ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પિળ્ળે એન. કૃષ્ણ

પિળ્ળે, એન. કૃષ્ણ (જ. 22, સપ્ટેમ્બર 1916, ચોમારુતી, ત્રિવેન્દ્રમ્; અ. 10 જુલાઈ 1988, તિરુવનંતપુરમ્) : મલયાળમ સર્જક. તેમની ‘પ્રતિપાત્રમ્ ભાષણભેદમ્’ નામની કૃતિ 1987ના વર્ષના કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે પાત્ર નીવડી હતી. વરકલા, આટિંગલ તથા ત્રિવેન્દ્રમમાં તેમણે શિક્ષણ લીધું હતું. 1938માં તેમણે મલયાળમ ભાષામાં એમ.એ.ની ડિગ્રી મેળવી. અધ્યાપક તરીકેની તેમની…

વધુ વાંચો >

પિળ્ળે પી. કે. નારાયણ

પિળ્ળે, પી. કે. નારાયણ (જ. 25 ડિસેમ્બર 1910, તિરુવલ્લા, કેરળ; અ. 20 માર્ચ, 1990) : કેરળના સંસ્કૃતના કવિ અને પંડિત. તેમને તેમની કૃતિ ‘વિશ્વભાનુ’ (મહાકાવ્ય) માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે સંસ્કૃત અને મલયાળમમાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં મેળવી. તે પછી 1944માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં…

વધુ વાંચો >

પિળ્ળૈ ઇડિપલ્લી રાઘવન

પિળ્ળૈ, ઇડિપલ્લી રાઘવન (જ. 30 મે, 1909, ઇડિપલ્લી, ત્રિવેન્દ્રમ્; અ. જુલાઈ, 1936 કોલ્લમ, કેરાલા) : મલયાળમ લેખક. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ઇડિપલ્લીમાં; ઉચ્ચશિક્ષણ ત્રિવેન્દ્રમમાં. નાનપણથી જ કાવ્યવાચનનો શોખ. કૉલેજમાં હતા ત્યારથી કાવ્યરચનાની શરૂઆત. કુટુંબની આર્થિક સ્થિતિ ઘણી જ નબળી અને બીજી પારાવાર સમસ્યાઓ જીવનને વિષમય બનાવી દેતી હતી. એમણે કાવ્યલેખનના…

વધુ વાંચો >

પિળ્ળૈ કેનિક્કટ પદ્મનાભ

પિળ્ળૈ, કેનિક્કટ પદ્મનાભ (જ. 1898; અ. 1976) :  મલયાળમ નાટ્યકાર. પિળ્ળૈ કેનિક્કટ કુમાર અને પિળ્ળૈ કેનિક્કટ પદ્મનાભ – એ બે સર્જકબંધુઓ મલયાળમ સાહિત્યમાં પ્રહસનશૈલીથી નાટકને ઉન્નત કક્ષાએ લઈ જવાના પ્રયત્નો કરવા માટે જાણીતા થયા છે. ‘કાલવરિથિલે કલ્પપાદમ્’, ‘વેલુત્તમ્પિ દલવા’, ‘અગ્નિપંજરમ્’, ‘વિધિમંડપમ્’ વગેરે પદ્મનાભ પિળ્ળૈનાં જાણીતાં નાટકો છે. ઈસુની મૃત્યુકથા માટે…

વધુ વાંચો >

પિળ્ળૈ તકષી શિવશંકર

પિળ્ળૈ, તકષી શિવશંકર (જ. 17 એપ્રિલ, 1912, કેરાલા; અ. 10 એપ્રિલ 1999, તકળી) : મલયાળમ ભાષાના અગ્રણી કથાસર્જક. તકળી શિવશંકર પિળ્ળૈની કારકિર્દી વિદ્વાન વિવેચક કેસરી બાલકૃષ્ણ પિળ્ળૈના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ હતી. મુખ્યત્વે તેઓ નવલિકાલેખક અને નવલકથાલેખક છે. તેમની આરંભકાળની ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ મોપાસાં અને એમિલ ઝોલા જેવા યુરોપિયન…

વધુ વાંચો >

પિળ્ળૈ તમિળ

પિળ્ળૈ, તમિળ : તમિળનો એક કાવ્યપ્રકાર. એમાં બાળકના જન્મ પછી ત્રીજા મહિનાથી એકવીસમા મહિના સુધીની વિવિધ ક્રીડાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું હોય છે; જેમ કે, કપ્પુ પ્રકારમાં બાળકના શિક્ષણ માટે ઈશ્વરપ્રાર્થના; ‘ચેકિરૈ’માં બાળક ભાખોડિયાં ભરે તેનું વર્ણન; તાલારટ્ટુમાં હાલરડાં; ચપ્પાણી-કોટ્ટુદલમાં બાળક તાળી પાડે છે તેનું વર્ણન; મુત્તપ્પરુરવમાં બાળકને મા અને…

વધુ વાંચો >

પિંગલ-પ્રવૃત્તિ

પિંગલ–પ્રવૃત્તિ : ગુજરાતી ભાષાની પિંગલ-રચનાઓ તથા પિંગલચર્ચાને આવરી લેતી પ્રવૃત્તિ. ગુજરાતી ભાષામાં કેટલાક ઉત્તમ પિંગલકારોએ ગ્રંથો લખીને મહત્વનું પ્રદાન કર્યું છે તો અનેક વિદ્વાનોએ સુદીર્ઘ લેખો અને નોંધો દ્વારા પણ છંદચર્ચા કરી છે. ગુજરાતીમાં દલપતરામ અને નર્મદથી પિંગલપ્રવૃત્તિનો આરંભ થાય છે. 1855માં ‘બુદ્ધિપ્રકાશ’માં દલપતરામે ‘કકડે કકડે’ પિંગલલેખનનો આરંભ કરેલો અને…

વધુ વાંચો >

પિંગળે વિષ્ણુ ગણેશ

પિંગળે, વિષ્ણુ ગણેશ (જ. જાન્યુઆરી 1888, તાલેગાંવ ઢમઢેરે, જિ. પુણે, મહારાષ્ટ્ર; અ. 16 નવેમ્બર 1915, લાહોર) : ભારતીય ક્રાંતિકારી. વિષ્ણુ પિંગળેનો જન્મ મધ્યમવર્ગના ચિત્તપાવન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ તાલેગાંવમાં અને માધ્યમિક શિક્ષણ પુણેમાં લીધું હતું. પ્રોફેસર વિજાપુરકરના સમર્થ વિદ્યાલયમાં જોડાવાથી પિંગળે રાષ્ટ્રવાદી બન્યા. ત્યારબાદ પુણે અને કોલ્હાપુરમાં…

વધુ વાંચો >

પિંજર (1950)

પિંજર (1950) : પંજાબી નવલકથા. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા લેખિકા અમૃતા પ્રીતમની આ નવલકથા હિન્દુ-મુસ્લિમ રમખાણ અને વૈમનસ્યની પશ્ચાદભૂમાં લખાઈ છે. એમની કૃતિમાં એમણે એક તરફ રક્તપિપાસા તો બીજી તરફ માનવતાનો પણ પરિચય આપ્યો છે. કથાનાયિકા પારોનો વિવાહ રામચંદ્ર જોડે થયો હતો અને લગ્નની તૈયારીઓ થઈ રહી હતી. પારો, રામચંદ્રનાં સ્વપ્નાં…

વધુ વાંચો >

પિંજરિયો

પિંજરિયો : વહાણ ઉપર ઊંચી જગ્યાએ બેસી સમુદ્ર, હવામાન વગેરેનું નિરીક્ષણ કરતો વહાણનો કર્મચારી. તે વહાણના કૂવાથંભ ઉપર ઊંચે પિંજરા જેવી બેઠક ઉપર બેઠો હોય છે. તેથી તે પિંજરિયો કહેવાય છે. અહીં ડોલ ઉપર બેસીને સમુદ્રમાં ફરતાં વહાણોની હિલચાલ, જમીન, આબોહવા વગેરેની તપાસ રાખે છે. દૂરથી દેખાતું વહાણ ચાંચિયાનું વહાણ…

વધુ વાંચો >

પવયણસાર (પ્રવચનસાર)

Jan 1, 1999

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

Jan 1, 1999

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર લલિતા

Jan 1, 1999

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

Jan 1, 1999

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

Jan 1, 1999

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

Jan 1, 1999

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

Jan 1, 1999

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

Jan 1, 1999

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

Jan 1, 1999

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >

પશુસંવર્ધન

Jan 2, 1999

પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…

વધુ વાંચો >