૨૨.૦૪

સત્યનારાયણ વિશ્વનાથથી સપ્તક

સત્યનારાયણ વિશ્ર્વનાથ

સત્યનારાયણ વિશ્વનાથ (જ. 1895, નંદમુર, જિ. ક્રિશ્ન, આંધ્રપ્રદેશ; અ. 1976) : તેલુગુ ભાષાના સુવિખ્યાત કવિ અને લેખક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘વિશ્વનાથ મધ્યક્કારલુ’ માટે 1962ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં જન્મ. તેમની માતૃભાષા તેલુગુ હોવા સાથે તેઓ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના વિદ્વાન હતા. કૉલેજશિક્ષણ ચેન્નાઈમાં…

વધુ વાંચો >

સત્યપ્રકાશ

સત્યપ્રકાશ : જુઓ કરસનદાસ મૂળજી

વધુ વાંચો >

સત્યભામા

સત્યભામા : શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓ પૈકીની બીજી પટરાણી જે યાદવ રાજા સત્રાજિતની કન્યા હતી. સત્રાજિતને સૂર્ય પાસેથી સ્યમંતક મણિ પ્રાપ્ત થયો હતો, જે ચોરાઈ જતાં સત્રાજિતે ચોરીનો જૂઠો આરોપ શ્રીકૃષ્ણને માથે નાખ્યો પરંતુ જ્યારે ખબર પડી કે શ્રીકૃષ્ણ નિર્દોષ છે તો એણે શ્રીકૃષ્ણની ક્ષમા માગી અને પોતાની કન્યા સત્યભામાના લગ્ન…

વધુ વાંચો >

સત્યમૂર્તિ, એસ.

સત્યમૂર્તિ, એસ. (જ. 19 ઑગસ્ટ 1887, થિરુમયમ્, તિરુચિરાપલ્લી જિલ્લો, તામિલનાડુ; અ. 20 માર્ચ 1943, ચેન્નાઈ) : સ્વાધીનતાસેનાની, કાયદાશાસ્ત્રી અને આઝાદી પૂર્વેના દક્ષિણ ભારતના અગ્રણી રાજકીય નેતા. તેમના પિતા વકીલાત કરતા. પિતાના સૂક્ષ્મ નિરીક્ષણ અને માર્ગદર્શન હેઠળ સત્યમૂર્તિનું ઘડતર થયેલું. પ્રાથમિક શિક્ષણ વતનમાં પૂરું કર્યા પછી તેમણે ઉચ્ચશિક્ષણ પદુકોટ્ટા ખાતેની મહારાજા…

વધુ વાંચો >

સત્યવતી

સત્યવતી : વેદવ્યાસનાં માતા જેના પાછળથી રાજા શાંતનુ સાથે લગ્ન થયાં. એમને ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામે બે પુત્રો જન્મ્યા. સત્યવતીના જન્મ અંગેની કથા એવી છે કે, એની માતા અદ્રિકા, જે અપ્સરા હતી તે બ્રહ્માજીના શાપને કારણે માછલી બની ગઈ હતી. માછીમારોએ એ માછલીનું પેટ ચીર્યું તો એમાંથી સત્યવતી નીકળી. તેના…

વધુ વાંચો >

સત્યવતીદેવી (બહેન)

સત્યવતીદેવી (બહેન) (જ. 26 જાન્યુઆરી 1906, વી. તલવાન, જાલંધર; અ. ? ઑક્ટોબર 1945) : મહિલા-આંદોલનકાર અને શ્રમજીવી વર્ગનાં નેત્રી. ગાંધીજીએ તેમને ‘તૂફાની બહેન’ તરીકે ઓળખાવેલાં. પિતા જાણીતા સામાજિક કાર્યકર હતા. આર્યસમાજી નેતા સ્વામી શ્રદ્ધાનંદના તેઓ ભાણેજ હતા. દિલ્હીના બલભદ્ર વિદ્યાલંકાર સાથે તેઓ આંતરજ્ઞાતીય લગ્નથી જોડાયેલાં હતાં. રાજધાની દિલ્હીમાં તેઓ એફ.…

વધુ વાંચો >

સત્યાગ્રહ આશ્રમ કોચરબ

સત્યાગ્રહ આશ્રમ, કોચરબ : સત્ય ને અહિંસા દ્વારા રાષ્ટ્રસેવા કરી શકાય તે માટેની સુવિધા પૂરી પાડવા ગાંધીજીએ સ્થાપેલી સંસ્થા. ઈ. સ. 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવીને ગાંધીજીએ સાબરમતી નદીને કિનારે અમદાવાદના કોચરબ ગામમાં બૅરિસ્ટર જીવણલાલ વ્રજલાલ દેસાઈના ભાડાના બંગલામાં 20મી મેના દિવસે આશ્રમનું વાસ્તુ કર્યું. 22મી મેના દિવસે દક્ષિણ આફ્રિકાથી…

વધુ વાંચો >

સત્યાગ્રહ

સત્યાગ્રહ : અહિંસાના સાધન વડે સત્યની સ્થાપના કરવાની ગાંધીજીએ દેખાડેલી રીત. અસત્ય, અન્યાય કે અત્યાચારનો અહિંસાની શક્તિ વડે પ્રતિકાર કરી વ્યક્તિગત કે સામાજિક સંબંધોમાં સત્ય, ન્યાય કે સમત્વ પ્રતિષ્ઠિત કરવા પાછળ સત્ય અને પ્રેમનું તત્ત્વજ્ઞાન તથા અહિંસા અને સ્વેચ્છાથી કષ્ટ સહન કરવાનાં તંત્ર કે પ્રક્રિયા બંનેનો સમાવેશ થાય છે. દક્ષિણ…

વધુ વાંચો >

સત્યાગ્રહ (સામયિક)

સત્યાગ્રહ (સામયિક) : રાષ્ટ્રીય સમુત્થાન માટેનું ગાંધીમાર્ગીય સાપ્તાહિક વિચારપત્ર. 1936માં ગૂજરાત વિદ્યાપીઠના દસમા પદવીદાન સમારંભમાં સૌથી પ્રથમ ‘પારંગત’ની પદવી જેમણે ગાંધીજીના હસ્તે મેળવી હતી તેમણે તે વખતે ‘સત્યાગ્રહની મીમાંસા’ નામનો મહાનિબંધ લખીને આ પદવી મેળવી હતી. આ પદવી મેળવનાર મગનભાઈ પ્રભુદાસ દેસાઈ જ્યારે 1961માં ગૂજરાત વિદ્યાપીઠના મહામાત્ર અને મહાદેવ દેસાઈ…

વધુ વાંચો >

સત્યાર્થી, કૈલાશ (Satyarthi, Kailash)

સત્યાર્થી, કૈલાશ (Satyarthi, Kailash) (જ. 11 જાન્યુઆરી 1954, વિદિશા, મધ્યપ્રદેશ, ભારત) : 2014ના નોબેલ શાંતિ પુરસ્કાર મલાલા યૂસૂફઝાઈ (પાકિસ્તાન) સાથે મેળવનાર ભારતીય સમાજસેવક – બાળમજૂરોના મુક્તિદાતા. માતા ચિરાંજીદેવી. પિતા રામપ્રસાદ શર્મા પોલીસ અધિકારી હતા. તેમનાં સૌથી મોટાં ભાભી કૈલાસ સત્યાર્થીના જીવનમાં ભાભીમા તરીકે ઊંચું સ્થાન ધરાવે છે. તેઓ સુખી અને…

વધુ વાંચો >

સનશાઇન કોસ્ટ

Jan 4, 2007

સનશાઇન કોસ્ટ (Sunshine Coast) : ઑસ્ટ્રેલિયાના ક્વિન્સલૅન્ડ રાજ્યના અગ્નિભાગમાં આવેલો 3,107 ચોકિમી. વિસ્તાર આવરી લેતો પાટનગર વિભાગ. ભૌગોલિક સ્થાન : તે 37° 47´ દક્ષિણ અક્ષાંશ અને 144° 56´ પૂ. રે. પર આવેલું છે. આ વિસ્તારમાં લૅન્ડ્ઝબર્ગ, મરુચી અને નૂસાનાં પરગણાંનો સમાવેશ થઈ જાય છે. તે દક્ષિણના બીરબુરુમથી ઉત્તરના પોમાના તેમજ…

વધુ વાંચો >

સન સિટી (Sun City)

Jan 4, 2007

સન સિટી (Sun City) : દક્ષિણ આફ્રિકામાં મૂળ વતનીઓની ભૂમિ પૈકીના એક એવા બોફુથાત્સ્વાનામાં આવેલું પ્રવાસી વિશ્રામસ્થળ. સન સિટી લિટલ હૉલ નદી પાસેના પિલાન્સબર્ગ નૅશનલ પાર્કની અગ્નિ સરહદ પર વસેલું છે. આ શહેર દક્ષિણ આફ્રિકાનું ઘણું જ લોકપ્રિય પ્રવાસી વિશ્રામસ્થળ ગણાતું હોવાથી દર વર્ષે 20 લાખથી વધુ પ્રવાસીઓ તેની મુલાકાત…

વધુ વાંચો >

સનાઈ ગોએન્બાબ

Jan 4, 2007

સનાઈ ગોએન્બાબ (જ. 1877, બિચોઇમ, ગોવા; અ. 1946) : કોંકણી નાટ્યકાર અને સાહિત્યકાર. તેમનું ખરું નામ વામન રઘુનાથ વર્ડે વાલવ્લિકર હતું. વતનમાં મૅટ્રિક્યુલેશન સુધીનું શિક્ષણ લીધા બાદ ગોવામાં અંગ્રેજીના શિક્ષક, પછી કરાંચી મ્યુનિસિપાલિટીમાં ક્લાર્ક અને છેલ્લે મુંબઈમાં મેઇસ્ટર લ્યુકિયસ બ્રુનિયા નામની જર્મન કંપનીમાં ઊંચી વહીવટી જગ્યા પર નિમાયા. 1926માં મતભેદ…

વધુ વાંચો >

સનેડો

Jan 4, 2007

સનેડો : સાખીયુક્ત રમૂજી નાટ્યાત્મક કથાગીતનો, પૂર્વ પરંપરામાં નવું પોષણ પામીને વિકસેલો અને લોકપ્રિય બનેલો એક પ્રકાર. વિશેષત: ઉત્તર ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતા, લોકરંજક તત્ત્વો, વિશિષ્ટ કથાવસ્તુ અને લોકઢાળ ધરાવતા આ આધુનિક પ્રકારનાં મૂળ પ્રાચીન-મધ્યકાલીન રમૂજી નાટ્યાત્મક ગીતોની પરંપરામાં છે. ‘સનેડો’ની વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ ‘સ્નેહ’ને ‘ડો’ પ્રત્યય લગાડીને થઈ છે. ‘સ્નેહ’નું…

વધુ વાંચો >

સન્ડરલૅન્ડ (Sunderland)

Jan 4, 2007

સન્ડરલૅન્ડ (Sunderland) : ઈશાન ઇંગ્લૅન્ડના ટાઇન અને વિયરમાં આવેલો મહાનગરીય પ્રાંત. આ પ્રાંતમાં સન્ડરલૅન્ડ બંદર, રોકર અને સીબર્નનાં દરિયાઈ કંઠાર પરનાં વિશ્રામસ્થાનો તથા વૉશિંગ્ટન નામનું નવું નગર આવેલાં છે. બંદર ખાતે બધી જાતનો માલસામાન ભરી રાખવા માટેનાં વિશાળ ગોદામોની સુવિધા છે. દૂરતટીય (offshore) ખનિજતેલ-ઉદ્યોગના એક મથક તરીકે પણ તે ઉપયોગમાં…

વધુ વાંચો >

સન્ડે ઑબ્ઝર્વર

Jan 4, 2007

સન્ડે ઑબ્ઝર્વર : લંડનથી પ્રકાશિત અંગ્રેજી અખબાર. પ્રારંભ 4-12-1791. આ અખબારની શરૂઆત અને તેનાં પ્રારંભનાં વર્ષો રસપ્રદ છે. ડબ્લ્યૂ. એસ. બોર્ન નામના એક ઉત્સાહીને અખબાર શરૂ કરવાનો ચસકો લાગ્યો અને તેમણે 100 પાઉન્ડ ઉછીના લીધા. 4 ડિસેમ્બર, 1791ના રોજ ‘સન્ડે ઑબ્ઝર્વર’નું પ્રકાશન શરૂ થયું. તે દિવસે રવિવાર હતો. બોર્ને તેમના…

વધુ વાંચો >

સન્દિકૈ, કૃષ્ણકાન્ત

Jan 4, 2007

સન્દિકૈ, કૃષ્ણકાન્ત (જ. 1898, જોરહટ, આસામ; અ. 1982) : આસામીના વિદ્વાન લેખક. તેમને તેમના વિવેચનગ્રંથ ‘કૃષ્ણકાન્ત સન્દિકૈ રચના-સંભાર’ માટે 1985ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (મરણોત્તર) આપવામાં આવ્યો. તેમની શૈક્ષણિક કારકિર્દી તેજસ્વી રહી. 1919માં એમ.એ.માં સંસ્કૃતમાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું. ત્યારપછી યુનાઇટેડ કિંગ્ડમ ગયા. ત્યાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી મૉડર્ન હિસ્ટરીમાં એમ.એ.ની…

વધુ વાંચો >

સન્ના કથેગલુ

Jan 4, 2007

સન્ના કથેગલુ (જ. 1891; અ. ) : શ્રીનિવાસ (મસ્તી વેંકટેશ આયંગર) રચિત વાર્તાસંગ્રહ. તે ગ્રંથ 12 (1965) અને ગ્રંથ 13 (1967)  એમ બે ભાગમાં પ્રગટ કરાયો હતો. તે વાર્તાસંગ્રહને 1968ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમાં કુલ 15 વાર્તાઓ બે જૂથમાં સંગૃહીત કરવામાં આવી છે. પ્રથમ જૂથમાં…

વધુ વાંચો >

સન્નિઘર્ષણ (attrition)

Jan 4, 2007

સન્નિઘર્ષણ (attrition) : એક પ્રકારની ઘસારાની ક્રિયા. માતૃખડકોમાંથી તૂટીને છૂટા પડેલા નિક્ષેપબોજની વહનક્રિયા દરમિયાન ખડકટુકડાઓ કે કણો અરસપરસ અથડાવાથી, ઊછળવાથી, ખોતરાવાથી, કચરાવાથી, દળાવાથી કે ઘસાવાથી વધુ ને વધુ તૂટતા જાય છે; પરિણામે તેમના કદમાં ઘટાડો થઈ નાના બનતા જાય છે. આ પ્રકારની ઘર્ષણક્રિયાને સન્નિઘર્ષણ કહે છે. નદી અને પવન આ…

વધુ વાંચો >

સન્યાલ, આશિષ (સુચરિત સન્યાલ)

Jan 4, 2007

સન્યાલ, આશિષ (સુચરિત સન્યાલ) (જ. 7 જાન્યુઆરી 1938, સુસંગ દુર્ગાપુર [હાલ બાંગ્લાદેશમાં]) : બંગાળી લેખક. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી બંગાળીમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે કોલકાતાની બી.ઈ.એસ. કૉલેજમાં બંગાળી વિભાગમાં અધ્યાપનકાર્ય કર્યું. તેમણે તેમની કારકિર્દી ઇન્ડિયન રાઇટર્સ ઍસોસિયેશનના સેક્રેટરી તરીકે શરૂ કરી. તેમણે ‘કલેક્ટેડ વર્ક્સ ઑવ્ બાબાસાહેબ બી. આર. આંબેડકર’નું બંગાળીમાં…

વધુ વાંચો >