૯.૧૬

દીવાદાંડીથી દૂતાંગદ

દીવાદાંડી

દીવાદાંડી : વહાણો અને આગબોટોને રાત-દિવસ નાવીય સંદર્ભસ્થળ દર્શાવી તેમના માર્ગો નક્કી કરવામાં કે આસપાસ રહેલ ભયજનક ખડકોના અસ્તિત્વની ચેતવણી આપવા ઊભો કરેલો દીવા સાથેનો મિનાર. દિવસના દીવાદાંડીના ચોક્કસ પ્રકારના રંગ જોઈને નાવિકને ખ્યાલ આવે છે, જ્યારે રાતના તેમાંથી ફેંકાતા જુદા જુદા રંગના જુદી જુદી તીવ્રતા ધરાવતા પ્રકાશથી સંકેતો મળે…

વધુ વાંચો >

દીવાન, અમરજી કુંવરજી નાણાવટી

દીવાન, અમરજી કુંવરજી નાણાવટી (જ. 1744, માંગરોળ; અ. 6 માર્ચ 1784, જૂનાગઢ) : જૂના જૂનાગઢ રાજ્યના બાહોશ દીવાન. તેમનો જન્મ નાગર જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતા તથા પૂર્વજો મુત્સદ્દીઓ હતા. માત્ર 18 વર્ષની વયે અમરજી જૂનાગઢ આવ્યા અને નવાબ મહોબતખાન પાસે નોકરી માગી. નવાબને આરબ સૈનિકોએ નજરકેદ કરેલા. તેમણે કહ્યું…

વધુ વાંચો >

દીવાન, ગૌતમ

દીવાન, ગૌતમ (જ. 22 જુલાઈ 1940) : ટેબલ-ટેનિસની સ્પર્ધાનો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનારો ભારતીય ખેલાડી. 1956માં સોળ વર્ષની ઉંમરે ટેબલ-ટેનિસની રાષ્ટ્રીય સ્પર્ધામાં વિજય મેળવનારો તે સૌથી નાની વયનો ખેલાડી બન્યો. 1959માં સતત ત્રીજી વાર રાષ્ટ્રીય વિજેતા બનતાં અગાઉ કોઈએ મેળવી નહોતી એવી સિદ્ધિ હાંસલ કરી. દેખાવડા, મધ્યમ બાંધો ધરાવતા, જય-પરાજયને પચાવી…

વધુ વાંચો >

દીવાનજી, આત્મારામ મોતીરામ

દીવાનજી, આત્મારામ મોતીરામ (જ. 7 ઑગસ્ટ 1873; અ. 24 ફેબ્રુઆરી 1936) : ગુજરાતી લેખક અને અનુવાદક. વતન સૂરત. દક્ષિણ ગુજરાતના વાલ્મીક કાયસ્થ. માધ્યમિક શિક્ષણ સૂરતમાં પ્રાપ્ત કરીને 1891માં એમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં મેળવ્યું અને 1896માં વિજ્ઞાન વિષય સાથે બી.એ.ની ઉપાધિ મેળવી. મુંબઈ પ્રાન્તના કેળવણી-ખાતામાં નોકરીની શરૂઆત…

વધુ વાંચો >

દીવાન, જીવણલાલ હરિપ્રસાદ

દીવાન, જીવણલાલ હરિપ્રસાદ (જ. 27 માર્ચ 1877, અમદાવાદ; અ. 18 ડિસેમ્બર 1952, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક. કૉંગ્રેસ આગેવાન અને કેળવણીકાર. જીવણલાલે 1899માં બી. એ.ની પરીક્ષા પસાર કરી, ગુજરાત કૉલેજમાં દક્ષિણા ફેલો તરીકે કામ કર્યું. જૂન, 1901માં સૂરતની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા. ત્યાંથી અમદાવાદ બદલી થયા બાદ 1906માં એમ.એ. થયા. 1908માં પ્રોપ્રાયટરી…

વધુ વાંચો >

દીવાન, બિપિનચન્દ્ર જીવણલાલ

દીવાન, બિપિનચન્દ્ર જીવણલાલ (જ. 20 ઑગસ્ટ 1919, અમદાવાદ;  અ. 12 માર્ચ 2012, અમદાવાદ) : વિખ્યાત ન્યાયવિદ તથા ગુજરાતની વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ. રાષ્ટ્રવાદી ર્દષ્ટિકોણથી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલની સ્થાપના કરનાર શિક્ષણશાસ્ત્રી અને સ્વાતંત્ર્યસેનાની જીવણલાલ હરિપ્રસાદ દીવાનના પુત્ર. 1935માં મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી. મુંબઈની વિલ્સન કૉલેજમાંથી 1939માં ગ્રૅજ્યુએટ, 1941માં એલએલ.બી. અને 1942માં એમ.એ.…

વધુ વાંચો >

દીવાન, રણછોડજી અમરજી નાણાવટી

દીવાન, રણછોડજી અમરજી નાણાવટી (જ. 2 ઑક્ટોબર 1768, જૂનાગઢ; અ. 12 ફેબ્રુઆરી, 1841) : જૂના દેશી રાજ્ય જૂનાગઢના દીવાન. દીવાન રણછોડજીનો જન્મ યુદ્ધવીર દીવાન અમરજી જ્યારે તેમની કારકિર્દીની પરાકાષ્ઠાએ હતા ત્યારે થયો હતો. તેમનાથી પાંચ વર્ષ મોટા ભાઈ રઘુનાથજી તથા પાંચ વર્ષ નાના ભાઈ દલપતરામ હતા. પ્રતાપી પિતાની છત્રછાયામાં તેમણે…

વધુ વાંચો >

દીવાન, શારદાબહેન

દીવાન, શારદાબહેન (જ. 1903; અ. ) : મહિલા શિક્ષણના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર મહિલા કેળવણીકાર. પિતા ચીમનલાલ સેતલવાડ ખ્યાતનામ કાયદાવિદ અને 12 વર્ષ સુધી મુંબઈ યુનિવર્સિટીના માનાર્હ કુલાધિપતિ હતા. માતા કૃષ્ણાગૌરી. કુટુંબમાં રાષ્ટ્રીય નેતાઓ અને મહાનુભાવોની સતત આવનજાવનને કારણે સૌ સાથે આ કિશોરીનો જીવંત સંપર્ક રહેતો. રાષ્ટ્રીયતા અને સ્વદેશીના વાતાવરણમાં…

વધુ વાંચો >

દીવાની કાર્યવહી

દીવાની કાર્યવહી : નાગરિકોના પરસ્પર ચાલતા વ્યવહાર દરમિયાન થનાર અયોગ્ય કૃત્યોને અનુલક્ષીને કરવામાં આવતી કાયદાકીય કાર્યવહી. સમાજે ઘડેલા નિયમોના ભંગ માટે સજા જ કરવામાં આવે છે એવું નથી. કેટલીક વાર નુકસાન પામનાર વ્યક્તિને વળતર રૂપે  પૈસા ભરપાઈ કરી આપવામાં આવે છે. અમુક નિયમો વ્યક્તિઓના પરસ્પર ચાલતા વ્યવહારોને નિયંત્રિત કરવા માટે…

વધુ વાંચો >

દીવાને આમ

દીવાને આમ : સામાન્ય જનને મળવા માટે મોગલ શાસકો દ્વારા ઉપયોગમાં લેવાતો વિશાળ દરબાર-ખંડ. ‘દીવાન’ મૂળ અરબી શબ્દ છે જેનો અર્થ “નોંધણી” થાય છે અને તેવી પ્રશાસકીય નોંધણી કરનાર માટે ‘દીવાન’ શબ્દ વપરાતો. આમજનતા પાસેથી પ્રશાસકીય બાબત માટે કોઈ પણ વાતની સુનાવણી માટે વપરાતો ઓરડો તે ‘દીવાને આમ’. ભારતમાં મુસ્લિમ…

વધુ વાંચો >

દુર્ગાલાલ

Mar 16, 1997

દુર્ગાલાલ (જ. 9 સપ્ટેમ્બર 1948, મહેન્દ્રગઢ, રાજસ્થાન; અ. 31 જાન્યુઆરી 1990, લખનૌ) : ભારતના કથકનૃત્યકાર. પિતા ઓમકારલાલ અજમેર દરબારના રાજગાયક અને નર્તક હતા. તેમના બંને પુત્રો દેવીલાલ અને દુર્ગાલાલને ગળથૂથીમાં જ સંગીત અને કથક નૃત્યના સંસ્કાર મળ્યા હતા. દુર્ગાલાલે પ્રથમ પિતા પાસે અને પછી મોટા ભાઈ દેવીલાલ પાસે સંગીત-નૃત્યની તાલીમ…

વધુ વાંચો >

દુર્ગાવતી, રાણી

Mar 16, 1997

દુર્ગાવતી, રાણી (જ. ?; અ. ઈ. સ. 1564) : મધ્યપ્રદેશના ગઢકટંગ(ગોંદવાણા)ના રાજા દલપત શાહની રાણી. તે મહોબાના જાણીતા ચંદેલ વંશના રાજા શાલિવાહનની રાજકુંવરી હતી. દલપત શાહના મૃત્યુ પછી, દુર્ગાવતી તેના પુત્ર વીરનારાયણની વાલી (રિજન્ટ) તરીકે રાજ્ય કરતી હતી. તે શક્તિશાળી, પરોપકારી અને હિંમતવાળી શાસક હતી. તેના શાસન દરમિયાન રાજ્યનો વિકાસ…

વધુ વાંચો >

દુર્યોધન

Mar 16, 1997

દુર્યોધન : મહાભારત મહાકાવ્યનો પ્રતિનાયક. તે સારો યોદ્ધો હોવાથી ‘સુયોધન’ એવા અન્ય નામે પણ ઓળખાતો હતો. દુર્યોધનના નામનો અર્થ, મુશ્કેલીથી જેની સાથે યુદ્ધ થઈ શકે (જીતી શકાય) તેવો. ચંદ્રવંશી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો આ જ્યેષ્ઠ પુત્ર હતો. તેના જન્મસમયે અનેક દુશ્ચિહનો થયાં હતાં. આ જોઈને, મહાત્મા વિદુરે તેનો ત્યાગ કરવા માટેનું…

વધુ વાંચો >

દુર્લભ ચલણ

Mar 16, 1997

દુર્લભ ચલણ (hard currency) : જે ચલણની માંગ વિદેશી હૂંડિયામણ-બજારમાં વધતી જતી હોય અને પરિણામે અન્ય દેશોનાં ચલણોમાં તેની કિંમત વધતી જતી હોય તે ચલણ. તેને દુર્લભ, મજબૂત કે સધ્ધર ચલણ પણ કહેવાય. દુર્લભ ચલણની ઘટના એક ઐતિહાસિક ઘટના ગણાય. બીજા વિશ્વયુદ્ધ પછીનાં કેટલાંક વર્ષો દરમિયાન અમેરિકાનો ડૉલર એક દુર્લભ…

વધુ વાંચો >

દુર્લભરાજ

Mar 16, 1997

દુર્લભરાજ : અગિયારમી સદીમાં ગુજરાતના સોલંકી (ચાલુક્ય) વંશનો ચોથો રાજવી અને ચામુંડરાજનો બીજો પુત્ર. પોતાના જ્યેષ્ઠપુત્ર વલ્લભરાજનું અચાનક અવસાન થતાં ચામુંડરાજે દુર્લભરાજનો ઈ. સ. 1010માં રાજ્યાભિષેક કર્યો અને પોતે તીર્થવાસ કર્યો. દુર્લભરાજે લાટ પર આક્રમણ કરી માળવાના કીર્તિરાજ પાસેથી ઈ. સ. 1018માં લાટ પ્રદેશ જીતી લીધો. તેમ છતાં પરમાર ભોજે…

વધુ વાંચો >

દુર્વાસા

Mar 16, 1997

દુર્વાસા : પરશુરામની જેમ જ, પોતાના અત્યંત ક્રોધી સ્વભાવને લીધે જાણીતા અને શિવના અંશરૂપ મનાતા મહાન ધર્મનિષ્ઠ ઋષિ. તે મહર્ષિ અત્રિ અને અનસૂયાના પુત્ર હતા. તે ઔર્વ મુનિની કંદલી નામની પુત્રી સાથે પરણ્યા હતા. વિવાહ સમયની પ્રતિજ્ઞા અનુસાર, કંદલીના સો અપરાધ માફ કર્યા અને પછી વધુ એક અપરાધ થતાં તેને…

વધુ વાંચો >

દુર્વિકસન

Mar 16, 1997

દુર્વિકસન (dysplasia) : અનિયમિત અને અલાક્ષણિક (atypical) સંખ્યાવૃદ્ધિ પામતા કોષોથી ઉદભવતો વિકાર. ‘દુર્વિકસન’નો શાબ્દિક અર્થ ‘કોષોનો ખોટો અને વિકારયુક્ત વિકાસ’ થાય છે. પરંતુ વ્યવહારમાં તેને વિકારયુક્ત સંખ્યાવૃદ્ધિ(proliferation)ની સ્થિતિ સાથે જોડવામાં આવે છે. તેથી પુખ્ત કોષોનાં કદ, આકાર અને બંધારણમાં વિષમતા (abnormality) આવી ગયેલી હોય છે. પરાવિકસન(metaplasia)માં કોષો પરિસ્થિતિને અનુકૂળ થવા…

વધુ વાંચો >

દુલિપ ક્રિકેટ સ્કૂલ

Mar 16, 1997

દુલિપ ક્રિકેટ સ્કૂલ : નવોદિત ખેલાડીઓને ક્રિકેટની આયોજનબદ્ધ તાલીમ આપવા માટેની ભારતીય સંસ્થા. ઇંગ્લૅન્ડની આલ્ફ ગોવર ક્રિકેટ ટ્રેનિંગ સ્કૂલને લક્ષમાં રાખીને પોરબંદરના મહારાણાશ્રી નટવરસિંહજીએ એક સંસ્થા સ્થાપવાનો વિચાર કર્યો અને 1947માં ઉપર મુજબ સ્કૂલ સ્થાપી. તેમાં બૅટિંગ, બૉલિંગ, ફિલ્ડિંગ, સ્ટ્રોક, ઊભા રહેવાની સાચી સ્થિતિ વગેરે જુદી જુદી શાખાઓની તાલીમ માટે…

વધુ વાંચો >

દુલિપ ટ્રૉફી

Mar 16, 1997

દુલિપ ટ્રૉફી : ક્રિકેટની એક રાષ્ટ્રીય સ્પર્ધા. રણજી ટ્રૉફીના અનુસંધાનમાં ભારતના જુદા જુદા ઝોન વચ્ચે ક્રિકેટસ્પર્ધા માટેની ટ્રૉફી. 1961ની 30 સપ્ટેમ્બરે મદ્રાસ (ચેન્નાઈ) ખાતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની 33મી વાર્ષિક સામાન્યસભામાં જામ રણજિતસિંહના ભત્રીજા અને બે વિશ્વયુદ્ધના ગાળામાં ઉત્તમ ક્રિકેટ કસબ દાખવનાર દુલિપસિંહના સ્મરણાર્થે આ પ્રકારની ક્રિકેટ સ્પર્ધા યોજવાનું ઠરાવાયું…

વધુ વાંચો >

દુલિપસિંહ

Mar 16, 1997

દુલિપસિંહ (જ. 13 જૂન 1905, સરોદર, નવાનગર રાજ્ય, સૌરાષ્ટ્ર; અ. 5 ડિસેમ્બર 1959) : ભારતના પ્રથમ પંક્તિના ક્રિકેટ ખેલાડી. ઇંગ્લૅન્ડની ચેલ્ટનહામ કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારથી તેજસ્વી બૅટ્સમૅન તરીકે સહુનું ધ્યાન ખેંચ્યું હતું. 1925માં કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટીમ તરફથી ઑક્સફર્ડ યુનિવર્સિટીની ટીમ સામે 75 રન નોંધાવ્યા અને સસેક્સ કાઉન્ટી તરફથી ખેલવાની…

વધુ વાંચો >