાજા. વિનાયકપાલનો પુત્ર. તેના પછીનાં 15 વર્ષમાં (1) દેવપાલ, (2) વિનાયકપાલ બીજો, (3) મહિપાલ બીજો અને (4) વિજયપાલ – એમ ચાર રાજાઓ થઈ ગયા. આ ચાર અલગ રાજાઓ હતા કે અલગ નામ ધરાવનાર બે રાજા હતા, તે બાબતમાં ઇતિહાસકારો અલગ અલગ મત…

વધુ વાંચો >

મંકોડા

Jan 19, 2002

મંકોડા : મોટા કદની કીડી. કીડી, મંકોડા ઝિમેલ તરીકે ઓળખાતા આ કીટકોની દુનિયાભરમાં 10,000 અને ભારતમાં 1,000 જાતિઓ જોવા મળે છે. તે બધા ત્વક્-પક્ષ (hymenoptera) શ્રેણીના ફૉર્મિસિડી કુળના કીટકો છે. ભારતમાં વસતા મોટાભાગના મંકોડાનું શાસ્ત્રીય નામ Camponotus compress છે. અન્ય કીટકોની જેમ ફૉર્મિસિડી કુળના કીટકોનું શરીર શીર્ષ, ઉરસ્ અને ઉદર…

વધુ વાંચો >

મંખક

Jan 19, 2002

મંખક (ઈ.સ.ની 12મી સદી) : સંસ્કૃત ભાષાના મહાકવિ અને આલંકારિક. કાશ્મીરના વતની. પ્રસિદ્ધ આલંકારિક રાજાનક રુય્યકના શિષ્ય અને ‘શ્રીકંઠચરિત’ મહાકાવ્યના રચયિતા. તેઓ કાશ્મીરના રાજા જયસિંહના દરબારમાં વિરાજતા હતા. ઈ. સ. 1135થી 1145માં ‘શ્રીકંઠચરિત’ રચાયું હોવાનું લગભગ નિશ્ચિત છે અને જયસિંહનો સમય પણ ઈ. સ. ની બારમી સદીનો પૂર્વાર્ધ છે. એટલે…

વધુ વાંચો >

મંખલિ ગોશાલક

Jan 19, 2002

મંખલિ ગોશાલક : પ્રાચીન ભારતમાં આજીવિક સંપ્રદાયનો સ્થાપક. મંખલિપુત્ર ગોશાલકનો ઉલ્લેખ મુખ્યત્વે જૈન આગમો અને બૌદ્ધ ગ્રંથોમાં મળે છે. ભગવતીસૂત્ર અનુસાર ગોશાલક મંખલિ નામના મંખનો પુત્ર હતો. ભગવાન મહાવીરની કીર્તિથી પ્રભાવિત થઈને તેણે મહાવીર પાસે વિનંતીપૂર્વક શિષ્યત્વ મેળવ્યું હતું. છ વર્ષના અંતેવાસ દરમિયાન તેણે ઘણી વાર અવિવેકી વર્તન કર્યું હતું.…

વધુ વાંચો >

મંગરોલી, ખુશતર

Jan 19, 2002

મંગરોલી, ખુશતર (જ. 1892, માંગરોળ, જૂનાગઢ) : સૌરાષ્ટ્ર–કાઠિયાવાડના એક વખતના જાણીતા અને લોકપ્રિય ઉર્દૂ માસિક ‘ઝબાન’ના તંત્રી તથા માલિક. તેમનું મૂળ નામ અબ્દુરરહેમાન બિન મુહમ્મદ બિન મુહસિન છે. તેઓ ‘ખુશતર’ના ઉપનામથી જાણીતા છે. તેમની 9 વર્ષની નાની વયે જ તેમના પિતાનું અવસાન થયું. પ્રાથમિક શિક્ષણ જૂનાગઢના મહાબત મદરેસા (હાલ નરસિંહ…

વધુ વાંચો >

મંગલેશ

Jan 19, 2002

મંગલેશ (રાજ્યકાલ ઈ. સ. 597–611) : દખ્ખણના વાતાપી અથવા બાદામી(બીજાપુર જિલ્લો)ના ચાલુક્ય વંશનો રાજા. તે ‘મંગલરાજા’, ‘મંગલીશ’, ‘મંગલેશ્વર’ તરીકે પણ ઓળખાતો હતો. તે પુલકેશિન પ્રથમ(રાજ્યકાલ ઈ. સ. 535–566)નો પુત્ર અને કીર્તિવર્મન્ પહેલા- (ઈ. સ. 566–597)નો નાનો ભાઈ હતો. કીર્તિવર્મનના અવસાન-સમયે તેનાં સંતાનો સગીર હોવાથી તેણે રાજગાદી સંભાળી. મહાકૂટ સ્તંભલેખમાં જણાવ્યા…

વધુ વાંચો >

મંગળ

Jan 19, 2002

મંગળ : સૂર્યમંડળના ગ્રહોમાં બુધ, શુક્ર અને પૃથ્વી પછીનો ગ્રહ. તેની સપાટી પર વિશેષ પ્રમાણમાં આવેલ ફેરિક ઑક્સાઇડ-(Fe2O3)નાં સંયોજનોને કારણે તે રાતા રંગે પ્રકાશતો જણાય છે અને તેના આ રક્તવર્ણને કારણે તેને યુદ્ધદેવતાનું પ્રતીક માનવામાં આવ્યો છે. સૂર્યથી સરેરાશ 23 કરોડ કિલોમિટર અંતરે આવેલ આ ગ્રહ, સૂર્ય ફરતું તેનું કક્ષાભ્રમણ…

વધુ વાંચો >

મંગળની શોધયાત્રા (અંતરીક્ષવિજ્ઞાન)

Jan 19, 2002

મંગળની શોધયાત્રા (અંતરીક્ષવિજ્ઞાન) : મંગળ ગ્રહનાં અંતરીક્ષ-અન્વેષણો માટેનો સોવિયેત સંઘ અને યુ.એસ.નો કાર્યક્રમ. અંતરીક્ષ-યુગ શરૂ થયો તે પછી સૌરમંડળના ગ્રહોના અન્વેષણ-કાર્યક્રમમાં મંગળ ગ્રહના સર્વગ્રાહી અન્વેષણ માટે સોવિયેત સંઘ (હવે રશિયા) તથા અમેરિકાએ ઘણાં અંતરીક્ષયાનો પ્રક્ષેપિત કર્યાં છે. સોવિયેત સંઘનાં અંતરીક્ષયાનોનાં પરિણામો વિશે બહુ જ ઓછી માહિતી મળી છે, પરંતુ અમેરિકાના…

વધુ વાંચો >

મંગેશકર, દીનાનાથ

Jan 19, 2002

મંગેશકર, દીનાનાથ (જ. 29 ડિસેમ્બર 1900, મંગેશી, ગોવા; અ. 24 એપ્રિલ 1942, પુણે) : મરાઠી રંગભૂમિના વિખ્યાત ગાયક-અભિનેતા. મૂળ અટક અભિષેકી; પરંતુ વતનના નામ પરથી મંગેશકર અટક પ્રચલિત બની. મરાઠી રંગભૂમિના વર્તુળમાં તેઓ માસ્ટર દીનાનાથ નામથી ખ્યાતનામ બન્યા. શિક્ષણ નહીંવત્; પરંતુ બાળપણમાં બ્રાહ્મણોના મંત્રપાઠ સાંભળીને વાણી અને વર્તનમાં સુસંસ્કૃત બન્યા.…

વધુ વાંચો >

મંગેશકર, લતા

Jan 19, 2002

મંગેશકર, લતા (જ. 28 સપ્ટેમ્બર 1929, ઇન્દોર, મધ્યપ્રદેશ, અ. 6 ફેબ્રુઆરી 2022, મુંબઈ) : દંતકથા બની ગયેલાં ભારતીય સ્વરસમ્રાજ્ઞી. જરા અમથું પણ ઔપચારિક શિક્ષણ ન લેનાર લતાએ પિતા દીનાનાથ મંગેશકર પાસેથી ચાર-પાંચ વર્ષની ઉંમરથી જ શાસ્ત્રીય સંગીત શીખવું શરૂ કર્યું હતું. સાત વર્ષની ઉંમરે તો તેમણે સંગીતનો પ્રથમ જાહેર કાર્યક્રમ…

વધુ વાંચો >

મંગેશકર, સુમન

Jan 19, 2002

મંગેશકર, સુમન (જ. 7 માર્ચ 1934, નંદુરબાર, મહારાષ્ટ્ર) : વિખ્યાત નર્તક અને નિર્દેશક. ગરીબ કુટુંબમાં જન્મ. 1956થી રાજકોટ આવી ત્યાંથી બી.એ. થયા. સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાં કથક નૃત્ય શીખવાનું શરૂ કર્યું. તેમણે કથક નૃત્યના જયપુર ઘરાનાના કનૈયાલાલજી જીવડા પાસેથી તાલીમ મેળવીને નૃત્યવિશારદની ઉપાધિ પ્રાપ્ત કરી. આ ઉપરાંત તેમણે સુંદરલાલજી, કુંદનલાલજી,…

વધુ વાંચો >