ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પિઠોરો
પિઠોરો : રાઠવા આદિવાસીઓની લોકકળાશૈલી. પૂર્વીય ગુજરાત અને પશ્ચિમી મધ્યપ્રદેશના વિસ્તારોમાં તે પ્રચલિત છે. છોટા ઉદેપુર નર્મદા અ વડોદરા જિલ્લાના રાઠવા આદિવાસીઓ ઘરની દીવાલો પર તેનું ચિતરામણ કરાવે છે, જેનું ધાર્મિક મહત્વ છે. આ રાઠવા આદિવાસીઓ ‘પિઠોરો’ને એમનો અગત્યનો દેવ માને છે અને તેને તેઓ આદરપૂર્વક ‘બાબો પિઠોરો’ કહે છે.…
વધુ વાંચો >પિડેલિયેસી
પિડેલિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળમાં 16 પ્રજાતિઓ અને લગભગ 60 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોટેભાગે તે જૂની દુનિયાના ઉષ્ણ અને અધોષ્ણ પ્રદેશોના દરિયાકાંઠે અને રણોમાં થતી વનસ્પતિઓ છે. કેટલીક નવી દુનિયાના ઉષ્ણ-કટિબંધમાં પણ અનુકૂલન પામી છે. દક્ષિણ આફ્રિકા, માડાગાસ્કર, ઇંડો-મલાયા અને ઑસ્ટ્રેલિયામાં તેનું વિતરણ પુષ્કળ…
વધુ વાંચો >પિતાપુત્ર (1975)
પિતાપુત્ર (1975) : અસમિયા નવલકથાકાર હેમેન બર્ગોહેન(જ. 1932)ની નવલકથા. આ મર્મભેદક સામાજિક નવલમાં મોહઘુલી નામના અત્યંત દૂરના ગામડાની બ્રિટિશ અમલ દરમિયાનની હૃદયદ્રાવક ગરીબીથી માંડીને સ્વતંત્રતા પછીના ગાળાની એથીય બદતર કંગાલિયત અને નૈતિક અવનતિનું હૃદયસ્પર્શી ચિત્રણ છે. તેનાં મુખ્ય પાત્રોમાં કુટુંબનો વડો તુંડમિજાજી શિવનાથ ફૂકન, તેની ચિંતાગ્રસ્ત પણ પતિ-પરાયણ પત્ની અને…
વધુ વાંચો >પિતૃત્વ કે માતૃત્વનું નિશ્ચયન (fixation of paternity or maternity)
પિતૃત્વ કે માતૃત્વનું નિશ્ચયન (fixation of paternity or maternity) : ન્યાયસહાયક આયુર્વિજ્ઞાનની મદદથી બાળકનાં માતા કે પિતા કોણ છે કે તેનો વિવાદ હોય ત્યારે કોઈ ચોક્કસ વ્યક્તિ તેની માતા કે પિતા હોઈ શકે કે નહિ તે દર્શાવવાની પદ્ધતિ. સામાન્ય રીતે આવો વિવાદ બાળક લગ્નના સમયગાળામાં ન જન્મ્યું હોય ત્યારે થાય…
વધુ વાંચો >પિતૃસત્તાક સમાજવ્યવસ્થા
પિતૃસત્તાક સમાજવ્યવસ્થા : પિતા કે પુરુષના વડપણ નીચે ગોઠવાયેલી સમાજવ્યવસ્થા. વિશ્વમાં આજે પિતૃસત્તાક અને માતૃસત્તાક એમ બે પ્રકારની સમાજવ્યવસ્થા પ્રવર્તે છે. લોવી હેનરી મૉર્ગનના દર્શાવ્યા પ્રમાણે વિશ્વમાં પ્રથમ માતૃસત્તાક અને પછી પિતૃસત્તાક વ્યવસ્થા આવી છે. આર્થિક વિકાસને પરિણામે સમાજમાં સ્ત્રી અને પુરુષનાં સ્થાન બદલાયાં. પુરુષનો આર્થિક દરજ્જો વધતાં, પુરુષસત્તાનો ઉદય…
વધુ વાંચો >પિત્ત અને પિત્તમાર્ગ (bile and biliary tract)
પિત્ત અને પિત્તમાર્ગ (bile and biliary tract) યકૃત(liver)માં ઉત્પન્ન થતું પ્રવાહી તથા તેનું વહન કરતી નળીઓ અને તેનો સંગ્રહ કરતી અને સાંદ્રતા વધારતી કોથળીનો સમૂહ. રોજ 600થી 1200 મિ.લિટર જેટલું પિત્ત બને છે. તેને પિત્તરસ પણ કહે છે. તેનાં મુખ્ય 2 કાર્યો છે : (1) ચરબીનું પાચન અને અવશોષણ અને…
વધુ વાંચો >પિત્તપાપડો (1)
પિત્તપાપડો (1) : દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા ફ્યુમેરિયેસી (પર્પટાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Fumaria Vaillantii Loisel syn. F. indica Pugsley, F parviflora subsp vaillantii Hook. f. (સં પર્પટ, કટુપત્ર, કલ્પાંગ, પર્પટક, વરતિક્ત, પિત્તહરા, રેણુ, કવચ, ચર્મકંટક, સૂક્ષ્મપત્ર, રજોરેણુ, અવકંટક; હિં પિત્તપાપરા, ધમગજરા, શાહતરા, બં શોતારા, પિત્તપાપરા, બન-શુલ્ફા, બંધાનિયા મ.…
વધુ વાંચો >પિત્તપાપડો (2)
પિત્તપાપડો (2) : દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા)ના ઍકૅન્થેસી (પર્પરાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Rungia repens Nees. (સં. પર્પટત, હિં. પિત્તપાપડા, ખારમોર, દવનપાડા, બં. ક્ષેતપાપડા, મ. ઘાટીપિત્તપાપડા, ગુ. ખડસલિયો, પિત્તપાપડો, તા. કોડાગા સાલેહ, કન્ન. કોડાગાસાલે ગિડા, ફા. શાહતરા) છે. વિતરણ : તે ભારતમાં બધે જ થાય છે. તે ખાબોચિયાં, ડાંગરનાં ખેતરો, નહેર…
વધુ વાંચો >પિત્રોડા સામ
પિત્રોડા, સામ (જ. 4 મે 1942, ટિટલાગઢ, ઓરિસા) : દૂરસંચાર ટૅક્નૉલૉજીના દૂરદર્શી નિષ્ણાત અને સફળ ઉદ્યોગપતિ. ઉચ્ચશિક્ષણ માટે તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં દાખલ થયા. ત્યાંથી તેમણે ભૌતિકશાસ્રના વિષય સાથે એમ.એસસી.ની ઉપાધિ 1964માં મેળવી. ત્યારબાદ અમેરિકાની ઇલિનૉઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી ઇલેક્ટ્રૉનિક્સ વિષય સાથે 1966માં એમ. એસ.ની ઉપાધિ મેળવી. દૂરસંચાર-પ્રણાલીઓ અને સેવાઓનાં લગભગ તમામ…
વધુ વાંચો >પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >પશુસંવર્ધન
પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…
વધુ વાંચો >