૬(૨).૧૭

ગોસ્વામી, કિશોરીલાલ થી ગ્રહશાન્તિ

ગ્રહ ‘એક્સ’ :

ગ્રહ ‘એક્સ’ : સૂર્યમંડળના આઠમા ગ્રહ નેપ્ચૂનની કક્ષા કરતાં આગળ આવેલો અપેક્ષિત ગ્રહ. વીસમી સદીના પ્રારંભે અમેરિકન ખગોળશાસ્ત્રી પર્સિવલ લોવેલે, યુરેનસ ગ્રહની કક્ષામાં થતા સૂક્ષ્મ ફેરફારોને આધારે ગણતરી કરીને, એવું અનુમાન કર્યું હતું કે સૂર્યમંડળના આઠમા ગ્રહ નેપ્ચૂનની કક્ષાથી આગળ પણ એક ગ્રહ હોવો જોઈએ, અને આ અપેક્ષિત ગ્રહને, તેણે…

વધુ વાંચો >

ગ્રહકણિકા (planetoid)

ગ્રહકણિકા (planetoid) : જેમનું સૂર્યપ્રદક્ષિણા-ક્ષેત્ર મુખ્યત્વે કરીને મંગળ અને ગુરુ(ગ્રહો)ની ભ્રમણકક્ષા વચ્ચે આવેલું છે તેવા આપણા સૂર્યમંડળના નાના સભ્યો. તેમને લઘુગ્રહ (minor planets, asteroids) પણ કહે છે. તે પૈકીના લગભગ 90 ટકા જેટલાનું સૂર્યથી સરેરાશ અંતર 2.2 અને 3.3 AUની વચ્ચે છે. 1 કિમી. કરતાં મોટો વ્યાસ ધરાવતા લઘુગ્રહોની કુલ…

વધુ વાંચો >

ગ્રહણ

ગ્રહણ : ખગોલીય પિંડના તેજનું અન્ય ખગોલીય પિંડ દ્વારા આંશિક કે પૂર્ણતયા કપાઈ જવું. સૂર્ય જેવા જ્યોતિની સામે સ્વતેજવિહીન અપારદર્શક ગ્રહ કે ઉપગ્રહ આવે તો તેના પડછાયામાંથી જોનારને જ્યોતિબિંબનું તેજ ઓછું થતું અથવા ઢંકાઈ જતું દેખાય છે. સૂર્ય-પૃથ્વી રેખામાં ચંદ્ર આવે ત્યારે આપણી ર્દષ્ટિરેખામાં આવી પહોંચેલા ચંદ્રબિંબને કારણે, સૂર્યગ્રહણ થાય…

વધુ વાંચો >

ગ્રહણકારી તારાઓ

ગ્રહણકારી તારાઓ (eclipsing binaries) : યુગ્મતારાઓ(binary stars)નો એક પ્રકાર. અવકાશમાં આવેલા કરોડો તારા પૈકીના ઘણાબધા સૂર્ય જેવા એકલ (single) તારાઓ છે, જ્યારે ઘણાબધા બે કે તેથી વધુના જૂથમાં એકબીજાના ગુરુત્વાકર્ષણના પ્રભાવ નીચે ઘૂમતા હોય છે. આવા તારાઓમાં બે તારાઓના જોડકાવાળા યુગલ કે યુગ્મતારા અગત્યના છે. આ પ્રકારના બન્ને તારાઓ તેમના…

વધુ વાંચો >

ગ્રહણચક્ર

ગ્રહણચક્ર (saros) : પૃથ્વી ઉપરના કોઈ નિશ્ચિત સ્થળેથી જોવા મળતી સૂર્યચંદ્રગ્રહણશ્રેણીઓનો આવર્તનકાળ. કઈ અમાસે આપણને સૂર્યગ્રહણ અને કઈ પૂનમે ચંદ્રગ્રહણ દેખાશે તેનો સમગ્ર આધાર, તે યુતિ સમયે ચંદ્રની પાતરેખા (line of nodes) તેમજ સૂર્ય-ચંદ્ર-પૃથ્વીની રેખા એકાકાર (coincide) થાય છે કે કેમ તેની ઉપર છે. સૂર્યચંદ્રની યુતિ એટલે અમાસ કે પૂનમ…

વધુ વાંચો >

ગ્રહણી (સંગ્રહણી)

ગ્રહણી (સંગ્રહણી) : માનવશરીરમાં હોજરીની નીચેનું અને નાના આંતરડાની વચ્ચેનું આઠ આંગળનું અંગ. તેને આયુર્વેદમાં ‘પિત્તધરાકલા’ અને અંગ્રેજીમાં ‘ડ્યુઓડિનમ’ કહે છે. આ અંગનું કાર્ય હોજરીએ પચાવેલ આહારરસમાં અન્ય પાચક રસો (પાચક પિત્ત) ભેળવીને અન્નનું વધુ સારી રીતે પાચન કરવાનું અને આહાર-અંશમાંથી સારભાગરૂપ રસ અને મળને અલગ પાડવાનું છે. ગ્રહણી ગ્રહણ…

વધુ વાંચો >

ગ્રહપરિવૃત્તિ સંવત્સરચક્ર

ગ્રહપરિવૃત્તિ સંવત્સરચક્ર : વિશિષ્ટ ગણતરી ધરાવતું સંવત્સરચક્ર. આ 90 વર્ષનું ચક્ર છે. એનો આરંભ ઈ. સ. 24માં થયો હોવાનું મનાય છે; પરંતુ એની એટલી પ્રાચીનતાનો કોઈ પુરાવો મળ્યો નથી. સપ્તર્ષિ સંવતનાં વર્ષોની જેમ આ સંવત્સરની સંખ્યામાં શતકના અંક છોડી દેવામાં આવે છે અને 90 વર્ષ પૂરાં થતાં ફરી 1 થી…

વધુ વાંચો >

ગ્રહલાઘવ

ગ્રહલાઘવ : ઈ. સ 1863માં ગણેશ દૈવજ્ઞરચિત કરણ ગ્રંથ. ખગોળ ગણિતના લેખનમાં ‘સિદ્ધાંત’ ‘તંત્ર’ અને ‘કરણ’ એવાં વિશેષણો સાથેના ગણિતગ્રંથો હોય છે. એક અર્થમાં તો સિદ્ધાંત ‘તંત્ર’ બધા શબ્દો સમાનાર્થી છે; પરંતુ અમુક વર્ષ(સંવત કે શક)થી તે વખતના ઇષ્ટ સમયના મધ્યમ ગ્રહો નક્કી કરી તેમને ધ્રુવાંક માની તે પછીના સમયના…

વધુ વાંચો >

ગ્રહલાઘવી પંચાંગ

ગ્રહલાઘવી પંચાંગ : જુઓ પંચાંગ.

વધુ વાંચો >

ગ્રહવર્મા

ગ્રહવર્મા : કાન્યકુબ્જ(કનોજ)ના મૌખરિ વંશનો રાજવી. થાનેશ્વરના રાજવંશ સાથે મૌખરિ વંશની મૈત્રી હતી. થાનેશ્વરના પ્રતાપી રાજા પ્રભાકરવર્ધનને રાજ્યશ્રી નામની કુંવરી હતી. અનેક રાજકુલો તરફથી એનાં માગાં આવતાં હતાં. આમાંથી મૌખરિ રાજા અવંતિ વર્મા (ઈ. સ. 576–600)ના પુત્ર ગ્રહવર્માની પસંદગી કરવામાં આવી હતી. આ સંબંધને કારણે બંને રાજકુટુંબો વચ્ચે ગાઢ સંબંધ…

વધુ વાંચો >

ગોસ્વામી, કિશોરીલાલ

Feb 17, 1994

ગોસ્વામી, કિશોરીલાલ (જ. 15 ફેબ્રુઆરી 1865, બનારસ;  અ. 29 મે 1933, બનારસ) : વારાણસીના હિંદીના સર્વતોમુખી પ્રતિભા ધરાવતા સર્જક. તેઓ ધાર્મિક વૃત્તિના અને નિમ્બાર્ક સંપ્રદાયના અનુયાયી હતા. હિંદુ ધર્મના હોવાનું તેમને અભિમાન હતું. તેમણે કાશીમાં શિક્ષણ લીધું હતું. તેમના માતામહ કૃષ્ણ ચૈતન્ય હિંદી સાહિત્યકાર ભારતેન્દુ હરિશ્ચંદ્રના ગુરુ હતા. તેથી ભારતેન્દુ…

વધુ વાંચો >

ગોસ્વામી, ચુન્ની

Feb 17, 1994

ગોસ્વામી, ચુન્ની (જ. 15 જાન્યુઆરી 1938, કૉલકાતા; અ. 30 એપ્રિલ 2020 કોલકાતા) : ફૂટબૉલના ભારતીય ખેલાડી. ભારતીય ફૂટબૉલના ઇતિહાસમાં તેમનું નામ તેમની સિદ્ધિ માટે ઘણા લાંબા સમય સુધી યાદ રહેશે. અસલ નામ સુબિમલ ગોસ્વામી. ભારતીય આમજનતા તેમને ચુન્ની ગોસ્વામી તરીકે ઓળખે છે. પોતાના બાળપણના દિવસોમાં મિત્રોને ફૂટબૉલ રમતા જોઈ તેમણે…

વધુ વાંચો >

ગોસ્વામી, જય

Feb 17, 1994

ગોસ્વામી, જય (જ. 10 નવેમ્બર 1954, કૉલકાતા, બંગાળ) : બંગાળી કવિ અને નવલકથાકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘પાગલી તોમાર સંગે’ બદલ 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ પત્રકારની હેસિયતથી ‘આનંદ બજાર સમાચારપત્ર’ સાથે સંકળાયેલા છે. તેમણે અત્યાર સુધીમાં 20 ગ્રંથો આપ્યા છે. તેમાં મુખ્ય આ છે :…

વધુ વાંચો >

ગોસ્વામી, ત્રૈલોક્યનાથ

Feb 17, 1994

ગોસ્વામી, ત્રૈલોક્યનાથ (જ. 3 માર્ચ 1906, નલબારી જિ. કામરૂપ; અ. 1 ડિસેમ્બર 1988) : અસમિયા વાર્તાકાર તથા વિવેચક. તેમના પિતાનું નામ જામિનીકાન્ત ઉર્ફે સિદ્ધેશ્વર અને માતાનું નામ અમૃતપ્રિય દેવી હતું. તેમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ નલબારીમાં લીધું. 1926માં મૅટ્રિક થયા. ગુવાહાટીની કૉટન કૉલેજમાંથી ફિલૉસૉફીમાં 1930માં બી.એ. અને અંગ્રેજી સાથે 1932માં…

વધુ વાંચો >

ગોસ્વામી, બ્રહ્માનંદ

Feb 17, 1994

ગોસ્વામી, બ્રહ્માનંદ (જ. 8 ફેબ્રુઆરી 1907, સિંધ-હૈદરાબાદ) : ભારતના વિખ્યાત સંગીતકાર. સંગીતના સંસ્કાર પિતા સંગીતાચાર્ય મહંત ચૈતન્યદેવજી પાસેથી મળ્યા હતા. કંઠસંગીત, મૃદંગ અને તબલાવાદન ઉપરાંત વિભિન્ન વાદ્યો પર પ્રભુત્વ હતું, પણ સિતાર એમનું પ્રિય વાદ્ય હતું. પોતે સામવેદી પરંપરાના સંગીતજ્ઞ હોવાથી 1925માં બ્રહ્માનંદજીએ શ્રી નાદબ્રહ્મ વિદ્યાલય નામની સંસ્થાની સ્થાપના કરી…

વધુ વાંચો >

ગોસ્વામી, મામોની રાયસમ

Feb 17, 1994

ગોસ્વામી, મામોની રાયસમ (જ. 1942, ગૌહત્તી, જિ. કામરૂપ, આસામ) : જાણીતાં આસામી નવલકથાકાર, વાર્તાકાર અને ચરિત્રલેખિકા. તેમનું મૂળ નામ ઇન્દિરા ગોસ્વામી છે. તેમને તેમની નવલકથા ‘મામરે ધારા તરોવાલ’ માટે 1982ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1964માં તેમણે ગૌહત્તી યુનિવર્સિટીમાંથી અસમિયામાં એમ. એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. પછી 1973માં…

વધુ વાંચો >

ગોસ્વામી, હેમચંદ્ર

Feb 17, 1994

ગોસ્વામી, હેમચંદ્ર (જ. 8 જાન્યુઆરી 1872, ગોલાઘાટ; અ. 2 મે 1928, ગુવાહાટી) : અસમિયા કવિ, નિબંધકાર, પુરાતત્વવિદ અને ઇતિહાસકાર. તેમણે ગોલાઘાટમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધું. પછી ઉચ્ચ શિક્ષણ માટે તેઓ કૉલકાતા ગયા અને બી.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી. થોડો સમય શિક્ષકની નોકરી કર્યા પછી સરકારી નોકરીમાં જોડાયા અને…

વધુ વાંચો >

ગોહાઈ, હીરેન

Feb 17, 1994

ગોહાઈ, હીરેન (જ. 1939, ગોલાઘાટ, અસમ) : અસમિયા લેખક. તેમની લખેલી ‘જાતીય જીવનાત મહાપુરુષીયા પરંપરા’ કૃતિને સાહિત્ય અકાદમી તરફથી 1989ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. તેઓ નામાંકિત લેખક હોવા સાથે વિદ્વત્તા ધરાવતા વિચારક છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે આવી એમ.એ.ની ડિગ્રી મેળવી; 1969માં તેઓ મિલ્ટન…

વધુ વાંચો >

ગોહિલ, પાર્થિવ

Feb 17, 1994

ગોહિલ, પાર્થિવ (જ. 18 ફેબ્રુઆરી 1976, ભાવનગર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલ ‘ધ્રુપદ-ધમાર’ ગાયનશૈલીમાં વિશેષ રૂપે અને સંગીતમાં સર્વસામાન્ય રીતે નિપુણતા ધરાવતા ગુજરાતના યુવાકલાકાર. તેમણે બી.કૉમ.ની તથા શાસ્ત્રીય સંગીતમાં ‘વિશારદ’ની પદવીઓ પ્રાપ્ત કરી છે. તેઓ શાસ્ત્રીય સંગીત ઉપરાંત પાશ્ચાત્ય સંગીત અને ફ્યૂઝન (fusion) સંગીતના પણ અગ્રણી ગાયક કલાકાર…

વધુ વાંચો >

ગોહિલ, ભાવસિંહજી

Feb 17, 1994

ગોહિલ, ભાવસિંહજી (શાસનકાળ : 1703; 1764) : ભાવનગર શહેરના સ્થાપક અને ભાવનગર રાજ્યની આબાદીના સર્જક રાજવી. ગોહિલ રાજવી રતનજીના ઈ. સ. 1703માં મૃત્યુ બાદ ભાવસિંહજી શિહોરની ગાદીએ આવ્યા. 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થતાં મુઘલ સત્તા નબળી પડી તેનો લાભ લઈને ઈ. સ. 1722–23માં મરાઠા સરદારો પિલાજી ગાયકવાડ અને કંથાજી કદમબાંડે સૌરાષ્ટ્રમાં…

વધુ વાંચો >