સનદી, બી. . (. 18 ઑગસ્ટ, 1933, શિન્ડોલી, જિ. બેલગામ, કર્ણાટક) : કન્નડ કવિ અને વિવેચક. તેમણે એમ.એ., બી.એડ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. દૂરદર્શનના અધિકારીપદેથી સેવાનિવૃત્ત થયા પછી તેઓ લેખનકાર્યમાં પ્રવૃત્ત થયેલા.

તેમની માતૃભાષા ઉર્દૂ હોવા છતાં કન્નડમાં 30 ગ્રંથો આપ્યા છે. તેમના ઉલ્લેખનીય ગ્રંથોમાં ‘તાજમહલ’ (1962); ‘પ્રતિબિંબ’ (1964);  ‘ધ્રુવબિંદુ’ (1965); ‘માને મનેજ બેલી’ (1981); ‘ગીતગુંજન’ – એ બધા કાવ્યસંગ્રહો તથા ‘જનકાવ્ય દૃષ્ટિ’ (1982); ‘ઇલ્લિસલ્લુવારુ’ (1984) – વિવેચનગ્રંથો છે.

તેમને તેમના સાહિત્યિક પ્રદાન બદલ 1962ના વર્ષનો સ્ટેટ લિટરરી ઍવૉર્ડ; 1967, 1995ના વર્ષના રાજ્ય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ; 1969ના વર્ષનો નૅશનલ ઍવૉર્ડ અને 1984ના વર્ષનો કાવ્યાનંદ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા