ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પિયર જિન્ટ (1867)

પિયર જિન્ટ (1867) : નૉર્વેના નાટ્યકાર હેન્રિક ઇબ્સનનું પદ્યનાટક. ત્યાંની એક લોકકથા પર આધારિત એનાં જે બે નાટકો ગણાયાં છે તેમાં ‘બ્રાન્ડ’ ઉપરાંતનું આ બીજું મહત્વનું નાટક છે. સ્વકેન્દ્રી, ઉછાંછળો, ઘમંડી પિયર જિન્ટ પોતાની જાતને બહુ મહાન અને સંવેદનશીલ માનતો હતો, પણ જીવનના અંતે અનેક દુ:સાહસો પછી સમજે છે કે…

વધુ વાંચો >

પિયરે ગિલ્સ દ્ જેનેઝ

પિયરે ગિલ્સ દ્ જેનેઝ (જ. 1932, પૅરિસ, અ. 18 મે 2007, ઓરસે, ફ્રાંસ) : ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી. સાદા તંત્ર(પ્રણાલિ)માં બનતી ક્રમિત (order) ઘટનાઓનો અભ્યાસ કરીને પ્રવાહી-સ્ફટિક (liquid-crystal) અને બહુલક (polymers) જેવા જટિલ સ્વરૂપ ધરાવતા પદાર્થો માટે સામાન્યીકરણના અભ્યાસની પદ્ધતિઓના શોધક. આ શોધ માટે તેમને 1991માં ભૌતિક વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો.…

વધુ વાંચો >

પિયર્સ જ્યૉર્જ વૉશિંગ્ટન

પિયર્સ, જ્યૉર્જ વૉશિંગ્ટન (જ. 11 જાન્યુઆરી 1872, વેબરવિલ, ટૅક્સાસ, યુ.એસ.; અ. 25 ઑગસ્ટ 1956, ફ્રૅન્કલિન, એન.એચ., યુ.એસ.) : રેડિયો-તારસંચારના શોધક અને સંદેશાવ્યવહાર-ઇજનેરીના પ્રસિદ્ધ અને સફળ અધ્યાપક. સામાન્ય ખેડૂત કુટુંબમાં તેઓ જન્મેલા. ત્રણ ભાઈઓમાં તેમનો બીજો ક્રમ હતો. પિયર્સનું રહેઠાણ ઢોરઉછેરના મથકે હતું. આવા સ્થળે તેમનો વિકાસ થયો. ગામની શાળામાં ઉત્તમ…

વધુ વાંચો >

પિયર્સન કાર્લ

પિયર્સન, કાર્લ (જ. 24 માર્ચ 1857, લંડન; અ. 27 એપ્રિલ 1936, લંડન) : વિખ્યાત અંગ્રેજ જનીનવિદ્યાવિશારદ (geneticist) અને આંકડાશાસ્ત્રી. 1866માં લંડનમાં અભ્યાસ શરૂ કર્યો, પરંતુ નાજુક તબિયતને કારણે શાળામાંથી ઉઠાડી ખાનગી ટ્યૂશન દ્વારા ઘેર અભ્યાસ ચાલુ રાખવામાં આવ્યો. ત્યારબાદ શાળા-શિક્ષણ કેમ્બ્રિજમાં પૂરું કર્યું. કૉલેજનો અભ્યાસ કિંગ્ઝ કૉલેજ-કેમ્બ્રિજમાં શરૂ કર્યો. કૉલેજમાં…

વધુ વાંચો >

પિયર્સન લેસ્ટર બાઉલ્સ

પિયર્સન, લેસ્ટર બાઉલ્સ (જ. 23 એપ્રિલ 1897, ટોરૉન્ટો, કૅનેડા; અ. 27 ડિસેમ્બર 1972, ઓટાવા, કૅનેડા) : 1957ના વર્ષના શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા અને કૅનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન. ટૉરન્ટો અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ તેમણે 1928માં એક વર્ષ માટે પોતાની માતૃસંસ્થાઓમાં ઇતિહાસના વિષયમાં અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ તરત જ 1928માં કૅનેડિયન…

વધુ વાંચો >

પિયા કા ઘર

પિયા કા ઘર : મુંબઈ જેવા મહાનગરમાં પોતાનું કહી શકાય એવા ઘરની સમસ્યા કેવી હોય છે અને તેને ઉકેલવા જતાં કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે એ ગંભીર વિષયને હળવી શૈલીમાં રજૂ કરતું હિન્દી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1971; નિર્માતા : તારાચંદ બડજાત્યા; પટકથા : રામ કેળકર; દિગ્દર્શન-સંવાદ : બાસુ…

વધુ વાંચો >

પિયાત્ઝા [Piazza]

પિયાત્ઝા [Piazza] : ખાસ કરીને ઇટાલીના શહેરમાંનો જાહેર ચોક અથવા બજાર. ઇમારતોની ફરતી ગોઠવણીથી આવા સ્થળની રચના થાય છે. તેની રૂપરેખા જાહેર હેતુ પ્રમાણે વિવિધતા ધરાવતી હોય છે. રોમન શહેરોમાં આવેલા આવા ચોક તેમની ઇમારતોની ફરતી ગોઠવણીથી વિશિષ્ટ બન્યા છે. દા. ત., પિયાત્ઝા સેંટ પીટર્સ – રોમ; પિયાત્ઝા દે પયોલો…

વધુ વાંચો >

પિયાનો નોબિલ

પિયાનો નોબિલ : ઉમરાવ-ખંડ. આ ઇટાલિયન શબ્દનો અર્થ છે નોબલ સ્ટૉરી એટલે કે ઉમરાવો માટેનો ખંડ. પુનરુત્થાન કાળના ઇટાલિયન સ્થાપત્યનું આ બહુ જાણીતું અને લાક્ષણિક નિર્માણ છે. તેમાં વિશાળ નિવાસોમાં રસ્તા પર પડતા ભોંયતળિયાના મજલા પર ઉપલા માળે વિશાળ ઉમરાવ-ખંડ બાંધવામાં આવતો અને તે અમીર-ઉમરાવોની મહેમાનગતિ માટે ઉપયોગમાં લેવાતો. તેનું…

વધુ વાંચો >

પિયાં-ઝે ઝ્યાં

પિયાં–ઝે, ઝ્યાં (જ. 9 ઑગસ્ટ 1896, ન્યૂચેટેલ; અ. 16 સપ્ટેમ્બર 1980, જિનીવા) : પ્રસિદ્ધ બાળમનોવૈજ્ઞાનિક. તેમને બાળપણથી જ કુદરતમાં ખૂબ રસ હતો. તેમણે પંદર વર્ષની વયે પ્રાકૃતિક ઇતિહાસના ક્ષેત્રે એક લેખ પ્રકાશિત કર્યો હતો. ન્યૂચેટેલ યુનિવર્સિટીમાંથી પ્રકૃતિવિજ્ઞાનમાં સ્નાતકની પદવી 1916માં મેળવી. તેમના પિતા મધ્યયુગીન સાહિત્યના ઇતિહાસમાં રસ ધરાવતા હતા, જ્યારે…

વધુ વાંચો >

પિયેરો દેલ્લો ફ્રૅન્ચ્યેસ્કા

પિયેરો દેલ્લો ફ્રૅન્ચ્યેસ્કા (જ. 1420, સાન સેપોલ્કો ફલોરેન્સ, ઇટાલી; અ. 2 ઑક્ટોબર, 1492 સાન સેપોલ્કો, ફલોરેન્સ, ઇટાલી) : યુરોપના પુનરુત્થાનકાળના મહત્વના ચિત્રકાર. પ્રારંભે તેઓ કળાઇતિહાસવિદો દ્વારા ઉપેક્ષાનો ભોગ બન્યા હતા, પણ વીસમી સદીના આરંભે તેઓ પંદરમી સદીના ઇટાલી અને યુરોપના એક મહત્વના ચિત્રકાર તરીકે પ્રતિષ્ઠિત થયા. ચિત્રોમાં એક ગણિતજ્ઞ જેવી…

વધુ વાંચો >

પવયણસાર (પ્રવચનસાર)

Jan 1, 1999

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

Jan 1, 1999

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર લલિતા

Jan 1, 1999

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

Jan 1, 1999

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

Jan 1, 1999

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

Jan 1, 1999

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

Jan 1, 1999

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

Jan 1, 1999

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

Jan 1, 1999

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >

પશુસંવર્ધન

Jan 2, 1999

પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…

વધુ વાંચો >