૬(૨).૧૭

ગોસ્વામી, કિશોરીલાલ થી ગ્રહશાન્તિ

ગોસ્વામી, કિશોરીલાલ

ગોસ્વામી, કિશોરીલાલ (જ. 15 ફેબ્રુઆરી 1865, બનારસ;  અ. 29 મે 1933, બનારસ) : વારાણસીના હિંદીના સર્વતોમુખી પ્રતિભા ધરાવતા સર્જક. તેઓ ધાર્મિક વૃત્તિના અને નિમ્બાર્ક સંપ્રદાયના અનુયાયી હતા. હિંદુ ધર્મના હોવાનું તેમને અભિમાન હતું. તેમણે કાશીમાં શિક્ષણ લીધું હતું. તેમના માતામહ કૃષ્ણ ચૈતન્ય હિંદી સાહિત્યકાર ભારતેન્દુ હરિશ્ચંદ્રના ગુરુ હતા. તેથી ભારતેન્દુ…

વધુ વાંચો >

ગોસ્વામી, ચુન્ની

ગોસ્વામી, ચુન્ની (જ. 15 જાન્યુઆરી 1938, કૉલકાતા; અ. 30 એપ્રિલ 2020 કોલકાતા) : ફૂટબૉલના ભારતીય ખેલાડી. ભારતીય ફૂટબૉલના ઇતિહાસમાં તેમનું નામ તેમની સિદ્ધિ માટે ઘણા લાંબા સમય સુધી યાદ રહેશે. અસલ નામ સુબિમલ ગોસ્વામી. ભારતીય આમજનતા તેમને ચુન્ની ગોસ્વામી તરીકે ઓળખે છે. પોતાના બાળપણના દિવસોમાં મિત્રોને ફૂટબૉલ રમતા જોઈ તેમણે…

વધુ વાંચો >

ગોસ્વામી, જય

ગોસ્વામી, જય (જ. 10 નવેમ્બર 1954, કૉલકાતા, બંગાળ) : બંગાળી કવિ અને નવલકથાકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘પાગલી તોમાર સંગે’ બદલ 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ પત્રકારની હેસિયતથી ‘આનંદ બજાર સમાચારપત્ર’ સાથે સંકળાયેલા છે. તેમણે અત્યાર સુધીમાં 20 ગ્રંથો આપ્યા છે. તેમાં મુખ્ય આ છે :…

વધુ વાંચો >

ગોસ્વામી, ત્રૈલોક્યનાથ

ગોસ્વામી, ત્રૈલોક્યનાથ (જ. 3 માર્ચ 1906, નલબારી જિ. કામરૂપ; અ. 1 ડિસેમ્બર 1988) : અસમિયા વાર્તાકાર તથા વિવેચક. તેમના પિતાનું નામ જામિનીકાન્ત ઉર્ફે સિદ્ધેશ્વર અને માતાનું નામ અમૃતપ્રિય દેવી હતું. તેમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ નલબારીમાં લીધું. 1926માં મૅટ્રિક થયા. ગુવાહાટીની કૉટન કૉલેજમાંથી ફિલૉસૉફીમાં 1930માં બી.એ. અને અંગ્રેજી સાથે 1932માં…

વધુ વાંચો >

ગોસ્વામી, બ્રહ્માનંદ

ગોસ્વામી, બ્રહ્માનંદ (જ. 8 ફેબ્રુઆરી 1907, સિંધ-હૈદરાબાદ) : ભારતના વિખ્યાત સંગીતકાર. સંગીતના સંસ્કાર પિતા સંગીતાચાર્ય મહંત ચૈતન્યદેવજી પાસેથી મળ્યા હતા. કંઠસંગીત, મૃદંગ અને તબલાવાદન ઉપરાંત વિભિન્ન વાદ્યો પર પ્રભુત્વ હતું, પણ સિતાર એમનું પ્રિય વાદ્ય હતું. પોતે સામવેદી પરંપરાના સંગીતજ્ઞ હોવાથી 1925માં બ્રહ્માનંદજીએ શ્રી નાદબ્રહ્મ વિદ્યાલય નામની સંસ્થાની સ્થાપના કરી…

વધુ વાંચો >

ગોસ્વામી, મામોની રાયસમ

ગોસ્વામી, મામોની રાયસમ (જ. 1942, ગૌહત્તી, જિ. કામરૂપ, આસામ) : જાણીતાં આસામી નવલકથાકાર, વાર્તાકાર અને ચરિત્રલેખિકા. તેમનું મૂળ નામ ઇન્દિરા ગોસ્વામી છે. તેમને તેમની નવલકથા ‘મામરે ધારા તરોવાલ’ માટે 1982ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1964માં તેમણે ગૌહત્તી યુનિવર્સિટીમાંથી અસમિયામાં એમ. એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. પછી 1973માં…

વધુ વાંચો >

ગોસ્વામી, હેમચંદ્ર

ગોસ્વામી, હેમચંદ્ર (જ. 8 જાન્યુઆરી 1872, ગોલાઘાટ; અ. 2 મે 1928, ગુવાહાટી) : અસમિયા કવિ, નિબંધકાર, પુરાતત્વવિદ અને ઇતિહાસકાર. તેમણે ગોલાઘાટમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધું. પછી ઉચ્ચ શિક્ષણ માટે તેઓ કૉલકાતા ગયા અને બી.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી. થોડો સમય શિક્ષકની નોકરી કર્યા પછી સરકારી નોકરીમાં જોડાયા અને…

વધુ વાંચો >

ગોહાઈ, હીરેન

ગોહાઈ, હીરેન (જ. 1939, ગોલાઘાટ, અસમ) : અસમિયા લેખક. તેમની લખેલી ‘જાતીય જીવનાત મહાપુરુષીયા પરંપરા’ કૃતિને સાહિત્ય અકાદમી તરફથી 1989ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. તેઓ નામાંકિત લેખક હોવા સાથે વિદ્વત્તા ધરાવતા વિચારક છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે આવી એમ.એ.ની ડિગ્રી મેળવી; 1969માં તેઓ મિલ્ટન…

વધુ વાંચો >

ગોહિલ, પાર્થિવ

ગોહિલ, પાર્થિવ (જ. 18 ફેબ્રુઆરી 1976, ભાવનગર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલ ‘ધ્રુપદ-ધમાર’ ગાયનશૈલીમાં વિશેષ રૂપે અને સંગીતમાં સર્વસામાન્ય રીતે નિપુણતા ધરાવતા ગુજરાતના યુવાકલાકાર. તેમણે બી.કૉમ.ની તથા શાસ્ત્રીય સંગીતમાં ‘વિશારદ’ની પદવીઓ પ્રાપ્ત કરી છે. તેઓ શાસ્ત્રીય સંગીત ઉપરાંત પાશ્ચાત્ય સંગીત અને ફ્યૂઝન (fusion) સંગીતના પણ અગ્રણી ગાયક કલાકાર…

વધુ વાંચો >

ગોહિલ, ભાવસિંહજી

ગોહિલ, ભાવસિંહજી (શાસનકાળ : 1703; 1764) : ભાવનગર શહેરના સ્થાપક અને ભાવનગર રાજ્યની આબાદીના સર્જક રાજવી. ગોહિલ રાજવી રતનજીના ઈ. સ. 1703માં મૃત્યુ બાદ ભાવસિંહજી શિહોરની ગાદીએ આવ્યા. 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થતાં મુઘલ સત્તા નબળી પડી તેનો લાભ લઈને ઈ. સ. 1722–23માં મરાઠા સરદારો પિલાજી ગાયકવાડ અને કંથાજી કદમબાંડે સૌરાષ્ટ્રમાં…

વધુ વાંચો >

ગોહિલો

Feb 17, 1994

ગોહિલો : રજપૂતોમાં સૌથી વધુ કુળવાન તથા શૌર્ય અને ટેક માટે સુપ્રસિદ્ધ રાજવંશ. ગુહિલ ઉપરથી ગુહિલપુત્ર, ગુહિલુત્ત અને ગુહિલોત વંશવાચક શબ્દો બન્યા. ગેહિલોત અને ગૈહલોત શબ્દો પણ પ્રચલિત છે. ગોભિલ, ગૌહિલ્ય અને ગોહિલ જેવી વંશવાચક અટક પણ શિલાલેખોમાં જોવા મળે છે. આ વંશનો સ્થાપક ગુહદત્ત ઈ. સ. 566માં થઈ ગયો…

વધુ વાંચો >

ગોહેલ સુરસિંહજી તખ્તસિંહજી

Feb 17, 1994

ગોહેલ સુરસિંહજી તખ્તસિંહજી : જુઓ કલાપી.

વધુ વાંચો >

ગોળ

Feb 17, 1994

ગોળ : શેરડી, તાડ વગેરેમાંથી મેળવાતા રસને ઉકાળીને ઠંડો પાડવાથી મળતો મિષ્ટ ઘન પદાર્થ. ગોળ તથા ખાંડ તૈયાર કરવાની ક્રિયા ભારતમાં પ્રાચીન કાળથી જાણીતી છે. ગોળ તૈયાર કરવાની રીતનો વાજસનેયી સંહિતા, અથર્વવેદ વગેરે વેદકાલીન ગ્રંથોમાં ઉલ્લેખ છે. સમ્રાટ ચંદ્રગુપ્તના દરબારમાં સેલ્યુકસના વકીલ મૅગેસ્થેનિસે ઈ. સ. પૂ. 40ના અરસામાં ‘કેસરી રંગના…

વધુ વાંચો >

ગોળ ગુંબજ, બિજાપુર

Feb 17, 1994

ગોળ ગુંબજ, બિજાપુર : મહંમદ આદિલશાહનો મકબરો. 1626થી 56માં બિજાપુર સલ્તનત દરમિયાન બંધાયેલ આ ઇમારત એક જ ભવ્ય ઘુમ્મટ નીચે બંધાયેલી હોવાને લીધે ગોળ ગુંબજ તરીકે ઓળખાય છે. દુનિયાનો આ સૌથી વધારે વિસ્તાર ધરાવતો, સૌથી વિશાળ ઘુમ્મટ છે. આના બાંધકામની રચના અત્યંત કાબેલિયત ધરાવે છે. ઘુમ્મટનું વજન અને વિશાળતા ઝીલવા…

વધુ વાંચો >

ગોળમેજી પરિષદો

Feb 17, 1994

ગોળમેજી પરિષદો : બ્રિટિશ સરકારે 1919ના મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારામાં ફેરફાર સૂચવવા માટે 1927માં નિયુક્ત કરેલ સાઇમન કમિશને કરેલી ભલામણ અનુસાર ભારતના ભાવિ બંધારણ, જવાબદાર રાજ્યતંત્ર તથા પ્રાંતિક સ્વરાજ્યનું સ્વરૂપ નિશ્ચિત કરવા માટે લંડનમાં જેમ્સ મહેલમાં 1930, 1931, તથા 1932માં બોલાવેલી પરિષદો. તેમાં બ્રિટિશ હિંદના રાજકીય પક્ષો, દેશી રાજાઓ તથા ઇંગ્લૅન્ડના ત્રણ…

વધુ વાંચો >

ગોળવલકર, માધવ સદાશિવ

Feb 17, 1994

ગોળવલકર, માધવ સદાશિવ (જ. 19 ફેબ્રુઆરી 1906, નાગપુર; અ. 5 જૂન 1973, નાગપુર) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘસંચાલક તથા હિંદુત્વની વિચારસરણીને વરેલા રાષ્ટ્રવાદી સંગઠક. પિતા પ્રથમ ડાકતાર ખાતામાં અને પછી શિક્ષક. માતા લક્ષ્મીબાઈ. મહારાષ્ટ્રના કોંકણ ભૂભાગનું ગોળવલી ગામ એ તેમનું મૂળ વતન, જેના પરથી કુટુંબનું ‘ગોળવલકર’ નામ પડ્યું. તત્કાલીન…

વધુ વાંચો >

ગોળાકાર શિલાખંડ

Feb 17, 1994

ગોળાકાર શિલાખંડ : વેન્ટવર્થના માપ પ્રમાણે આશરે 256 મિમી. કે તેથી વધુ કદવાળા ગોળાકાર ખડક-ટુકડા. આ પ્રકારના ખડક-ટુકડાની લાંબા અંતર સુધી સ્થાનાંતર ક્રિયા થયેલી હોય છે અને તેમનું ખનિજ-બંધારણ આજુબાજુ મળી આવતા ખડકો કરતાં જુદું હોય છે. વ્રિજવિહારી દીનાનાથ દવે

વધુ વાંચો >

ગોળાફેંક

Feb 17, 1994

ગોળાફેંક : પ્રાચીન ગ્રીસની જોસીલી અને ઑલિમ્પિક રમતગમત પ્રણાલીમાં ‘ઍથ્લેટિક્સ’ નામે ઓળખાતી રમતસ્પર્ધા. તે બળવાન અને વજ્રકાય ખેલાડીઓની માનીતી સ્પર્ધા હતી. વર્તમાન સમયમાં પ્રચલિત ગોળાફેંક સ્પર્ધામાં લોખંડ યા પિત્તળના ગોળાનું વજન પુરુષો માટે 7.257 કિ.ગ્રા. (16 રતલ), કુમારો માટે 5.443 કિગ્રા. (12 રતલ) અને સ્ત્રીઓ માટે 4 કિગ્રા. (8 રતલ,…

વધુ વાંચો >

ગોળાશ્મ ખવાણ

Feb 17, 1994

ગોળાશ્મ ખવાણ : ખડકોમાં થતા રાસાયણિક ખવાણ(વિઘટન)નો પ્રકાર. પૃથ્વીની સપાટી પર વિવૃત બનેલા ખડકજથ્થાની ઉપરની સપાટી વરસાદના પાણીથી ભીની થાય છે અને સૂર્યના તાપને કારણે ગરમ બને છે. પરિણામે વિવૃત ખડકજથ્થાની ઉપરની સપાટીમાં રહેલાં ખનિજોમાં રાસાયણિક ફેરફાર થાય છે અને બાહ્ય પડ મુખ્ય ખડકજથ્થાથી છૂટું પડી જાય છે અને અંદરની…

વધુ વાંચો >

ગોળાશ્મ મૃત્તિકા

Feb 17, 1994

ગોળાશ્મ મૃત્તિકા : હિમનદી-નિક્ષેપનો એક પ્રકાર. એમાં કણોના કદ પ્રમાણેની વ્યવસ્થિત ગોઠવણી હોતી નથી. વધુમાં, ગોળાશ્મ મૃત્તિકા સ્તરરચના રહિત કે અલ્પ પ્રમાણમાં સ્તરરચનાવાળી હોય છે. પરિણામે તેમાં માટીના કણોથી માંડીને ગોળાશ્મ સુધીના કદવાળા ટુકડા એક સ્થાને એકઠા થયેલા હોય છે. ગોળાશ્મ મૃત્તિકા ટિલ (till) તરીકે પણ ઓળખાય છે. હિમનદીની અસર…

વધુ વાંચો >