૨૨.૦૪

સત્યનારાયણ વિશ્વનાથથી સપ્તક

સત્યાર્થી, દેવેન્દ્ર

સત્યાર્થી, દેવેન્દ્ર (જ. 28 મે 1908, ભાદૌર, જિ. સંગરુર, પંજાબ; અ. 12 ફેબ્રુઆરી 2003) : પંજાબી તથા હિંદી લેખક અને લોકસાહિત્યકાર. તેઓ 1948-56 દરમિયાન હિંદી માસિક ‘આજકાલ’ના સંપાદક રહેલા. તેઓ લોકગીતોના સંગ્રાહક તરીકે વધુ જાણીતા હતા. તેઓ બંગાળી, હિંદી, અંગ્રેજી, ઉર્દૂ તથા પંજાબી ભાષાના જાણકાર હતા. લોકગીતોનો સંગ્રહ કરવા તેમણે…

વધુ વાંચો >

સત્યાશિયો દુકાળ

સત્યાશિયો દુકાળ : વિક્રમ સંવત 1687(ઈ. સ. 1630-32)માં ગુજરાતમાં પડેલો દુકાળ. તે વખતે ગુજરાતમાં મુઘલ શહેનશાહ શાહજહાંનું શાસન હતું. ઈ. સ. 1628નું વર્ષ અપૂરતા વરસાદને કારણે અછતનું વર્ષ હતું. 1630માં ગુજરાતમાં વરસાદ ન પડ્યો અને 1631માં અતિવૃદૃષ્ટિને લીધે પાક નિષ્ફળ ગયો. પૂરને કારણે સૂરત પાસેનાં બધાં ખેતરો પાણીમાં ડૂબી ગયાં.…

વધુ વાંચો >

સત્ર

સત્ર : જુઓ યજ્ઞ

વધુ વાંચો >

સથ્યુ, એમ. એસ.

સથ્યુ, એમ. એસ. (જ. 6 જુલાઈ 1930, મૈસૂર, કર્ણાટક) : નાટકો અને ચલચિત્રોના દિગ્દર્શક, રંગમંચના સેટ-ડિઝાઇનર. ડાબેરી વિચારસરણી ધરાવતા એમ. એસ. સથ્યુએ દેશના ભાગલા વખતે પાકિસ્તાન જતા રહેવા ઇચ્છતા એક મુસ્લિમ પરિવારના વડાની મન:સ્થિતિ આલેખતું ચિત્ર ‘ગરમ હવા’ (1974) બનાવ્યું હતું, જે આ પ્રકારના વિષય પર બનેલાં ચિત્રોમાં સીમાચિહ્નરૂપ બની…

વધુ વાંચો >

સદયવત્સવીર પ્રબંધ (૧૪૧૦)

સદયવત્સવીર પ્રબંધ (1410) : મધ્યકાલીન ગુજરાતી કવિ ભીમરચિત ચોપાઈનો સળંગ બંધ ધરાવતી પદ્યકથા. આ કૃતિને ‘પ્રબંધ’ તરીકે ઓળખાવાઈ છે. અહીં ઉજ્જયિનીના રાજા પ્રભુવત્સના પુત્ર સદયવત્સની વીરતાની કથા છે. સંસ્કૃત ‘કથાસરિત્સાગર’ના કથાનક-માળખાનો આધાર લઈને, એમાં જેમ નરવાહન વિવિધ સાહસ-શૌર્ય કરીને ઉત્તમ સુંદરીઓને પત્ની અને પ્રેયસીના રૂપમાં પામે છે તેમ અહીં પણ…

વધુ વાંચો >

સદા ગુલાબ (૧૯૩૦)

સદા ગુલાબ (1930) : સિંધી કેળવણીકાર, કવિ, નવલકથાકાર અને નાટ્યકાર લાલચંદ અમરડિનોમલ જગતિયાણી(1885-1954)ની અનૂદિત કૃતિ. તેમણે ઠાકુર રવીન્દ્રનાથના જાણીતા કાવ્યસંગ્રહ ‘ધ ગાર્ડનર’ના આધારે તેનો અપદ્યાગદ્ય શૈલીમાં સિંધીમાં અનુવાદ કર્યો છે. તેમાં તેમણે યુવાવયની સૂક્ષ્મ ઊર્મિઓને અભિવ્યક્ત કરી છે. તેમણે મૂળ કાવ્યના ભાવાર્થને સંપૂર્ણપણે વળગી રહીને દેશજ ભાષામાં વણી લીધો છે.…

વધુ વાંચો >

સદાચાર

સદાચાર : ધર્મનું સૌથી મહત્વનું અંગ. ધાર્મિક માણસ ઈશ્વર, જગત અને જીવને લગતી કઈ માન્યતાઓ ધરાવે છે અને તે ઈશ્વરની કઈ રીતે ઉપાસના કરે છે તે પ્રશ્ન ધાર્મિક માણસના વ્યક્તિગત જીવન સાથે સંબંધ ધરાવે છે. જ્યારે તે સદાચારી છે કે નહિ એ પ્રશ્નનું સામાજિક દૃષ્ટિએ ઘણું મહત્વ છે. ધાર્મિક જીવનમાં…

વધુ વાંચો >

સદાનંદ, એસ.

સદાનંદ, એસ. : જુઓ ફ્રી પ્રેસ જર્નલ

વધુ વાંચો >

સદાનંદ, કાલુવાકોલાનુ

સદાનંદ, કાલુવાકોલાનુ (જ. 22 ફેબ્રુઆરી 1939, પકાલા, જિ. ચિત્તૂર, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેઓ પ્રાથમિક શાળાના આચાર્યપદેથી સેવાનિવૃત્ત થયા. તેઓ એકૅડેમિક કમિટીના ઉપાધ્યક્ષ, જિલ્લા પોસ્ટ-લિટરસી પ્રોગ્રામ, ચિત્તૂરના ઉપાધ્યક્ષ રહ્યા હતા. તેમણે અત્યાર સુધીમાં 14 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘સામ્બય્યા ગુર્રમ્’ (1964); ‘ચલ્લાની ટલ્લી’ (1966) તેમના બાળકથાસંગ્રહો છે. ‘બંગારુ નાડચિન બાટા’…

વધુ વાંચો >

સદાનંદન, એસ. એલ. પુરમ્

સદાનંદન, એસ. એલ. પુરમ્ (જ. 1926, સેતુલક્ષ્મીપુરમ્, જિ. એલ્લેપ્પી; કેરળ) : મલયાળમના નાટ્યકાર, નવલકથાકાર અને વાર્તાકાર. તેમણે મલયાળમ હાયર એક્ઝામિનેશન પાસ કરી. પછી રાજકીય પ્રવૃત્તિઓમાં જોડાવાને કારણે તેમને થોડો વખત જેલવાસ થયો. તેઓ ખૂબ જાણીતા પુન્નાપ્રા-વયલાર બળવામાં સક્રિયપણે જોડાયેલા. તેમને રાષ્ટ્રીય સ્વાતંત્ર્યસેનાની તરીકે તામ્રપત્ર એનાયત કરાયું છે. તેમનું પ્રથમ પ્રદાન…

વધુ વાંચો >

સત્યનારાયણ વિશ્ર્વનાથ

Jan 4, 2007

સત્યનારાયણ વિશ્વનાથ (જ. 1895, નંદમુર, જિ. ક્રિશ્ન, આંધ્રપ્રદેશ; અ. 1976) : તેલુગુ ભાષાના સુવિખ્યાત કવિ અને લેખક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘વિશ્વનાથ મધ્યક્કારલુ’ માટે 1962ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં જન્મ. તેમની માતૃભાષા તેલુગુ હોવા સાથે તેઓ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના વિદ્વાન હતા. કૉલેજશિક્ષણ ચેન્નાઈમાં…

વધુ વાંચો >

સત્યપ્રકાશ

Jan 4, 2007

સત્યપ્રકાશ : જુઓ કરસનદાસ મૂળજી

વધુ વાંચો >

સત્યભામા

Jan 4, 2007

સત્યભામા : શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓ પૈકીની બીજી પટરાણી જે યાદવ રાજા સત્રાજિતની કન્યા હતી. સત્રાજિતને સૂર્ય પાસેથી સ્યમંતક મણિ પ્રાપ્ત થયો હતો, જે ચોરાઈ જતાં સત્રાજિતે ચોરીનો જૂઠો આરોપ શ્રીકૃષ્ણને માથે નાખ્યો પરંતુ જ્યારે ખબર પડી કે શ્રીકૃષ્ણ નિર્દોષ છે તો એણે શ્રીકૃષ્ણની ક્ષમા માગી અને પોતાની કન્યા સત્યભામાના લગ્ન…

વધુ વાંચો >

સત્યમૂર્તિ, એસ.

Jan 4, 2007

સત્યમૂર્તિ, એસ. (જ. 19 ઑગસ્ટ 1887, થિરુમયમ્, તિરુચિરાપલ્લી જિલ્લો, તામિલનાડુ; અ. 20 માર્ચ 1943, ચેન્નાઈ) : સ્વાધીનતાસેનાની, કાયદાશાસ્ત્રી અને આઝાદી પૂર્વેના દક્ષિણ ભારતના અગ્રણી રાજકીય નેતા. તેમના પિતા વકીલાત કરતા. પિતાના સૂક્ષ્મ નિરીક્ષણ અને માર્ગદર્શન હેઠળ સત્યમૂર્તિનું ઘડતર થયેલું. પ્રાથમિક શિક્ષણ વતનમાં પૂરું કર્યા પછી તેમણે ઉચ્ચશિક્ષણ પદુકોટ્ટા ખાતેની મહારાજા…

વધુ વાંચો >

સત્યવતી

Jan 4, 2007

સત્યવતી : વેદવ્યાસનાં માતા જેના પાછળથી રાજા શાંતનુ સાથે લગ્ન થયાં. એમને ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામે બે પુત્રો જન્મ્યા. સત્યવતીના જન્મ અંગેની કથા એવી છે કે, એની માતા અદ્રિકા, જે અપ્સરા હતી તે બ્રહ્માજીના શાપને કારણે માછલી બની ગઈ હતી. માછીમારોએ એ માછલીનું પેટ ચીર્યું તો એમાંથી સત્યવતી નીકળી. તેના…

વધુ વાંચો >

સત્યવતીદેવી (બહેન)

Jan 4, 2007

સત્યવતીદેવી (બહેન) (જ. 26 જાન્યુઆરી 1906, વી. તલવાન, જાલંધર; અ. ? ઑક્ટોબર 1945) : મહિલા-આંદોલનકાર અને શ્રમજીવી વર્ગનાં નેત્રી. ગાંધીજીએ તેમને ‘તૂફાની બહેન’ તરીકે ઓળખાવેલાં. પિતા જાણીતા સામાજિક કાર્યકર હતા. આર્યસમાજી નેતા સ્વામી શ્રદ્ધાનંદના તેઓ ભાણેજ હતા. દિલ્હીના બલભદ્ર વિદ્યાલંકાર સાથે તેઓ આંતરજ્ઞાતીય લગ્નથી જોડાયેલાં હતાં. રાજધાની દિલ્હીમાં તેઓ એફ.…

વધુ વાંચો >

સત્યાગ્રહ આશ્રમ કોચરબ

Jan 4, 2007

સત્યાગ્રહ આશ્રમ, કોચરબ : સત્ય ને અહિંસા દ્વારા રાષ્ટ્રસેવા કરી શકાય તે માટેની સુવિધા પૂરી પાડવા ગાંધીજીએ સ્થાપેલી સંસ્થા. ઈ. સ. 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવીને ગાંધીજીએ સાબરમતી નદીને કિનારે અમદાવાદના કોચરબ ગામમાં બૅરિસ્ટર જીવણલાલ વ્રજલાલ દેસાઈના ભાડાના બંગલામાં 20મી મેના દિવસે આશ્રમનું વાસ્તુ કર્યું. 22મી મેના દિવસે દક્ષિણ આફ્રિકાથી…

વધુ વાંચો >

સત્યાગ્રહ

Jan 4, 2007

સત્યાગ્રહ : અહિંસાના સાધન વડે સત્યની સ્થાપના કરવાની ગાંધીજીએ દેખાડેલી રીત. અસત્ય, અન્યાય કે અત્યાચારનો અહિંસાની શક્તિ વડે પ્રતિકાર કરી વ્યક્તિગત કે સામાજિક સંબંધોમાં સત્ય, ન્યાય કે સમત્વ પ્રતિષ્ઠિત કરવા પાછળ સત્ય અને પ્રેમનું તત્ત્વજ્ઞાન તથા અહિંસા અને સ્વેચ્છાથી કષ્ટ સહન કરવાનાં તંત્ર કે પ્રક્રિયા બંનેનો સમાવેશ થાય છે. દક્ષિણ…

વધુ વાંચો >

સત્યાગ્રહ (સામયિક)

Jan 4, 2007

સત્યાગ્રહ (સામયિક) : રાષ્ટ્રીય સમુત્થાન માટેનું ગાંધીમાર્ગીય સાપ્તાહિક વિચારપત્ર. 1936માં ગૂજરાત વિદ્યાપીઠના દસમા પદવીદાન સમારંભમાં સૌથી પ્રથમ ‘પારંગત’ની પદવી જેમણે ગાંધીજીના હસ્તે મેળવી હતી તેમણે તે વખતે ‘સત્યાગ્રહની મીમાંસા’ નામનો મહાનિબંધ લખીને આ પદવી મેળવી હતી. આ પદવી મેળવનાર મગનભાઈ પ્રભુદાસ દેસાઈ જ્યારે 1961માં ગૂજરાત વિદ્યાપીઠના મહામાત્ર અને મહાદેવ દેસાઈ…

વધુ વાંચો >

સત્યાર્થી, કૈલાશ (Satyarthi, Kailash)

Jan 4, 2007

સત્યાર્થી, કૈલાશ (Satyarthi, Kailash) (જ. 11 જાન્યુઆરી 1954, વિદિશા, મધ્યપ્રદેશ, ભારત) : 2014ના નોબેલ શાંતિ પુરસ્કાર મલાલા યૂસૂફઝાઈ (પાકિસ્તાન) સાથે મેળવનાર ભારતીય સમાજસેવક – બાળમજૂરોના મુક્તિદાતા. માતા ચિરાંજીદેવી. પિતા રામપ્રસાદ શર્મા પોલીસ અધિકારી હતા. તેમનાં સૌથી મોટાં ભાભી કૈલાસ સત્યાર્થીના જીવનમાં ભાભીમા તરીકે ઊંચું સ્થાન ધરાવે છે. તેઓ સુખી અને…

વધુ વાંચો >