૯.૨૬

ધર્મકુમારસિંહજીથી ધાતુ કાર્બોનિલો

ધવલાંક

ધવલાંક (albedo) : સપાટી વડે વિસ્તૃત રીતે પરાવર્તન પામતા પ્રકાશનો અંશ. ધવલાંક, પદાર્થની સપાટી વડે થતા પરાવર્તનના ગુણધર્મોનું વર્ણન કરે છે. સફેદ સપાટીનો ધવલાંક લગભગ એક અને કાળી સપાટીનો ધવલાંક શૂન્યની નજીક હોય છે. ધવલાંકના કેટલાક પ્રકાર છે. તેમાં બૉન્ડ ધવલાંક (AB) મહત્વનો છે. તે ગ્રહની સપાટી ઉપર આપાત થતી…

વધુ વાંચો >

ધસ

ધસ (spur) : ભૂમિસ્વરૂપનો એક પ્રકાર. કરોડરજ્જુમાંથી ફંટાઈને નીકળતી પાંસળીઓની જેમ પર્વતોમાંથી આડી ફંટાતી નાની ડુંગરધારો અથવા ડુંગરધારોમાંથી આડી ફંટાતી નાની ટેકરીઓ, જે ધીમે ધીમે વિસ્તરીને નજીકના સપાટ ભૂમિભાગમાં ભળી જાય છે. આમ મુખ્ય પર્વત કે ડુંગરધારમાં બહાર પડી આવતા અલગ ભૂમિસ્વરૂપને ધસ કહે છે. કિલ્લાની મુખ્ય દીવાલના રક્ષણ અર્થે…

વધુ વાંચો >

ધંધાકીય એકત્રીકરણ

ધંધાકીય એકત્રીકરણ (business integration) : સમાન આર્થિક હેતુ સિદ્ધ કરવા માટે ઔદ્યોગિક અથવા વ્યાપારી એકમોનું ધંધાકીય જોડાણ (combination) અથવા વિલયન (merger, amalgamation). મોટા પાયાના ઉત્પાદનના એટલે કે કદવિકાસના લાભ હાંસલ કરવા માટે અને કિંમતોનું નિયમન તથા ઉત્પાદનના કદ પર નિયંત્રણ દ્વારા હરીફાઈ ટાળવા માટે ઔદ્યોગિક તથા વ્યાપારી ઘટકોનું એકત્રીકરણ કરવામાં…

વધુ વાંચો >

ધંધાકીય મૂલ્યાંકન

ધંધાકીય મૂલ્યાંકન : વ્યાપારી સંસ્થા કે પેઢીની અસ્કામતો અને જવાબદારીઓનું સાફી મૂલ્યાંકન. વર્ષાન્તે ધંધામાં થયેલા નફા કે નુકસાનની ગણતરી કરવી હોય, ધંધાનું વેચાણ કરવાનું હોય, વ્યક્તિગત માલિકીના કે પેઢીના ધંધાનું લિમિટેડ કંપનીમાં રૂપાંતર કરવાનું હોય, એક કંપનીનું બીજી કંપનીમાં વિલીનીકરણ (merger) કરવાનું હોય અથવા બે કંપનીઓનું એકબીજી સાથે જોડાણ કે…

વધુ વાંચો >

ધંધૂકા

ધંધૂકા : અમદાવાદ જિલ્લાના દસ તાલુકાઓ પૈકી સૌથી મોટો તાલુકો અને તાલુકાનું મુખ્ય મથક. આ તાલુકો આશરે 23° ઉ. અ. અને 73° પૂ. રે. પર આવેલો છે. આ તાલુકો અમદાવાદ જિલ્લાની છેક દક્ષિણે આવેલો છે. તેની પૂર્વ તરફ ખંભાતનો અખાત, પશ્ચિમ તરફ સુરેન્દ્રનગર જિલ્લાનો લીંબડી તાલુકો, દક્ષિણ તરફ ભાવનગર જિલ્લાનો…

વધુ વાંચો >

ધાઈનામ

ધાઈનામ : અસમિયા ગીતપ્રકાર. બાળકોને જુદાં જુદાં પ્રલોભનો આપીને, સુંદર શબ્દચિત્રો રજૂ કરીને સુવડાવી દેવા માટેનાં હાલરડાં. એ ગીતોમાં બાળકની પ્રશંસા હોય છે. ચાંદામામાની, પરીઓની વાતો હોય છે અને એ ચિત્રો દ્વારા બાળકને સ્વપ્નદેશમાં લઈ જવાની તરકીબ હોય છે. આ ગીતપ્રકાર પ્રાચીન સમયથી પ્રચલિત છે. આધુનિક કાળમાં પણ ગામડાંઓમાં ધાઈનામ…

વધુ વાંચો >

ધાઉ

ધાઉ : પૂર્વ આફ્રિકા, અરબસ્તાન અને ભારતના દરિયાકાંઠાની ખેપ કરતું અરબી વહાણ. ધાઉ શબ્દનું મૂળ સ્થાન ઈરાની અખાતનો પ્રદેશ છે. ઍલન વિલિયર્સ કુવૈતને આ વહાણના જન્મસ્થાન તરીકે માને છે. તેના કચ્છી અને અરબી બે પ્રકાર છે. કેટલાક ઈરાની ધાઉનો ત્રીજો પ્રકાર પણ જણાવે છે. ધાઉથી મોટા કદનું વહાણ બગલો કે…

વધુ વાંચો >

ધાણા

ધાણા : દ્વિદળી વર્ગમાં આવેલા એપ્રિયેસી (અમ્બેલીફેરી) કુળની એક વનસ્પતિનાં ફળ. તેના છોડનું વૈજ્ઞાનિક નામ Coriandrum sativam Linn. (સં. ધાન્યક, કુસ્તુમ્બરી; હિં. ધનિયા; મ. કોથીંબર, ધણે; બં. ધને; ગુ. ધાણા, કોથમીર; તે. કોથીમલું, ધણિયાલું; મલા. કોત્તમપાલરી; ક. કોતંબરીકાળું; અં. કોરિઍન્ડર) તે 30–90 સેમી. ઊંચો એકવર્ષાયુ છોડ છે. તેનાં નીચેનાં પર્ણો…

વધુ વાંચો >

ધાતુ

ધાતુ : સંસ્કૃત ક્રિયાપદની પ્રકૃતિ. પાણિનીય વ્યાકરણમાં આ એક સંજ્ઞા છે. પાણિનિએ તેની કોઈ વ્યાખ્યા ન આપતાં એક સૂચિ આપી છે. તેમાં સંગૃહીત થયેલા 2,200 જેટલા भू વગેરે શબ્દો કે જે ક્રિયાનો અર્થ બતાવતી પ્રકૃતિ છે, તેમને ધાતુ કહે છે. પતંજલિએ ક્રિયાવાચક પ્રકૃતિને ધાતુ કહેવાય એવી વ્યાખ્યા આપી છે. નવ્યવૈૈયાકરણો…

વધુ વાંચો >

ધાતુઓ

ધાતુઓ : સામાન્ય રીતે ચળકાટવાળાં, ઘન સ્વરૂપ ધરાવતાં અને ઉષ્મા તથા વિદ્યુતના સુવાહક એવાં ધનવિદ્યુતીય (electro-positive) રાસાયણિક તત્વો. અપવાદ રૂપે પારો (mercury) અને ઘણી વાર ચીઝિયમ (ગ.બિં. 28.4° સે.) તથા ગેલિયમ (ગ.બિં. 29.78° સે.) પણ પ્રવાહી સ્વરૂપમાં હોય છે. ધાતુઓના ગ.બિં. અને ઉ.બિં. ઘણાં ઊંચાં હોય છે અને તે પ્રમાણમાં…

વધુ વાંચો >

ધર્મકુમારસિંહજી

Mar 26, 1997

ધર્મકુમારસિંહજી (જ. એપ્રિલ 1917; અ. જાન્યુઆરી 1986) : ભાવનગરના રાજકુટુંબના સભ્ય, નિસર્ગ અને વન્યપ્રાણી-સૃષ્ટિ વિષયના તજ્જ્ઞ અને ભારતના પ્રખ્યાત પક્ષીવિજ્ઞાની (Ornithologist). રાજકુમાર શ્રી ધર્મકુમારસિંહજી ભાવનગરના ભૂતપૂર્વ મહારાજા સર ભાવસિંહજી(બીજા)ના ત્રીજા નંબરના પુત્ર અને ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહજીના સૌથી નાના ભાઈ. પિતાનું છત્ર ત્રીજા વર્ષે જ ગુમાવવાથી તેમનો રાજવી પરંપરા…

વધુ વાંચો >

ધર્મગુપ્ત

Mar 26, 1997

ધર્મગુપ્ત (જ…. ?; અ. 619) : લાટ(દક્ષિણ ગુજરાત)ના વતની અને છઠ્ઠી-સાતમી સદી દરમિયાન થઈ ગયેલા બૌદ્ધ ધર્મના વિદ્વાન. 23 વર્ષની વયે કનોજ જઈને ત્યાંના કૌમુદી-સંઘારામમાં બૌદ્ધસાહિત્યનું શિક્ષણ મેળવ્યું. 25મે વર્ષે દીક્ષા લીધા પછી તેઓ ટક્ક(પંજાબ)માં દેવવિહાર નામે રાજવિહારમાં રહ્યા. ત્યાં એમણે ચીનમાં બૌદ્ધ ધર્મની થયેલી ઉન્નતિની વાતો સાંભળી ચીન જવાનો…

વધુ વાંચો >

ધર્મદેવ (યમદેવ)

Mar 26, 1997

ધર્મદેવ (યમદેવ) : વૈદિક સમયના એક મહત્વના દેવ. ઋગ્વેદમાં તે વિવસ્વત અને શરલ્યુના પુત્ર તરીકે નોંધાયેલા છે. તેમની બહેન યમી છે. વેદયુગમાં તેમને પાપની શિક્ષા કરનાર તરીકે ચીતરેલ નથી તો પણ  તે ભયપ્રદાયક છે. યમ સૌપ્રથમ માનવ હતા, જે મૃત્યુ પામીને બીજી દુનિયામાં ગયા. બીજા માણસોને તે દુનિયાનો રસ્તો તેમણે…

વધુ વાંચો >

ધર્મનાથ

Mar 26, 1997

ધર્મનાથ : જૈન ધર્મના પંદરમા તીર્થંકર. તેઓ વર્તમાન અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં થઈ ગયા અને તેમનું ચિહન વિદ્યુલ્લેખા છે. આગલા જન્મમાં તેઓ ભદ્દિલપુરના રાજા સિંહરથ હતા. પરમ આનંદની શોધમાં તેમણે સંસારત્યાગ કરી વિમલ મુનિની પાસે દીક્ષા લઈ કઠોર તપ કરેલું. તેઓ સમાધિપૂર્વક મૃત્યુ પામી વૈજયન્ત વિમાનમાં અહમિન્દ્ર દેવ બન્યા. અહમિન્દ્ર દેવ તરીકેનું…

વધુ વાંચો >

ધર્મનાથપ્રાસાદ

Mar 26, 1997

ધર્મનાથપ્રાસાદ (કાવી) : ખંભાતના નાગર વણિક બડુઆના પુત્ર કુંવરજીએ વિ. સં. 1654 (ઈ. સ. 1598)માં કાવીમાં કરાવેલો ‘રત્નતિલક’ નામનો બાવન જિનાલયવાળો ધર્મનાથપ્રાસાદ. તે વહુના દેરાસર તરીકે વિશેષ ઓળખાય છે. સાસુ-વહુનાં દેરાં નામે મંદિરસંકુલમાં આવેલું આ દેરાસર મૂળ ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢ મંડપ, ચોકીઓ, ભમતી અને બાવન દેવકુલિકાઓ ધરાવે છે. મંદિર પૂર્વ-પશ્ચિમ…

વધુ વાંચો >

ધર્મનિરપેક્ષતા

Mar 26, 1997

ધર્મનિરપેક્ષતા : કોઈ પણ ધર્મ કે તેના ભાગરૂપ ગણાતા સંપ્રદાય કે પંથથી તટસ્થ અથવા નિરપેક્ષ રહેવાનો ગુણ. અંગ્રેજી શબ્દ ‘સેક્યુલર’નો ભારતીય ભાષાઓમાં અનુવાદ, સામાન્ય રીતે ધર્મનિરપેક્ષતા અથવા બિનસાંપ્રદાયિકતા કરવામાં આવે છે. એનાં અર્થ અને વ્યાખ્યા વિશે મતભેદ પ્રવર્તે છે. વિશાળ અર્થમાં તેને એક જીવનદર્શન અથવા જીવન જીવવાની શૈલી તરીકે ઘટાવવામાં…

વધુ વાંચો >

ધર્મ-નિરપેક્ષ શિલ્પો

Mar 26, 1997

ધર્મ-નિરપેક્ષ શિલ્પો : ધર્મ નિરપેક્ષ શિલ્પો ભારતમાં ઘણા પ્રાચીન કાળથી ધાર્મિક ઇમારતો પર ગૌણ સાધનો તેમજ શોભાત્મક પ્રતીકો તરીકે અલ્પમૂર્ત, અર્ધમૂર્ત રૂપે અને કવચિત અધિમૂર્ત સ્વરૂપે પણ પ્રયોજાયાં છે. ભરહુત, સાંચી અને અમરાવતીનાં સ્મશાન-સ્મારકો(સ્તૂપો)માં ઘણી રસિક રીતે બાજુબાજુમાં દૈવી અને ધર્મનિરપેક્ષ વિષયો નિરૂપતાં દૃશ્યોનો સમાવેશ થાય છે. આ પ્રથા ચાલુ…

વધુ વાંચો >

ધર્મપાલ

Mar 26, 1997

ધર્મપાલ (ઈ. સ. 770 થી 810) : ઈ. સ 765 પહેલાં બંગાળમાં ચાલતી રાજકીય અંધાધૂંધીમાંથી બંગાળમાં વ્યવસ્થિત રાજ્ય સ્થાપનાર પાલવંશના રાજા ગોપાલ પુત્ર. ધર્મપાલે ભારતનું ચક્રવર્તી પદ મેળવવા માટે કર્ણાટક, અવંતિ, ગુર્જર વચ્ચે ચાલતી સ્પર્ધામાં ઝંપલાવ્યું. ગંગા-યમુનાનો પ્રદેશ જીતવા ગયેલા ધર્મપાલને ધ્રુવ-ધારાવર્ષે હરાવ્યો ખરો, પરંતુ દખ્ખણમાં પુન:શાંતિ સ્થાપવા ગયેલા રાજાની…

વધુ વાંચો >

ધર્મપુરી

Mar 26, 1997

ધર્મપુરી : તમિળનાડુ રાજ્યની ઉત્તર સરહદે આવેલો જિલ્લો અને શહેર. ભૌગોલિક સ્થાન : 12° 08´ ઉ. અ. અને 78° 10´ પૂ. રે.. તેની ઉત્તરે આંધ્રપ્રદેશ રાજ્યની સીમા, પૂર્વે વેલ્લોર જિલ્લો તથા તિરુવન્નામલાઈ જિલ્લો, અગ્નિ તરફ વેલ્લુપુરમ્, દક્ષિણે સાલેમ, નૈર્ઋત્યે ઇરોડ અને પશ્ચિમે કર્ણાટક રાજ્યની સીમા આવેલી છે. ધર્મપુરી એ ધર્મપુરી…

વધુ વાંચો >

ધર્મયુગ

Mar 26, 1997

ધર્મયુગ : ભારતનું અગ્રગણ્ય હિંદીભાષી સાપ્તાહિક પત્ર. પ્રકાશન-સંસ્થા બેનેટ કોલમૅન ઍન્ડ કંપની. ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા જૂથ દ્વારા આ પત્રિકાનો પ્રારંભ 1950માં સાપ્તાહિક સ્વરૂપે થયો. જુલાઈ, 1990થી તે પાક્ષિક બન્યું. પ્રારંભસમયે ‘ધર્મયુગ’ના સંપાદક ઇલાચન્દ્ર જોશી હતા. ટૂંકા ગાળામાં જ સામયિક બહુ લોકપ્રિય થયું. હિંદી ભાષાનાં સામયિકોમાં ‘ધર્મયુગ’ બહુ પ્રતિષ્ઠિત અને…

વધુ વાંચો >