૨૨.૦૪

સત્યનારાયણ વિશ્વનાથથી સપ્તક

સત્યનારાયણ વિશ્ર્વનાથ

સત્યનારાયણ વિશ્વનાથ (જ. 1895, નંદમુર, જિ. ક્રિશ્ન, આંધ્રપ્રદેશ; અ. 1976) : તેલુગુ ભાષાના સુવિખ્યાત કવિ અને લેખક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘વિશ્વનાથ મધ્યક્કારલુ’ માટે 1962ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં જન્મ. તેમની માતૃભાષા તેલુગુ હોવા સાથે તેઓ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના વિદ્વાન હતા. કૉલેજશિક્ષણ ચેન્નાઈમાં…

વધુ વાંચો >

સત્યપ્રકાશ

સત્યપ્રકાશ : જુઓ કરસનદાસ મૂળજી

વધુ વાંચો >

સત્યભામા

સત્યભામા : શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓ પૈકીની બીજી પટરાણી જે યાદવ રાજા સત્રાજિતની કન્યા હતી. સત્રાજિતને સૂર્ય પાસેથી સ્યમંતક મણિ પ્રાપ્ત થયો હતો, જે ચોરાઈ જતાં સત્રાજિતે ચોરીનો જૂઠો આરોપ શ્રીકૃષ્ણને માથે નાખ્યો પરંતુ જ્યારે ખબર પડી કે શ્રીકૃષ્ણ નિર્દોષ છે તો એણે શ્રીકૃષ્ણની ક્ષમા માગી અને પોતાની કન્યા સત્યભામાના લગ્ન…

વધુ વાંચો >

સત્યમૂર્તિ, એસ.

સત્યમૂર્તિ, એસ. (જ. 19 ઑગસ્ટ 1887, થિરુમયમ્, તિરુચિરાપલ્લી જિલ્લો, તામિલનાડુ; અ. 20 માર્ચ 1943, ચેન્નાઈ) : સ્વાધીનતાસેનાની, કાયદાશાસ્ત્રી અને આઝાદી પૂર્વેના દક્ષિણ ભારતના અગ્રણી રાજકીય નેતા. તેમના પિતા વકીલાત કરતા. પિતાના સૂક્ષ્મ નિરીક્ષણ અને માર્ગદર્શન હેઠળ સત્યમૂર્તિનું ઘડતર થયેલું. પ્રાથમિક શિક્ષણ વતનમાં પૂરું કર્યા પછી તેમણે ઉચ્ચશિક્ષણ પદુકોટ્ટા ખાતેની મહારાજા…

વધુ વાંચો >

સત્યવતી

સત્યવતી : વેદવ્યાસનાં માતા જેના પાછળથી રાજા શાંતનુ સાથે લગ્ન થયાં. એમને ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામે બે પુત્રો જન્મ્યા. સત્યવતીના જન્મ અંગેની કથા એવી છે કે, એની માતા અદ્રિકા, જે અપ્સરા હતી તે બ્રહ્માજીના શાપને કારણે માછલી બની ગઈ હતી. માછીમારોએ એ માછલીનું પેટ ચીર્યું તો એમાંથી સત્યવતી નીકળી. તેના…

વધુ વાંચો >

સત્યવતીદેવી (બહેન)

સત્યવતીદેવી (બહેન) (જ. 26 જાન્યુઆરી 1906, વી. તલવાન, જાલંધર; અ. ? ઑક્ટોબર 1945) : મહિલા-આંદોલનકાર અને શ્રમજીવી વર્ગનાં નેત્રી. ગાંધીજીએ તેમને ‘તૂફાની બહેન’ તરીકે ઓળખાવેલાં. પિતા જાણીતા સામાજિક કાર્યકર હતા. આર્યસમાજી નેતા સ્વામી શ્રદ્ધાનંદના તેઓ ભાણેજ હતા. દિલ્હીના બલભદ્ર વિદ્યાલંકાર સાથે તેઓ આંતરજ્ઞાતીય લગ્નથી જોડાયેલાં હતાં. રાજધાની દિલ્હીમાં તેઓ એફ.…

વધુ વાંચો >

સત્યાગ્રહ આશ્રમ કોચરબ

સત્યાગ્રહ આશ્રમ, કોચરબ : સત્ય ને અહિંસા દ્વારા રાષ્ટ્રસેવા કરી શકાય તે માટેની સુવિધા પૂરી પાડવા ગાંધીજીએ સ્થાપેલી સંસ્થા. ઈ. સ. 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવીને ગાંધીજીએ સાબરમતી નદીને કિનારે અમદાવાદના કોચરબ ગામમાં બૅરિસ્ટર જીવણલાલ વ્રજલાલ દેસાઈના ભાડાના બંગલામાં 20મી મેના દિવસે આશ્રમનું વાસ્તુ કર્યું. 22મી મેના દિવસે દક્ષિણ આફ્રિકાથી…

વધુ વાંચો >

સત્યાગ્રહ

સત્યાગ્રહ : અહિંસાના સાધન વડે સત્યની સ્થાપના કરવાની ગાંધીજીએ દેખાડેલી રીત. અસત્ય, અન્યાય કે અત્યાચારનો અહિંસાની શક્તિ વડે પ્રતિકાર કરી વ્યક્તિગત કે સામાજિક સંબંધોમાં સત્ય, ન્યાય કે સમત્વ પ્રતિષ્ઠિત કરવા પાછળ સત્ય અને પ્રેમનું તત્ત્વજ્ઞાન તથા અહિંસા અને સ્વેચ્છાથી કષ્ટ સહન કરવાનાં તંત્ર કે પ્રક્રિયા બંનેનો સમાવેશ થાય છે. દક્ષિણ…

વધુ વાંચો >

સત્યાગ્રહ (સામયિક)

સત્યાગ્રહ (સામયિક) : રાષ્ટ્રીય સમુત્થાન માટેનું ગાંધીમાર્ગીય સાપ્તાહિક વિચારપત્ર. 1936માં ગૂજરાત વિદ્યાપીઠના દસમા પદવીદાન સમારંભમાં સૌથી પ્રથમ ‘પારંગત’ની પદવી જેમણે ગાંધીજીના હસ્તે મેળવી હતી તેમણે તે વખતે ‘સત્યાગ્રહની મીમાંસા’ નામનો મહાનિબંધ લખીને આ પદવી મેળવી હતી. આ પદવી મેળવનાર મગનભાઈ પ્રભુદાસ દેસાઈ જ્યારે 1961માં ગૂજરાત વિદ્યાપીઠના મહામાત્ર અને મહાદેવ દેસાઈ…

વધુ વાંચો >

સત્યાર્થી, કૈલાશ (Satyarthi, Kailash)

સત્યાર્થી, કૈલાશ (Satyarthi, Kailash) (જ. 11 જાન્યુઆરી 1954, વિદિશા, મધ્યપ્રદેશ, ભારત) : 2014ના નોબેલ શાંતિ પુરસ્કાર મલાલા યૂસૂફઝાઈ (પાકિસ્તાન) સાથે મેળવનાર ભારતીય સમાજસેવક – બાળમજૂરોના મુક્તિદાતા. માતા ચિરાંજીદેવી. પિતા રામપ્રસાદ શર્મા પોલીસ અધિકારી હતા. તેમનાં સૌથી મોટાં ભાભી કૈલાસ સત્યાર્થીના જીવનમાં ભાભીમા તરીકે ઊંચું સ્થાન ધરાવે છે. તેઓ સુખી અને…

વધુ વાંચો >

સદાનીરા

Jan 4, 2007

સદાનીરા : પ્રાચીન ગ્રંથો મુજબ ઉત્તર ભારતમાં વિદેહ અને કોશલની સરહદ પરની એક નદી. તેનું નામ નારાયણી અને શાલગ્રામી પણ મળે છે. તેનું પાણી સદા માટે પવિત્ર રહે છે, તેથી તેનું નામ સદાનીરા પડ્યું. સદા ભરપૂર પાણી રહેવાથી પણ આ નામ પ્રચલિત થયું. પટણાની પાસે ગંગી નદીને મળે છે તે…

વધુ વાંચો >

સદારંગ–અધારંગ

Jan 4, 2007

સદારંગ-અધારંગ : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ખ્યાલગાયનના પ્રવર્તક. સદારંગ-અધારંગ આ બે ભાઈઓનાં તખલ્લુસ છે, જે નામથી તેમણે શાસ્ત્રીય સંગીતમાં ખ્યાલ ગાયકી પર આધારિત ધ્રુપદોની રચના કરી હતી. તેમનાં મૂળ નામ ન્યામતખાં તથા ફીરોઝખાં હતાં અને આ બંને ભાઈઓ દિલ્હીના મહંમદશહા(1719-1748)ના દરબારમાં રાજગાયકો હતા. તે બંને બીનવાદનમાં નિપુણ હતા. તેમના પિતાનું નામ…

વધુ વાંચો >

સદારંગાણી, હરુદાસ ઈસરદાસ

Jan 4, 2007

સદારંગાણી, હરુદાસ ઈસરદાસ (જ. 22 ઑક્ટોબર, 1913, શહેદાદપુર, જિ. નવાબશાહ, સિંધ; અ. 7 ડિસેમ્બર, 1992, દિલ્હી) : ‘ખાદિમ’ તખલ્લુસ ધરાવતા સિંધી કવિ અને ફારસી વિદ્વાન. તેમને તેમના મુક્તકસંગ્રહ ‘ચીખ’ (‘અ શ્રિક’, 1977) બદલ 1978ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1938માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ફારસીમાં એમ.એ.ની પદવી મેળવ્યા બાદ…

વધુ વાંચો >

સદાશિવ રામચંદ્ર

Jan 4, 2007

સદાશિવ રામચંદ્ર (શાસનકાળ : 1758-1760) : પેશવા બાલાજી બાજીરાવે 1758થી 1760 સુધી, ત્રણ વર્ષ માટે નીમેલો ગુજરાતનો સૂબો. તેણે હવાલો સંભાળ્યા પછી, કાજીના હોદ્દા પરથી ગુલામ હુસેનખાનને ખસેડી, તેના સ્થાને મુહમ્મદ રૂકન ઉલ્હક્ક ખાનને નીમ્યો. સદાશિવે મરાઠાઓના સિક્કા પુન: ચાલુ કર્યા. તેણે પ્રત્યેક હોદ્દા પર તથા મહેલોમાં અમલદારની નિમણૂક કરી.…

વધુ વાંચો >

સદ્ગુણ

Jan 4, 2007

સદ્ગુણ : સારા ગુણો. ધર્મશાસ્ત્રમાં ષડ્વિધ ધર્મોમાં સામાન્ય ધર્મો માનવીમાં અપેક્ષિત સદાચાર માટેના આવદૃશ્યક સદ્ગુણો ગણાવે છે. ‘સદ્ગુણ’ શબ્દ દુર્ગુણોનો અભાવ અભિવ્યંજિત કરે છે. ઋગ્વેદ (7/104/12)માં કહ્યું છે કે, ‘જે સત્ય અને ઋજુ છે તેની સોમ રક્ષા કરે છે’. આથી જ શતપથ બ્રાહ્મણ (1/1/1) સત્ય સંભાષણનો આગ્રહ રાખે છે. તૈત્તિરીયોપનિષદની…

વધુ વાંચો >

સદગુરુ જગ્ગી વાસુદેવ

Jan 4, 2007

સદગુરુ જગ્ગી વાસુદેવ (જ. 3 સપ્ટેમ્બર 1957, મહિસુર, કર્ણાટક) : ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક અને પ્રમુખ. પિતાનું નામ ડૉ. વાસુદેવ અને માતાનું નામ સુશીલા વાસુદેવ. બાળપણથી જ જગ્ગી અત્યંત સાહસિક હતા. ઘરની નજીક આવેલા જંગલમાં બાળક જગ્ગી વારંવાર જતા. બાળક તરીકે જગ્ગીને પ્રકૃતિ સાથે અનોખો લગાવ હતો. અવારનવાર એવું થતું કે…

વધુ વાંચો >

સદવિચાર પરિવાર

Jan 4, 2007

સદવિચાર પરિવાર : સમાજસેવાની વિવિધ પ્રવૃત્તિઓ કરતું એક બિનસરકારી સંગઠન. ગુજરાત તેની સ્વૈચ્છિક સેવાસંસ્થાઓ થકી ઊજળું છે. જીવદયાના પ્રભાવી મૂલ્યવાળી સમાજરચનામાં કેટલાક ‘વૈષ્ણવજનો’એ આ મૂલ્યને ઉજાગર કરવાનું મિશન સ્વીકાર્યું અને પોતપોતાની રીતે પ્રવૃત્તિઓ શરૂ કરી. શરૂમાં વ્યક્તિગત રીતે થતું કામ વિસ્તરતું ગયું તેમ તેમ સંસ્થાકીય સ્વરૂપ બંધાતું ગયું. વૈષ્ણવજનના વિચારદેહ…

વધુ વાંચો >

સધમ્પ્ટન (1) (Southampton)

Jan 4, 2007

સધમ્પ્ટન (1) (Southampton) : ઇંગ્લૅન્ડના હૅમ્પશાયર પરગણાનું શહેર, વિભાગીય મથક તેમજ ઇંગ્લિશ ખાડી પરનું બંદર. ભૌગોલિક સ્થાન : 50° 57´ ઉ. અ. અને 1° 21´ પ. રે.. તે ટેસ્ટ અને આઇચેન (Itchen) નદીઓની બે નાળ (estuaries) વચ્ચે મુખભાગ પર ભૂશિર આકારનું ભૂપૃષ્ઠ રચે છે. આઇચેન નદીના પૂર્વકાંઠા પર અગાઉના સમયમાં…

વધુ વાંચો >

સધર્લૅન્ડ, ગ્રેહામ

Jan 4, 2007

સધર્લૅન્ડ, ગ્રેહામ (Sutherland, Graham) (જ. 1903, બ્રિટન; અ. 1980, લંડન, બ્રિટન) : નિસર્ગચિત્રણા કરનાર આધુનિક બ્રિટિશ ચિત્રકાર. તેમણે શાલેય અભ્યાસ પછી રેલવે-ઇજનેર બનવાનો અભ્યાસ પડતો મૂકી લંડનની ગોલ્ડ્સ્મિથ્સ કૉલેજ ઑવ્ આર્ટમાં કલાનો અભ્યાસ કર્યો. ચિત્રકાર સૅમ્યુઅલ પામરના પ્રભાવ હેઠળ નિસર્ગનું આલેખન કરવું શરૂ કર્યું. ફોવવાદના પ્રભાવ હેઠળ તેમનાં નિસર્ગચિત્રોના રંગો…

વધુ વાંચો >

સનદી, બી. એ.

Jan 4, 2007

સનદી, બી. એ. (જ. 18 ઑગસ્ટ, 1933, શિન્ડોલી, જિ. બેલગામ, કર્ણાટક) : કન્નડ કવિ અને વિવેચક. તેમણે એમ.એ., બી.એડ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. દૂરદર્શનના અધિકારીપદેથી સેવાનિવૃત્ત થયા પછી તેઓ લેખનકાર્યમાં પ્રવૃત્ત થયેલા. તેમની માતૃભાષા ઉર્દૂ હોવા છતાં કન્નડમાં 30 ગ્રંથો આપ્યા છે. તેમના ઉલ્લેખનીય ગ્રંથોમાં ‘તાજમહલ’ (1962); ‘પ્રતિબિંબ’ (1964);  ‘ધ્રુવબિંદુ’…

વધુ વાંચો >