૯.૨૬

ધર્મકુમારસિંહજીથી ધાતુ કાર્બોનિલો

ધર્મયુદ્ધો

ધર્મયુદ્ધો (crusades) : ઈ. સ. ની અગિયારમી સદીથી તેરમી સદી દરમિયાન ખ્રિસ્તી અને મુસલમાનો વચ્ચે જેરૂસલેમ પર કબજો મેળવવા માટે ધર્મયુદ્ધો લડાયાં. ઈ. સ. 1095થી 1292 પર્યંત લડાયેલાં આ યુદ્ધોમાં આઠ યુદ્ધો જાણીતાં છે. તેમાં માનવપ્રેમ, ભ્રાતૃભાવ તથા માનવકલ્યાણનો બોધ આપનાર એ બંને ધર્મોના અનુયાયીઓએ ધર્મના નામે અસંખ્ય નિર્દોષ માનવીઓનું…

વધુ વાંચો >

ધર્મશાળા

ધર્મશાળા : યાત્રીઓને વિશ્રામ તથા રાતવાસા માટે સગવડ પૂરી પાડવાના હેતુથી બંધાયેલ મકાન. આવી ધર્મશાળાઓ માર્ગોમાં તથા તીર્થાદિ સ્થાનો તથા નગરોમાં બાંધવાની પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવે છે. પ્રાચીન કાળમાં સાર્વજનિક હેતુ માટે વાટિકા, મંદિર, કૂવા, તળાવ, વાવ, ધર્મશાળા તથા આ પ્રકારનાં અન્ય સ્થાનોના નિર્માણને તથા તે સમાજને અર્પણ થાય…

વધુ વાંચો >

ધર્મસુધારણા

ધર્મસુધારણા (Reformation) : સોળમી સદીમાં યુરોપમાં ખ્રિસ્તી ચર્ચની આપખુદી તથા દુરાચાર સામેનો પડકાર. પોપની નિરંકુશ સત્તા સામેનો સ્વાતંત્ર્યસંગ્રામ. રોમન સામ્રાજ્યના પતન પછી પણ યુરોપમાં ખ્રિસ્તી ચર્ચની ધર્મસંસ્થા જીવંત રહી હતી. તેના વડા પોપ કહેવાય છે. આ સંસ્થાને તેનું આંતરરાષ્ટ્રીય ધાર્મિક સામ્રાજ્ય હતું. ઇટાલીમાં તેમની માલિકીનાં વિશાળ જમીનો, દેવળો, મકાનો તથા…

વધુ વાંચો >

ધર્મસૂત્ર

ધર્મસૂત્ર : ધર્મ શબ્દનો અર્થ વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાજ્ય વગેરેને ધારણ કરનારા એટલે તેને ટકાવી રાખનારા નિયમો કે કાયદાઓ એવો છે. આવા નિયમો કે કાયદાઓને સંક્ષેપમાં રજૂ કરનારા સૂત્રાત્મક શૈલીએ લખાયેલા ગ્રંથોને ધર્મસૂત્રો કહે છે. ધર્મશાસ્ત્રનો આરંભ આ ધર્મસૂત્રોથી થયો છે. એ પછી ધર્મશાસ્ત્ર સ્મૃતિગ્રંથોમાં રજૂ થયું છે. છેલ્લે, સ્મૃતિઓનો…

વધુ વાંચો >

ધર્માધિકારી, દાદા

ધર્માધિકારી, દાદા (જ. 18 જૂન 1899, મુલતાપી, જિ. બેતુલ, મધ્યપ્રદેશ; અ. 1 ડિસેમ્બર 1985, સેવાગ્રામ, મધ્યપ્રદેશ) : સ્વાતંત્ર્યસેનાની, મૌલિક ચિંતક, સર્વોદય કાર્યકર, સમર્થ વક્તા. ધર્મોના સમન્વયના વાતાવરણમાં એક વિદ્યાવ્યાસંગી અને ધર્મનિષ્ઠ બ્રાહ્મણ ન્યાયાધીશના પરિવારમાં તેઓ જન્મ્યા હતા. તેમનું નામ ત્ર્યંબકશંકર ધર્માધિકારી હતું. તેઓ ભણવામાં તેજસ્વી અને આશાસ્પદ વિદ્યાર્થી હતા. અંગ્રેજી…

વધુ વાંચો >

ધર્મારણ્ય-માહાત્મ્ય

ધર્મારણ્ય-માહાત્મ્ય : ‘ધર્મારણ્ય-માહાત્મ્ય’ એ સ્કન્દપુરાણના ત્રીજા ખંડ ‘બ્રાહ્મખંડ’નો બીજો પેટાખંડ છે. સ્કન્દપુરાણમાં જેમ ‘હાટકેશ્વરક્ષેત્ર-માહાત્મ્ય’ એ નાગર જ્ઞાતિનું ને ‘શ્રીમાલ-માહાત્મ્ય’ એ શ્રીમાળી જ્ઞાતિનું પુરાણ છે તેમ આ ‘ધર્મારણ્યખંડ’ એ મોઢ જ્ઞાતિનું પુરાણ છે. ધર્મારણ્ય ખંડમાં મોહેરક(મોઢેરા)ની આસપાસ આવેલા ધર્મારણ્યપ્રદેશનું માહાત્મ્ય આપવામાં આવ્યું છે ને મોહેરક એ મોઢ બ્રાહ્મણોનું તેમજ મોઢ વાણિયાઓનું…

વધુ વાંચો >

ધવ (ધાવડો)

ધવ (ધાવડો) : દ્વિદળી વર્ગના કૉમ્બ્રીટેસી કુળનું મધ્યમથી ઊંચા કદનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Anogeissus latifolia Wall. ex Bedd. (સં. ધવ, હિં. ધો, ધાવા; બં. ધાઉયાગાછ, મ. ધાવડા, અં. બટન ટ્રી, ઘાટી ટ્રી) છે. તે સાગ, સાલ વગેરે અગત્યની જાતિવાળાં શુષ્ક અને પર્ણપાતી જંગલોમાં ભારતમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઓરિસા, ગુજરાત,…

વધુ વાંચો >

ધવન, સતીશ

ધવન, સતીશ (જ. 25 સપ્ટેમ્બર 1920, શ્રીનગર, જમ્મુ-કાશ્મીર; અ. 3 જાન્યુઆરી 2002) : અવકાશ પંચના અધ્યક્ષ અને ખ્યાતનામ અવકાશવિજ્ઞાની. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ, બૅંગાલુરુના નિયામક તથા ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝના અધ્યક્ષ પણ રહ્યા હતા. તેમણે દેશ-પરદેશમાંથી શિક્ષણ લીધું હતું. પંજાબ યુનિવર્સિટી-(લાહોર)માંથી તેઓ સ્નાતક થયેલા. ગણિતશાસ્ત્ર અને ભૌતિકવિજ્ઞાન સાથે બી.એ.,…

વધુ વાંચો >

ધવલગિરિ

ધવલગિરિ : (1) ઓરિસામાં ભુવનેશ્વરથી 3.2 કિમી. દૂર આવેલો પર્વત. તે 20° 14´ ઉ. અ. અને 85° 50´ પૂ. રે. આસપાસ છે. તેનું બીજું નામ અશ્વત્થામાનો પર્વત પણ છે. અહીં અશ્વત્થામાનું એક સ્થાન પણ છે. મૌર્ય સમ્રાટ અશોકે કલિંગ પર ચડાઈ કરી ત્યારે કલિંગરાજ સાથે આ પર્વત નજીક યુદ્ધ કર્યું…

વધુ વાંચો >

ધવલા (816)

ધવલા (816) : દિગંબરોને માન્ય શૌરસેની આગમ સાહિત્ય (षट्खंडागम) પર લખાયેલી મહત્વપૂર્ણ ટીકા. રચયિતા આચાર્ય વીરસેન. બપ્પદેવગુરુની વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ ટીકાને આધારે ચૂર્ણી શૈલીમાં પ્રાકૃત-સંસ્કૃત મિશ્રિત 72 હજાર શ્લોકપ્રમાણની ધવલા ટીકા લખેલી છે. પ્રશસ્તિ અનુસાર 816માં વટગ્રામપુરમાં આ રચના સમાપ્ત થઈ હતી. ટીકામાં તેમણે દિગંબર-શ્વેતાંબરના પંથના અનેક આચાર્યોના અનેક ગ્રંથોનો ઉલ્લેખ…

વધુ વાંચો >

ધર્મકુમારસિંહજી

Mar 26, 1997

ધર્મકુમારસિંહજી (જ. એપ્રિલ 1917; અ. જાન્યુઆરી 1986) : ભાવનગરના રાજકુટુંબના સભ્ય, નિસર્ગ અને વન્યપ્રાણી-સૃષ્ટિ વિષયના તજ્જ્ઞ અને ભારતના પ્રખ્યાત પક્ષીવિજ્ઞાની (Ornithologist). રાજકુમાર શ્રી ધર્મકુમારસિંહજી ભાવનગરના ભૂતપૂર્વ મહારાજા સર ભાવસિંહજી(બીજા)ના ત્રીજા નંબરના પુત્ર અને ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહજીના સૌથી નાના ભાઈ. પિતાનું છત્ર ત્રીજા વર્ષે જ ગુમાવવાથી તેમનો રાજવી પરંપરા…

વધુ વાંચો >

ધર્મગુપ્ત

Mar 26, 1997

ધર્મગુપ્ત (જ…. ?; અ. 619) : લાટ(દક્ષિણ ગુજરાત)ના વતની અને છઠ્ઠી-સાતમી સદી દરમિયાન થઈ ગયેલા બૌદ્ધ ધર્મના વિદ્વાન. 23 વર્ષની વયે કનોજ જઈને ત્યાંના કૌમુદી-સંઘારામમાં બૌદ્ધસાહિત્યનું શિક્ષણ મેળવ્યું. 25મે વર્ષે દીક્ષા લીધા પછી તેઓ ટક્ક(પંજાબ)માં દેવવિહાર નામે રાજવિહારમાં રહ્યા. ત્યાં એમણે ચીનમાં બૌદ્ધ ધર્મની થયેલી ઉન્નતિની વાતો સાંભળી ચીન જવાનો…

વધુ વાંચો >

ધર્મદેવ (યમદેવ)

Mar 26, 1997

ધર્મદેવ (યમદેવ) : વૈદિક સમયના એક મહત્વના દેવ. ઋગ્વેદમાં તે વિવસ્વત અને શરલ્યુના પુત્ર તરીકે નોંધાયેલા છે. તેમની બહેન યમી છે. વેદયુગમાં તેમને પાપની શિક્ષા કરનાર તરીકે ચીતરેલ નથી તો પણ  તે ભયપ્રદાયક છે. યમ સૌપ્રથમ માનવ હતા, જે મૃત્યુ પામીને બીજી દુનિયામાં ગયા. બીજા માણસોને તે દુનિયાનો રસ્તો તેમણે…

વધુ વાંચો >

ધર્મનાથ

Mar 26, 1997

ધર્મનાથ : જૈન ધર્મના પંદરમા તીર્થંકર. તેઓ વર્તમાન અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં થઈ ગયા અને તેમનું ચિહન વિદ્યુલ્લેખા છે. આગલા જન્મમાં તેઓ ભદ્દિલપુરના રાજા સિંહરથ હતા. પરમ આનંદની શોધમાં તેમણે સંસારત્યાગ કરી વિમલ મુનિની પાસે દીક્ષા લઈ કઠોર તપ કરેલું. તેઓ સમાધિપૂર્વક મૃત્યુ પામી વૈજયન્ત વિમાનમાં અહમિન્દ્ર દેવ બન્યા. અહમિન્દ્ર દેવ તરીકેનું…

વધુ વાંચો >

ધર્મનાથપ્રાસાદ

Mar 26, 1997

ધર્મનાથપ્રાસાદ (કાવી) : ખંભાતના નાગર વણિક બડુઆના પુત્ર કુંવરજીએ વિ. સં. 1654 (ઈ. સ. 1598)માં કાવીમાં કરાવેલો ‘રત્નતિલક’ નામનો બાવન જિનાલયવાળો ધર્મનાથપ્રાસાદ. તે વહુના દેરાસર તરીકે વિશેષ ઓળખાય છે. સાસુ-વહુનાં દેરાં નામે મંદિરસંકુલમાં આવેલું આ દેરાસર મૂળ ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢ મંડપ, ચોકીઓ, ભમતી અને બાવન દેવકુલિકાઓ ધરાવે છે. મંદિર પૂર્વ-પશ્ચિમ…

વધુ વાંચો >

ધર્મનિરપેક્ષતા

Mar 26, 1997

ધર્મનિરપેક્ષતા : કોઈ પણ ધર્મ કે તેના ભાગરૂપ ગણાતા સંપ્રદાય કે પંથથી તટસ્થ અથવા નિરપેક્ષ રહેવાનો ગુણ. અંગ્રેજી શબ્દ ‘સેક્યુલર’નો ભારતીય ભાષાઓમાં અનુવાદ, સામાન્ય રીતે ધર્મનિરપેક્ષતા અથવા બિનસાંપ્રદાયિકતા કરવામાં આવે છે. એનાં અર્થ અને વ્યાખ્યા વિશે મતભેદ પ્રવર્તે છે. વિશાળ અર્થમાં તેને એક જીવનદર્શન અથવા જીવન જીવવાની શૈલી તરીકે ઘટાવવામાં…

વધુ વાંચો >

ધર્મ-નિરપેક્ષ શિલ્પો

Mar 26, 1997

ધર્મ-નિરપેક્ષ શિલ્પો : ધર્મ નિરપેક્ષ શિલ્પો ભારતમાં ઘણા પ્રાચીન કાળથી ધાર્મિક ઇમારતો પર ગૌણ સાધનો તેમજ શોભાત્મક પ્રતીકો તરીકે અલ્પમૂર્ત, અર્ધમૂર્ત રૂપે અને કવચિત અધિમૂર્ત સ્વરૂપે પણ પ્રયોજાયાં છે. ભરહુત, સાંચી અને અમરાવતીનાં સ્મશાન-સ્મારકો(સ્તૂપો)માં ઘણી રસિક રીતે બાજુબાજુમાં દૈવી અને ધર્મનિરપેક્ષ વિષયો નિરૂપતાં દૃશ્યોનો સમાવેશ થાય છે. આ પ્રથા ચાલુ…

વધુ વાંચો >

ધર્મપાલ

Mar 26, 1997

ધર્મપાલ (ઈ. સ. 770 થી 810) : ઈ. સ 765 પહેલાં બંગાળમાં ચાલતી રાજકીય અંધાધૂંધીમાંથી બંગાળમાં વ્યવસ્થિત રાજ્ય સ્થાપનાર પાલવંશના રાજા ગોપાલ પુત્ર. ધર્મપાલે ભારતનું ચક્રવર્તી પદ મેળવવા માટે કર્ણાટક, અવંતિ, ગુર્જર વચ્ચે ચાલતી સ્પર્ધામાં ઝંપલાવ્યું. ગંગા-યમુનાનો પ્રદેશ જીતવા ગયેલા ધર્મપાલને ધ્રુવ-ધારાવર્ષે હરાવ્યો ખરો, પરંતુ દખ્ખણમાં પુન:શાંતિ સ્થાપવા ગયેલા રાજાની…

વધુ વાંચો >

ધર્મપુરી

Mar 26, 1997

ધર્મપુરી : તમિળનાડુ રાજ્યની ઉત્તર સરહદે આવેલો જિલ્લો અને શહેર. ભૌગોલિક સ્થાન : 12° 08´ ઉ. અ. અને 78° 10´ પૂ. રે.. તેની ઉત્તરે આંધ્રપ્રદેશ રાજ્યની સીમા, પૂર્વે વેલ્લોર જિલ્લો તથા તિરુવન્નામલાઈ જિલ્લો, અગ્નિ તરફ વેલ્લુપુરમ્, દક્ષિણે સાલેમ, નૈર્ઋત્યે ઇરોડ અને પશ્ચિમે કર્ણાટક રાજ્યની સીમા આવેલી છે. ધર્મપુરી એ ધર્મપુરી…

વધુ વાંચો >

ધર્મયુગ

Mar 26, 1997

ધર્મયુગ : ભારતનું અગ્રગણ્ય હિંદીભાષી સાપ્તાહિક પત્ર. પ્રકાશન-સંસ્થા બેનેટ કોલમૅન ઍન્ડ કંપની. ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા જૂથ દ્વારા આ પત્રિકાનો પ્રારંભ 1950માં સાપ્તાહિક સ્વરૂપે થયો. જુલાઈ, 1990થી તે પાક્ષિક બન્યું. પ્રારંભસમયે ‘ધર્મયુગ’ના સંપાદક ઇલાચન્દ્ર જોશી હતા. ટૂંકા ગાળામાં જ સામયિક બહુ લોકપ્રિય થયું. હિંદી ભાષાનાં સામયિકોમાં ‘ધર્મયુગ’ બહુ પ્રતિષ્ઠિત અને…

વધુ વાંચો >