૧૭.૦૮

યોગરાજથી રચનાસર્દશતા

યોગ્યતા

યોગ્યતા : મીમાંસા અને વ્યાકરણશાસ્ત્ર મુજબ વાક્ય થવા માટેના ત્રણ હેતુઓમાંનો એક હેતુ. એ હેતુઓમાં (1) આકાંક્ષા, (2) યોગ્યતા અને (3) સંનિધિનો સમાવેશ થાય છે. સ્વર અને વ્યંજનના સમૂહથી વર્ણ, વર્ણોના સમૂહથી પદ અને પદોના સમૂહથી વાક્ય બને છે; પરંતુ પદોના સમૂહને વાક્ય બનવા માટે તેમાં રહેલાં પદોમાં આકાંક્ષા, યોગ્યતા…

વધુ વાંચો >

યોજિમ્બો

યોજિમ્બો : જાપાની ચલચિત્ર. નિર્માણવર્ષ : 1961. શ્વેત અને શ્યામ. ભાષા : જાપાની. દિગ્દર્શક : અકિરા કુરોસાવા. પટકથા : અકિરા કુરોસાવા, યુજો કિકુશિમા, હિડિયો ઓગુની. છબિકલા : કાઝુઓ મિયાગાવા. સંગીત : માસારુ સાટો. કલા-નિર્દેશન અને પોશાક : યોશિરો મુરાકી. મુખ્ય કલાકારો : તોશિરો મિફ્યુન, ઇજિરો ટોનો, સિઝાબુરો કાવાઝુ, ઇસુઝુ યામાડા,…

વધુ વાંચો >

યોદ્ધા, ચારુમતી

યોદ્ધા, ચારુમતી (જ. 25 જાન્યુઆરી 1912, અમદાવાદ; અ. 30 જાન્યુઆરી 1981, અમદાવાદ) : વીસમી સદીના ગુજરાતમાં મહિલાઓનાં અધિકારો અને કલ્યાણ માટેની લડત અને પ્રવૃત્તિઓનાં અગ્રણી મહિલા કાર્યકર. મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી અમદાવાદમાં 1934માં સ્થપાયેલી મહિલાસંસ્થા ‘જ્યોતિસંઘ’ની સ્થાપનાથી શરૂ કરી આજીવન ચારુમતીબહેને સંસ્થાના વિકાસમાં મહત્ત્વનું યોગદાન કર્યું. જ્યોતિસંઘના રાહતવિભાગ દ્વારા કૌટુંબિક પ્રશ્નોથી…

વધુ વાંચો >

યોન્જન, જસ, ‘પ્યાસી’

યોન્જન, જસ, ‘પ્યાસી’ (જ. 14 ડિસેમ્બર 1949, સિરિસય ચૉંગટૉગ ટી એસ્ટેટ, જિ. દાર્જીલિંગ, પશ્ચિમ બંગાળ) : નેપાળી લેખક. નૉર્થ બૅંગૉલ યુનિવર્સિટીમાંથી નેપાળીમાં એમ.એ. થયા (1980). કુરસેઆગ કૉલેજના નેપાળી વિભાગના સિનિયર લેક્ચરર. તેમણે અનુવાદક ઉપરાંત દૂરદર્શન, કુરસેઆગ (1976) અને દૂરદર્શન, ગંગટોક(1983)ના સંદેશાવાચક તરીકે કારકિર્દી શરૂ કરી. સાહિત્યિક માસિક ‘દિયાલો’ના સંપાદક. 1993–97…

વધુ વાંચો >

યૉર્ક-ઍન્ટવર્પ રૂલ્સ

યૉર્ક-ઍન્ટવર્પ રૂલ્સ : સામુદ્રિક તોફાન સમયે જહાજને તરતું રાખવા અને બચાવવા માટે તેમાં ભરેલા માલમાંથી કેટલોક માલ સમુદ્રમાં ફેંકી દેવાથી તે માલના માલિકને થયેલી નુકસાની જહાજમાલિક અને બચી ગયેલા માલના માલિકો પાસેથી વરાડે વસૂલ કરવા અંગે યૉર્ક અને ઍન્ટવર્પનાં સંમેલનોમાં 1877માં બનાવેલા નિયમો. જળમાર્ગે પરિવહન કરતાં જહાજોમાં અનેક માલિકોનો માલ…

વધુ વાંચો >

યૉર્ક, ઍલ્વિન

યૉર્ક, ઍલ્વિન (જ. 13 ડિસેમ્બર 1887, પૉલ મૉલ, ટેનેસી, અમેરિકા; અ. 2 સપ્ટેમ્બર 1964) : અમેરિકાના સૈનિક અને લોકપ્રિય વીરપુરુષ. ખ્રિસ્તી ધર્મના મૂળભૂત સિદ્ધાંતોમાં તેમને પાકી આસ્થા હતી. તેથી તેમનું વલણ યુદ્ધવિરોધી હતું, પણ 1917માં તેઓ સેનાદળમાં જોડાયા અને તેમની શંકાઓનું નિવારણ થયું. ફ્રાન્સમાં યુદ્ધ-કામગીરી બજાવતા હતા ત્યારે તેમણે મશીનગનથી…

વધુ વાંચો >

યૉર્ક વંશ

યૉર્ક વંશ (1461–1485) : ઇંગ્લૅન્ડનો પંદરમી સદીનો રાજવંશ. ઇંગ્લૅન્ડમાં લૅન્કેસ્ટ્રિયન વંશના શાસન (13991461) પછી યૉર્ક વંશના રાજાઓનું શાસન સ્થપાયું હતું. યૉર્ક વંશના પ્રથમ રાજા એડ્વર્ડ ચોથાએ યુદ્ધમાં વિજેતા બનીને 1461માં પોતાના શાસનની શરૂઆત કરી હતી. 1399ની રક્તવિહીન ક્રાંતિ પછી ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે એડ્વર્ડ ત્રીજાના ત્રીજા પુત્રને બાજુએ મૂકીને ચોથા પુત્ર હેન્રી…

વધુ વાંચો >

યોશીડા, શિગેરુ

યોશીડા, શિગેરુ (જ. 22 સપ્ટેમ્બર 1878, ટોકિયો, જાપાન; અ. 20 ઑક્ટોબર 1967, ઓઇસો, જાપાન) : જાપાનના રાજકારણી અને વડાપ્રધાન. 1906માં ટોકિયો ઇમ્પિયરિયલ યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રની બી.એલ.ની ડિગ્રી મેળવી અને વિદેશ મંત્રાલયમાં જોડાયા. વિશ્વની કેટલીય રાજધાનીઓમાં તેમણે વિવિધ પ્રકારનો કાર્યભાર સંભાળ્યો. 1928માં તેઓ સ્વીડન, નૉર્વે તથા ડેન્માર્કમાં મંત્રી નિમાયા. 1928–30 દરમિયાન નાયબ…

વધુ વાંચો >

યૉસાનો, અકિકો

યૉસાનો, અકિકો (જ. 7 ડિસેમ્બર 1878, ઓસાકા, જાપાન; અ. 29 મે 1942, ટોકિયો) : ‘હો શો’ના નામથી પ્રખ્યાત જાપાની કવયિત્રી. તેમની નવી કાવ્યશૈલીએ જાપાનના સાહિત્યરસિકોમાં સનસનાટી પેદા કરી હતી. શાળામાં ભણતાં હતાં ત્યારથી કવિતા રચતાં. સમવયસ્કો સાથે પોતપોતાની લખેલી કાવ્યરચનાઓ પ્રસિદ્ધ કરવા સામયિક શરૂ કરેલું. યૉસાનો ટેક્કન દ્વારા પ્રસ્થાપિત ‘શિનશિશા’…

વધુ વાંચો >

યોસેમિટે (યોસેમાઇટ) :

યોસેમિટે (યોસેમાઇટ) : યુ.એસ.ના કૅલિફૉર્નિયા રાજ્યના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલો વેરાન પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 37o 51´ ઉ. અ. અને 119o 33´ પ. રે. વગડા જેવો આ પ્રદેશ સાન ફ્રાન્સિસ્કોથી પૂર્વમાં આશરે 320 કિમી. અંતરે સિયેરા નેવાડા પર્વતોમાં આવેલો છે. આ વિસ્તારમાં આશરે 1,100 જેટલી તો પગદંડીઓ પડેલી છે. તે પૈકીની…

વધુ વાંચો >

યોગરાજ

Jan 8, 2003

યોગરાજ (શાસનકાળ : ઈ. સ. 850થી 885) : વનરાજ ચાવડાનો ઉત્તરાધિકારી રાજા. એનો રાજ્યકાળ 35 વર્ષનો ગણાય છે. એની પ્રશસ્તિમાં એને પરાક્રમી અને પ્રતાપી રાજા આલેખવામાં આવ્યો છે. એ ધનુર્વિદ્યામાં નિપુણ અને રાજનીતિમાં પ્રવીણ હતો. ‘પ્રબંધ-ચિંતામણિ’માં આપેલી અનુશ્રુતિ મુજબ તેણે મનાઈ કરવા છતાં તેના પુત્રોએ વહાણોમાં પ્રભાસપાટણ આવેલો અન્ય રાજાનો…

વધુ વાંચો >

યોગરાજ ગૂગળ

Jan 8, 2003

યોગરાજ ગૂગળ : એક આયુર્વેદિક ઔષધિ. ‘યોગરાજ ગૂગળ’ના વિવિધ અનેક પાઠ જોવા મળે છે. જેમાં ભસ્મો ઉમેરી હોય તે ‘મહાયોગરાજ’ અને જેમાં ભસ્મો ન હોય તે ‘લઘુયોગરાજ’. લઘુયોગરાજના પણ ‘આયુર્વેદ નિબંધમાળા’ કે ‘રસતંત્રસાર’નો પાઠ તથા ‘આર્યભિષક્’માં આપેલ ‘બોપદેવશતક’વાળો એમ બે પાઠ છે. અત્રે બોપદેવશતકનો ‘આર્યભિષક્’માં આપેલ પાઠ આપ્યો છે. આ…

વધુ વાંચો >

યોગવાસિષ્ઠ

Jan 8, 2003

યોગવાસિષ્ઠ : પ્રાચીન ભારતીય અદ્વૈત વેદાન્તના તત્વજ્ઞાનનો મહત્વનો ગ્રંથ. ‘યોગવાસિષ્ઠ’ (નિર્વાણ પ્રકરણ, પૂર્વાર્ધ સર્ગ 13)માં ‘યોગ’ શબ્દના બે અર્થો આપેલા છે : (1) આત્મજ્ઞાનરૂપ યોગ; અને (2) પ્રાણના નિરોધરૂપ યોગ. આ બંને અર્થોવાળા યોગથી યુક્ત વસિષ્ઠે રામને આપેલો બોધ તે ‘યોગવાસિષ્ઠ’ બોધ, અને બોધના પ્રાધાન્યવાળો ગ્રંથ તે યોગવાસિષ્ઠ. વળી, રામચરિતને…

વધુ વાંચો >

યોગશતક

Jan 8, 2003

યોગશતક : પ્રાકૃત ભાષાની યોગવિષયક રચના. ‘યોગશતક’ આચાર્ય હરિભદ્રસૂરિએ પ્રાકૃત ભાષામાં રચેલી યોગવિષયક 100 ગાથાપ્રમાણ કૃતિ છે. તેમણે યોગવિષયક અન્ય ત્રણ કૃતિઓ ‘યોગર્દષ્ટિ-સમુચ્ચય’, ‘યોગબિંદુ’ અને ‘યોગવિંશિકા’ની રચના પણ કરી છે. તેમના યોગ-વિષયક ગ્રંથોમાં તેમણે મુખ્યત્વે ચાર બાબતો વિશે ચર્ચા કરી છે : (1) યોગમાર્ગના અધિકારી અને અનધિકારી, (2) યોગમાં અધિકાર…

વધુ વાંચો >

યોગશીલ પ્રક્રિયા (addition reaction)

Jan 8, 2003

યોગશીલ પ્રક્રિયા (addition reaction) : અસંતૃપ્ત સંયોજનમાં વધારાના પરમાણુઓ કે પરમાણુ-સમૂહો દાખલ કરવાની રાસાયણિક પ્રક્રિયા. આવાં અસંતૃપ્ત સંયોજનો આલ્કિન, કીટોન, નાઇટ્રાઇલ, આલ્કાઇન વગેરે હોય છે. ઉમેરાતા વધારાના પરમાણુઓ કે પરમાણુ-સમૂહો ઇલેક્ટ્રૉન-અનુરાગી અથવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો હોય છે. (क) બહુગુણક કાર્બન  કાર્બન બંધ (> C = C <; — C  C—)માં યોગશીલ…

વધુ વાંચો >

યોગાસન

Jan 8, 2003

યોગાસન : યોગસાધનામાં તન-મનને કેળવવા માટેની અંગસ્થિતિ. ‘યોગાસન’નો શબ્દાર્થ ‘યોગસાધના માટે ઉપકારક આસન (શારીરિક સ્થિતિ)’ – એ પ્રમાણે થાય છે. શબ્દાર્થની ર્દષ્ટિએ ‘યોગ’ એટલે મેળાપ, જોડાણ, એક થવું તે; તત્વજ્ઞાનની ર્દષ્ટિએ પરમ તત્વ સાથે એકાકાર થઈ જવું તે, જીવાત્મા સાથે પરમાત્માનું જોડાણ. ઈ. પૂ. બીજા સૈકામાં મહર્ષિ પતંજલિએ રચેલા ‘યોગદર્શન’…

વધુ વાંચો >

યોગિનીકુમારી (ભાગ 1, 2)

Jan 8, 2003

યોગિનીકુમારી (ભાગ 1, 2) (1915, 1930) : છોટાલાલ જીવણલાલ માસ્તર(વિશ્વવંદ્ય)-લિખિત અધ્યાત્મરહસ્યને લગતી સુપ્રસિદ્ધ આત્મકથનાત્મક નવલકથા. ‘યોગિનીકુમારી’ શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગના મુખપત્ર ‘મહાકાલ’માં 1904થી 1911ના ભાદ્રપદ માસના અંક સુધી હપતે હપતે છપાતી હતી. 1912માં છોટાલાલ જીવણલાલનું દેહાવસાન થતાં આ કૃતિ અપૂર્ણ રહી. તેમના મૃત્યુ પછી તે પુસ્તકાકારે પ્રસિદ્ધ થઈ. નવલકથાકારે રસસિદ્ધિશાસ્ત્ર…

વધુ વાંચો >

યોગી આદિત્યનાથ

Jan 8, 2003

યોગી આદિત્યનાથ (જ. 5 જૂન 1972, પંચુર, પૌઢી ગઢવાલ, ઉત્તરાખંડ) : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી, લોકસભાના પૂર્વ સાંસદ, ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં આવેલા ગોરખમઠના મહંત, હિન્દુ યુવાવાહિનીના સ્થાપક. પૂર્વાશ્રમનું નામ અજયસિંહ બિષ્ટ. ઉત્તરપ્રદેશમાંથી ઉત્તરાખંડ અલગ રાજ્ય બન્યું તે પહેલાં તેમનો જન્મ પૌઢી ગઢવાલ જિલ્લાના પંચુરમાં થયો હતો. ગઢવાલની હેમવતીનંદન બહુગુણા યુનિવર્સિટીમાંથી તેમણે બી.એસસીનો અભ્યાસ…

વધુ વાંચો >

યોગેન્દ્ર રસ

Jan 8, 2003

યોગેન્દ્ર રસ : આયુર્વેદની રસ-ઔષધિ. તે કીમતી, ઉત્કૃષ્ટ અને વીર્યવાન (ખૂબ પ્રભાવશાળી) ઔષધિઓમાંની એક છે; જે ખાસ કરીને હૃદય, મસ્તિષ્ક, મન, વાતવાહી નાડીઓ અને રક્ત ઉપર સીધી સુંદર અસર કરે છે. આ રસનો પાઠ ‘ભૈષજ્યરત્નાવલિ’ તથા ‘રસતંત્રસાર અને સિદ્ધ પ્રયોગસંગ્રહ’ ભાગ–1માં આપેલ છે. પાઠદ્રવ્યો : રસસિંદૂર 20 ગ્રામ, સુવર્ણભસ્મ, કાંતલોહભસ્મ,…

વધુ વાંચો >

યોગેશ્વર

Jan 8, 2003

યોગેશ્વર (જ. 15 ઑગસ્ટ 1921, સરોડા, જિ. અમદાવાદ; અ. 18 માર્ચ 1984, મુંબઈ) : ભારતના સુખ્યાત સંત સાહિત્યકાર. મૂળ નામ ભાઈલાલ. પિતાનું નામ મણિલાલ ભટ્ટ. માતા જડાવબહેન. પિતા ખેડૂત હતા. પ્રાથમિક શિક્ષણ સરોડામાં. પિતાના અવસાન બાદ નવ વર્ષની ઉંમરે તે મુંબઈ ગયા. ત્યાં લેડી નૉર્થકોટ ઑર્ફનેજમાં મામાના પ્રયત્નથી દાખલ થયા.…

વધુ વાંચો >