૮.૨૩

ઢોળ ચડાવવો (ધાતુનો)થી તબરી

તત્વમસિ (1984)

તત્વમસિ (1984) : ડૉ. સુકુમાર કોઝીકોડનું મલયાળમ ભાષામાં ભારતીય દર્શનવિષયક પુસ્તક. તેને 1984માં શ્રેષ્ઠ મલયાળમ પુસ્તક માટેના સાહિત્ય અકાદમીના પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યું હતું. એ પુસ્તકને એ પુરસ્કાર ઉપરાંત બીજી આઠ સંસ્થાઓ તરફથી પણ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. વળી એક જ વર્ષમાં એની આઠ આવૃત્તિઓ પ્રગટ થઈ હતી. એમાં…

વધુ વાંચો >

તત્વમીમાંસા

તત્વમીમાંસા (metaphysics) : સત્ (being) એટલે કે હોવાપણાના સર્વસામાન્ય (general) સ્વરૂપનો અભ્યાસ. ઍરિસ્ટોટલે આવા અભ્યાસને ‘પ્રથમ ફિલસૂફી’ (first philosophy) તરીકે ઓળખાવ્યો હતો. સતનો સત્ તરીકેનો અભ્યાસ એટલે પ્રથમ ફિલસૂફી. ઍરિસ્ટોટલની કૃતિઓનું એન્ડ્રૉનિક્સે સંપાદન કર્યું હતું. તેમણે ફિલસૂફીને લગતી ઍરિસ્ટોટલની કૃતિઓને ઍરિસ્ટોટલના ‘ફિઝિક્સ’ પછી મૂકી હતી. તેને લીધે તે ફિલસૂફીને ‘ફિઝિક્સ’…

વધુ વાંચો >

તત્વવૈપુલ્ય

તત્વવૈપુલ્ય (chemical abundance) : વિશ્વમાં વિવિધ તત્વો(elements)ના અસ્તિત્વની પ્રચુરતા. આ પ્રચુરતા કેવી રીતે અસ્તિત્વમાં આવી તેની સૈદ્ધાંતિક સમજૂતી આધુનિક વિજ્ઞાન આપી શકે છે. આ સમજૂતી મુજબ જે મહાવિસ્ફોટ (big bang) દ્વારા વિશ્વનું સર્જન થયું, તેના અતિ પ્રારંભિક તબક્કામાં (એટલે કે ગણતરીની મિનિટોમાં જ !) હાઇડ્રોજનના નાભિ એટલે કે પ્રોટ્રોન, તેના…

વધુ વાંચો >

તત્વાંતરણ

તત્વાંતરણ (transmutation of elements) : પરમાણુના ન્યૂક્લિયસના ફેરફાર દ્વારા, એક તત્વનું બીજા તત્વમાં કરવામાં આવતું રૂપાંતરણ. એક જ તત્વના બધા જ પરમાણુઓના ન્યૂક્લિયસમાં પ્રોટૉનની સંખ્યા એકસરખી હોય છે. ન્યૂક્લિયસમાંના પ્રોટૉનની સંખ્યામાં  ફેરફાર થતાં, જુદા જ તત્વનો પરમાણુ ઉદભવે છે. પરમાણ્વીય કણોની આપલે દ્વારા, પરમાણુ તેના ન્યૂક્લિયસમાંના પ્રોટોનની સંખ્યામાં ફેરફાર કરી…

વધુ વાંચો >

તત્વો ક્રમાંક 111 અને 112

તત્વો ક્રમાંક 111 અને 112 : આવર્તક કોષ્ટકમાંની અનુઍક્ટિનાઇડ શ્રેણીનાં રાસાયણિક ધાતુતત્વો. 8થી 17 ડિસેમ્બર, 1994ના ગાળામાં GSI, ડર્મસ્ટેટ ખાતેના વૈજ્ઞાનિકોના સમૂહે શીત-સંગલન પદ્ધતિ વાપરીને તત્વ–111નું સંશ્લેષણ કરી તેનું લક્ષણચિત્રણ કર્યું હતું. પ્રક્રિયા આ પ્રમાણે છે : 209Bi(64Ni, n)272111. તે વિકિરણધર્મી હોઈ α-ક્ષય પામે છે : તત્વ–112 9 ફેબ્રુઆરી, 1996ની…

વધુ વાંચો >

તત્વોનું નિષ્કર્ષણ

તત્વોનું નિષ્કર્ષણ (extraction of elements) : કુદરતમાં મળી આવતાં ખનિજોમાંથી તત્વોને શુદ્ધ સ્વરૂપમાં મેળવવાની પ્રવિધિ. પૃથ્વી પર 92 તત્વો ઉપરાંત અનુયુરેનિયમ ઉમેરતાં 103 તત્વો જાણીતાં છે. 92 તત્વોમાંથી લગભગ 80 % જેટલાં ધાતુતત્ત્વો છે. અધાતુતત્વોમાં H2, O2, N2, C1, Si, B, S, P, Cl2, Br2, F2, I2, He, Ar, Kr,…

વધુ વાંચો >

તથાગત ગુપ્ત

તથાગત ગુપ્ત : બૌદ્ધધર્મી રાજવી. યુઅન શ્વાંગે નાલંદા વિહારને મદદ કરનારનાં જે નામ આપ્યાં છે એમાં તથાગત ગુપ્તનું નામ આપ્યું છે. તેણે આ નામ બુધગુપ્ત અને બાલાદિત્ય(નરસિંહગુપ્ત)ની વચ્ચે આપેલું છે તેથી એવી સંભાવના છે કે આ બે રાજા વચ્ચેનો સમય તથાગત ગુપ્તનો રાજ્યકાળનો સમય હતો. ગુપ્ત રાજાઓમાં પ્રકાશદિત્યના નામે કેટલાક…

વધુ વાંચો >

તનવીર હબીબ

તનવીર હબીબ (જ. 1 સપ્ટેમ્બર 1923, રાયપુર; અ. 8 જૂન 2009, ભોપાલ, મધ્યપ્રદેશ) : આધુનિક ભારતીય નાટ્યસર્જક. પિતાનું નામ મહંમદ હયાતખાન, માતાનું નામ નિઝિરુન્નિસા. બી.એ. પાસ થયા પછી રૉયલ અકાદમી ઑવ્ ડ્રૅમૅટિક આર્ટ્સ, લંડન; બ્રિટિશ ડ્રામા લીગ, લંડન તથા બ્રિસ્ટૉલ ઑલ્ડ વિક્ટોરિયા થિયેટર સ્કૂલ ખાતે નાટ્યક્ષેત્રની તાલીમ લીધી. 1945માં ઑલ…

વધુ વાંચો >

તનાકા, કોઇચી

તનાકા, કોઇચી (Tanaka, Koichi) (જ. 3 ઑગસ્ટ 1959, ટોયામા શહેર, જાપાન) : જાપાની રસાયણવિદ અને 2002ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1983માં ટોહોકુ યુનિવર્સિટીમાંથી ઇજનેરી પદવી મેળવ્યા બાદ તનાકા ક્યોટોની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ઉપકરણો બનાવતી કંપની શિમાડ્ઝુ કૉર્પોરેશનમાં જોડાયા અને ત્યાં વિવિધ ક્ષેત્રોમાં સંશોધનકાર્ય કર્યું. તેમણે વીસમી સદીનાં શરૂઆતનાં વર્ષોથી…

વધુ વાંચો >

તનાવ અને અનુકૂલન

તનાવ અને અનુકૂલન : પરિસ્થિતિમાં થતા ફેરફારથી મનની તનાવભરી સ્થિતિ અને તે સતત રહેતી પરિસ્થિતિ સાથે ગોઠવવાની પ્રક્રિયા. માનસિકતણાવ–તનાવ (stress) અને મનોવેદના (distress) એ આધુનિક ઝડપી યુગનો માનસિક વિકાર છે. આધુનિક જીવન જીવવાની શૈલી જ એવી છે કે જીવનમાંથી સુખસંતોષ, શાંતિ, ધીરજ, હળવાશ, ફુરસદ જેવા અનુભવોની બાદબાકી થતી જાય છે…

વધુ વાંચો >

ઢોળ ચડાવવો (ધાતુનો)

Jan 23, 1997

ઢોળ ચડાવવો (ધાતુનો) : વસ્તુની સપાટીના ગુણધર્મો જેવા કે ક્ષયન (ક્ષારણ) પ્રતિરોધ, ચળકાટ, સમાપન અને જાડાઈ વગેરે સુધારવા સપાટી પર ધાતુના પાતળા થર લગાવવાની ક્રિયા. ઢોળ  ચડાવવાની ક્રિયા ઘણી જાણીતી છે. લોખંડના પતરા પર જસતનું પાતળું પડ ચડાવી પતરાને કાટ ચડતો રોકવામાં આવે છે. આ ઉપરાંત લોખંડના સ્ક્રૂ અને ચાકીઓ…

વધુ વાંચો >

ણાણપંચમીકહા (જ્ઞાનપંચમી કથા)

Jan 23, 1997

ણાણપંચમીકહા (જ્ઞાનપંચમી કથા) (ઈ. સ. 1053 પહેલાં) : શ્રુતપંચમીને લગતી દસ પ્રાકૃત કથાઓનો સંગ્રહ. તેના કર્તા મહેશ્વરસૂરિ સજ્જન ઉપાધ્યાયના શિષ્ય હતા. આ ગ્રંથની પ્રાચીનતમ તાડપત્રીય પ્રત વિ. સં. 1109ની લખેલી મળે છે. માટે આનો રચનાકાળ ઈ. સ. 1053ની પૂર્વનો છે. આ સંગ્રહમાં શ્રુતપંચમી વ્રતનું માહાત્મ્ય બતાવવા માટે દસ કથાઓ સંગૃહીત…

વધુ વાંચો >

ણાયકુમારચરિઉ

Jan 23, 1997

ણાયકુમારચરિઉ (સં. નાગકુમારચરિત) (દસમી સદી) : પ્રસિદ્ધ કવિ પુષ્પદંત દ્વારા 9 સંધિઓમાં અપભ્રંશ ભાષામાં રચાયેલું ‘નાગકુમારચરિત’ એ પ્રાચીન ભારતીય સાહિત્યનો મહત્વપૂર્ણ ગ્રંથ છે. શ્રીપંચમીવ્રતનું મહત્વ દર્શાવતી આ કૃતિની રચના કવિએ માન્યખેટના રાજાના મંત્રી નન્નની પ્રેરણાથી કરી. કવિએ પોતાની કૃતિમાં રચનાકાળનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી; પરંતુ આંતરબાહ્ય પ્રમાણો પરથી તેમનો સમય…

વધુ વાંચો >

ણિસીહસુત્ત

Jan 23, 1997

ણિસીહસુત્ત (સં. નિશીથસૂત્ર) : જૈન પરંપરાનું મુખ્યત્વે પ્રાયશ્ચિત્તો અને તેની વિધિ દર્શાવતું પ્રાકૃત ભાષામાં રચેલું શાસ્ત્ર. આગમ વર્ગીકરણ અનુસાર ‘ણિસીહસુત્ત’નો સમાવેશ છેદસૂત્ર અંતર્ગત કરવામાં આવે છે. આચારાંગ સૂત્રની અંતિમ (પાંચમી) ચૂર્ણિ ‘આયાર પગય્ય’ (આચાર પ્રકલ્પ) જે પરિશિષ્ટ રૂપે હતી, તે તેના પ્રતિપાદ્ય વિષયની ગોપનીયતાના કારણે ‘નિશીથસૂત્ર’ના નામે પ્રચલિત બની અને…

વધુ વાંચો >

તક્રારિષ્ટ

Jan 23, 1997

તક્રારિષ્ટ : ‘તક્ર’ એટલે કે છાશને મુખ્ય દ્રવ્ય તરીકે લઈ બનાવેલ અરિષ્ટ પ્રકારનું ઔષધ. ‘ચરકસંહિતા’કારે ચિકિત્સાસ્થાનના આ ઔષધનો ગ્રહણીરોગની ચિકિત્સા રૂપે ઉલ્લેખ કર્યો છે. તક્રારિષ્ટ આ રીતે બને છે : અજમો, આમળાં, હરડે અને કાળાં મરી આ દરેક 3 પલ (1 પલ = 40 ગ્રામ); પાંચેય નમક (સિંધવ, સંચળ, બીડલૂણ,…

વધુ વાંચો >

તકલામાકાન

Jan 23, 1997

તકલામાકાન : ચીનની વાયવ્ય દિશાએ સિંકયાંગ પ્રાંતમાં આવેલું એશિયાનું સૌથી સૂકું રણ. ભૌગોલિક સ્થાન : 39° ઉ. અ. અને 83° પૂ. રે.. તેનું ક્ષેત્રફળ 6,48,000 કિમી. છે. તેની ઉત્તરે ટીએનશાન ગિરિમાળા, દક્ષિણે કુનલુન ગિરિમાળા અને પશ્ચિમે પામીરની ગિરિમાળા છે. પૂર્વ તરફ ચીનનો કીંધાઈ પ્રાંત છે. તેની વચ્ચેથી તારીમ નદી વહે…

વધુ વાંચો >

તક્ષશિલા

Jan 23, 1997

તક્ષશિલા : પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને વિદ્યાસંસ્કારના કેન્દ્રરૂપ  જગવિખ્યાત નગરી. પ્રાચીન ભારતના રાવળપિંડી શહેરની પશ્ચિમે પાંત્રીસ કિમી.ના અંતરે આવેલું આ સ્થળ ગાંધાર પ્રાન્તની રાજધાની હતું. રામના ભાઈ ભરતે આની સ્થાપના  કરેલી અને પુત્ર તક્ષને અહીંનો રાજા નીમેલો. એના નામ ઉપરથી આ રાજધાની તક્ષશિલા તરીકે ઓળખાઈ, એવો વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ છે.…

વધુ વાંચો >

તખ્તાજાન, આર્મેન

Jan 23, 1997

તખ્તાજાન, આર્મેન (જ. 10 જૂન 1910; અ. 13 નવેમ્બર 2009) : રશિયાના વિશ્વવિખ્યાત વનસ્પતિશાસ્ત્રી અને ઉત્ક્રાંતિવિદ (evolutionist). તેમણે ઉચ્ચશિક્ષણ લેનિનગ્રેડ અને મૉસ્કોમાં પ્રાપ્ત કર્યું હતું. લેનિનગ્રેડની બૉટનિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ધ અકૅડમી ઑવ્ સાયન્સીસમાં જોડાયા બાદ તે કોમારૉવ બૉટનિકલ ઇન્સ્ટિટ્યૂટના નિયામક બન્યા. વનસ્પતિ-વિસ્તરણ અને વર્ગીકરણનો ઘનિષ્ઠ અભ્યાસ કરી 1942માં વનસ્પતિ-વર્ગીકરણની સરળ…

વધુ વાંચો >

તગર (ચાંદની)

Jan 23, 1997

તગર (ચાંદની) : દ્વિદળી વર્ગમાં આવેલ ઍપોસાયનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ervatamia coronaria Stapf = E. divericata (Linn.) Alston syn. Tabernaemontana coronaria R. Br. (સં. नंदीवृक्ष, હિં. ગુ. तगर, ચાંદની) છે. તે 2થી 2.5 મીટર ઊંચું સદાહરિત ક્ષુપ છે. તેની છાલ સફેદ-ભૂખરી હોય છે અને તેનો પર્ણસમૂહ સુંદર હોય…

વધુ વાંચો >

તગર (ગંઠોડાં)

Jan 23, 1997

તગર (ગંઠોડાં) : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલા વેલેરિયેનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Valeriana. jatamansi Jones — syn. V. wallichii D. (સં. तगरम् હિં. મ. ગુ. બં. તગર; અં. Indian Valerian) છે. યુરોપિયન તગર (V. officinalis) ઇંગ્લૅન્ડ, યુ.એસ., જર્મની, ફ્રાન્સ, હોલૅન્ડ, બેલ્જિયમ, પૂર્વીય યુરોપ અને જાપાનમાં થાય છે. તે બહુગુણસૂત્રતા…

વધુ વાંચો >