ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પિયો ગોરી (1946)

પિયો ગોરી (1946) : કવિ-નાટ્યકાર કૃષ્ણલાલ શ્રીધરાણીનું ચાર દૃશ્યોનું પ્રલંબ એકાંકી. પ્રસંગો અને પાત્રોથી રસપ્રદ બનતી સુંદર વસ્તુગૂંથણી ધરાવતા આ એકાંકીમાં પ્રેમ અને શંકાના વાતાવરણમાં પતિ પોતાની નટી-પત્નીને ખરેખરું વિષપાન કરાવે છે; વાસ્તવિકતા અને આભાસની મર્યાદારેખા એ રીતે વળોટી જતી એ ઘટના અને એની ડિઝાઇન કવિ શ્રીધરાણીના આ નાટ્યને ખૂબ…

વધુ વાંચો >

પિયો પુતર

પિયો પુતર : સુરિન્દરસિંહ નરૂલાની નવલકથા. તેની ગણના પંજાબીની ઉત્કૃષ્ટ કૃતિ તરીકે થાય છે. એમાં કથા આવી છે : હરિસિંહ અને શિવકૌર એમનાં માબાપ મરી ગયાં છે એમ જ માનતાં હતાં. હરિસિંહ એનાં નાના-નાનીને ત્યાં ઊછરે છે અને શિવકૌરને એના મામાને ત્યાં લાહોરમાં લઈ જવાય છે. હરિસિંહના નાના જાણીતા વૈદ…

વધુ વાંચો >

પિરાતપ મુદલિયારચરિતમ્ (1879)

પિરાતપ મુદલિયારચરિતમ્ (1879) : પ્રથમ તમિળ નવલકથા. તેના લેખક એસ. વેદનાયકમ્ પિલ્લાઈ (1826-1889) નામાંકિત ગદ્યલેખક ઉપરાંત નવલકથાકાર, કવિ તથા સક્રિય સમાજસુધારક હતા. આ કૃતિમાં કથાનાયક પિરાતપ મુદલિયારનાં પરાક્રમોનું આલેખન થયેલું છે. તેમની આ કૃતિ તમિળ સાહિત્યમાં એક સીમાચિહન લેખાય છે. વેદનાયકમ્ પિલ્લાઈએ પહેલી વાર નવલકથા જેવા પાશ્ચાત્ય સાહિત્યસ્વરૂપને તમિળમાં ઉતાર્યું.…

વધુ વાંચો >

પિરાન્દેલો લુઈજી

પિરાન્દેલો, લુઈજી (જ. 28 જૂન 1867, સિસિલી, ઇટાલી; અ. 10 ડિસેમ્બર 1936, રોમ) : ઇટાલીના પ્રસિદ્ધ નાટ્યકાર, નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. પ્રથમ તેમણે વિજ્ઞાનનો અને ત્યારબાદ પ્રશિષ્ટ  સાહિત્યનો અભ્યાસ કર્યો. છેલ્લે તેમણે રોમ અને બૉનમાં ભાષાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પોતાના મૂળ વતનની લોકબોલી વિશે મહાનિબંધ લખીને બૉન યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી…

વધુ વાંચો >

પિરામિડ

પિરામિડ : એ નામની ભૌમિતિક આકૃતિ ધરાવતાં પ્રાચીન ઇજિપ્ત અને પ્રાચીન અમેરિકાનાં વિશાળ સ્થાપત્યો. પ્રાચીન ઇજિપ્ત : પ્રાચીન ઇજિપ્તમાં ચોરસ પ્લાન ઉપર પિરામિડની બાંધણી થતી. ચોરસ પ્લાનને કારણે ઊભી થતી ચાર ત્રિકોણાકાર બાજુઓ ઊંચી આવીને પ્લાનના કેન્દ્રબિંદુની સ્તંભરેખામાં એકબીજીને એક બિંદુએ મળી જઈ ટોચની રચના કરતી. ‘પિરામિડ’ શબ્દ સંભવત: ગ્રીક…

વધુ વાંચો >

પિરિડીન

પિરિડીન (C5H5N) : એમોનિયા જેવી તીવ્ર વાસ ધરાવતો ષટ્ઘટકીય વિષમચક્રીય બેઇઝ. કોલટારમાંથી મળતા મધ્યમ તેલમાંથી તે પ્રાપ્ત થાય છે. સંશ્લેષિત રીતે એસેટાલ્ડિહાઇડ તથા એમોનિયાની પ્રક્રિયાથી તે બનાવવામાં આવે છે. પિરિડીન આછા પીળા રંગનું કે રંગવિહીન, ખરાબ વાસવાળું તથા ખૂબ તીખા સ્વાદવાળું પ્રવાહી છે, જે પ્રક્રિયામાં સાધારણ આલ્કલાઇન છે. તે પાણી,…

વધુ વાંચો >

પિલ રૉબર્ટ

પિલ, રૉબર્ટ (જ. 5, ફેબ્રુઆરી 1788, બરી, લૅંકેશાયર; અ. 2 જુલાઈ, 1850 વેસ્ટમિન્સ્ટર, મિડલસેક્સ, ઇંગ્લૅન્ડ) : ઓગણીસમી સદીના બ્રિટનના બાહોશ વડાપ્રધાન તથા રૂઢિચુસ્ત પક્ષના સ્થાપક રાજપુરુષ. એક ધનાઢ્ય વેપારી અને ઉમરાવ કુટુમ્બમાં જન્મ. હૅરો અને ઑક્સફર્ડમાં શિક્ષણ લીધું હતું. પિતાની આર્થિક વગને કારણે 1809માં – ઑક્સફર્ડના અને 1817માં ઑક્સફર્ડ યુનિવર્સિટીના…

વધુ વાંચો >

પિલૅસ્ટર (pilaster)

પિલૅસ્ટર (pilaster) : ખાસ કરીને ભીંતમાં બેસાડેલો લંબચોરસ થાંભલો. સ્તંભના સ્વરૂપમાં જ લંબચોરસ અને વિશિષ્ટતા-લાક્ષણિકતા ધરાવતું દીવાલના બહારના ભાગમાં આગળ નીકળતું હોય તેવું દર્શન માટેનું એક અંગ. આ બહાર નીકળતો ભાગ (projection) તેની પહોળાઈ કરતાં છઠ્ઠા ભાગનો હોય છે. પિલૅસ્ટર બાકીના મકાન માટે વપરાયેલા સ્થાપત્યક્રમ (order architectural) અનુસાર હોય છે.…

વધુ વાંચો >

પિલો સંરચના

પિલો સંરચના : બેઝિક બંધારણવાળા કેટલાક ખડકો (ખાસ કરીને સ્પિલાઇટ) દ્વારા રજૂ થતી વિશિષ્ટ સંરચના. આ સંરચના ઊપસેલા તકિયા કે ભરેલા કોથળાઓની માફક ગોળાકાર સ્વરૂપોમાં તૈયાર થતી હોય છે. આવાં તકિયા-સ્વરૂપો એકબીજાની ઉપર તરફ ઓછાવત્તા પ્રમાણમાં એવી રીતે ગોઠવાયેલાં દેખાય છે કે એક તકિયાનો ઊપસેલો ભાગ બીજા તકિયાની કિનારીના ખાડાવાળા…

વધુ વાંચો >

પિલ્લઈ કે. એસ. (Pillai K. S.)

પિલ્લઈ, કે. એસ. (Pillai K. S.) (જ. 13 જુલાઈ 1919, માવેલિક્કારા, જિલ્લો એલાપ્યુઝા, કેરળ; અ. 20 એપ્રિલ 1978, તિરુવનન્તપુરમ્) : મલયાળમ સામયિકોના પ્રથમ કાર્ટૂનિસ્ટ કલાકાર. માવેલિક્કારા ખાતેની રાજા રવિવર્મા સ્કૂલમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ કોટ્ટાયમથી પ્રકાશિત થતાં સામયિકો ‘મલયાળા મનોરમા’ તથા ‘દેશબંધુ’માં પિલ્લઈ દ્વારા સર્જાયેલા રાજકીય વ્યંગ્ય, કટાક્ષ…

વધુ વાંચો >

પવયણસાર (પ્રવચનસાર)

Jan 1, 1999

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

Jan 1, 1999

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર લલિતા

Jan 1, 1999

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

Jan 1, 1999

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

Jan 1, 1999

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

Jan 1, 1999

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

Jan 1, 1999

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

Jan 1, 1999

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

Jan 1, 1999

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >

પશુસંવર્ધન

Jan 2, 1999

પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…

વધુ વાંચો >