૬(૨).૧૫

ગૉથિક નવલકથાથી ગોરે, નારાયણ ગણેશ

ગોપી, એન.

ગોપી, એન. (જ. 25 જૂન 1948, ભોંગરી, જિ. નાલગોંડા, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘કાલાન્નિ નિદ્ર પોનીવ્વનુ’ માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને 1979માં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ બોર્ડ ઑવ્ સ્ટડીઝના અધ્યક્ષ અને તેલુગુ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય…

વધુ વાંચો >

ગોપીકૃષ્ણ

ગોપીકૃષ્ણ (જ. 22 ઑગસ્ટ 1935, કૉલકાતા; અ. 19 ફેબ્રુઆરી 1994, મુંબઈ) : કથક નૃત્યની બનારસ શૈલીના વિખ્યાત નર્તક. પિતા રાધાકૃષ્ણ સોંથાલિયા કૉલકાતામાં વેપાર કરતા. નાની ઉંમરમાં તેમનું અવસાન થતાં ગોપીકૃષ્ણના દાદા પંડિત સુખદેવ મહારાજની નિશ્રામાં તેમનો ઉછેર થયો હતો. પંડિત સુખદેવ મહારાજ પોતે કલાપ્રેમી હોવાથી ગોપીકૃષ્ણને બાલ્યાવસ્થામાં જ નૃત્યકલાના સંસ્કાર…

વધુ વાંચો >

ગોપીનાથ (ગુરુ)

ગોપીનાથ (ગુરુ) (જ. 24 જૂન 1908, કુતાનડ, કેરળ; અ. 10 ઑક્ટોબર 1987, એર્નાકુલમ) : કથકલીના મહાન કલાગુરુ. પિતાનું નામ કૈપલ્લી શંકર પિલ્લૈ અને માતાનું નામ પરમાનૂર માધવી અમ્મા. પરિવારમાં કથકલીની કલાપરંપરા પેઢીઓથી ઊતરી આવી હતી. માતૃભાષા મલયાળમમાં ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો; પરંતુ તેમને કથકલી નૃત્યશૈલીમાં ઉત્કટ રસ હતો. આથી…

વધુ વાંચો >

ગોપીનાથ કવિરાજ

ગોપીનાથ કવિરાજ (જ. 7 સપ્ટેમ્બર, 1887 અ. 12 જૂન 1976) : 20મી સદીના આધ્યાત્મિક જ્ઞાન-વિજ્ઞાનના ઋષિતુલ્ય પંડિત પ્રવર. એમનો જન્મ મોસાળમાં હાલના બંગલા દેશમાં ઢાકા જિલ્લાના ધામરાઈ ગામમાં થયો હતો. પિતાનું નામ ગોકુલનાથ કવિરાજ હતું. બાલ્યાવસ્થામાં માતા-પિતાનો સ્વર્ગવાસ થયેલ હોઈ મામા કાલાચંદ સાન્યાલને ત્યાં કાંટાલિયા(જિ. મૈમનસિંહ)માં લાલનપાલન થયું. પ્રારંભિક શિક્ષણ…

વધુ વાંચો >

ગોપુરમ્

ગોપુરમ્ : નગરદ્વાર કે મંદિરનું પ્રવેશદ્વાર. ‘પુર’ના પ્રવેશદ્વાર તરીકે રામાયણમાં ‘ગોપુરમ્’ શબ્દ પ્રયોજાયો છે. જે દ્વારેથી ગાયો ચરવા નીકળતી હોય તેને આર્યો પોતાની વસાહતમાં ગોપુરમ્ તરીકે ઓળખાવતા હોવા જોઈએ. સમય જતાં ગ્રામ અને નગરોનાં નિશ્ચિત પ્રવેશદ્વારોનું એવું નામાભિધાન થવા માંડ્યું હશે, પણ પછી દક્ષિણ ભારતનાં મંદિરોનાં પ્રવેશદ્વારો એ રીતે ઓળખાવા…

વધુ વાંચો >

ગોપુરમ્ – મદુરાઈ

ગોપુરમ્ – મદુરાઈ : તમિલનાડુના વૈગઈ નદીના જમણા કાંઠા પર વસેલા સાંસ્કૃતિક નગર મદુરાઈના મીનાક્ષી સુંદરેશ્વરનાં જોડિયાં મંદિરનાં દ્વાર. સુંદરેશ્વર એટલે શિવ અને મીનાક્ષી એ તેમની અર્ધાંગિની. આ બંનેનાં મંદિરો અહીં સાથે બંધાયેલાં છે. જૂના મદુરાઈ શહેરની મધ્યમાં આ મંદિરો આવેલાં છે. પાંડ્ય રાજાએ તેમના શાસનકાળ દરમિયાન બંધાવેલી મૂળ વસ્તુ…

વધુ વાંચો >

ગૉફ ટાપુ

ગૉફ ટાપુ : આફ્રિકા તથા દક્ષિણ અમેરિકા ભૂમિખંડો વચ્ચેના દક્ષિણ આટલાન્ટિક મહાસાગરમાં આશરે 40° 20´ દ. અ. અને 10° 00´ પ. રે. પર આવેલો બ્રિટનના તાબાનો ટાપુ. તે દક્ષિણ આટલાન્ટિક મહાસાગરમાં આવેલા ટ્રિસ્ટાન દા કુન્હા જૂથના ત્રણ નાના નાના ટાપુઓથી લગભગ 400 કિમી. દૂર દક્ષિણ-પૂર્વમાં આવેલો છે. ઈ. સ. 1938થી…

વધુ વાંચો >

ગોબર-ગૅસ

ગોબર-ગૅસ : વાયુની અનુપસ્થિતિમાં અવાતજીવી (anaerobic) બૅક્ટેરિયા દ્વારા ગોબર પર આથવણ (fermentative) પ્રક્રિયા થતાં મુક્ત થતો બળતણ માટેનો ગૅસ. ગોબર-ગૅસ મેળવવા મુખ્યત્વે કાચા માલ તરીકે છાણ વાપરવામાં આવે છે અને તેમાં ઘાસ, પાંદડાં, ઝાડની ડાળી, સડેલાં શાકભાજી, ફળ વગેરે પણ ભેળવવામાં આવે છે. ગૅસમાં આશરે 50 % મિથેન અને 45…

વધુ વાંચો >

ગોબીનું રણ

ગોબીનું રણ : મધ્ય એશિયાના મૉંગોલિયામાં આવેલ રણ અને અર્ધરણનો સૂકો વિસ્તાર. મૉંગોલિયન ભાષામાં ‘ગોબી’નો અર્થ ‘જળવિહીન સ્થળ’ થાય છે. પ્રદેશ સાવ સૂકો અને વરસાદનું પ્રમાણ નહિવત્ હોવાથી આ નામ મળ્યું હશે. આ રણ 1,600 કિમી. લાંબું અને સ્થાનભેદે 480–965 કિમી. પહોળું છે. તેનો કુલ વિસ્તાર 13,00,000 ચોકિમી. છે. તેનો…

વધુ વાંચો >

ગોબેલ, કાર્લ (ઇમેન્યુઅલ એબેરહાર્ડ)

ગોબેલ, કાર્લ (ઇમેન્યુઅલ એબેરહાર્ડ) (જ. 8 માર્ચ 1855, બીલીઘેઇમ, બાડેન; અ. 9 ઑક્ટોબર 1932, મ્યૂનિક) : ઓગણીસમી સદીના જર્મનીના અગ્રણ્ય વનસ્પતિવિદ. વિલ્હેલ્મ હૉફમેસ્ટિર, હેઇનરીચએન્ટોન-ડી-બેરી અને જુલિયસ વૉન સેરસ તેમના ગુરુ હતા. તેમની પાસે અભ્યાસ કરીને ગોબેલ કાર્લે 1877માં ડૉક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી. ઘણીબધી જગ્યાએ શિક્ષક તરીકેની સેવા આપ્યા બાદ 1891માં…

વધુ વાંચો >

ગૉથિક નવલકથા

Feb 15, 1994

ગૉથિક નવલકથા : અઢારમી સદીના ઉત્તરાર્ધમાં અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં પશ્ચિમી દેશોમાં લોકપ્રિય નીવડેલી વીરશૃંગારરસની કથા. ‘ગૉથિક’નો કઢંગું, અસંસ્કૃત, અસંસ્કારી કે અણઘડ એવો અર્થ કરવામાં આવતો. અઢારમી સદીના પૂર્વાર્ધના નવપ્રશિષ્ટવાદ(neoclassicism)ની અતિશય ધીરગંભીરતાના પ્રત્યાઘાત રૂપે લેખકોને આ સાહિત્યપ્રકારનું આકર્ષણ જાગ્યું. આ નવલકથાઓમાં ભયંકર, રહસ્યરંગી તથા લોકોત્તર પાત્રો-પ્રસંગો આલેખવામાં આવતાં. તે માટે…

વધુ વાંચો >

ગૉથિક રિવાઇવલ 

Feb 15, 1994

ગૉથિક રિવાઇવલ  (ઈ.સ. અઢારમી-ઓગણીસમી સદી) : પાશ્ચાત્ય દેશોના સ્થાપત્યના સંદર્ભમાં ગૉથિક શૈલીની સ્થાપત્યકલાનો પુન:પ્રસાર. આ સમય દરમિયાન ગૉથિક શૈલીનો મકાનોનાં આયોજનમાં ખૂબ જ પ્રભાવ રહ્યો, જે તત્કાલીન શૈલીઓથી અલગ વિચારધારા દર્શાવતો હતો. ખાસ કરીને ઇંગ્લૅન્ડમાં અઢારમી સદીથી આની અસર સારી પ્રસરેલી હતી અને તેના દ્વારા ભારતમાં પણ અંગ્રેજ સમયનાં બાંધકામોમાં…

વધુ વાંચો >

ગૉથિક સ્થાપત્ય

Feb 15, 1994

ગૉથિક સ્થાપત્ય : પશ્ચિમ યુરોપમાં મધ્યકાલના ઉત્તર ભાગમાં રોમનસ્ક અને બાઇઝેન્ટાઇન કલાસ્વરૂપોમાંથી ઉદભવેલ સ્થાપત્યશૈલી. તે સોળમી સદીમાં પુનર્જાગૃતિકાળ સાથે સમાપ્ત થઈ. અનેક ઉત્તમ દેવળોનું બાંધકામ આ શૈલીમાં થયું છે. તેમાં ઉપરના ભાગ સીધી ધારવાળી કમાન સાથે ખૂબ ઊંચા બાંધેલા હોય, એ એની વિશિષ્ટતા હતી. મોટા વજનદાર પથ્થરો અને સ્તંભો વગેરેથી…

વધુ વાંચો >

ગોદરેજ અદી

Feb 15, 1994

ગોદરેજ અદી (જન્મ 3 એપ્રિલ, 1942 -) : પ્રસિદ્ધ ભારતીય સાહસિક ઉદ્યોગપતિ, ગોદરેજ ગ્રૂપના ચૅરમૅન. વર્ષ 2021માં ગોદરેજ ગ્રૂપના ચૅરમૅન તરીકે નિવૃત્તિ જાહેર કરી હતી. ત્યારબાદ તેમને સન્માનીય ચૅરમૅન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પિતા બુર્જોજી ગોદરેજ. માતા જય ગોદરેજ. પત્ની પરમેશ્વર ગોદરેજ. પરમેશ્વર ગોદરેજ પ્રસિદ્ધ સેલિબ્રિટી હતાં, જેનું વર્ષ…

વધુ વાંચો >

ગોદાન

Feb 15, 1994

ગોદાન (1936) : મુનશી પ્રેમચંદની હિંદી નવલકથા. હિંદીની તે સર્વાધિક લોકપ્રિય નવલકથા છે. એમાં મુખ્ય કથાનક હોરીના મુખ્ય પાત્ર દ્વારા નિરૂપાયેલું ગ્રામીણ ખેડૂતનું છે. ગ્રામજીવનની પડખે એમણે પ્રોફેસર મહેતા, મહિલા ડૉક્ટર માલતી, મિલમાલિક ખન્ના તથા એની પત્ની ગોવિંદી દ્વારા શહેરી જીવનની ઉપકથા પણ સાંકળી છે, જેથી સાંપ્રતકાલીન બંને પ્રકારના વિરોધની…

વધુ વાંચો >

ગોદામ

Feb 15, 1994

ગોદામ : વેચાણપાત્ર માલને સંઘરવાનું અને જાળવવાનું સ્થળ. વર્તમાન યુગમાં ઉપભોક્તાઓની માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન થતું હોવાથી, વસ્તુના ઉત્પાદન અને ઉપભોગ વચ્ચેના સમયગાળામાં માલના સંગ્રહ અને જાળવણીના હેતુસર ગોદામો ઉપયોગી બને છે. કેટલીક વાર અમુક વસ્તુઓનું ઉત્પાદન મોસમી હોય પણ ઉપયોગ સતત હોય, તો કેટલીક વસ્તુઓનું ઉત્પાદન સતત…

વધુ વાંચો >

ગોદાર્દ, ઝાં-લૂક

Feb 15, 1994

ગોદાર્દ, ઝાં-લૂક (જ. 3 ડિસેમ્બર 1930, પૅરિસ, ફ્રાંસ; અ. 13 સપ્ટેમ્બર 2022, રોલે, સ્વીટ્ઝર્લેન્ડ) : આધુનિકતાના નવા મોજા (new wave) માટે જાણીતા ફ્રેન્ચ ફિલ્મસર્જક, દિગ્દર્શક અને પટકથાલેખક. શિક્ષણ ન્યોં(સ્વિટ્ઝર્લૅન્ડ)માં અને પૅરિસમાં લીધેલું. પ્રથમ લગ્ન અભિનેત્રી અન્ના કરીના સાથે (1960), જે છૂટાછેડામાં પરિણમ્યું. બીજું લગ્ન એની વિઆઝેમ્સ્કી સાથે (1967), તેના પણ…

વધુ વાંચો >

ગોદાવરી નદી

Feb 15, 1994

ગોદાવરી નદી : ભારતની એક પ્રાચીન નદી. તે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પાસે પશ્ચિમઘાટના ઉત્તર છેડા પરથી ઉદગમ પામી અગ્નિદિશા તરફ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશનાં રાજ્યોમાં 1,465 કિમી. લાંબો માર્ગ કાપી બંગાળની ખાડીને મળે છે. આ નદીનો સ્રાવ પ્રદેશ 3,23,800 ચોકિમી. જેટલો છે. નદીનો ઉપરવાસ ઉનાળા દરમિયાન છીછરો બનતાં તેમાં નૌકાનયન…

વધુ વાંચો >

ગોધરા

Feb 15, 1994

ગોધરા : પંચમહાલ જિલ્લાનું જિલ્લામથક તથા તાલુકામથક તરીકેની કક્ષાવાળું શહેર. ભૌગોલિક સ્થાન : આ શહેર 22° 47´ ઉ. અ. અને 73° 37´ પૂ.રે.ની આજુબાજુનો 1019.2 ચોકિમી. તાલુકા વિસ્તાર ધરાવે છે. આ તાલુકામાં ગોધરા શહેર ઉપરાંત 162 ગામો આવેલાં છે. આ તાલુકાના સબડિવિઝનમાં ગોધરા, કાલોલ, હાલોલ, જાંબુઘોડા, લુણાવાડા અને શહેરા તાલુકાઓનો…

વધુ વાંચો >

ગોધૂલિ

Feb 15, 1994

ગોધૂલિ : ભારતીય સંસ્કૃતિમાં મહત્વ પામેલ ગાયના મહિમા વિશેની ફિલ્મ. ગ્રામજીવનની સંસ્કૃતિ અને શહેરની ‘સભ્યતા’ વચ્ચેનું અંતર પણ આમાં જોવા મળે છે. હેતુપુર:સર નિર્માણ થયેલી આ ફિલ્મ સાથે બુદ્ધિજીવીઓનો એક મોટો વર્ગ સંકળાયેલો છે. ફિલ્મનિર્માણને લગતી વિગતો આ પ્રમાણે છે : નિર્માણસંસ્થા : મહારાજા મૂવીઝ; નિર્માણવર્ષ : 1977; પટકથા-દિગ્દર્શન :…

વધુ વાંચો >