ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અક્ષપાદ ગૌતમ

અક્ષપાદ ગૌતમ : પદ્મપુરાણ, સ્કંદપુરાણ, ગાંધર્વતંત્ર અને નૈષધચરિત અનુસાર ન્યાયશાસ્ત્રના પ્રણેતા. ન્યાયવૃત્તિના કર્તા વિશ્વનાથ મહર્ષિ ગૌતમને ન્યાયસૂત્રના કર્તા માને છે. પરંતુ ન્યાયભાષ્યકાર વાત્સ્યાયન, ન્યાયવાર્તિકકાર ઉદ્યોતકર, ન્યાયવાર્તિકતાત્પર્યટીકાકાર વાચસ્પતિ મિશ્ર અને ન્યાયમંજરીકાર જયંત ભટ્ટ અક્ષપાદને ન્યાયસૂત્રના રચયિતા તરીકે સ્વીકારે છે. ભાસવિરચિત પ્રતિમા નાટકના પાંચમા અંકમાં મેધાતિથિના ન્યાયશાસ્ત્રનો ઉલ્લેખ છે. ડૉ. દાસગુપ્તાના મતે…

વધુ વાંચો >

અક્ષય કુમાર (ભાટિયા રાજીવ હરિઓમ)

અક્ષય કુમાર (ભાટિયા રાજીવ હરિઓમ) (જ. 9 સપ્ટેમ્બર 1967, અમૃતસર) : ફિલ્મ અભિનેતા. અક્ષયકુમારનું મૂળ નામ રાજીવ હરિઓમ ભાટિયા છે. પણ ફિલ્મોમાં તે અક્ષયકુમારના નામે ઓળખાય છે. એમના પિતા હરિઓમ ભાટિયા અને માતા અરુણા ભાટીયા પંજાબી હિન્દુ છે. હરિઓમ ભાટિયા આર્મીમાં સર્વિસ કરતા હતા. અક્ષયકુમારનું બાળપણ દિલ્હીના ચાંદની ચોકમાં પસાર…

વધુ વાંચો >

અક્ષયવટ

અક્ષયવટ : પ્રયાગમાં ગંગા-યમુનાના સંગમ પાસે ઊભેલ વડના ઝાડને પુરાણોમાં ‘અક્ષયવટ’ કહેલો છે. ચીની યાત્રી હ્યુ-એન-ત્સાંગે પોતાની યાત્રાના સંદર્ભમાં આનો ઉલ્લેખ કર્યો છે. આ વૃક્ષની નિકટ દક્ષિણે મૌર્ય સમ્રાટ અશોક અને ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તના લેખવાળો સ્તંભ હતો. અકબરના સમયમાં આ વડ પરથી સંગમમાં કૂદીને લોકો આત્મવિલોપન કરતા. પુરાણો અનુસાર આ…

વધુ વાંચો >

અક્ષરધામ

અક્ષરધામ : જુઓ, બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907)

વધુ વાંચો >

અક્ષરધામ

અક્ષરધામ : શ્રીવલ્લભાચાર્યજીના શુદ્ધાદ્વૈત સિદ્ધાંત અનુસાર સચ્ચિદાનંદ બ્રહ્મના ત્રણ મુખ્ય રૂપ હોય છે : (1) પૂર્ણ પુરુષોત્તમ રસરૂપ અથવા અભેદ રૂપ પરબ્રહ્મ શ્રીકૃષ્ણ, (2) અક્ષર બ્રહ્મ, જેઓ ગુણાતિતાનંદ છે અને બે સ્વરૂપ ધરાવે છે તેમજ (3) અંતર્યામી. અક્ષર બ્રહ્મનાં બે સ્વરૂપોમાંનું એક સ્વરૂપ પૂર્ણપુરુષોત્તમનું અક્ષરધામ છે અને બીજું કાલ, કર્મ,…

વધુ વાંચો >

અક્ષરમાળા

અક્ષરમાળા : ગુજરાતીના ‘કક્કા’ પ્રકારનો કન્નડ કાવ્યપ્રકાર. એમાં પંક્તિની શરૂઆત મૂળાક્ષરના પ્રથમ અક્ષર ‘અ’થી થાય છે અને ‘જ્ઞ’થી કાવ્યની અંતિમ પંક્તિની શરૂઆત થાય છે. રચનાની વિશિષ્ટતા ઉપરાંત એમાં કાવ્યતત્ત્વ પણ હોય છે, કારણ કે કવિને બંધન માત્ર પંક્તિના પ્રથમ અક્ષર પૂરતું જ હોય છે. કન્નડનાં ત્રણ કવિરત્નો (પંપ, પોન્ન અને…

વધુ વાંચો >

અક્ષવિચલન

અક્ષવિચલન (nutation of axis) : પૃથ્વીની ધરી(અક્ષ)ની વિષુવાયન (precession) ગતિમાંની અનિયમિતતા. પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તે જ સમતલમાં પૃથ્વીનું વિષુવવૃત્ત નથી. ચંદ્રની કક્ષાનું સમતલ પણ પૃથ્વીના વિષુવવૃત્તના સમતલ કરતાં જુદું છે. સૂર્ય અને ચંદ્રનાં આકર્ષણ પૃથ્વીના વિષુવવૃત્તને અનુક્રમે સૂર્ય અને ચંદ્રના સમતલમાં લાવવાનો પ્રયત્ન કરે છે. પણ પૃથ્વી…

વધુ વાંચો >

અક્ષાંશ–રેખાંશ

અક્ષાંશ–રેખાંશ : અક્ષાંશ એટલે પૃથ્વી ઉપરનું કોઈ ભૌગોલિક સ્થાન વિષુવવૃત્તથી કેટલું દૂર આવેલું છે તે પૃથ્વીના ગોળા ઉપર કે નકશામાં દર્શાવવા માટેનું માપ. તે ખૂણાની રીતે મપાતું અંતર (કોણીય અંતર) છે. પૃથ્વી પોતાની ધરી (અક્ષ) ઉપર 24 કલાકમાં એક ધરીભ્રમણ પૂરું કરે છે, જેને કારણે પૃથ્વી ઉપર દિવસ-રાત થતાં અનુભવાય…

વધુ વાંચો >

અક્ષિરોગ

અક્ષિરોગ (આયુર્વેદ અનુસાર) : આંખ સંબંધી રોગો. ઝાંખું અથવા બેવડું દેખાવું, ચક્કર આવવાં, માથું દુખવું, આંખમાં વેદના થવી, આંખ લાલ બનવી, આંખમાંથી પાણી ઝરવું, આંખ ચોંટી જવી, આંખમાં પીયા વળવા વગેરે આંખના રોગનાં પ્રાથમિક લક્ષણો ગણાય. આંખના રોગ થવાનાં મુખ્ય કારણો : (1) તાપમાંથી આવીને શીતળ જળથી આંખનું પ્રક્ષાલન (2)…

વધુ વાંચો >

અખનાતન (ઈખ્નાતન)

અખનાતન (ઈખ્નાતન) (શાસન ઈ. સ. પૂ. 1379–1362) : ઇજિપ્તનો એક રાજા. પ્રત્યક્ષ સૂર્ય સિવાય બીજો કોઈ ઈશ્વર નથી એમ તેણે જાહેર કરેલું, જેને કારણે તેને થીલીસના વડા ધર્મગુરુ અમૂન સાથે સંઘર્ષ થયેલો અને થીલીસ છોડવું પડેલું. પછી ઇજિપ્તમાં ગાદી સ્થાપી અને સમગ્ર ઇજિપ્તમાં સૂર્યદેવના ધર્મનો પ્રસાર કર્યો. ઈ. સ. પૂ.…

વધુ વાંચો >

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

Jan 1, 1989

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

Jan 1, 1989

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

Jan 1, 1989

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

Jan 1, 1989

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

Jan 1, 1989

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

Jan 1, 1989

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

Jan 1, 1989

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

Jan 1, 1989

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

Jan 1, 1989

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અકાર્બનિક જીવરસાયણ

Jan 1, 1989

અકાર્બનિક જીવરસાયણ  (Inorganic Biochemistry or Bioinorganic Chemistry) અકાર્બનિક રસાયણના સિદ્ધાંતોનો જીવરસાયણના પ્રશ્નો પરત્વે વિનિયોગ એ આ શાખાનો મુખ્ય ઉદ્દેશ. જીવરસાયણ એટલે સજીવ સૃષ્ટિનું કાર્બનિક રસાયણ એવી માન્યતા દૃઢ હતી. આથી અકાર્બનિક જીવરસાયણ, રસાયણશાસ્ત્રનું અત્યાધુનિક વિસ્તરણ ગણી શકાય. હાડકાંમાં કૅલ્શિયમ, રક્તમાં હીમોગ્લોબિન રૂપે લોહ, ક્લોરોફિલમાં મૅગ્નેશિયમ વગેરે જાણીતાં છે. સોડિયમ, પોટૅશિયમ,…

વધુ વાંચો >