ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અખો

અખો ( જ. આશરે 1600 જેતલપુર , જિ. અમદાવાદ ; અ. આશરે 1655 અમદાવાદ) જ્ઞાનમાર્ગી ગુજરાતી સંતકવિ. જ્ઞાતિએ સોની. ‘ગુરુશિષ્યસંવાદ’ની ઈ. સ. 1645માં અને ‘અખેગીતા’ની ઈ. સ. 1649માં રચના તથા ગુરુ ગોકુળનાથનું ઈ. સ. 1641માં અવસાન. આ પ્રમાણોને આધારે અખાનો કવનકાળ ઈ. સ. સત્તરમી સદીના પાંચમા દાયકા આસપાસનો અને જીવનકાળ…

વધુ વાંચો >

અખ્તર-મોહિઉદ્દીન

અખ્તર-મોહિઉદ્દીન (જ. 17 એપ્રિલ 1928, શ્રીનગર, જમ્મુ-કાશ્મીર; અ. 2001) : કાશ્મીરી લેખક. કાશ્મીર વિશ્વવિદ્યાલયમાં બી.એ. પ્રથમ વર્ગમાં પાસ થયા પછી કાશ્મીર સરકારની નોકરીમાં જોડાયા. તેઓ કાશ્મીર સરકાર તરફથી પ્રગટ થતા શબ્દકોશના નિર્દેશક હતા અને જમ્મુ-કાશ્મીરની અકાદમીના અધ્યક્ષ હતા. તેઓ ટૂંકી વાર્તાના લેખક તરીકે પ્રસિદ્ધ છે. એમની ‘પોંડ્રીચ’ વાર્તાને આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં…

વધુ વાંચો >

અખ્તલ, અલ્

અખ્તલ, અલ્ : ઇરાકમાં થઈ ગયેલા ઉમય્યા વંશના એક ખ્યાતનામ કવિ. મૂળ નામ ગિયાસ બિન ગૌસ. તે ધાર્મિક વિધાનોના વિરોધી અને ઉમય્યા વંશના જોરદાર સમર્થક હતા. ધર્મ પર તેમને તિરસ્કાર હતો. એક વખત પત્ની એક પાદરીનાં પવિત્ર વસ્ત્રોને માનાર્થે ચુંબન કરવા ધસી, પણ તે જેના પર પાદરી બિરાજમાન હતા તે…

વધુ વાંચો >

અખ્યાતિ (પૂર્વમીમાંસા)

અખ્યાતિ (પૂર્વમીમાંસા) : ભ્રાંતિજ્ઞાન. પ્રભાકર મિશ્ર નામના મીમાંસક ભ્રાંતિજ્ઞાનને ‘અખ્યાતિ’ કહે છે. તેઓ માને છે કે ભ્રાંતિ એ પ્રત્યક્ષજ્ઞાન અને સ્મૃતિજ્ઞાન એમ બે જ્ઞાનોનું મિશ્રણ છે. રજ્જુ-સર્પ અને શુક્તિ-રજત (છીપ-ચાંદી) એ તેનાં પ્રસિદ્ધ ઉદાહરણો છે. ‘આ રજત (રૂપું) છે (ઇદં રજતમ્). એ ભ્રાંતિજ્ઞાનના વિધાનમાં ‘આ’ (ઇદમ્-અંશ) તરીકે નિર્દિષ્ટ થતી વસ્તુ…

વધુ વાંચો >

અગખાણ

અગખાણ (1950) : પંજાબી વાર્તાસંગ્રહ. પંજાબીના જાણીતા લેખક કર્તારસિંહ દુગ્ગલના આ સંગ્રહની લગભગ બધી વાર્તાઓ ભારતવિભાજનને કારણે જે ભયાનક તથા કરુણ પરિસ્થિતિ સર્જાઈ તેની પાર્શ્વભૂમિમાં લખાઈ છે. એમાંની વાર્તાઓમાં રાવળપિંડીના હત્યાકાંડથી માંડીને મહાત્મા ગાંધીજીની હત્યા સુધીની ઘટનાઓની ગૂંથણી કરી છે. એમની વાર્તાઓમાં એમણે ઉદારદૃષ્ટિ રાખી છે અને શીખ, હિંદુ, મુસ્લિમ…

વધુ વાંચો >

અગત્યના વાયુઓ

અગત્યના વાયુઓ : નાઇટ્રોજન (N2)  હવામાં તે 78.06% રહેલો છે. આ નિષ્ક્રિય વાયુ છે. વાતાવરણમાં હોવાથી પ્રાણવાયુ (ઑક્સિજન)ની દાહક અસર ઓછી થાય છે. પ્રોટીનનિર્માણ માટે આ મહત્ત્વનું તત્ત્વ છે. તેમાંથી અનેક પ્રકારનાં રાસાયણિક ખાતર બનાવવામાં આવે છે. પ્રાણીઓને પ્રોટીનવાળા ખોરાકમાંથી જરૂરી નાઇટ્રોજન મળી રહે છે. શીતક તરીકે પણ તે ઉપયોગી…

વધુ વાંચો >

અગથિયો

અગથિયો : દ્વિદળી વર્ગના ફૅબેસી કુળમાં આવેલા પૅપિલિયોનોઇડી ઉપકુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sesbania grandiflora (L.) Pers. (સં. अगस्त्य, अगस्ति; હિં. अगस्ता, अगथिया; મ. અગસ્થા; બં. બક; અં. સૅસ્બેન.) છે. પાનરવો, કેસૂડો, ગ્લાયરીસીડીઆ તેનાં કુટુંબી વૃક્ષો. નરમ, પોચા, બટકણા, હલકા લાકડાવાળું વૃક્ષ. 8થી 10 મી. ઊંચાઈ. તેનું સંયુક્ત પર્ણ 15થી…

વધુ વાંચો >

અગર

અગર : વનસ્પતિના એક્વિલેરિએસી કુળની એક જાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aquilaria agallocha Roxb. (સં. अगुरु, अगारु; હિં. अगर; અં. Aloe wood/Eagle wood) છે. તેને અગાઉ થાયમેલીએસી કુળની ગણવામાં આવતી હતી પરંતુ તેનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણોને આધારે તેને હવે એક્વિલેરિએસી કુળમાં મૂકવામાં આવેલ છે. વૃક્ષરૂપ. પર્ણો એકાંતરિત, સાદાં. પાર્શ્ર્વ શિરાઓ ઘણી…

વધુ વાંચો >

અગર (રસાયણ)

અગર (રસાયણ) : જુઓ, અગાર.

વધુ વાંચો >

અગરતલા

અગરતલા : ભારતના ત્રિપુરા રાજ્યનું પાટનગર અને સૌથી મોટું શહેર.આ શહેર હાઓરા નદીને કિનારે વસેલું છે. ભૌગોલિક સ્થાન અને આબોહવા : 23 50´ ઉ. અ. અને 91 23´ પૂ. રે. પર આવેલું છે. આ શહેરની પૂર્વે આશરે 2 કિમી. દૂર બાંગ્લાદેશની સીમા આવેલી છે. આ શરેહની ઉત્તરે ડુંગરાળ હારમાળા આવેલી છે. અહીંની…

વધુ વાંચો >

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

Jan 1, 1989

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

Jan 1, 1989

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

Jan 1, 1989

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

Jan 1, 1989

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

Jan 1, 1989

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

Jan 1, 1989

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

Jan 1, 1989

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

Jan 1, 1989

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

Jan 1, 1989

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અકાર્બનિક જીવરસાયણ

Jan 1, 1989

અકાર્બનિક જીવરસાયણ  (Inorganic Biochemistry or Bioinorganic Chemistry) અકાર્બનિક રસાયણના સિદ્ધાંતોનો જીવરસાયણના પ્રશ્નો પરત્વે વિનિયોગ એ આ શાખાનો મુખ્ય ઉદ્દેશ. જીવરસાયણ એટલે સજીવ સૃષ્ટિનું કાર્બનિક રસાયણ એવી માન્યતા દૃઢ હતી. આથી અકાર્બનિક જીવરસાયણ, રસાયણશાસ્ત્રનું અત્યાધુનિક વિસ્તરણ ગણી શકાય. હાડકાંમાં કૅલ્શિયમ, રક્તમાં હીમોગ્લોબિન રૂપે લોહ, ક્લોરોફિલમાં મૅગ્નેશિયમ વગેરે જાણીતાં છે. સોડિયમ, પોટૅશિયમ,…

વધુ વાંચો >