૬(૨).૧૫

ગૉથિક નવલકથાથી ગોરે, નારાયણ ગણેશ

ગૉથિક નવલકથા

ગૉથિક નવલકથા : અઢારમી સદીના ઉત્તરાર્ધમાં અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં પશ્ચિમી દેશોમાં લોકપ્રિય નીવડેલી વીરશૃંગારરસની કથા. ‘ગૉથિક’નો કઢંગું, અસંસ્કૃત, અસંસ્કારી કે અણઘડ એવો અર્થ કરવામાં આવતો. અઢારમી સદીના પૂર્વાર્ધના નવપ્રશિષ્ટવાદ(neoclassicism)ની અતિશય ધીરગંભીરતાના પ્રત્યાઘાત રૂપે લેખકોને આ સાહિત્યપ્રકારનું આકર્ષણ જાગ્યું. આ નવલકથાઓમાં ભયંકર, રહસ્યરંગી તથા લોકોત્તર પાત્રો-પ્રસંગો આલેખવામાં આવતાં. તે માટે…

વધુ વાંચો >

ગૉથિક રિવાઇવલ 

ગૉથિક રિવાઇવલ  (ઈ.સ. અઢારમી-ઓગણીસમી સદી) : પાશ્ચાત્ય દેશોના સ્થાપત્યના સંદર્ભમાં ગૉથિક શૈલીની સ્થાપત્યકલાનો પુન:પ્રસાર. આ સમય દરમિયાન ગૉથિક શૈલીનો મકાનોનાં આયોજનમાં ખૂબ જ પ્રભાવ રહ્યો, જે તત્કાલીન શૈલીઓથી અલગ વિચારધારા દર્શાવતો હતો. ખાસ કરીને ઇંગ્લૅન્ડમાં અઢારમી સદીથી આની અસર સારી પ્રસરેલી હતી અને તેના દ્વારા ભારતમાં પણ અંગ્રેજ સમયનાં બાંધકામોમાં…

વધુ વાંચો >

ગૉથિક સ્થાપત્ય

ગૉથિક સ્થાપત્ય : પશ્ચિમ યુરોપમાં મધ્યકાલના ઉત્તર ભાગમાં રોમનસ્ક અને બાઇઝેન્ટાઇન કલાસ્વરૂપોમાંથી ઉદભવેલ સ્થાપત્યશૈલી. તે સોળમી સદીમાં પુનર્જાગૃતિકાળ સાથે સમાપ્ત થઈ. અનેક ઉત્તમ દેવળોનું બાંધકામ આ શૈલીમાં થયું છે. તેમાં ઉપરના ભાગ સીધી ધારવાળી કમાન સાથે ખૂબ ઊંચા બાંધેલા હોય, એ એની વિશિષ્ટતા હતી. મોટા વજનદાર પથ્થરો અને સ્તંભો વગેરેથી…

વધુ વાંચો >

ગોદરેજ, અરદેશર

ગોદરેજ, અરદેશર  (જ. 1868, અ. 1936, મુંબઈ) : ગોદરેજ ઔદ્યોગિક સામ્રાજ્યના સ્થાપક. વીસમી સદીના મહાન પારસી ઉદ્યોગપતિ. ભારતમાં તાળાં ઉદ્યોગમાં પરિવર્તનનો પવન ફૂંકનાર સ્વદેશી ઉદ્યોગપતિ. ભારતમાં તિજોરીનો પર્યાય બનેલી ગોદરેજની તિજોરીના નિર્માતા. દુનિયામાં પહેલી વાર વનસ્પતિ સાબુ બનાવીને સાબુઉદ્યોગમાં એક નવો જ ચીલો ચાતરનાર ઇનૉવેટર. વ્યક્તિગત રીતે કરકસરમાં માનતા, પરંતુ…

વધુ વાંચો >

ગોદરેજ અદી

ગોદરેજ અદી (જ. 3 એપ્રિલ, 1942, મુંબઇ -) : પ્રસિદ્ધ ભારતીય સાહસિક ઉદ્યોગપતિ, ગોદરેજ ગ્રૂપના ચૅરમૅન. વર્ષ 2021માં ગોદરેજ ગ્રૂપના ચૅરમૅન તરીકે નિવૃત્તિ જાહેર કરી હતી. ત્યારબાદ તેમને સન્માનીય ચૅરમૅન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પિતા બુર્જોજી ગોદરેજ. માતા જય ગોદરેજ. પત્ની પરમેશ્વર ગોદરેજ. પરમેશ્વર ગોદરેજ પ્રસિદ્ધ સેલિબ્રિટી હતાં, જેનું…

વધુ વાંચો >

ગોદાન

ગોદાન (1936) : મુનશી પ્રેમચંદની હિંદી નવલકથા. હિંદીની તે સર્વાધિક લોકપ્રિય નવલકથા છે. એમાં મુખ્ય કથાનક હોરીના મુખ્ય પાત્ર દ્વારા નિરૂપાયેલું ગ્રામીણ ખેડૂતનું છે. ગ્રામજીવનની પડખે એમણે પ્રોફેસર મહેતા, મહિલા ડૉક્ટર માલતી, મિલમાલિક ખન્ના તથા એની પત્ની ગોવિંદી દ્વારા શહેરી જીવનની ઉપકથા પણ સાંકળી છે, જેથી સાંપ્રતકાલીન બંને પ્રકારના વિરોધની…

વધુ વાંચો >

ગોદામ

ગોદામ : વેચાણપાત્ર માલને સંઘરવાનું અને જાળવવાનું સ્થળ. વર્તમાન યુગમાં ઉપભોક્તાઓની માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન થતું હોવાથી, વસ્તુના ઉત્પાદન અને ઉપભોગ વચ્ચેના સમયગાળામાં માલના સંગ્રહ અને જાળવણીના હેતુસર ગોદામો ઉપયોગી બને છે. કેટલીક વાર અમુક વસ્તુઓનું ઉત્પાદન મોસમી હોય પણ ઉપયોગ સતત હોય, તો કેટલીક વસ્તુઓનું ઉત્પાદન સતત…

વધુ વાંચો >

ગોદાર્દ, ઝાં-લૂક

ગોદાર્દ, ઝાં-લૂક (જ. 3 ડિસેમ્બર 1930, પૅરિસ, ફ્રાંસ; અ. 13 સપ્ટેમ્બર 2022, રોલે, સ્વીટ્ઝર્લેન્ડ) : આધુનિકતાના નવા મોજા (new wave) માટે જાણીતા ફ્રેન્ચ ફિલ્મસર્જક, દિગ્દર્શક અને પટકથાલેખક. શિક્ષણ ન્યોં(સ્વિટ્ઝર્લૅન્ડ)માં અને પૅરિસમાં લીધેલું. પ્રથમ લગ્ન અભિનેત્રી અન્ના કરીના સાથે (1960), જે છૂટાછેડામાં પરિણમ્યું. બીજું લગ્ન એની વિઆઝેમ્સ્કી સાથે (1967), તેના પણ…

વધુ વાંચો >

ગોદાવરી નદી

ગોદાવરી નદી : ભારતની એક પ્રાચીન નદી. તે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પાસે પશ્ચિમઘાટના ઉત્તર છેડા પરથી ઉદગમ પામી અગ્નિદિશા તરફ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશનાં રાજ્યોમાં 1,465 કિમી. લાંબો માર્ગ કાપી બંગાળની ખાડીને મળે છે. આ નદીનો સ્રાવ પ્રદેશ 3,23,800 ચોકિમી. જેટલો છે. નદીનો ઉપરવાસ ઉનાળા દરમિયાન છીછરો બનતાં તેમાં નૌકાનયન…

વધુ વાંચો >

ગોધરા

ગોધરા : પંચમહાલ જિલ્લાનું જિલ્લામથક તથા તાલુકામથક તરીકેની કક્ષાવાળું શહેર. ભૌગોલિક સ્થાન : આ શહેર 22° 47´ ઉ. અ. અને 73° 37´ પૂ.રે.ની આજુબાજુનો 1019.2 ચોકિમી. તાલુકા વિસ્તાર ધરાવે છે. આ તાલુકામાં ગોધરા શહેર ઉપરાંત 162 ગામો આવેલાં છે. આ તાલુકાના સબડિવિઝનમાં ગોધરા, કાલોલ, હાલોલ, જાંબુઘોડા, લુણાવાડા અને શહેરા તાલુકાઓનો…

વધુ વાંચો >

ગોપાલ-1

Feb 15, 1994

ગોપાલ-1 (શાસનકાળ લગભગ ઈ. સ. 750–770) : પાલ વંશના આદ્ય સ્થાપક. ગોપાલ પહેલાનો જન્મ પુંડ્રવર્ધન (જિ. બોગ્રા.) નજીક બંગાળમાં થયો હતો. તેના પિતા સેનાપતિ વપ્પટે દુશ્મનોનો નાશ કર્યો હતો. પિતામહ દયિતવિષ્ણુ વિદ્વાન હતા. બંગાળમાં ઈ. સ.ની આઠમી સદીમાં ફેલાયેલી અરાજકતાથી કંટાળીને પ્રજાએ રાજા તરીકે ગોપાલની પસંદગી કરી. પાલ રાજાઓ બંગપતિ…

વધુ વાંચો >

ગોપાલ-2

Feb 15, 1994

ગોપાલ-2 (ઈ. સ.ની દસમી સદી) : બંગાળના પાલ વંશનો સાતમો અને નબળો રાજા. દસમી સદીની મધ્યમાં બંગાળનું પતન થઈ રહ્યું હતું. રાજ્યપાલ, તેના પુત્ર ગોપાલ બીજાએ અને તેના પુત્ર વિગ્રહપાલે લગભગ 80 વર્ષ બંગાળ ઉપર રાજ્ય કર્યું. દસમી સદીની મધ્યમાં કંબોજે પાલ રાજા પાસેથી ગંડ જીતી લીધું અને ત્યાં પોતાની…

વધુ વાંચો >

ગોપાલ-3

Feb 15, 1994

ગોપાલ-3 (ઈ. સ.ની બારમી સદી) : બંગાળના પાલવંશનો સોળમો રાજા. તેના પિતા કુમારપાલના સમયમાં રાજ્યમાં અનેક મુશ્કેલીઓનું સર્જન થયું હતું. ઈ. સ. 1125માં કુમારપાલનું અવસાન થતાં ગોપાલ ત્રીજાના હાથમાં ભંગાર હાલતમાં રાજ્ય આવ્યું. ગોપાલ ત્રીજાએ ચૌદ વર્ષથી અધિક સમય રાજ્ય કર્યું. તેનું મૃત્યુ અકુદરતી રીતે થયું હતું; પરંતુ તેની કોઈ…

વધુ વાંચો >

ગોપાલક ઉપગ્રહ (shephard satellite)

Feb 15, 1994

ગોપાલક ઉપગ્રહ (shephard satellite) : Sheepdog તરીકે ઓળખાતો ઉપગ્રહ. શનિનાં વલયોની પાસે પાસે ઘૂમતા ત્રણ નાના ઉપગ્રહો વિશેની માહિતી આપણને 1980–81માં વૉયેજર–1 અને વૉયેજર–2 અંતરીક્ષયાનોએ આપી છે. શનિના A–વલયની બહારની કિનારીથી લગભગ 4000 કિમી.ને અંતરે એક અતિશય પાતળું F–વલય આવેલું છે. તેની કેટલીક ‘સેર’ એકબીજી સાથે અંદરોઅંદર ગૂંથાયેલી જણાઈ છે.…

વધુ વાંચો >

ગોપાલકૃષ્ણન, અદૂર

Feb 15, 1994

ગોપાલકૃષ્ણન, અદૂર (જ. 3 જુલાઈ 1941, અદૂર, કેરળ) : મલયાળમ ચલચિત્રોના વિખ્યાત દિગ્દર્શક, પટકથા અને સંવાદલેખક તથા નિર્માતા. જન્મ કેરળના જમીનદાર કુટુંબમાં. કેરળની જાણીતી ગાંધીગ્રામ સંસ્થાના અર્થશાસ્ત્ર-રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક. શાળામાં ભણતા ત્યારથી ચલચિત્ર કરતાં નાટકમાં વિશેષ રસ. આઠ વર્ષની ઉંમરે એક નાટકમાં ગૌતમ બુદ્ધની ભૂમિકા ભજવી અને તે દ્વારા…

વધુ વાંચો >

ગોપાલગંજ

Feb 15, 1994

ગોપાલગંજ : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 12´થી 26° 39´ ઉ. અ. અને 83° 54´થી 84° 55´ પૂ. રે.ની વચ્ચેનો 2,033 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્યે ઉત્તરપ્રદેશનો દેવરિયા જિલ્લો અને ઉત્તરે બિહારનો પશ્ચિમ ચંપારણ જિલ્લો,…

વધુ વાંચો >

ગોપાલન્, એ. કે.

Feb 15, 1994

ગોપાલન્, એ. કે. (જ. 1 ઑક્ટોબર 1902, માલિવયી, કેરળ; અ. 21 માર્ચ 1977, તિરુવનંથપુરમ્) : માર્કસવાદી સામ્યવાદી પક્ષના નેતા તથા અગ્રણી સાંસદ. સામંતશાહી કુટુંબમાં જન્મ. પિતા પ્રગતિશીલ વિચારસરણીના મલયાળમ સાપ્તાહિકોના તંત્રી. તેમણે એક માધ્યમિક શાળા શરૂ કરેલી. તેઓ તાલુકા બોર્ડના ચૂંટાયેલા સભ્ય પણ હતા. માતા તરફથી જાહેર પ્રવૃત્તિ માટે પ્રોત્સાહન…

વધુ વાંચો >

ગોપાલપુર

Feb 15, 1994

ગોપાલપુર : ઓડિસાના ગંજામ જિલ્લામાં ઈશાન ખૂણે બંગાળની ખાડી ઉપર આવેલું પરાદીપ પછીનું રાજ્યનું એકમાત્ર ખુલ્લું બંદર. ચોમાસામાં 15મી મેથી 15મી સપ્ટેમ્બર દરમિયાન બંદર વાહનવ્યવહાર માટે બંધ રહે છે. કાંઠાથી 0.8 કિમી. દૂર 9.15 મી. જેટલું ઊંડું પાણી રહે છે. કાંઠાથી 1.2 કિમી. દૂર લંગરસ્થાન છે. અહીં પાણીની ઊંડાઈ 13.6…

વધુ વાંચો >

ગોપાલ ભાંડ (સોળમી શતાબ્દી)

Feb 15, 1994

ગોપાલ ભાંડ (સોળમી શતાબ્દી) : બંગાળી લોકકથાનું પાત્ર. અઢારમી સદીના મધ્યભાગ દરમિયાન નવદ્વીપના રાજા કૃષ્ણચન્દ્ર રાયનો તીવ્ર બુદ્ધિ ધરાવતો વિખ્યાત દરબારી. રાજાને જ્યારે જ્યારે કોઈ સમસ્યાના ઉકેલમાં મૂંઝવણ થતી, ત્યારે ગોપાલ ભાંડની સલાહ પ્રમાણે સમસ્યા ઉકેલતા. અકબરના દરબારના બીરબલ અથવા દક્ષિણના તેનાલીરામ જેવી જ એની પ્રતિભા હતી. એ પોતાની અવનવી…

વધુ વાંચો >

ગોપાલસ્વામી, એન.

Feb 15, 1994

ગોપાલસ્વામી, એન. (જ. 21 એપ્રિલ નિડામંગલમ્, તમિલનાડુ) : ભારતના મુખ્ય ચૂંટણી-અધિકારી. શાલેય શિક્ષણ તેમણે મન્નારગુડી ખાતે મેળવ્યું. તેઓ તિરુચિરાપલ્લીની સેંટ જૉસેફ કૉલેજમાંથી રસાયણશાસ્ત્રના સ્નાતક બન્યા. દિલ્હી યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રના અનુસ્નાતક બની આ વિષયનો સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. ત્યારબાદ લંડન યુનિવર્સિટી ખાતે અર્બન ડેવલપમેન્ટ પ્લાનિંગનો અભ્યાસ કરી તેમણે ડિપ્લોમા હાંસલ કર્યો. સરકારી સેવામાં…

વધુ વાંચો >