૧૭.૦૮

યોગરાજથી રચનાસર્દશતા

યોગરાજ

યોગરાજ (શાસનકાળ : ઈ. સ. 850થી 885) : વનરાજ ચાવડાનો ઉત્તરાધિકારી રાજા. એનો રાજ્યકાળ 35 વર્ષનો ગણાય છે. એની પ્રશસ્તિમાં એને પરાક્રમી અને પ્રતાપી રાજા આલેખવામાં આવ્યો છે. એ ધનુર્વિદ્યામાં નિપુણ અને રાજનીતિમાં પ્રવીણ હતો. ‘પ્રબંધ-ચિંતામણિ’માં આપેલી અનુશ્રુતિ મુજબ તેણે મનાઈ કરવા છતાં તેના પુત્રોએ વહાણોમાં પ્રભાસપાટણ આવેલો અન્ય રાજાનો…

વધુ વાંચો >

યોગરાજ ગૂગળ

યોગરાજ ગૂગળ : એક આયુર્વેદિક ઔષધિ. ‘યોગરાજ ગૂગળ’ના વિવિધ અનેક પાઠ જોવા મળે છે. જેમાં ભસ્મો ઉમેરી હોય તે ‘મહાયોગરાજ’ અને જેમાં ભસ્મો ન હોય તે ‘લઘુયોગરાજ’. લઘુયોગરાજના પણ ‘આયુર્વેદ નિબંધમાળા’ કે ‘રસતંત્રસાર’નો પાઠ તથા ‘આર્યભિષક્’માં આપેલ ‘બોપદેવશતક’વાળો એમ બે પાઠ છે. અત્રે બોપદેવશતકનો ‘આર્યભિષક્’માં આપેલ પાઠ આપ્યો છે. આ…

વધુ વાંચો >

યોગવાસિષ્ઠ

યોગવાસિષ્ઠ : પ્રાચીન ભારતીય અદ્વૈત વેદાન્તના તત્વજ્ઞાનનો મહત્વનો ગ્રંથ. ‘યોગવાસિષ્ઠ’ (નિર્વાણ પ્રકરણ, પૂર્વાર્ધ સર્ગ 13)માં ‘યોગ’ શબ્દના બે અર્થો આપેલા છે : (1) આત્મજ્ઞાનરૂપ યોગ; અને (2) પ્રાણના નિરોધરૂપ યોગ. આ બંને અર્થોવાળા યોગથી યુક્ત વસિષ્ઠે રામને આપેલો બોધ તે ‘યોગવાસિષ્ઠ’ બોધ, અને બોધના પ્રાધાન્યવાળો ગ્રંથ તે યોગવાસિષ્ઠ. વળી, રામચરિતને…

વધુ વાંચો >

યોગશતક

યોગશતક : પ્રાકૃત ભાષાની યોગવિષયક રચના. ‘યોગશતક’ આચાર્ય હરિભદ્રસૂરિએ પ્રાકૃત ભાષામાં રચેલી યોગવિષયક 100 ગાથાપ્રમાણ કૃતિ છે. તેમણે યોગવિષયક અન્ય ત્રણ કૃતિઓ ‘યોગર્દષ્ટિ-સમુચ્ચય’, ‘યોગબિંદુ’ અને ‘યોગવિંશિકા’ની રચના પણ કરી છે. તેમના યોગ-વિષયક ગ્રંથોમાં તેમણે મુખ્યત્વે ચાર બાબતો વિશે ચર્ચા કરી છે : (1) યોગમાર્ગના અધિકારી અને અનધિકારી, (2) યોગમાં અધિકાર…

વધુ વાંચો >

યોગશીલ પ્રક્રિયા (addition reaction)

યોગશીલ પ્રક્રિયા (addition reaction) : અસંતૃપ્ત સંયોજનમાં વધારાના પરમાણુઓ કે પરમાણુ-સમૂહો દાખલ કરવાની રાસાયણિક પ્રક્રિયા. આવાં અસંતૃપ્ત સંયોજનો આલ્કિન, કીટોન, નાઇટ્રાઇલ, આલ્કાઇન વગેરે હોય છે. ઉમેરાતા વધારાના પરમાણુઓ કે પરમાણુ-સમૂહો ઇલેક્ટ્રૉન-અનુરાગી અથવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો હોય છે. (क) બહુગુણક કાર્બન  કાર્બન બંધ (> C = C <; — C  C—)માં યોગશીલ…

વધુ વાંચો >

યોગાસન

યોગાસન : યોગસાધનામાં તન-મનને કેળવવા માટેની અંગસ્થિતિ. ‘યોગાસન’નો શબ્દાર્થ ‘યોગસાધના માટે ઉપકારક આસન (શારીરિક સ્થિતિ)’ – એ પ્રમાણે થાય છે. શબ્દાર્થની ર્દષ્ટિએ ‘યોગ’ એટલે મેળાપ, જોડાણ, એક થવું તે; તત્વજ્ઞાનની ર્દષ્ટિએ પરમ તત્વ સાથે એકાકાર થઈ જવું તે, જીવાત્મા સાથે પરમાત્માનું જોડાણ. ઈ. પૂ. બીજા સૈકામાં મહર્ષિ પતંજલિએ રચેલા ‘યોગદર્શન’…

વધુ વાંચો >

યોગિનીકુમારી (ભાગ 1, 2)

યોગિનીકુમારી (ભાગ 1, 2) (1915, 1930) : છોટાલાલ જીવણલાલ માસ્તર(વિશ્વવંદ્ય)-લિખિત અધ્યાત્મરહસ્યને લગતી સુપ્રસિદ્ધ આત્મકથનાત્મક નવલકથા. ‘યોગિનીકુમારી’ શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગના મુખપત્ર ‘મહાકાલ’માં 1904થી 1911ના ભાદ્રપદ માસના અંક સુધી હપતે હપતે છપાતી હતી. 1912માં છોટાલાલ જીવણલાલનું દેહાવસાન થતાં આ કૃતિ અપૂર્ણ રહી. તેમના મૃત્યુ પછી તે પુસ્તકાકારે પ્રસિદ્ધ થઈ. નવલકથાકારે રસસિદ્ધિશાસ્ત્ર…

વધુ વાંચો >

યોગી આદિત્યનાથ

યોગી આદિત્યનાથ (જ. 5 જૂન 1972, પંચુર, પૌઢી ગઢવાલ, ઉત્તરાખંડ) : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી, લોકસભાના પૂર્વ સાંસદ, ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં આવેલા ગોરખમઠના મહંત, હિન્દુ યુવાવાહિનીના સ્થાપક. પૂર્વાશ્રમનું નામ અજયસિંહ બિષ્ટ. ઉત્તરપ્રદેશમાંથી ઉત્તરાખંડ અલગ રાજ્ય બન્યું તે પહેલાં તેમનો જન્મ પૌઢી ગઢવાલ જિલ્લાના પંચુરમાં થયો હતો. ગઢવાલની હેમવતીનંદન બહુગુણા યુનિવર્સિટીમાંથી તેમણે બી.એસસીનો અભ્યાસ…

વધુ વાંચો >

યોગેન્દ્ર રસ

યોગેન્દ્ર રસ : આયુર્વેદની રસ-ઔષધિ. તે કીમતી, ઉત્કૃષ્ટ અને વીર્યવાન (ખૂબ પ્રભાવશાળી) ઔષધિઓમાંની એક છે; જે ખાસ કરીને હૃદય, મસ્તિષ્ક, મન, વાતવાહી નાડીઓ અને રક્ત ઉપર સીધી સુંદર અસર કરે છે. આ રસનો પાઠ ‘ભૈષજ્યરત્નાવલિ’ તથા ‘રસતંત્રસાર અને સિદ્ધ પ્રયોગસંગ્રહ’ ભાગ–1માં આપેલ છે. પાઠદ્રવ્યો : રસસિંદૂર 20 ગ્રામ, સુવર્ણભસ્મ, કાંતલોહભસ્મ,…

વધુ વાંચો >

યોગેશ્વર

યોગેશ્વર (જ. 15 ઑગસ્ટ 1921, સરોડા, જિ. અમદાવાદ; અ. 18 માર્ચ 1984, મુંબઈ) : ભારતના સુખ્યાત સંત સાહિત્યકાર. મૂળ નામ ભાઈલાલ. પિતાનું નામ મણિલાલ ભટ્ટ. માતા જડાવબહેન. પિતા ખેડૂત હતા. પ્રાથમિક શિક્ષણ સરોડામાં. પિતાના અવસાન બાદ નવ વર્ષની ઉંમરે તે મુંબઈ ગયા. ત્યાં લેડી નૉર્થકોટ ઑર્ફનેજમાં મામાના પ્રયત્નથી દાખલ થયા.…

વધુ વાંચો >

રક્સોલ

Jan 8, 2003

રક્સોલ : ભારત-નેપાળ સરહદે આવેલું બિહાર રાજ્યના પૂર્વ ચંપારણ્ય જિલ્લાનું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : આશરે 27o ઉ. અ. અને 84o 50´ પૂ. રે. તેની ઉત્તરમાં અને પૂર્વમાં નેપાળ, દક્ષિણમાં જિલ્લાનો વિસ્તાર તથા પશ્ચિમે પશ્ચિમ ચંપારણ્ય જિલ્લો આવેલા છે. એક સમયે આ વિસ્તાર ચંપાનાં વૃક્ષોથી છવાયેલો રહેતો હતો, પરંતુ વર્તમાન સમયમાં…

વધુ વાંચો >

રગતરોહિડો

Jan 8, 2003

રગતરોહિડો : દ્વિદળી વર્ગમાં આવેલા બિગ્નોનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Tecoma undulata G. Don = Tecomella undulata (Sm.) Seem. syn. Bignonia undulata Sm. (સં. રક્તરોહિતક; હિં. રગત્રોરા, કુટશાલ્મલી; મ. રક્તરોહીડા; બં. રોઢા, ગુ. રગતરોહિડો; અં. રોહિડા ટ્રી.) છે. તે પર્ણપાતી (deciduous), શોભન ક્ષુપ કે નાનું વૃક્ષ અને વાયવ્ય…

વધુ વાંચો >

રગ્બી

Jan 8, 2003

રગ્બી : એક પાશ્ચાત્ય રમત. રગ્બી રમતને ‘રગ્બી ફૂટબૉલ’ પણ કહેવામાં આવે છે. આ રીતે રગ્બી રમતનો ઇતિહાસ ફૂટબૉલની રમત જેટલો જ જૂનો છે. આ રમતની શરૂઆત રોમન લોકોની ‘દારપસ્ટમ’ રમતમાંથી થઈ છે. રગ્બી રમતમાં ખેલાડી પગ ઉપરાંત હાથનો પણ ઉપયોગ કરી શકે છે તેથી પ્રેક્ષકો માટે તે ખૂબ જ…

વધુ વાંચો >

રઘુ

Jan 8, 2003

રઘુ : અયોધ્યાનો ઇક્ષ્વાકુ વંશનો પ્રસિદ્ધ રાજા. પૌરાણિક અનુશ્રુતિ મુજબ રાજા દિલીપને દિવ્ય નંદિની ગાયની સેવા કરવાના ફળરૂપે આ પુત્ર પ્રાપ્ત થયો હતો. તે બચપણથી જ ઘણો પ્રભાવશાળી હતો અને કિશોરવયે તેણે પિતાએ કરેલા અશ્વમેધમાં યજ્ઞના ઘોડાની રક્ષા કરવાની જવાબદારી સંભાળી હતી. દિલીપ પછી રાજગાદીએ આવતાં તેનો પ્રતાપ વધ્યો. તેણે…

વધુ વાંચો >

રઘુનાથન્, ચિદંબર

Jan 8, 2003

રઘુનાથન્, ચિદંબર (જ. 1923, તિરુનેલવેલી, તમિળનાડુ) : તમિળ સાહિત્યકાર. સતત સાહિત્યિક પ્રવૃત્તિથી ધમધમતા કેન્દ્ર સમા તિરુનેલવેલીમાં તમિળ વિદ્વાનોના પરિવારમાં તેમનો જન્મ થયો હતો. પ્રારંભિક વર્ષોમાં તેઓ ડાબેરી નેતાઓ તથા અગ્રણી લેખકોના ગાઢ સંપર્કમાં આવ્યા. તેમની નવલકથા ‘પંજુમ પસિયમ’ (‘કૉટન ઍન્ડ હંગર’) 1953માં પ્રગટ થઈ ત્યારે તેને તમિળનાડુના સમાજવાદી વાસ્તવવાદના આદર્શ…

વધુ વાંચો >

રઘુનાથન્, માદાબુસી સંથનમ્

Jan 8, 2003

રઘુનાથન્, માદાબુસી સંથનમ્ (જ. 11 ઑગસ્ટ 1941 અનંતપુર; આંધ્ર પ્રદેશ) : વીસમી સદીના ભારતના એક અતિપ્રતિષ્ઠિત શ્રેષ્ઠ ગણિતજ્ઞ. તેમના હાથે લી સમૂહો વિશે ઉત્કૃષ્ટ કોટિનું સંશોધન તો થયું જ છે, પણ તેમનો પ્રભાવ ભારતના સમગ્ર ગણિતશિક્ષણ અને સંશોધન પર પડ્યો છે. માદાબુસી સંથનમ્ રઘુનાથનનું શિક્ષણ ચેન્નાઈની વિવેકાનંદ કૉલેજ તથા ચેન્નાઈ…

વધુ વાંચો >

રઘુનાથાચાર્ય, એસ. બી. ‘ચક્રવર્તી’

Jan 8, 2003

રઘુનાથાચાર્ય, એસ. બી. ‘ચક્રવર્તી’ (જ. 1 જાન્યુઆરી 1944, રિપલ્લે, ગંટુર જિલ્લો, આંધ્રપ્રદેશ) : સંસ્કૃત અને તેલુગુ લેખક. તેમણે એસ. વી. યુનિવર્સિટી, તિરુપતિમાંથી એમ.એ.; આંધ્ર યુનિવર્સિટીમાંથી વિદ્યાપ્રવીણ અને સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી, વારાણસીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. અધ્યાપનકાર્ય બાદ તેઓ તિરુપતિમાં રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર તરીકે હાલ કામગીરી કરે છે.…

વધુ વાંચો >

રઘુવંશ

Jan 8, 2003

રઘુવંશ : સંસ્કૃત ભાષાનાં પાંચ શ્રેષ્ઠ મહાકાવ્યોમાંનું એક મહાકાવ્ય. કવિકુલગુરુ કાલિદાસે તે રચેલું છે. એમાં 19 સર્ગ છે અને લગભગ 30 રાજાઓનું વર્ણન છે. અત્યંત પરાક્રમી અને દાનવીર એવા રઘુરાજાના વંશના રાજાઓનું વર્ણન હોવાથી આ કાવ્યને ‘રઘુવંશ’ નામ આપવામાં આવ્યું છે. મહાદેવ અને પાર્વતીની વંદનાથી કાવ્યનો પ્રારંભ થાય છે. (1)…

વધુ વાંચો >

રઘુવીર

Jan 8, 2003

રઘુવીર (જ. 1902, રાવલપિંડી, પાકિસ્તાન; અ. 1963) : સંસ્કૃત તથા હિંદીના અગ્રણી વિદ્વાન. તેમના પિતા મુનશીરામ મધ્યમ વર્ગના સામાન્ય માનવી હતા. વતનમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી, વિશેષ અભ્યાસ માટે તેઓ લાહોર ગયા અને ત્યાં એમ.એ.ની ડિગ્રી મેળવી. ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખીને તેમણે લંડન ખાતેથી પીએચ.ડી.ની તથા યૂટ્રેક્ટ (નેધરલૅન્ડ્ઝ) યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની…

વધુ વાંચો >

રચનાસર્દશતા (homology)

Jan 8, 2003

રચનાસર્દશતા (homology) : ઉત્ક્રાંતિનો તુલનાત્મક શરીરવિજ્ઞાન(anatomy)નો એક પુરાવો. સમાન આકારવિદ્યાકીય (morphological) ઉદભવ અને મૂળભૂત રીતે સરખી સંરચના ધરાવતા હોવા છતાં બાહ્ય દેખાવે અને કાર્યાત્મક વૈવિધ્ય દર્શાવતાં અંગોને રચનાસાર્દશ્ય (homologous) ધરાવતા કે સમમૂલક અંગો અને આ પરિઘટનાને રચનાસર્દશતા કહે છે. રચનાસાર્દશ અંગો મૂળભૂત પ્રકાર(basic type)ની રૂપાંતર(modification)ની પ્રક્રિયાને પરિણામે ઉદભવે છે. વિવિધ…

વધુ વાંચો >