૮.૨૩

ઢોળ ચડાવવો (ધાતુનો)થી તબરી

ઢોળ ચડાવવો (ધાતુનો)

ઢોળ ચડાવવો (ધાતુનો) : વસ્તુની સપાટીના ગુણધર્મો જેવા કે ક્ષયન (ક્ષારણ) પ્રતિરોધ, ચળકાટ, સમાપન અને જાડાઈ વગેરે સુધારવા સપાટી પર ધાતુના પાતળા થર લગાવવાની ક્રિયા. ઢોળ  ચડાવવાની ક્રિયા ઘણી જાણીતી છે. લોખંડના પતરા પર જસતનું પાતળું પડ ચડાવી પતરાને કાટ ચડતો રોકવામાં આવે છે. આ ઉપરાંત લોખંડના સ્ક્રૂ અને ચાકીઓ…

વધુ વાંચો >

ણાણપંચમીકહા (જ્ઞાનપંચમી કથા)

ણાણપંચમીકહા (જ્ઞાનપંચમી કથા) (ઈ. સ. 1053 પહેલાં) : શ્રુતપંચમીને લગતી દસ પ્રાકૃત કથાઓનો સંગ્રહ. તેના કર્તા મહેશ્વરસૂરિ સજ્જન ઉપાધ્યાયના શિષ્ય હતા. આ ગ્રંથની પ્રાચીનતમ તાડપત્રીય પ્રત વિ. સં. 1109ની લખેલી મળે છે. માટે આનો રચનાકાળ ઈ. સ. 1053ની પૂર્વનો છે. આ સંગ્રહમાં શ્રુતપંચમી વ્રતનું માહાત્મ્ય બતાવવા માટે દસ કથાઓ સંગૃહીત…

વધુ વાંચો >

ણાયકુમારચરિઉ

ણાયકુમારચરિઉ (સં. નાગકુમારચરિત) (દસમી સદી) : પ્રસિદ્ધ કવિ પુષ્પદંત દ્વારા 9 સંધિઓમાં અપભ્રંશ ભાષામાં રચાયેલું ‘નાગકુમારચરિત’ એ પ્રાચીન ભારતીય સાહિત્યનો મહત્વપૂર્ણ ગ્રંથ છે. શ્રીપંચમીવ્રતનું મહત્વ દર્શાવતી આ કૃતિની રચના કવિએ માન્યખેટના રાજાના મંત્રી નન્નની પ્રેરણાથી કરી. કવિએ પોતાની કૃતિમાં રચનાકાળનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી; પરંતુ આંતરબાહ્ય પ્રમાણો પરથી તેમનો સમય…

વધુ વાંચો >

ણિસીહસુત્ત

ણિસીહસુત્ત (સં. નિશીથસૂત્ર) : જૈન પરંપરાનું મુખ્યત્વે પ્રાયશ્ચિત્તો અને તેની વિધિ દર્શાવતું પ્રાકૃત ભાષામાં રચેલું શાસ્ત્ર. આગમ વર્ગીકરણ અનુસાર ‘ણિસીહસુત્ત’નો સમાવેશ છેદસૂત્ર અંતર્ગત કરવામાં આવે છે. આચારાંગ સૂત્રની અંતિમ (પાંચમી) ચૂર્ણિ ‘આયાર પગય્ય’ (આચાર પ્રકલ્પ) જે પરિશિષ્ટ રૂપે હતી, તે તેના પ્રતિપાદ્ય વિષયની ગોપનીયતાના કારણે ‘નિશીથસૂત્ર’ના નામે પ્રચલિત બની અને…

વધુ વાંચો >

તક્રારિષ્ટ

તક્રારિષ્ટ : ‘તક્ર’ એટલે કે છાશને મુખ્ય દ્રવ્ય તરીકે લઈ બનાવેલ અરિષ્ટ પ્રકારનું ઔષધ. ‘ચરકસંહિતા’કારે ચિકિત્સાસ્થાનના આ ઔષધનો ગ્રહણીરોગની ચિકિત્સા રૂપે ઉલ્લેખ કર્યો છે. તક્રારિષ્ટ આ રીતે બને છે : અજમો, આમળાં, હરડે અને કાળાં મરી આ દરેક 3 પલ (1 પલ = 40 ગ્રામ); પાંચેય નમક (સિંધવ, સંચળ, બીડલૂણ,…

વધુ વાંચો >

તકલામાકાન

તકલામાકાન : ચીનની વાયવ્ય દિશાએ સિંકયાંગ પ્રાંતમાં આવેલું એશિયાનું સૌથી સૂકું રણ. ભૌગોલિક સ્થાન : 39° ઉ. અ. અને 83° પૂ. રે.. તેનું ક્ષેત્રફળ 6,48,000 કિમી. છે. તેની ઉત્તરે ટીએનશાન ગિરિમાળા, દક્ષિણે કુનલુન ગિરિમાળા અને પશ્ચિમે પામીરની ગિરિમાળા છે. પૂર્વ તરફ ચીનનો કીંધાઈ પ્રાંત છે. તેની વચ્ચેથી તારીમ નદી વહે…

વધુ વાંચો >

તક્ષશિલા

તક્ષશિલા : પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને વિદ્યાસંસ્કારના કેન્દ્રરૂપ  જગવિખ્યાત નગરી. પ્રાચીન ભારતના રાવળપિંડી શહેરની પશ્ચિમે પાંત્રીસ કિમી.ના અંતરે આવેલું આ સ્થળ ગાંધાર પ્રાન્તની રાજધાની હતું. રામના ભાઈ ભરતે આની સ્થાપના  કરેલી અને પુત્ર તક્ષને અહીંનો રાજા નીમેલો. એના નામ ઉપરથી આ રાજધાની તક્ષશિલા તરીકે ઓળખાઈ, એવો વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ છે.…

વધુ વાંચો >

તખ્તાજાન, આર્મેન

તખ્તાજાન, આર્મેન (જ. 10 જૂન 1910; અ. 13 નવેમ્બર 2009) : રશિયાના વિશ્વવિખ્યાત વનસ્પતિશાસ્ત્રી અને ઉત્ક્રાંતિવિદ (evolutionist). તેમણે ઉચ્ચશિક્ષણ લેનિનગ્રેડ અને મૉસ્કોમાં પ્રાપ્ત કર્યું હતું. લેનિનગ્રેડની બૉટનિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ધ અકૅડમી ઑવ્ સાયન્સીસમાં જોડાયા બાદ તે કોમારૉવ બૉટનિકલ ઇન્સ્ટિટ્યૂટના નિયામક બન્યા. વનસ્પતિ-વિસ્તરણ અને વર્ગીકરણનો ઘનિષ્ઠ અભ્યાસ કરી 1942માં વનસ્પતિ-વર્ગીકરણની સરળ…

વધુ વાંચો >

તગર (ચાંદની)

તગર (ચાંદની) : દ્વિદળી વર્ગમાં આવેલ ઍપોસાયનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ervatamia coronaria Stapf = E. divericata (Linn.) Alston syn. Tabernaemontana coronaria R. Br. (સં. नंदीवृक्ष, હિં. ગુ. तगर, ચાંદની) છે. તે 2થી 2.5 મીટર ઊંચું સદાહરિત ક્ષુપ છે. તેની છાલ સફેદ-ભૂખરી હોય છે અને તેનો પર્ણસમૂહ સુંદર હોય…

વધુ વાંચો >

તગર (ગંઠોડાં)

તગર (ગંઠોડાં) : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલા વેલેરિયેનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Valeriana. jatamansi Jones — syn. V. wallichii D. (સં. तगरम् હિં. મ. ગુ. બં. તગર; અં. Indian Valerian) છે. યુરોપિયન તગર (V. officinalis) ઇંગ્લૅન્ડ, યુ.એસ., જર્મની, ફ્રાન્સ, હોલૅન્ડ, બેલ્જિયમ, પૂર્વીય યુરોપ અને જાપાનમાં થાય છે. તે બહુગુણસૂત્રતા…

વધુ વાંચો >

તબકાતે નાસિરી

Jan 23, 1997

તબકાતે નાસિરી : ભારતમાં મુસ્લિમ શાસનના પ્રારંભકાળમાં લખાયેલ ઇતિહાસનો મહત્વનો ગ્રંથ. આ ગ્રંથના લેખકનું નામ મિન્હાજ સિરાજ તરીકે ઓળખાતા મિન્હાજુદ્દીન જુઝજાની (જ. 1193) હતું. દિલ્હીના સુલતાન નાસિરૂદ્દીન મહમુદના શાસનકાળ વખતે  બલબને ઈ. સ. 1254માં દિલ્હીમાં પોતાનું રાજકીય સ્થાન મજબૂત બનાવ્યું. તે સમયે આ ગ્રંથના લેખકને મુખ્ય કાઝી તરીકે નીમવામાં આવ્યા…

વધુ વાંચો >

તબરી

Jan 23, 1997

તબરી (જ. 839, આમુલ, તબરિસ્તાન; અ. 922, બગદાદ) : અરબી ઇતિહાસકાર. આખું નામ અલ્લામા અબૂ જાફર મુહમ્મદ બિન જરીર અલ્-તબરી. તબરીનાં બે અરબી પુસ્તકો (1) તફસીર વિષય ઉપર : ‘જામિઉલ બયાન’ (અથવા ‘તફસીરે તબરી’) અને (2) ઇતિહાસ વિષય ઉપર ‘તારીખ-અલ્ ઉમમ વલ મુલૂક’ (અથવા ‘તારીખે તબરી’) સર્વસંગ્રહ તરીકે વિશ્વવિખ્યાત છે.…

વધુ વાંચો >