૬(૨).૧૫

ગૉથિક નવલકથાથી ગોરે, નારાયણ ગણેશ

ગોન યુદ્ધા રેડ્ડી

ગોન યુદ્ધા રેડ્ડી : પ્રસિદ્ધ તેલુગુ લેખક અડિવિ બાપ્પીરાજુની નવલકથા તથા મુખ્ય પાત્રનું નામ. ગોન રેડ્ડી કાકતીય સામ્રાજ્યનો સેનાપતિ હતો. એ ઐતિહાસિક નાયકના ચરિત્રને આધારે નવલકથાની રચના થઈ છે. સ્વાભાવિક રીતે આ ચરિત્રપ્રધાન નવલકથા છે. ગોન રેડ્ડીએ યુદ્ધકૌશલથી યુદ્ધો જીતેલાં એ તો ખરું જ, પણ એ મુત્સદ્દીગીરીમાં પણ એટલો જ…

વધુ વાંચો >

ગોનિયોમીટર

ગોનિયોમીટર : સ્ફટિકોના આંતરફલક કોણ માપવાનું સાધન. આંતરફલક કોણમાપન માટે બે પ્રકારનાં સાધન ઉપયોગમાં લેવાય છે : (1) સંપર્ક ગોનિયોમીટર (contact goniometer) : આ સાધન મહાસ્ફટિકોના આંતરફલક કોણ માપવા માટે વપરાય છે. તેની રચનામાં અર્ધગોળાકાર અંકિત કોણમાપકની નીચેની સીધી પટ્ટીના મધ્યબિંદુ સાથે અન્ય એક સીધી પટ્ટી સરળતાથી ફેરવી શકાય તે…

વધુ વાંચો >

ગોનોકૉકસ

ગોનોકૉકસ : માનવોના જાતીય ચેપી રોગ પરમિયા માટે જવાબદાર બૅક્ટેરિયા. સંભોગ દરમિયાન આ બૅક્ટેરિયા શરીરમાં મુખ્યત્વે ગ્રીવા અને મૂત્રમાર્ગમાં પ્રસરેલા જોવા મળે છે. સમલિંગકામી (homosexual) વ્યક્તિઓમાં, ખાસ કરીને પુરુષોમાં, બૅક્ટેરિયા મળમાર્ગને ચેપ લગાડે છે. સ્ત્રીઓમાં તે ફૅલોપિયન નલિકા સુધી પ્રસરતા હોય છે. પરિણામે સ્ત્રીના નિતંબ પ્રદેશમાં સોજો આવે છે અને…

વધુ વાંચો >

ગોપકાવ્ય (pastoral poetry)

ગોપકાવ્ય (pastoral poetry) : મુખ્યત્વે ગ્રામીણ જીવનના આનંદઉલ્લાસને આલેખતી કાવ્યકૃતિ. ‘પૅસ્ટોરલ’ એટલે ગોપજીવનને કે ગ્રામજીવનને લગતું. ગ્રામજીવનનો મહિમા આલેખવાની ખૂબ પ્રાચીન કાળથી ચાલી આવેલી આ સાહિત્યિક પરંપરા છેક આધુનિક યુરોપીય સાહિત્ય પર્યંત જળવાઈ રહી છે. કેટલાક આને પલાયનવાદમાંથી પ્રગટેલો સાહિત્યપ્રકાર (escape literature) લેખે છે; પરંતુ યુરોપભરમાં ખાસ કરીને આલ્બેનિયા, ગ્રીસ,…

વધુ વાંચો >

ગોપથ બ્રાહ્મણ

ગોપથ બ્રાહ્મણ : અથર્વવેદ(પૈપ્પલાદ અને શૌનક શાખા)નો એકમાત્ર ઉપલબ્ધ બ્રાહ્મણ. તેના સંકલનકાર આચાર્ય ગોપથ પૈપ્પલાદ શાખાના અને મધ્ય દેશના નિવાસી હોવાનું કેટલાક વિદ્વાનોનું માનવું છે. અથર્વ પરિશિષ્ટ (4.5) અનુસાર ગોપથ બ્રાહ્મણ 100 પ્રપાઠકોનું હતું. સાંપ્રત ઉપલબ્ધ ગોપથ બ્રાહ્મણ કેવળ 11 પ્રપાઠકોનું જ છે. આ સંક્ષિપ્ત સંકલન પાછળના સમયમાં થયેલું છે.…

વધુ વાંચો >

ગોપન-વ્યૂહ (camouflage)

ગોપન-વ્યૂહ (camouflage) : શત્રુની નજરથી બચવા અને તેને છેતરવા યુદ્ધ દરમિયાન લશ્કર દ્વારા આચરવામાં આવતી નીતિરીતિ. તેને છદ્માવરણ પણ કહે છે. ફ્રેન્ચ શબ્દ ‘camoufler’ પરથી અંગ્રેજીમાં દાખલ થયેલ ‘camouflage’ શબ્દનો પ્રયોગ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન થયેલો. ગોપનનો મુખ્ય હેતુ શત્રુના નિરીક્ષણને નિષ્ફળ બનાવવાનો અને તે દ્વારા તેના ઇરાદાઓ નાકામયાબ કરવાનો હોય…

વધુ વાંચો >

ગોપનું મંદિર

ગોપનું મંદિર : ગુજરાતનું સૌથી જૂનું બાંધેલું મંદિર. જામનગર જિલ્લામાં ભાણવડ પાસે જૂના કે ઝીણાવાટી ગોપમાં આ મંદિર આવેલું છે. તેના અવશિષ્ટ ભાગોમાં નીચે ખાંચાઓવાળો પડથાર, તેની પર જગતી જેવી જુદા જુદા થરોવાળી રચનાની ઉપર આશરે 3.22 મીટર ચોરસનું ગર્ભગૃહ છે. આ ગર્ભગૃહની ભીંતો નીચેથી સીધી છે. તેમાં આશરે 3.31…

વધુ વાંચો >

ગોપસખા

ગોપસખા : શ્રીકૃષ્ણની સખાભાવની ભક્તિ કરનારા મોટા-નાના સખાઓ. જેમ ગોપીભાવની ભક્તિ પોતાને સખી રૂપે કલ્પીને કરવામાં આવે છે તેમ સખાભાવની ભક્તિમાં ભક્ત પોતાને શ્રીકૃષ્ણના ગોપ-સખાના રૂપે કલ્પીને કરે છે. શ્રીકૃષ્ણની બાળલીલા અને કિશોરલીલાના ગોપસખાઓ વય પ્રમાણે ત્રણ પ્રકાર મનાય છે. શ્રીકૃષ્ણથી વયમાં થોડા મોટા હોવા છતાં શ્રીકૃષ્ણ પ્રત્યે સખાભાવે ગોચારણ…

વધુ વાંચો >

ગોપ, સાગરમલ

ગોપ, સાગરમલ (જ. 3 નવેમ્બર 1890, જેસલમેર, રાજસ્થાન; અ. 3 એપ્રિલ 1946, જેસલમેર) : સ્વાતંત્ર્યસંગ્રામના શહીદ. તેમના પિતાનું નામ અક્ષયરાજ હતું. તેમણે માધ્યમિક શાળા સુધી અભ્યાસ કર્યો હતો. તે જાણીતા રાજકીય નેતા હતા. તેમણે અસહકારની ચળવળ(1921)માં નાગપુરમાં ભાગ લીધો હતો. 1930માં તેમણે જેસલમેર રાજ્યના રાજા સામે લોકઆંદોલન કર્યું; તેથી તેમને…

વધુ વાંચો >

ગોપાલ-1

ગોપાલ-1 (શાસનકાળ લગભગ ઈ. સ. 750–770) : પાલ વંશના આદ્ય સ્થાપક. ગોપાલ પહેલાનો જન્મ પુંડ્રવર્ધન (જિ. બોગ્રા.) નજીક બંગાળમાં થયો હતો. તેના પિતા સેનાપતિ વપ્પટે દુશ્મનોનો નાશ કર્યો હતો. પિતામહ દયિતવિષ્ણુ વિદ્વાન હતા. બંગાળમાં ઈ. સ.ની આઠમી સદીમાં ફેલાયેલી અરાજકતાથી કંટાળીને પ્રજાએ રાજા તરીકે ગોપાલની પસંદગી કરી. પાલ રાજાઓ બંગપતિ…

વધુ વાંચો >

ગૉથિક નવલકથા

Feb 15, 1994

ગૉથિક નવલકથા : અઢારમી સદીના ઉત્તરાર્ધમાં અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં પશ્ચિમી દેશોમાં લોકપ્રિય નીવડેલી વીરશૃંગારરસની કથા. ‘ગૉથિક’નો કઢંગું, અસંસ્કૃત, અસંસ્કારી કે અણઘડ એવો અર્થ કરવામાં આવતો. અઢારમી સદીના પૂર્વાર્ધના નવપ્રશિષ્ટવાદ(neoclassicism)ની અતિશય ધીરગંભીરતાના પ્રત્યાઘાત રૂપે લેખકોને આ સાહિત્યપ્રકારનું આકર્ષણ જાગ્યું. આ નવલકથાઓમાં ભયંકર, રહસ્યરંગી તથા લોકોત્તર પાત્રો-પ્રસંગો આલેખવામાં આવતાં. તે માટે…

વધુ વાંચો >

ગૉથિક રિવાઇવલ 

Feb 15, 1994

ગૉથિક રિવાઇવલ  (ઈ.સ. અઢારમી-ઓગણીસમી સદી) : પાશ્ચાત્ય દેશોના સ્થાપત્યના સંદર્ભમાં ગૉથિક શૈલીની સ્થાપત્યકલાનો પુન:પ્રસાર. આ સમય દરમિયાન ગૉથિક શૈલીનો મકાનોનાં આયોજનમાં ખૂબ જ પ્રભાવ રહ્યો, જે તત્કાલીન શૈલીઓથી અલગ વિચારધારા દર્શાવતો હતો. ખાસ કરીને ઇંગ્લૅન્ડમાં અઢારમી સદીથી આની અસર સારી પ્રસરેલી હતી અને તેના દ્વારા ભારતમાં પણ અંગ્રેજ સમયનાં બાંધકામોમાં…

વધુ વાંચો >

ગૉથિક સ્થાપત્ય

Feb 15, 1994

ગૉથિક સ્થાપત્ય : પશ્ચિમ યુરોપમાં મધ્યકાલના ઉત્તર ભાગમાં રોમનસ્ક અને બાઇઝેન્ટાઇન કલાસ્વરૂપોમાંથી ઉદભવેલ સ્થાપત્યશૈલી. તે સોળમી સદીમાં પુનર્જાગૃતિકાળ સાથે સમાપ્ત થઈ. અનેક ઉત્તમ દેવળોનું બાંધકામ આ શૈલીમાં થયું છે. તેમાં ઉપરના ભાગ સીધી ધારવાળી કમાન સાથે ખૂબ ઊંચા બાંધેલા હોય, એ એની વિશિષ્ટતા હતી. મોટા વજનદાર પથ્થરો અને સ્તંભો વગેરેથી…

વધુ વાંચો >

ગોદરેજ અદી

Feb 15, 1994

ગોદરેજ અદી (જન્મ 3 એપ્રિલ, 1942 -) : પ્રસિદ્ધ ભારતીય સાહસિક ઉદ્યોગપતિ, ગોદરેજ ગ્રૂપના ચૅરમૅન. વર્ષ 2021માં ગોદરેજ ગ્રૂપના ચૅરમૅન તરીકે નિવૃત્તિ જાહેર કરી હતી. ત્યારબાદ તેમને સન્માનીય ચૅરમૅન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પિતા બુર્જોજી ગોદરેજ. માતા જય ગોદરેજ. પત્ની પરમેશ્વર ગોદરેજ. પરમેશ્વર ગોદરેજ પ્રસિદ્ધ સેલિબ્રિટી હતાં, જેનું વર્ષ…

વધુ વાંચો >

ગોદાન

Feb 15, 1994

ગોદાન (1936) : મુનશી પ્રેમચંદની હિંદી નવલકથા. હિંદીની તે સર્વાધિક લોકપ્રિય નવલકથા છે. એમાં મુખ્ય કથાનક હોરીના મુખ્ય પાત્ર દ્વારા નિરૂપાયેલું ગ્રામીણ ખેડૂતનું છે. ગ્રામજીવનની પડખે એમણે પ્રોફેસર મહેતા, મહિલા ડૉક્ટર માલતી, મિલમાલિક ખન્ના તથા એની પત્ની ગોવિંદી દ્વારા શહેરી જીવનની ઉપકથા પણ સાંકળી છે, જેથી સાંપ્રતકાલીન બંને પ્રકારના વિરોધની…

વધુ વાંચો >

ગોદામ

Feb 15, 1994

ગોદામ : વેચાણપાત્ર માલને સંઘરવાનું અને જાળવવાનું સ્થળ. વર્તમાન યુગમાં ઉપભોક્તાઓની માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન થતું હોવાથી, વસ્તુના ઉત્પાદન અને ઉપભોગ વચ્ચેના સમયગાળામાં માલના સંગ્રહ અને જાળવણીના હેતુસર ગોદામો ઉપયોગી બને છે. કેટલીક વાર અમુક વસ્તુઓનું ઉત્પાદન મોસમી હોય પણ ઉપયોગ સતત હોય, તો કેટલીક વસ્તુઓનું ઉત્પાદન સતત…

વધુ વાંચો >

ગોદાર્દ, ઝાં-લૂક

Feb 15, 1994

ગોદાર્દ, ઝાં-લૂક (જ. 3 ડિસેમ્બર 1930, પૅરિસ, ફ્રાંસ; અ. 13 સપ્ટેમ્બર 2022, રોલે, સ્વીટ્ઝર્લેન્ડ) : આધુનિકતાના નવા મોજા (new wave) માટે જાણીતા ફ્રેન્ચ ફિલ્મસર્જક, દિગ્દર્શક અને પટકથાલેખક. શિક્ષણ ન્યોં(સ્વિટ્ઝર્લૅન્ડ)માં અને પૅરિસમાં લીધેલું. પ્રથમ લગ્ન અભિનેત્રી અન્ના કરીના સાથે (1960), જે છૂટાછેડામાં પરિણમ્યું. બીજું લગ્ન એની વિઆઝેમ્સ્કી સાથે (1967), તેના પણ…

વધુ વાંચો >

ગોદાવરી નદી

Feb 15, 1994

ગોદાવરી નદી : ભારતની એક પ્રાચીન નદી. તે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પાસે પશ્ચિમઘાટના ઉત્તર છેડા પરથી ઉદગમ પામી અગ્નિદિશા તરફ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશનાં રાજ્યોમાં 1,465 કિમી. લાંબો માર્ગ કાપી બંગાળની ખાડીને મળે છે. આ નદીનો સ્રાવ પ્રદેશ 3,23,800 ચોકિમી. જેટલો છે. નદીનો ઉપરવાસ ઉનાળા દરમિયાન છીછરો બનતાં તેમાં નૌકાનયન…

વધુ વાંચો >

ગોધરા

Feb 15, 1994

ગોધરા : પંચમહાલ જિલ્લાનું જિલ્લામથક તથા તાલુકામથક તરીકેની કક્ષાવાળું શહેર. ભૌગોલિક સ્થાન : આ શહેર 22° 47´ ઉ. અ. અને 73° 37´ પૂ.રે.ની આજુબાજુનો 1019.2 ચોકિમી. તાલુકા વિસ્તાર ધરાવે છે. આ તાલુકામાં ગોધરા શહેર ઉપરાંત 162 ગામો આવેલાં છે. આ તાલુકાના સબડિવિઝનમાં ગોધરા, કાલોલ, હાલોલ, જાંબુઘોડા, લુણાવાડા અને શહેરા તાલુકાઓનો…

વધુ વાંચો >

ગોધૂલિ

Feb 15, 1994

ગોધૂલિ : ભારતીય સંસ્કૃતિમાં મહત્વ પામેલ ગાયના મહિમા વિશેની ફિલ્મ. ગ્રામજીવનની સંસ્કૃતિ અને શહેરની ‘સભ્યતા’ વચ્ચેનું અંતર પણ આમાં જોવા મળે છે. હેતુપુર:સર નિર્માણ થયેલી આ ફિલ્મ સાથે બુદ્ધિજીવીઓનો એક મોટો વર્ગ સંકળાયેલો છે. ફિલ્મનિર્માણને લગતી વિગતો આ પ્રમાણે છે : નિર્માણસંસ્થા : મહારાજા મૂવીઝ; નિર્માણવર્ષ : 1977; પટકથા-દિગ્દર્શન :…

વધુ વાંચો >