૯.૧૬

દીવાદાંડીથી દૂતાંગદ

દીવાને ખાસ, ફતેહપુર સિક્રી

દીવાને ખાસ, ફતેહપુર સિક્રી : ફતેહપુર સિક્રીમાં અકબરનો, વિશિષ્ટ હોદ્દો ધરાવતી વ્યક્તિઓ સાથેની મુલાકાત માટેનો દરબારખંડ. સિક્રીના સંકુલમાં ઈશાન ખૂણા તરફ આવેલી આ ઇમારતમાં વચમાં એક સ્તંભ આવેલો છે જેનો ગોળાકાર મંચ સર્પાકારના ખૂણિયા ટેકા વડે ટેકવાયો છે. આ મંચને દીવાને ખાસની ચોરસ ઇમારતના ચારે ખૂણે પહેલા માળે આવેલા ઝરૂખા…

વધુ વાંચો >

દીવાને ગાલિબ

દીવાને ગાલિબ (1958) : ઉર્દૂના વિદ્વાન ‘અર્શી’ (જ. 1904) સંપાદિત ગાલિબનો કાવ્યસંગ્રહ. ઇમતિયાઝઅલી ‘અર્શી’ ઉર્દૂ, અરબી તથા ફારસીના નામાંકિત અભ્યાસી હતા. શાયર ગાલિબની મહાન કવિઓમાં ગણના થાય છે. તેમની કવિતાનો આસ્વાદ સરળ અને સુલભ બનાવવા તેમણે આ સંગ્રહ જહેમતપૂર્વક સંપાદિત કર્યો છે. તેમાં અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના ઉપરાંત નોંધ, વિવરણ, ગાલિબના જીવન…

વધુ વાંચો >

દીવાસળી–ઉદ્યોગ

દીવાસળી–ઉદ્યોગ : જુઓ, કુટિર-ઉદ્યોગ.

વધુ વાંચો >

દુઆર્તે, જોઝ નેપોલિયાં

દુઆર્તે, જોઝ નેપોલિયાં (જ. 23 નવેમ્બર 1925, અલ સાલ્વાડૉર; અ. 23 ફેબ્રુઆરી 1990, અલ સાલ્વાડૉર) : [Duarte (Fuentes) Jose’ Napole’on]. અલ સાલ્વાડૉરના પ્રમુખ 1946માં નોત્રદામ યુનિવર્સિટી(ઇન્ડિયાના)ના સ્નાતક. 1960 સુધી બિનસરકારી હોદ્દાઓ પર કામ કર્યું. અલ સાલ્વાડૉરમાં ક્રિશ્ચિયન ડેમૉક્રેટિક પક્ષની સ્થાપનામાં મદદ કરી. 1964–70 સુધી સાન સાલ્વાડૉરના મેયર તરીકે સેવાઓ આપી.…

વધુ વાંચો >

દુખાયલ, હૂન્દરાજ

દુખાયલ, હૂન્દરાજ (જ. 16 જાન્યુઆરી 1910; લાડકાણા, સિંધ; અ. 2003) : સિંધી ભાષાના રાષ્ટ્રપ્રેમી કવિ. હૂન્દરાજ લીલારામ માણેક તેમનું નામ. આઠ વરસની ઉંમરે પિતાના પ્રોત્સાહનથી ભજનો ગાવાની પ્રેરણા થઈ હતી. તેમના કંઠથી આકર્ષાઈને એક સંન્યાસીએ પિતાને કહ્યું હતું, ‘આ છોકરો કોઈ દુખિયારો આત્મા લાગે છે’. ત્યારથી તેમનું ઉપનામ ‘દુખાયલ’ પડી…

વધુ વાંચો >

દુ ગાર્દ, રૉજર માર્ટિન (du Gard, Roger Martin)

દુ ગાર્દ, રૉજર માર્ટિન (du Gard, Roger Martin) (જ. 23 માર્ચ 1881, ફ્રાંસ; અ. 22 ઑગસ્ટ 1958 ફ્રાંસ) : ફ્રાંસના નવલકથાકાર, નાટ્યકાર તેમજ સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારના 1937ના વર્ષના વિજેતા. તેમણે પ્રાચીન લિપિવિદ્યા તેમ જ પુરાતત્વવિદ્યાની તાલીમ લીધી હતી. આથી જ કદાચ તેમની કૃતિઓમાં તાટસ્થ્યપૂર્ણ અભિગમ તેમજ વિગતોની ઔચિત્યપૂર્વકની ચોકસાઈ…

વધુ વાંચો >

દુગ્ગલ, કર્તારસિંહ

દુગ્ગલ, કર્તારસિંહ [જ. 1 માર્ચ 1917, ધમીઅલ, જિ. રાવલપિંડી, (હવે પાકિસ્તાનમાં); અ. 26 જાન્યુઆરી 2012] : પંજાબી સાહિત્યકાર. ટૂંકી વાર્તા, નવલકથા, નાટક અને અનુવાદના ક્ષેત્રે વિશિષ્ટ સર્જન. બી.એ. (ઑનર્સ) પંજાબી સાહિત્યમાં અને એમ.એ. ની ઉપાધિ અંગ્રેજી સાહિત્યમાં પંજાબ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી. પ્રકાશનગૃહના મુખ્ય સંપાદક બન્યા તે પહેલાં ઑલ ઇન્ડિયા રેડિયોમાં…

વધુ વાંચો >

દુનાં, ઝ્યાં હેન્રી

દુનાં, ઝ્યાં હેન્રી (જ. 8 મે 1828, જિનીવા; અ. 30 ઑક્ટોબર 1910, હિડન, સ્વિટ્ઝર્લૅન્ડ) : આંતરરાષ્ટ્રીય સંસ્થા રેડક્રૉસના સ્થાપક. હેન્રી દુનાં સ્વિસ વેપારી હતા. અલ્જિરિયામાં ભીષણ દુકાળને લીધે પોતાના વેપારી પ્રયોજનથી તેઓ ઇટાલી આવેલા. તે વખતે ત્યાં યુદ્ધ ફાટી નીકળેલું. દુનાંએ આખો દિવસ ટેકરીની પેલે પાર પોતાના બાયનૉક્યુલર વડે ત્યાં…

વધુ વાંચો >

દુ પત્ર

દુ પત્ર (1968) : મૈથિલી સાહિત્યકાર ઉપેન્દ્રનાથ ઝા(જ.1917)ની લઘુનવલ. તેની કથા કેવળ બે પત્રોમાં સમાપ્ત થાય છે. આ પત્રોમાં એક ભારતીય અને બીજી અમેરિકન એમ બે યુવાન નારીની લાગણીઓની મથામણ આલેખાઈ છે. પહેલો પત્ર ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયેલા અને 10 વર્ષથી ત્યાં જ વસતા પતિ સુરેન્દ્રને પત્ની ઇન્દુદેવીએ લખ્યો…

વધુ વાંચો >

દુબઈ

દુબઈ (Dubai; Dubayy) : સંયુક્ત આરબ અમીરાતનું સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 25 18´ ઉ. અ. અને 55 18´ પૂ. રે.ની આજુબાજુનો 3900 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ શહેર અરબ દ્વીપકલ્પની અગ્નિ દિશાએ ઈરાની અખાતમાં આવેલી ખાડી પાસે વસેલું છે. તેની પૂર્વ અને ઈશાન તરફ શારજાહ અમીરાત તથા…

વધુ વાંચો >

દીવાદાંડી

Mar 16, 1997

દીવાદાંડી : વહાણો અને આગબોટોને રાત-દિવસ નાવીય સંદર્ભસ્થળ દર્શાવી તેમના માર્ગો નક્કી કરવામાં કે આસપાસ રહેલ ભયજનક ખડકોના અસ્તિત્વની ચેતવણી આપવા ઊભો કરેલો દીવા સાથેનો મિનાર. દિવસના દીવાદાંડીના ચોક્કસ પ્રકારના રંગ જોઈને નાવિકને ખ્યાલ આવે છે, જ્યારે રાતના તેમાંથી ફેંકાતા જુદા જુદા રંગના જુદી જુદી તીવ્રતા ધરાવતા પ્રકાશથી સંકેતો મળે…

વધુ વાંચો >

દીવાન, અમરજી કુંવરજી નાણાવટી

Mar 16, 1997

દીવાન, અમરજી કુંવરજી નાણાવટી (જ. 1744, માંગરોળ; અ. 6 માર્ચ 1784, જૂનાગઢ) : જૂના જૂનાગઢ રાજ્યના બાહોશ દીવાન. તેમનો જન્મ નાગર જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતા તથા પૂર્વજો મુત્સદ્દીઓ હતા. માત્ર 18 વર્ષની વયે અમરજી જૂનાગઢ આવ્યા અને નવાબ મહોબતખાન પાસે નોકરી માગી. નવાબને આરબ સૈનિકોએ નજરકેદ કરેલા. તેમણે કહ્યું…

વધુ વાંચો >

દીવાન, ગૌતમ

Mar 16, 1997

દીવાન, ગૌતમ (જ. 22 જુલાઈ 1940) : ટેબલ-ટેનિસની સ્પર્ધાનો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનારો ભારતીય ખેલાડી. 1956માં સોળ વર્ષની ઉંમરે ટેબલ-ટેનિસની રાષ્ટ્રીય સ્પર્ધામાં વિજય મેળવનારો તે સૌથી નાની વયનો ખેલાડી બન્યો. 1959માં સતત ત્રીજી વાર રાષ્ટ્રીય વિજેતા બનતાં અગાઉ કોઈએ મેળવી નહોતી એવી સિદ્ધિ હાંસલ કરી. દેખાવડા, મધ્યમ બાંધો ધરાવતા, જય-પરાજયને પચાવી…

વધુ વાંચો >

દીવાનજી, આત્મારામ મોતીરામ

Mar 16, 1997

દીવાનજી, આત્મારામ મોતીરામ (જ. 7 ઑગસ્ટ 1873; અ. 24 ફેબ્રુઆરી 1936) : ગુજરાતી લેખક અને અનુવાદક. વતન સૂરત. દક્ષિણ ગુજરાતના વાલ્મીક કાયસ્થ. માધ્યમિક શિક્ષણ સૂરતમાં પ્રાપ્ત કરીને 1891માં એમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં મેળવ્યું અને 1896માં વિજ્ઞાન વિષય સાથે બી.એ.ની ઉપાધિ મેળવી. મુંબઈ પ્રાન્તના કેળવણી-ખાતામાં નોકરીની શરૂઆત…

વધુ વાંચો >

દીવાન, જીવણલાલ હરિપ્રસાદ

Mar 16, 1997

દીવાન, જીવણલાલ હરિપ્રસાદ (જ. 27 માર્ચ 1877, અમદાવાદ; અ. 18 ડિસેમ્બર 1952, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક. કૉંગ્રેસ આગેવાન અને કેળવણીકાર. જીવણલાલે 1899માં બી. એ.ની પરીક્ષા પસાર કરી, ગુજરાત કૉલેજમાં દક્ષિણા ફેલો તરીકે કામ કર્યું. જૂન, 1901માં સૂરતની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા. ત્યાંથી અમદાવાદ બદલી થયા બાદ 1906માં એમ.એ. થયા. 1908માં પ્રોપ્રાયટરી…

વધુ વાંચો >

દીવાન, બિપિનચન્દ્ર જીવણલાલ

Mar 16, 1997

દીવાન, બિપિનચન્દ્ર જીવણલાલ (જ. 20 ઑગસ્ટ 1919, અમદાવાદ;  અ. 12 માર્ચ 2012, અમદાવાદ) : વિખ્યાત ન્યાયવિદ તથા ગુજરાતની વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ. રાષ્ટ્રવાદી ર્દષ્ટિકોણથી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલની સ્થાપના કરનાર શિક્ષણશાસ્ત્રી અને સ્વાતંત્ર્યસેનાની જીવણલાલ હરિપ્રસાદ દીવાનના પુત્ર. 1935માં મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી. મુંબઈની વિલ્સન કૉલેજમાંથી 1939માં ગ્રૅજ્યુએટ, 1941માં એલએલ.બી. અને 1942માં એમ.એ.…

વધુ વાંચો >

દીવાન, રણછોડજી અમરજી નાણાવટી

Mar 16, 1997

દીવાન, રણછોડજી અમરજી નાણાવટી (જ. 2 ઑક્ટોબર 1768, જૂનાગઢ; અ. 12 ફેબ્રુઆરી, 1841) : જૂના દેશી રાજ્ય જૂનાગઢના દીવાન. દીવાન રણછોડજીનો જન્મ યુદ્ધવીર દીવાન અમરજી જ્યારે તેમની કારકિર્દીની પરાકાષ્ઠાએ હતા ત્યારે થયો હતો. તેમનાથી પાંચ વર્ષ મોટા ભાઈ રઘુનાથજી તથા પાંચ વર્ષ નાના ભાઈ દલપતરામ હતા. પ્રતાપી પિતાની છત્રછાયામાં તેમણે…

વધુ વાંચો >

દીવાન, શારદાબહેન

Mar 16, 1997

દીવાન, શારદાબહેન (જ. 1903; અ. ) : મહિલા શિક્ષણના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર મહિલા કેળવણીકાર. પિતા ચીમનલાલ સેતલવાડ ખ્યાતનામ કાયદાવિદ અને 12 વર્ષ સુધી મુંબઈ યુનિવર્સિટીના માનાર્હ કુલાધિપતિ હતા. માતા કૃષ્ણાગૌરી. કુટુંબમાં રાષ્ટ્રીય નેતાઓ અને મહાનુભાવોની સતત આવનજાવનને કારણે સૌ સાથે આ કિશોરીનો જીવંત સંપર્ક રહેતો. રાષ્ટ્રીયતા અને સ્વદેશીના વાતાવરણમાં…

વધુ વાંચો >

દીવાની કાર્યવહી

Mar 16, 1997

દીવાની કાર્યવહી : નાગરિકોના પરસ્પર ચાલતા વ્યવહાર દરમિયાન થનાર અયોગ્ય કૃત્યોને અનુલક્ષીને કરવામાં આવતી કાયદાકીય કાર્યવહી. સમાજે ઘડેલા નિયમોના ભંગ માટે સજા જ કરવામાં આવે છે એવું નથી. કેટલીક વાર નુકસાન પામનાર વ્યક્તિને વળતર રૂપે  પૈસા ભરપાઈ કરી આપવામાં આવે છે. અમુક નિયમો વ્યક્તિઓના પરસ્પર ચાલતા વ્યવહારોને નિયંત્રિત કરવા માટે…

વધુ વાંચો >

દીવાને આમ

Mar 16, 1997

દીવાને આમ : સામાન્ય જનને મળવા માટે મોગલ શાસકો દ્વારા ઉપયોગમાં લેવાતો વિશાળ દરબાર-ખંડ. ‘દીવાન’ મૂળ અરબી શબ્દ છે જેનો અર્થ “નોંધણી” થાય છે અને તેવી પ્રશાસકીય નોંધણી કરનાર માટે ‘દીવાન’ શબ્દ વપરાતો. આમજનતા પાસેથી પ્રશાસકીય બાબત માટે કોઈ પણ વાતની સુનાવણી માટે વપરાતો ઓરડો તે ‘દીવાને આમ’. ભારતમાં મુસ્લિમ…

વધુ વાંચો >