ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પવયણસાર (પ્રવચનસાર)

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર લલિતા

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >

પશુસંવર્ધન

પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…

વધુ વાંચો >

પશ્ચિમ વર્જિનિયા

Jan 2, 1999

પશ્ચિમ વર્જિનિયા : યુ.એસ.નાં આટલાન્ટિક મહાસાગરના કિનારા પરનાં રાજ્યો પૈકીનું નાનકડું પર્વતીય રાજ્ય. તે લગભગ 37o 10′ થી 40o 40′ ઉ. અ. અને 77o 45’થી 82o 30′ પ. રે. વચ્ચે આવેલું છે. તેની પૂર્વ અને દક્ષિણ દિશાએ વર્જિનિયા, નૈર્ઋત્ય ખૂણે કેન્ટકી રાજ્ય, વાયવ્ય તરફ ઓહાયો અને ઉત્તર દિશાએ પેન્સિલવેનિયા રાજ્યો…

વધુ વાંચો >

પશ્ચિમ સામોઆ

Jan 2, 1999

પશ્ચિમ સામોઆ : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં ન્યૂઝીલૅન્ડથી આશરે 2,400 કિમી. દૂર ઈશાન તરફ આવેલું અને ટાપુઓથી બનેલું સ્વતંત્ર રાષ્ટ્ર. ભૌગોલિક સ્થાન : 13o 30′ થી 14o 32′ દ. અ. અને 168o 02’થી 172o 50′ પ. રે. વચ્ચે આ ટાપુઓ આવેલા છે. તેમાં સવાઈ (ક્ષેત્રફળ આશરે 1,820 ચોકિમી.) અને ઉપોલુ (ક્ષેત્રફળ…

વધુ વાંચો >

પશ્ચિમીકરણ

Jan 2, 1999

પશ્ચિમીકરણ : ભારતીય સમાજમાં થઈ રહેલા પરિવર્તનની સમજૂતી આપવા માટેનો એક મહત્વનો ખ્યાલ. દોઢસો વર્ષથી વધારે સમયગાળાના અંગ્રેજ શાસનકાળને પરિણામે ભારતીય સમાજ અને સંસ્કૃતિનાં વિવિધ પાસાં પર તેની પ્રબળ અસર થઈ. શિક્ષણ, વહીવટ, અર્થકારણ, યંત્રવિજ્ઞાન, સંસ્થાઓ, વિચારસરણી તથા મૂલ્યોના ક્ષેત્રે પશ્ચિમના સમાજના પ્રભાવથી જે જે પરિવર્તનો આવ્યાં તેને ભારતીય સમાજનું…

વધુ વાંચો >

પશ્ચિમી ચાલુક્ય શિલ્પશૈલી

Jan 2, 1999

પશ્ચિમી ચાલુક્ય શિલ્પશૈલી : બાદામીના ચાલુક્યવંશના રાજાઓના આશ્રયે પાંગરેલી વિશિષ્ટ શિલ્પશૈલી. અનુગુપ્તકાલ(ઈ. સ. 550-700) દરમિયાન દક્ષિણાપથના દખ્ખણ વિસ્તારમાં વાકાટકોના અનુગામી ચાલુક્યોની સત્તા પ્રવર્તી. આ વંશના રાજા પુલકેશી 1લાએ વાતાપિ (બાદામી) વસાવી ત્યાં રાજધાની ખસેડી. તે અને તેનો પુત્ર કીર્તિરાજ અને પૌત્ર પુલકેશી 2જો વિદ્યા અને કલાના પ્રોત્સાહક હતા. આથી શિલ્પકલાને…

વધુ વાંચો >

પસનાવડાનું સૂર્યમંદિર

Jan 2, 1999

પસનાવડાનું સૂર્યમંદિર : આઠમી સદીના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનું મંદિર. પસનાવડા(તા. વેરાવળ, જિ. જૂનાગઢ)નું પ્રાચીન સૂર્યમંદિર ગર્ભગૃહ અને ગૂઢમંડપનું બનેલું છે. મંદિરને અધિષ્ઠાન નથી. સમચોરસ ગર્ભગૃહની દીવાલો સાદી છે. એના મથાળે ઉદગમ, અંબુજ અને કપોતના થર છે. ગર્ભગૃહ ઉપર ચતુશ્છાદ્ય શિખરની રચના છે. શિખરોના થરોના ભદ્ર-નિર્ગમ ચંદ્રશાલાઘાટની મધ્યતાલથી વિભૂષિત છે.…

વધુ વાંચો >

પસંદગીના લેણદારો (પસંદગીનાં દેવાં)

Jan 2, 1999

પસંદગીના લેણદારો (પસંદગીનાં દેવાં) : નાદારી અને ફડચાની કાર્યવહી દરમિયાન દેવાદારના અરક્ષિત લેણદારો (unsecured creditors) પૈકી જેમને અગ્રતાક્રમે પ્રથમ ચુકવણી કરાય છે તેવા લેણદારો. દેવાદારની કુલ મિલકતો કરતાં તેની કુલ જવાબદારી વધારે હોય તેવી પરિસ્થિતિમાં; વ્યક્તિ, હિન્દુ અવિભક્ત કુટુંબ અને પેઢીની બાબતમાં; કૉલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં પ્રેસિડન્સી ટાઉન્સ ઇન્સૉલ્વન્સી ઍક્ટ-1909…

વધુ વાંચો >

પસ્રીચા રામનાથ

Jan 2, 1999

પસ્રીચા, રામનાથ (Pasricha, RamNath) (જ. 17 નવેમ્બર 1926, અમૃતસર; અ. 11 જાન્યુઆરી 2002) : કલ્પનાશીલ તરંગી (ફેન્ટાસ્ટિક) આધુનિક ભારતીય ચિત્રકાર. દિલ્હી ખાતે તેમણે શાલેય અભ્યાસ કર્યો અને વિજ્ઞાન વિષયમાં સ્નાતક પણ થયા. અને તેમણે સરકારી નોકરી લીધી. એ દરમિયાન તેમણે કોઈ તાલીમ વિના જ ચિત્રો આલેખવાનું શરૂ કર્યું અને સ્વશિક્ષિત…

વધુ વાંચો >

પહલવ

Jan 2, 1999

પહલવ : એ નામની એક જાતિ. પહલવો મૂળ ઈરાનના વતની હતા. ઈરાનમાંથી શકોને પહલવોના દબાણથી ભારત આવવું પડેલું. શકોની જેમ પહલવોએ પણ ભારતમાં પ્રવેશ કર્યો અને તે ઈ. સ.ની બીજી શતાબ્દીના મધ્ય સુધીમાં ભારતીય થઈ ગયા હતા. રુદ્રદામન(પ્રથમ)ના શાસનકાળમાં એનો એક અમાત્ય પહલવ જાતિનો હતો, જેનું નામ સુવિશાખ હતું. સુવિશાખ…

વધુ વાંચો >

પહાડપુરનાં શિલ્પો

Jan 2, 1999

પહાડપુરનાં શિલ્પો : ઉત્તર બંગાળના પહાડપુર(રાજશાહી જિલ્લો)ના મંદિરની દીવાલો પર પ્રાપ્ત  અનેકવિધ પ્રસંગો અને સજાવટી શિલ્પો ગુપ્તકાલ(350-550)ની પ્રશિષ્ટ શિલ્પશૈલીના મનોરમ નમૂનાઓ હોવાનું જણાય છે. મંદિરની દીવાલો પર રામાયણ અને મહાભારતની કથાઓ ઉપરાંત કૃષ્ણચરિતને લગતા પ્રસંગો સુંદર રીતે આલેખાયા છે. એમાં કૃષ્ણજન્મ, બાળકૃષ્ણને ગોકુળ લઈ જવા, ગોવર્ધન-ધારણ વગેરે પ્રસંગો ખાસ ધ્યાન…

વધુ વાંચો >

પહાડે નાથુભાઈ

Jan 2, 1999

પહાડે, નાથુભાઈ (જ. 1922, રાંદેર, જિ. સૂરત; અ. 10 મે 1998, – સૂરત) : તરણના ક્ષેત્રે અનેક સાહસો દ્વારા વિક્રમો સર્જીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું નામ ઉજાળનાર ગુજરાતી તરણવીર. જન્મ સાધારણ મધ્યમવર્ગના પરિવારમાં. પિતાનું નામ ગણેશભાઈ. ભરતનાટ્યમ્ આદિ શાસ્ત્રીય નૃત્યોમાં પ્રશિક્ષણ લઈ કુશળતા પ્રાપ્ત કરી હતી. ભાવાભિવ્યક્તિમાં એકસાથે એક આંખમાં હાસ્ય…

વધુ વાંચો >