૮.૨૩

ઢોળ ચડાવવો (ધાતુનો)થી તબરી

તગાન્કા થિયેટર

તગાન્કા થિયેટર : મૉસ્કોનું પ્રખ્યાત પ્રાયોગિક નાટ્યગૃહ, સ્થાપના 1946. પ્રારંભમાં સોવિયેત અને યુરોપીય નાટ્યકારોનાં નાટકો એમાં પેશ થયાં; પરંતુ 1964માં નવોદિત દિગ્દર્શક યુરી લ્યુબિમૉવે, પોતાની યુવાન નટમંડળી સાથે એમાં કામ આરંભ્યું. ત્યારથી આ થિયેટરે તત્કાલીન સામાજિક–રાજકીય વિચારસરણીનેય નવા પડકારો ફેંકે એવાં નાટકો એમાં રજૂ કર્યાં : બર્ટોલ્ટ બ્રેખ્તનું ‘ધ ગુડ…

વધુ વાંચો >

તજ

તજ : વનસ્પતિના દ્વિદળી વર્ગના લોરેસી કુળનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Cinnamomum verum Presl syn. C. zeylanicum Blume (સં. त्वकपत्र, હિં. મ. બં. ક. દાલચીની; તા. કન્નાલ-વંગપત્તઈ, કરુવાપત્તે) છે. તેનું વિતરણ એશિયા, ઑસ્ટ્રેલિયા દક્ષિણ અમેરિકા અને પ્રશાંત મહાસાગરના ઉષ્ણથી સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. તેનું વાવેતર મુખ્યત્વે શ્રીલંકા, દક્ષિણ ભારત, બ્રાઝિલ,…

વધુ વાંચો >

તટપ્રદેશ

તટપ્રદેશ : નદી, સરોવર કે સમુદ્ર–મહાસાગરના કિનારાઓની સમાંતર રહેલી ઓછી-વત્તી પહોળાઈવાળી ભૂમિપટ્ટી; જેમ કે, નદીતટ, સરોવરતટ, સમુદ્રતટ વગેરે. નદીઓ તેમની યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાની કક્ષાઓમાં તટપ્રદેશો પર થતી નિક્ષેપ-જમાવટ (levees) સીડીદાર પ્રદેશો અને પૂરનાં મેદાનો જેવાં ભૂમિસ્વરૂપોની રચના કરે છે. સરોવરો સામાન્ય રીતે તો શાંત, સ્થાયી જળસંચયસ્થાનો હોવાથી તેમના કિનારા ખાસ…

વધુ વાંચો >

તટસ્થતા

તટસ્થતા : યુદ્ધમાં ન જોડાયેલ દેશ કે સરકારનો વૈધિક દરજ્જો. જે રાષ્ટ્ર યુદ્ધ કરનાર રાષ્ટ્રો જોડે યુદ્ધ કરતું ન હોય, અને તેમની વચ્ચેની શત્રુતામાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ભાગ લેતું ન હોય તે રાષ્ટ્ર તટસ્થ કહેવાય, પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદાની ર્દષ્ટિએ આ તટસ્થતા વૈધિક દરજ્જો છે અને આંતરરાષ્ટ્રીય કાયદામાં તેની જોડે…

વધુ વાંચો >

તટસ્થ રેખા

તટસ્થ રેખા (indifference curve) : ગ્રાહકના વર્તનને વાસ્તવિક અને બુદ્ધિગમ્ય ભૂમિકા પર મૂકી તેનું તર્કશુદ્ધ વિશ્લેષણ કરવાના હેતુથી વિકસાવવામાં આવેલ અભિગમ. વસ્તુમાં ઘટતા સીમાંત તુષ્ટિગુણની ધારણા ઉપર આધારિત માંગના નિયમની કેટલીક મર્યાદા છે. તુષ્ટિગુણનો વિચાર વ્યક્તિસાપેક્ષ છે અને તેનું પ્રત્યક્ષ નિરીક્ષણ શક્ય નથી. બીજું, એક વસ્તુમાંથી મળતો તુષ્ટિગુણ, ફક્ત તે…

વધુ વાંચો >

તટસ્થીકરણ

તટસ્થીકરણ (neutralization) : ઍસિડ અને બેઇઝ પારસ્પરિક ક્રિયા કરી ક્ષાર અને પાણી ઉત્પન્ન કરતાં હોય તેવી રાસાયણિક પ્રક્રિયા. ઍસિડ અને બેઇઝનાં વજનો તુલ્યપ્રમાણમાં લેવાથી સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. કદમાપક વિશ્લેષણમાં આવી તત્વપ્રમાણ-મિતીય (stoichiometric) પ્રક્રિયા થાય ત્યારે તટસ્થીકરણબિંદુ અથવા અંતિમ બિંદુ યોગ્ય સૂચક(indicator)ના ઉપયોગ દ્વારા નક્કી થઈ શકે છે. ઍસિડ અથવા…

વધુ વાંચો >

તટસ્થીકરણ ઉષ્મા

તટસ્થીકરણ ઉષ્મા (heat of neutralisation) : મંદ દ્રાવણમાં એક મોલ ઍસિડ અને એક મોલ બેઇઝ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા. તટસ્થીકરણ પ્રક્રિયા એક રાસાયણિક પ્રક્રિયા છે. તેથી તટસ્થીકરણ ઉષ્માને પ્રક્રિયા ઉષ્મા (heat of reaction) પણ ગણી શકાય. ઍસિડ + બેઇઝ = ક્ષાર + પાણી + ઉષ્મા…

વધુ વાંચો >

તડતડિયાં

તડતડિયાં : હેમિપ્ટેરા શ્રેણીની જીવાત. ડાંગર તથા કપાસ અને અન્ય પાકને નુકસાન કરતાં તડતડિયાંનો સમાવેશ અનુક્રમે ડેલ્ફાસીડી અને જેસીડી કુળમાં થયેલો છે. આ જીવાતનાં બચ્ચાં અને પુખ્ત કીટક ફાચર આકારનાં હોય છે, જે પાન પર ત્રાંસું ચાલતાં જોવા મળે છે. આ જીવાતનો ઉપદ્રવ કપાસ ડાંગર, દિવેલા, ભીંડા,  રીંગણી, મગફળી અને…

વધુ વાંચો >

તણખા

તણખા (મંડળ 1–2–3–4) : ચાર ગુજરાતી વાર્તાસંગ્રહો. લેખક ‘ધૂમકેતુ’. તે અનુક્રમે 1926-28-32-35માં પ્રગટ થયેલા, ટૂંકી વાર્તાઓના આ સંગ્રહો ગુજરાતીમાં ટૂંકી વાર્તાને ર્દઢમૂળ તથા લોકપ્રિય સ્વરૂપ બનાવવા માટે જાણીતા રહ્યા છે. તણખા: મંડળ-1 એ 1926માં પ્રગટ થતાંની સાથે ગુજરાતભરમાં ધૂમકેતુને વાર્તાલેખક તરીકે ખ્યાતિ અપાવેલી. વાર્તાકાર ધૂમકેતુમાં અપાર વૈવિધ્ય છે : વિષયનું,…

વધુ વાંચો >

તત્વમસિ

તત્વમસિ : કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મેળવનારી ધ્રુવભટ્ટ કૃત ગુજરાતી નવલકથા (1998). પ્રકૃતિ તથા માણસોને અનહદ ચાહતા લેખક આ ભ્રમણકથામાં ભારતીય સંસ્કૃતિનું ‘દર્શન’ ઝંખે છે. પ્રવાસ થકી, યાત્રા થકી માણસે માણસે જીવનના જુદા જુદા અર્થો પામવા મથે છે. કોઈ પણ પરિસ્થિતિમાં એમનો અભિગમ હંમેશાં વિધેયાત્મક આસ્થા-શ્રદ્ધાભર્યો…

વધુ વાંચો >

ઢોળ ચડાવવો (ધાતુનો)

Jan 23, 1997

ઢોળ ચડાવવો (ધાતુનો) : વસ્તુની સપાટીના ગુણધર્મો જેવા કે ક્ષયન (ક્ષારણ) પ્રતિરોધ, ચળકાટ, સમાપન અને જાડાઈ વગેરે સુધારવા સપાટી પર ધાતુના પાતળા થર લગાવવાની ક્રિયા. ઢોળ  ચડાવવાની ક્રિયા ઘણી જાણીતી છે. લોખંડના પતરા પર જસતનું પાતળું પડ ચડાવી પતરાને કાટ ચડતો રોકવામાં આવે છે. આ ઉપરાંત લોખંડના સ્ક્રૂ અને ચાકીઓ…

વધુ વાંચો >

ણાણપંચમીકહા (જ્ઞાનપંચમી કથા)

Jan 23, 1997

ણાણપંચમીકહા (જ્ઞાનપંચમી કથા) (ઈ. સ. 1053 પહેલાં) : શ્રુતપંચમીને લગતી દસ પ્રાકૃત કથાઓનો સંગ્રહ. તેના કર્તા મહેશ્વરસૂરિ સજ્જન ઉપાધ્યાયના શિષ્ય હતા. આ ગ્રંથની પ્રાચીનતમ તાડપત્રીય પ્રત વિ. સં. 1109ની લખેલી મળે છે. માટે આનો રચનાકાળ ઈ. સ. 1053ની પૂર્વનો છે. આ સંગ્રહમાં શ્રુતપંચમી વ્રતનું માહાત્મ્ય બતાવવા માટે દસ કથાઓ સંગૃહીત…

વધુ વાંચો >

ણાયકુમારચરિઉ

Jan 23, 1997

ણાયકુમારચરિઉ (સં. નાગકુમારચરિત) (દસમી સદી) : પ્રસિદ્ધ કવિ પુષ્પદંત દ્વારા 9 સંધિઓમાં અપભ્રંશ ભાષામાં રચાયેલું ‘નાગકુમારચરિત’ એ પ્રાચીન ભારતીય સાહિત્યનો મહત્વપૂર્ણ ગ્રંથ છે. શ્રીપંચમીવ્રતનું મહત્વ દર્શાવતી આ કૃતિની રચના કવિએ માન્યખેટના રાજાના મંત્રી નન્નની પ્રેરણાથી કરી. કવિએ પોતાની કૃતિમાં રચનાકાળનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી; પરંતુ આંતરબાહ્ય પ્રમાણો પરથી તેમનો સમય…

વધુ વાંચો >

ણિસીહસુત્ત

Jan 23, 1997

ણિસીહસુત્ત (સં. નિશીથસૂત્ર) : જૈન પરંપરાનું મુખ્યત્વે પ્રાયશ્ચિત્તો અને તેની વિધિ દર્શાવતું પ્રાકૃત ભાષામાં રચેલું શાસ્ત્ર. આગમ વર્ગીકરણ અનુસાર ‘ણિસીહસુત્ત’નો સમાવેશ છેદસૂત્ર અંતર્ગત કરવામાં આવે છે. આચારાંગ સૂત્રની અંતિમ (પાંચમી) ચૂર્ણિ ‘આયાર પગય્ય’ (આચાર પ્રકલ્પ) જે પરિશિષ્ટ રૂપે હતી, તે તેના પ્રતિપાદ્ય વિષયની ગોપનીયતાના કારણે ‘નિશીથસૂત્ર’ના નામે પ્રચલિત બની અને…

વધુ વાંચો >

તક્રારિષ્ટ

Jan 23, 1997

તક્રારિષ્ટ : ‘તક્ર’ એટલે કે છાશને મુખ્ય દ્રવ્ય તરીકે લઈ બનાવેલ અરિષ્ટ પ્રકારનું ઔષધ. ‘ચરકસંહિતા’કારે ચિકિત્સાસ્થાનના આ ઔષધનો ગ્રહણીરોગની ચિકિત્સા રૂપે ઉલ્લેખ કર્યો છે. તક્રારિષ્ટ આ રીતે બને છે : અજમો, આમળાં, હરડે અને કાળાં મરી આ દરેક 3 પલ (1 પલ = 40 ગ્રામ); પાંચેય નમક (સિંધવ, સંચળ, બીડલૂણ,…

વધુ વાંચો >

તકલામાકાન

Jan 23, 1997

તકલામાકાન : ચીનની વાયવ્ય દિશાએ સિંકયાંગ પ્રાંતમાં આવેલું એશિયાનું સૌથી સૂકું રણ. ભૌગોલિક સ્થાન : 39° ઉ. અ. અને 83° પૂ. રે.. તેનું ક્ષેત્રફળ 6,48,000 કિમી. છે. તેની ઉત્તરે ટીએનશાન ગિરિમાળા, દક્ષિણે કુનલુન ગિરિમાળા અને પશ્ચિમે પામીરની ગિરિમાળા છે. પૂર્વ તરફ ચીનનો કીંધાઈ પ્રાંત છે. તેની વચ્ચેથી તારીમ નદી વહે…

વધુ વાંચો >

તક્ષશિલા

Jan 23, 1997

તક્ષશિલા : પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને વિદ્યાસંસ્કારના કેન્દ્રરૂપ  જગવિખ્યાત નગરી. પ્રાચીન ભારતના રાવળપિંડી શહેરની પશ્ચિમે પાંત્રીસ કિમી.ના અંતરે આવેલું આ સ્થળ ગાંધાર પ્રાન્તની રાજધાની હતું. રામના ભાઈ ભરતે આની સ્થાપના  કરેલી અને પુત્ર તક્ષને અહીંનો રાજા નીમેલો. એના નામ ઉપરથી આ રાજધાની તક્ષશિલા તરીકે ઓળખાઈ, એવો વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ છે.…

વધુ વાંચો >

તખ્તાજાન, આર્મેન

Jan 23, 1997

તખ્તાજાન, આર્મેન (જ. 10 જૂન 1910; અ. 13 નવેમ્બર 2009) : રશિયાના વિશ્વવિખ્યાત વનસ્પતિશાસ્ત્રી અને ઉત્ક્રાંતિવિદ (evolutionist). તેમણે ઉચ્ચશિક્ષણ લેનિનગ્રેડ અને મૉસ્કોમાં પ્રાપ્ત કર્યું હતું. લેનિનગ્રેડની બૉટનિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ધ અકૅડમી ઑવ્ સાયન્સીસમાં જોડાયા બાદ તે કોમારૉવ બૉટનિકલ ઇન્સ્ટિટ્યૂટના નિયામક બન્યા. વનસ્પતિ-વિસ્તરણ અને વર્ગીકરણનો ઘનિષ્ઠ અભ્યાસ કરી 1942માં વનસ્પતિ-વર્ગીકરણની સરળ…

વધુ વાંચો >

તગર (ચાંદની)

Jan 23, 1997

તગર (ચાંદની) : દ્વિદળી વર્ગમાં આવેલ ઍપોસાયનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ervatamia coronaria Stapf = E. divericata (Linn.) Alston syn. Tabernaemontana coronaria R. Br. (સં. नंदीवृक्ष, હિં. ગુ. तगर, ચાંદની) છે. તે 2થી 2.5 મીટર ઊંચું સદાહરિત ક્ષુપ છે. તેની છાલ સફેદ-ભૂખરી હોય છે અને તેનો પર્ણસમૂહ સુંદર હોય…

વધુ વાંચો >

તગર (ગંઠોડાં)

Jan 23, 1997

તગર (ગંઠોડાં) : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલા વેલેરિયેનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Valeriana. jatamansi Jones — syn. V. wallichii D. (સં. तगरम् હિં. મ. ગુ. બં. તગર; અં. Indian Valerian) છે. યુરોપિયન તગર (V. officinalis) ઇંગ્લૅન્ડ, યુ.એસ., જર્મની, ફ્રાન્સ, હોલૅન્ડ, બેલ્જિયમ, પૂર્વીય યુરોપ અને જાપાનમાં થાય છે. તે બહુગુણસૂત્રતા…

વધુ વાંચો >