ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પિત્તપાપડો (1)

પિત્તપાપડો (1) : દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા ફ્યુમેરિયેસી (પર્પટાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Fumaria Vaillantii Loisel syn. F. indica Pugsley, F parviflora subsp vaillantii Hook. f. (સં પર્પટ, કટુપત્ર, કલ્પાંગ, પર્પટક, વરતિક્ત, પિત્તહરા, રેણુ, કવચ, ચર્મકંટક, સૂક્ષ્મપત્ર, રજોરેણુ, અવકંટક; હિં પિત્તપાપરા, ધમગજરા, શાહતરા, બં શોતારા, પિત્તપાપરા, બન-શુલ્ફા, બંધાનિયા મ.…

વધુ વાંચો >

પિત્તપાપડો (2)

પિત્તપાપડો (2) : દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા)ના ઍકૅન્થેસી (પર્પરાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Rungia repens Nees. (સં. પર્પટત, હિં. પિત્તપાપડા, ખારમોર, દવનપાડા, બં. ક્ષેતપાપડા, મ. ઘાટીપિત્તપાપડા, ગુ. ખડસલિયો, પિત્તપાપડો, તા. કોડાગા સાલેહ, કન્ન. કોડાગાસાલે ગિડા, ફા. શાહતરા) છે. વિતરણ : તે ભારતમાં બધે જ થાય છે. તે ખાબોચિયાં, ડાંગરનાં ખેતરો, નહેર…

વધુ વાંચો >

પિત્તળ (brass)

પિત્તળ (brass) : તાંબું (copper, Cu) અને જસત(zinc, Zn)ની મિશ્રધાતુ. આમ, તો ‘પિત્તળ’ શબ્દ Cu-Zn મિશ્રધાતુઓની સઘળી પરાસ (range) માટે વપરાય છે. પણ ઘણુંખરું તે 55 %થી 80 % Cu ધરાવતી મિશ્રધાતુઓ માટે સીમિત છે. 80 %થી 95 % Cu અને 20 %થી 5 % Zn ધરાવતી મિશ્રધાતુઓ સામાન્ય રીતે…

વધુ વાંચો >

પિત્રોડા સામ

પિત્રોડા, સામ (જ. 4 મે 1942, ટિટલાગઢ, ઓરિસા) : દૂરસંચાર ટૅક્નૉલૉજીના દૂરદર્શી નિષ્ણાત અને સફળ ઉદ્યોગપતિ. ઉચ્ચશિક્ષણ માટે તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં દાખલ થયા. ત્યાંથી તેમણે ભૌતિકશાસ્રના વિષય સાથે એમ.એસસી.ની ઉપાધિ 1964માં મેળવી. ત્યારબાદ અમેરિકાની ઇલિનૉઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી ઇલેક્ટ્રૉનિક્સ વિષય સાથે 1966માં એમ. એસ.ની ઉપાધિ મેળવી. દૂરસંચાર-પ્રણાલીઓ અને સેવાઓનાં લગભગ તમામ…

વધુ વાંચો >

પિધાન

પિધાન : જુઓ ગ્રહણ.

વધુ વાંચો >

પિનિયલ ગ્રંથિ (pineal gland)

પિનિયલ ગ્રંથિ (pineal gland) : મગજની વચમાં અને પાછળના ભાગમાં આવેલી ગ્રંથિ. તેના કાર્યનું નિયમન પ્રકાશ અને અંધકાર સાથે સંબંધિત હોવાથી તેને પ્રકાશસંવેદી ગ્રંથિ પણ કહે છે. તે શરીરની અંદર રહેલું જાણે ત્રીજું નેત્ર છે, જે તેના રાસાયણિક સ્રાવ (secretion) વડે શરીરના કોષોને અંધકાર (રાત્રિ) થયાનો સંદેશો આપે છે. પ્રકાશસંવેદી…

વધુ વાંચો >

પિનેલ ફિલિપ્પ

પિનેલ, ફિલિપ્પ (જ. 20 એપ્રિલ, 1745, સેંટ ઍંડર; અ. 25 ઑક્ટોબર, 1826, પૅરિસ, ફ્રાન્સ) : માનસિક રોગના પ્રખ્યાત ફ્રેંચ ચિકિત્સક. કારકિર્દીની શરૂઆત ગણિતના શિક્ષક તરીકે કરી. સાથે સાથે તેઓ વિજ્ઞાન અને ખાસ કરીને આયુર્વિજ્ઞાનના ક્ષેત્રને લગતાં પુસ્તકોનું ભાષાંતર પણ કરતા હતા. આ ઉપરાંત માનસિક રોગની ઇસ્પિતાલના દર્દીઓનું અવલોકન કરીને તે…

વધુ વાંચો >

પિન્ટર હૅરૉલ્ડ

પિન્ટર, હૅરૉલ્ડ (જ. 10 ઑક્ટોબર 1930, હૅકની, લંડન; અ. 24 ડિસેમ્બર 2008, એક્ટીન (Acton), લંડન) : પ્રસિદ્ધ આંગ્લ નાટ્યલેખક અને દિગ્દર્શક. યહૂદી દરજીના સંતાન તરીકે તેમનો ઉછેર લંડનના ઈસ્ટ એન્ડના શ્રમજીવી વિસ્તારમાં થયો હતો, તેથી નાનપણથી જ હિંસા સાથે તેમનો પનારો પડ્યો હતો; હિંસાનાં આ શૈશવ-સ્મરણો અને અનુભવ જ તેમનાં…

વધુ વાંચો >

પિન્ટો લેવી

પિન્ટો, લેવી (જ. 23 ઑક્ટોબર 1929, નૈરોબી, કેન્યા; અ.15 ફેબ્રુઆરી 2020, શિકાગો, ઇલિનોઇસ, યુ. એસ.) : ભારતના દોડવીર-ખેલાડી. 1951માં દિલ્હી મુકામે આયોજિત પ્રથમ એશિયન રમતોત્સવમાં 100 મી. દોડ (10.8 સે.) અને 200 મી. દોડ (22.0 સે.)માં તેઓ સુવર્ણચંદ્રક-વિજેતા બન્યા હતા. આ જાતની સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેઓ અત્યાર સુધીના એકમાત્ર ભારતીય…

વધુ વાંચો >

પિન્ડાર

પિન્ડાર (જ. આશરે ઈ. સ. પૂ. 522, સાઇનોસિફાલી, ગ્રીસ; અ. આશરે ઈ. સ. પૂ. 433) : પ્રાચીન ગ્રીસના ઊર્મિકવિ. ‘ઓડ’ પ્રકારની કાવ્યરચનાના કવિ તરીકે તેઓ જાણીતા છે. ઓડ ઉદાત્ત શૈલીનું પંક્તિબદ્ધ ગેય કાવ્ય છે. ઓલિમ્પિયા રમતોત્સવ અને અન્ય ઘટનાઓને નવાજતાં કાવ્યો તેમણે રચ્યાં છે. સ્પાર્ટા, થીબ્ઝ અને સાઇરિનનાં ખાનદાન ઉમરાવ…

વધુ વાંચો >

પવયણસાર (પ્રવચનસાર)

Jan 1, 1999

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

Jan 1, 1999

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર, અજિત અનંતરાવ

Jan 1, 1999

પવાર, અજિત અનંતરાવ (જ. 22 જુલાઈ 1959, દેવળાલી (પ્રવરા), મહારાષ્ટ્ર; અ. 28 જાન્યુઆરી 2026, બારામતી, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી રહેલા નાયબ મુખ્યમંત્રી. મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી શક્તિશાળી નેતા ગણાતા અજિત પવાર ‘અજિતદાદા’ના હુલામણા નામે જાણીતા હતા. તેમણે લોકકલ્યાણની યોજના પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમનું મૂળ વતન પુણે…

વધુ વાંચો >

પવાર લલિતા

Jan 1, 1999

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

Jan 1, 1999

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

Jan 1, 1999

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

Jan 1, 1999

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

Jan 1, 1999

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

Jan 1, 1999

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

Jan 1, 1999

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >