૧૭.૦૮

યોગરાજથી રચનાસર્દશતા

યૌવનારંભ (puberty)

યૌવનારંભ (puberty) : પુખ્ત વયના લૈંગિક (જાતીય) જીવનનો પ્રારંભ. સ્ત્રીઓમાં ઋતુસ્રાવ થવો શરૂ થાય તેને ઋતુસ્રાવારંભ (menarche) કહે છે. યૌવનારંભ પુરુષ અને સ્ત્રી બંનેને થાય છે. સામાન્ય રીતે 8 વર્ષની વયથી મગજના નીચલા ભાગમાં આવેલી પીયૂષિકાગ્રંથિ(pituitary gland)માં જનનાંડપોષી અંત:સ્રાવ(gonadotrophic hormone)નું ઉત્પાદન વધવા માંડે છે અને તેથી 11થી 16 વર્ષના ગાળામાં…

વધુ વાંચો >

રઇધૂ

રઇધૂ (અનુમાને 1457–1536) : અપભ્રંશ ભાષાના મહાકવિ અને વિદ્વાન લેખક. મહાકવિ રઇધૂએ અપભ્રંશ સાહિત્યનું વિપુલ સર્જન કર્યું છે. તેમનામાં પ્રબન્ધકાર, દાર્શનિક, આચારશાસ્ત્ર-પ્રણેતા અને ક્રાન્તિ-દ્રષ્ટાનાં તત્વોનો સમન્વય જોવા મળે છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને હિન્દી ભાષા પર તેમનું ખૂબ પ્રભુત્વ હતું. રઇધૂનું અપર નામ સિંહસેન હતું. તેઓ સાહ હરિસિંહના પુત્ર અને…

વધુ વાંચો >

રઇસખાં

રઇસખાં (જ. 4 નવેમ્બર 1939) : પાકિસ્તાનના અગ્રણી સિતારવાદક. તેઓ મૂળ ભારતના વતની હતા; પરંતુ પાછળથી તેમણે પાકિસ્તાનનું નાગરિકત્વ સ્વીકાર્યું હતું. પિતા ઉસ્તાદ મુહમ્મદખાં ઉચ્ચ કક્ષાના સિતારવાદક હતા. બાળપણમાં પિતા પાસેથી સિતાર વગાડવાની તાલીમ પ્રાપ્ત કરી હતી. તેઓ માત્ર અઢી વર્ષના હતા ત્યારે તેમના પિતાએ તેમને એક નાની સિતાર આપી…

વધુ વાંચો >

રકોસી, માટયાસ

રકોસી, માટયાસ (જ. 1892; અ. 1963) : હંગેરીના અગ્રણી ઉદ્દામવાદી સામ્યવાદી નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી. તેઓ હંગેરીના સામ્યવાદી નેતા બાલા કૂન (1886–1939)ના રાજકીય અનુયાયી હતા. સમય જતાં તેઓ સોવિયત સંઘના સર્વેસર્વા જોસેફ સ્ટાલિન(1879–1953)ના પ્રભાવ હેઠળ આવ્યા હતા. સ્ટાલિનની દોરવણી મુજબ રકોસીએ બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછીના ગાળામાં હંગેરીમાં સામ્યવાદી પક્ષને મજબૂત…

વધુ વાંચો >

રક્તકોષઠારણ-દર (erythrocyte sedimentation rate, ESR)

રક્તકોષઠારણ-દર (erythrocyte sedimentation rate, ESR) : ઊભી કાચની નળીમાં લોહીને ગંઠાઈ ન જાય તેવા દ્રવ્ય સાથે ભરીને મૂકવાથી તેમાંનાં ઘનદ્રવ્યોનો નીચેની તરફ ઠરવાનો દર. લોહી જ્યારે નસમાં વહેતું હોય છે ત્યારે તેમાંનાં ઘનદ્રવ્યો, મુખ્યત્વે રક્તકોષો, એકસરખી રીતે રુધિરપ્રરસ(blood plasma)માં નિલંબિત (suspended) રહે છે. પરંતુ જ્યારે શરીરમાંથી બહાર કઢાયેલા લોહીને તે…

વધુ વાંચો >

રક્તકોષભક્ષિતા રોગ (systemic lupus erythematosus)

રક્તકોષભક્ષિતા રોગ (systemic lupus erythematosus) : વિવિધ અવયવી તંત્રોને અસર કરતો શોથકારક સ્વકોષઘ્ની વિકાર. પેશીમાં પીડાકારક સોજો આવે તેવા વિકારને શોથ (inflammation) કહે છે. બાહ્ય દ્રવ્યો (પ્રતિજન, antigen) સામે રક્ષણ આપવા માટે શરીરમાં પ્રતિદ્રવ્યો (antibodies) બને છે. તેમની વચ્ચે થતી પ્રતિક્રિયાને કારણે બાહ્ય દ્રવ્યોને શરીરનું નુકસાન કરતાં અટકાવી શકાય છે.…

વધુ વાંચો >

રક્તગુંજ (ગુંજ; ચણોઠી)

રક્તગુંજ (ગુંજ; ચણોઠી) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના પૅપિલિયોનૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Abrus precatorius Linn. (સં. રક્તગુંજ, ગુંજા; મ. ગુંજ; હિં. ગુંજા, ધુધચી, ચોટલી, ચિરમિટી; બં. કુંચ; ગુ. ચણોઠી, ગુંજા; તે. ગુલવિંદે; ત. ગુંડુમની, કુંતુમની, મલ. કુન્ની, કુન્નીકુરુ; અં. ક્રૅબ્ઝ આઇ, ઇંડિયન લિકોરિશ, જેક્વિરિટી.) છે. તે…

વધુ વાંચો >

રક્તપિત્ત (આયુર્વેદ)

રક્તપિત્ત (આયુર્વેદ) : શરીરનાં કુદરતી છિદ્રોમાંથી થતા રક્તસ્રાવનો આયુર્વેદમાં વર્ણવેલો એક રોગ. લોકવ્યવહારમાં ‘રક્તપિત્ત’ યાને કુષ્ઠ (કોઢ) કે ‘લેપ્રસી’ નામે ઓળખાતા રોગથી આયુર્વેદની પરિભાષામાં કહેલ આ ‘રક્તપિત્ત’નું દર્દ સાવ ભિન્ન છે. આયુર્વેદોક્ત આ રક્તપિત્ત રોગમાં શરીરનાં કુદરતી છિદ્રોમાંથી રક્તસ્રાવ થાય છે તે તેની ખાસ ઓળખ છે. રોગની વ્યાખ્યા : પિત્તદોષ…

વધુ વાંચો >

રક્તમોક્ષણ (ફસ ખોલવી)

રક્તમોક્ષણ (ફસ ખોલવી) : આયુર્વેદની એક વિશિષ્ટ ચિકિત્સા.  આયુર્વેદવિજ્ઞાનની અનેક પેટાશાખાઓ છે. આયુર્વેદમાં જેમ વનસ્પતિ-ઔષધિ-ઉપચાર છે, તેમ નાની-મોટી સર્જરી કે વાઢ-કાપનું પણ જ્ઞાન છે. ‘સુશ્રુત-સંહિતા’ લખનાર મહર્ષિ સુશ્રુત ભારતના પ્રાચીન કાળના મહાન જનરલ સર્જ્યન હતા, જેમણે વનસ્પતિ કે ઔષધિ-ઉપચારોથી ન મટી શકતાં કે ખૂબ વિલંબે મટનારાં દર્દો માટે શલ્ય-શાલાક્ય (surgery)…

વધુ વાંચો >

રક્ત સ્થાનાંતર (red shift)

રક્ત સ્થાનાંતર (red shift) : પાર્થિવ (terrestrial) વર્ણપટની સાપેક્ષે પરાગાંગેય તારાકીય (extragalactic steller) વર્ણપટની રેખાઓનું ર્દશ્ય રક્ત(લાલ)વર્ણી છેડા તરફ સ્થાનાંતર. તારાઓના પશ્ચસરણ[પીછેહઠ(recession)]ને લીધે ઉદભવતી ડૉપ્લર ઘટનાને કારણે આવું સ્થાનાંતર થતું હોવાનું મનાય છે. દૂરદરાજનાં તારાવિશ્વો(galaxies)માંથી આવતા પ્રકાશના વર્ણપટની રેખાઓ વધુ તરંગલંબાઈ તરફ ખસે છે. અતિદૂરની નિહારિકા (nebulae) માટે આવું સ્થાનાંતર…

વધુ વાંચો >

યોગરાજ

Jan 8, 2003

યોગરાજ (શાસનકાળ : ઈ. સ. 850થી 885) : વનરાજ ચાવડાનો ઉત્તરાધિકારી રાજા. એનો રાજ્યકાળ 35 વર્ષનો ગણાય છે. એની પ્રશસ્તિમાં એને પરાક્રમી અને પ્રતાપી રાજા આલેખવામાં આવ્યો છે. એ ધનુર્વિદ્યામાં નિપુણ અને રાજનીતિમાં પ્રવીણ હતો. ‘પ્રબંધ-ચિંતામણિ’માં આપેલી અનુશ્રુતિ મુજબ તેણે મનાઈ કરવા છતાં તેના પુત્રોએ વહાણોમાં પ્રભાસપાટણ આવેલો અન્ય રાજાનો…

વધુ વાંચો >

યોગરાજ ગૂગળ

Jan 8, 2003

યોગરાજ ગૂગળ : એક આયુર્વેદિક ઔષધિ. ‘યોગરાજ ગૂગળ’ના વિવિધ અનેક પાઠ જોવા મળે છે. જેમાં ભસ્મો ઉમેરી હોય તે ‘મહાયોગરાજ’ અને જેમાં ભસ્મો ન હોય તે ‘લઘુયોગરાજ’. લઘુયોગરાજના પણ ‘આયુર્વેદ નિબંધમાળા’ કે ‘રસતંત્રસાર’નો પાઠ તથા ‘આર્યભિષક્’માં આપેલ ‘બોપદેવશતક’વાળો એમ બે પાઠ છે. અત્રે બોપદેવશતકનો ‘આર્યભિષક્’માં આપેલ પાઠ આપ્યો છે. આ…

વધુ વાંચો >

યોગવાસિષ્ઠ

Jan 8, 2003

યોગવાસિષ્ઠ : પ્રાચીન ભારતીય અદ્વૈત વેદાન્તના તત્વજ્ઞાનનો મહત્વનો ગ્રંથ. ‘યોગવાસિષ્ઠ’ (નિર્વાણ પ્રકરણ, પૂર્વાર્ધ સર્ગ 13)માં ‘યોગ’ શબ્દના બે અર્થો આપેલા છે : (1) આત્મજ્ઞાનરૂપ યોગ; અને (2) પ્રાણના નિરોધરૂપ યોગ. આ બંને અર્થોવાળા યોગથી યુક્ત વસિષ્ઠે રામને આપેલો બોધ તે ‘યોગવાસિષ્ઠ’ બોધ, અને બોધના પ્રાધાન્યવાળો ગ્રંથ તે યોગવાસિષ્ઠ. વળી, રામચરિતને…

વધુ વાંચો >

યોગશતક

Jan 8, 2003

યોગશતક : પ્રાકૃત ભાષાની યોગવિષયક રચના. ‘યોગશતક’ આચાર્ય હરિભદ્રસૂરિએ પ્રાકૃત ભાષામાં રચેલી યોગવિષયક 100 ગાથાપ્રમાણ કૃતિ છે. તેમણે યોગવિષયક અન્ય ત્રણ કૃતિઓ ‘યોગર્દષ્ટિ-સમુચ્ચય’, ‘યોગબિંદુ’ અને ‘યોગવિંશિકા’ની રચના પણ કરી છે. તેમના યોગ-વિષયક ગ્રંથોમાં તેમણે મુખ્યત્વે ચાર બાબતો વિશે ચર્ચા કરી છે : (1) યોગમાર્ગના અધિકારી અને અનધિકારી, (2) યોગમાં અધિકાર…

વધુ વાંચો >

યોગશીલ પ્રક્રિયા (addition reaction)

Jan 8, 2003

યોગશીલ પ્રક્રિયા (addition reaction) : અસંતૃપ્ત સંયોજનમાં વધારાના પરમાણુઓ કે પરમાણુ-સમૂહો દાખલ કરવાની રાસાયણિક પ્રક્રિયા. આવાં અસંતૃપ્ત સંયોજનો આલ્કિન, કીટોન, નાઇટ્રાઇલ, આલ્કાઇન વગેરે હોય છે. ઉમેરાતા વધારાના પરમાણુઓ કે પરમાણુ-સમૂહો ઇલેક્ટ્રૉન-અનુરાગી અથવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો હોય છે. (क) બહુગુણક કાર્બન  કાર્બન બંધ (> C = C <; — C  C—)માં યોગશીલ…

વધુ વાંચો >

યોગાસન

Jan 8, 2003

યોગાસન : યોગસાધનામાં તન-મનને કેળવવા માટેની અંગસ્થિતિ. ‘યોગાસન’નો શબ્દાર્થ ‘યોગસાધના માટે ઉપકારક આસન (શારીરિક સ્થિતિ)’ – એ પ્રમાણે થાય છે. શબ્દાર્થની ર્દષ્ટિએ ‘યોગ’ એટલે મેળાપ, જોડાણ, એક થવું તે; તત્વજ્ઞાનની ર્દષ્ટિએ પરમ તત્વ સાથે એકાકાર થઈ જવું તે, જીવાત્મા સાથે પરમાત્માનું જોડાણ. ઈ. પૂ. બીજા સૈકામાં મહર્ષિ પતંજલિએ રચેલા ‘યોગદર્શન’…

વધુ વાંચો >

યોગિનીકુમારી (ભાગ 1, 2)

Jan 8, 2003

યોગિનીકુમારી (ભાગ 1, 2) (1915, 1930) : છોટાલાલ જીવણલાલ માસ્તર(વિશ્વવંદ્ય)-લિખિત અધ્યાત્મરહસ્યને લગતી સુપ્રસિદ્ધ આત્મકથનાત્મક નવલકથા. ‘યોગિનીકુમારી’ શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગના મુખપત્ર ‘મહાકાલ’માં 1904થી 1911ના ભાદ્રપદ માસના અંક સુધી હપતે હપતે છપાતી હતી. 1912માં છોટાલાલ જીવણલાલનું દેહાવસાન થતાં આ કૃતિ અપૂર્ણ રહી. તેમના મૃત્યુ પછી તે પુસ્તકાકારે પ્રસિદ્ધ થઈ. નવલકથાકારે રસસિદ્ધિશાસ્ત્ર…

વધુ વાંચો >

યોગી આદિત્યનાથ

Jan 8, 2003

યોગી આદિત્યનાથ (જ. 5 જૂન 1972, પંચુર, પૌઢી ગઢવાલ, ઉત્તરાખંડ) : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી, લોકસભાના પૂર્વ સાંસદ, ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં આવેલા ગોરખમઠના મહંત, હિન્દુ યુવાવાહિનીના સ્થાપક. પૂર્વાશ્રમનું નામ અજયસિંહ બિષ્ટ. ઉત્તરપ્રદેશમાંથી ઉત્તરાખંડ અલગ રાજ્ય બન્યું તે પહેલાં તેમનો જન્મ પૌઢી ગઢવાલ જિલ્લાના પંચુરમાં થયો હતો. ગઢવાલની હેમવતીનંદન બહુગુણા યુનિવર્સિટીમાંથી તેમણે બી.એસસીનો અભ્યાસ…

વધુ વાંચો >

યોગેન્દ્ર રસ

Jan 8, 2003

યોગેન્દ્ર રસ : આયુર્વેદની રસ-ઔષધિ. તે કીમતી, ઉત્કૃષ્ટ અને વીર્યવાન (ખૂબ પ્રભાવશાળી) ઔષધિઓમાંની એક છે; જે ખાસ કરીને હૃદય, મસ્તિષ્ક, મન, વાતવાહી નાડીઓ અને રક્ત ઉપર સીધી સુંદર અસર કરે છે. આ રસનો પાઠ ‘ભૈષજ્યરત્નાવલિ’ તથા ‘રસતંત્રસાર અને સિદ્ધ પ્રયોગસંગ્રહ’ ભાગ–1માં આપેલ છે. પાઠદ્રવ્યો : રસસિંદૂર 20 ગ્રામ, સુવર્ણભસ્મ, કાંતલોહભસ્મ,…

વધુ વાંચો >

યોગેશ્વર

Jan 8, 2003

યોગેશ્વર (જ. 15 ઑગસ્ટ 1921, સરોડા, જિ. અમદાવાદ; અ. 18 માર્ચ 1984, મુંબઈ) : ભારતના સુખ્યાત સંત સાહિત્યકાર. મૂળ નામ ભાઈલાલ. પિતાનું નામ મણિલાલ ભટ્ટ. માતા જડાવબહેન. પિતા ખેડૂત હતા. પ્રાથમિક શિક્ષણ સરોડામાં. પિતાના અવસાન બાદ નવ વર્ષની ઉંમરે તે મુંબઈ ગયા. ત્યાં લેડી નૉર્થકોટ ઑર્ફનેજમાં મામાના પ્રયત્નથી દાખલ થયા.…

વધુ વાંચો >