૧૬.૦૫

મિશ્ર મયાનંદથી મીન રાશિ

મિસ્ત્રી, જયકિશન ફકીરભાઈ

મિસ્ત્રી, જયકિશન ફકીરભાઈ (જ. 7 એપ્રિલ 1931, લીલાપોર, જિ. વલસાડ) : વિશ્વવિખ્યાત સિંચાઈ તજ્જ્ઞ. અત્યંત ગરીબ પરિવારમાં જન્મ. ગામના રસ્તા પરની વીજળીના દીવાના અજવાળે માધ્યમિક શાળાનો અભ્યાસ પૂરો કર્યો. 1955માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇજનેરી વિદ્યાશાખાની સ્નાતકની પદવી પ્રથમ વર્ગમાં પ્રથમ આવીને વિશેષ યોગ્યતા સાથે મેળવી, તે પણ બબ્બે સુવર્ણચંદ્રકો સાથે.…

વધુ વાંચો >

મિસ્ત્રી, ત્રિકમલાલ જીવણલાલ

મિસ્ત્રી, ત્રિકમલાલ જીવણલાલ (જ. 1 ઑગસ્ટ 1939, ઘોડાસર, તા. મહેમદાવાદ, જિ. ખેડા) : ગુજરાતના જાણીતા કાષ્ઠશિલ્પી. સુથારી કામના કસબી પરિવારમાં જન્મ. પિતા એક જમાનામાં ઘોડાસર રાજ્યનું રાચરચીલું બનાવતા. પિતાનો કલાવારસો પુત્ર ત્રિકમલાલને ગળથૂથીમાંથી જ મળેલો. કલાની તાલીમ લેવા તેમના પિતાએ તેમને વડોદરામાં સોમનાથભાઈ મેવાડાને ત્યાં મોકલ્યા. ત્યારબાદ તેઓ પંચમહાલ જિલ્લાના…

વધુ વાંચો >

મિસ્ત્રી, ધ્રુવ

મિસ્ત્રી, ધ્રુવ (જ. 1957, કંજરી, ગુજરાત) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગુજરાતી શિલ્પી. વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી શિલ્પકલામાં 1979માં સ્નાતક અને 1981માં અનુસ્નાતક થયા. આ પછી બ્રિટિશ કાઉન્સિલ સ્કૉલરશિપ મળતાં બ્રિટન જઈ લંડનની રૉયલ કૉલેજ ઑવ્ આર્ટ્સમાંથી 1983માં શિલ્પકલામાં અનુસ્નાતકની પદવી મેળવી. 1984 અને ’85 દરમિયાન તેઓ કેમ્બ્રિજની…

વધુ વાંચો >

મિસ્ત્રી, પ્રમોદ રણછોડજી

મિસ્ત્રી, પ્રમોદ રણછોડજી (જ. 22 ડિસેમ્બર, 1938, વલસાડ) : ગુજરાતના વન્યજીવન અને કુદરતના અગ્રણી તસવીરકાર. માતા શાંતાબહેન અને પત્ની કુમુદબહેન. એસ.એસ.સી. સુધીના અભ્યાસ પછી તેમણે તસવીરકળાના વ્યવસાયમાં ઝુકાવ્યું. તેમની તસવીરકળાના કેટલાક ઉત્તમ નમૂના ‘નૅશનલ જ્યૉગ્રૉફિક ઑવ્ અમેરિકા’, ‘ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ’, ‘ધી ઇન્ડિયન પૅન્ટ્રી’, ‘ટ્રાવેલ ઍન્ડ લેઝર’ (હૉન્ગકૉન્ગ), ‘ઓગ્ગી નેટુરા’ (ઇટાલી),…

વધુ વાંચો >

મિસ્ત્રી, બાબુભાઈ

મિસ્ત્રી, બાબુભાઈ (જ. 1919, સૂરત, ગુજરાત; અ. 20 ડિસેમ્બર 2010, મુંબઈ) : કમ્પ્યૂટર નહોતાં એ જમાનામાં પૌરાણિક, ધાર્મિક અને તિલસ્મી ચિત્રોમાં ખાસ પ્રભાવ (સ્પેશિયલ ઇફેક્ટ) અને યુક્તિપૂર્વકની છબિકલાના ક્ષેત્રે ખૂબ નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર પ્રથમ છબિકાર અને દિગ્દર્શક. કોઈ ર્દશ્યમાં જાદુઈ કે ચમત્કારી પ્રભાવ ઊભો કરવા માટે બાબુભાઈ મિસ્ત્રી કાળા રંગની…

વધુ વાંચો >

મિસ્ત્રી, સાયરસ

મિસ્ત્રી, સાયરસ  (જ.4 જુલાઈ, 1968 ; અ. 4 સપ્ટેમ્બર, 2022) : ભારતીય મૂળના, આયરિશ નાગરિકત્વ ધરાવતા, પોતાને વૈશ્વિક નાગરિક માનતાં સાયરસ મિસ્ત્રી ટાટા ગ્રૂપના વર્ષ 2012થી વર્ષ 2016 સુધી ભૂતપૂર્વ ચૅરમૅન હતા. તેઓ ભારતીય મૂળના વિદેશી નાગરિક તરીકે ભારતમાં કાયમી રહેવાસીનો દરજ્જો ધરાવતા હતા. સાયરસ ટાટા ગ્રૂપના છઠ્ઠાં ચૅરમૅન અને…

વધુ વાંચો >

મિહિરકુલ

મિહિરકુલ : હૂણ જાતિનો ઉત્તર ભારતનો શૈવધર્મી રાજા. ગુપ્ત સામ્રાજ્યની શક્તિ શિથિલ થતાં, ઈરાનમાં સત્તારૂઢ થયેલા હૂણોએ ભારતમાં મધ્યપ્રદેશ સુધી પોતાની સત્તા પ્રસારી. આ હૂણોનો અગ્રણી હતો મહારાજાધિરાજ તોરમાણ (લગભગ ઈ. સ. 510). તોરમાણ પછી એનો પુત્ર મિહિરકુલ ગાદીએ આવ્યો. (લગભગ ઈ. સ. 515) એની રાજધાની શાકલ(સિયાલકોટ)માં હતી. એ કાશ્મીર…

વધુ વાંચો >

મિંગ વંશ

મિંગ વંશ : ચીનમાં ઈ. સ. 1368થી 1644 સુધી રાજ્ય કરનાર વંશ. ચીનમાં મોંગોલોના યુઆન વંશને ઉથલાવીને ચુ યુઆન ચાંગે ઈ. સ. 1368માં મિંગ વંશની સ્થાપના કરી. તેના પાટનગર પેકિંગમાંથી મોંગોલોને ભગાડી તેણે સમગ્ર દેશનો કબજો લઈને મિંગ વંશની સ્થાપના કરી. ઈ. સ. 1371 સુધીમાં તો તેણે સમગ્ર ચીનમાંથી મોંગોલોને…

વધુ વાંચો >

મિંગ હુઆંગ

મિંગ હુઆંગ (જ. 685, લોયાંગ, ચીન; અ. 762) : ચીનના તાંગ વંશનો છઠ્ઠો સમ્રાટ. તેનું નામ હસુઆન ત્સુંગ હતું. તે મિંગ હુઆંગ તરીકે જાણીતો થયો હતો. તેનો રાજ્યકાળ 712થી 756 સુધીનો હતો. તેના સમયમાં ચીને ઘણી સમૃદ્ધિ અને સત્તા મેળવ્યાં હતાં. તેણે વહીવટી અને નાણાકીય સુધારા કર્યા. કેન્દ્ર સરકારના માળખામાં…

વધુ વાંચો >

મીઝ, ચાર્લ્સ એડ્વર્ડ કેનેથ

મીઝ, ચાર્લ્સ એડ્વર્ડ કેનેથ (જ. 26 મે 1882; અ. 16 ઑગસ્ટ 1960) : બ્રિટનના રસાયણવિજ્ઞાની, શોધક અને લેખક. તેમના પ્રયાસોના પરિણામે વીસમી સદીમાં ફોટોગ્રાફીમાં ટૅકનિકલ પ્રગતિ થઈ શકી. વળી ફોટોગ્રાફીના ઇતિહાસના આલેખનમાં તથા તેના સિદ્ધાંતોના નિરૂપણમાં પણ તેમણે અગ્રગામી જેવું યોગદાન આપ્યું છે. ન્યૂયૉર્કમાં રૉચેસ્ટર ખાતે આવેલી ઇસ્ટમૅન કોડાક કંપની…

વધુ વાંચો >

મિશ્ર, મયાનંદ

Feb 5, 2002

મિશ્ર, મયાનંદ (જ. 17 ઑગસ્ટ 1934, બૈનનિયા, બિહાર; અ. 31 ઑગસ્ટ 201, પટણા) : મૈથિલી સાહિત્યકાર. તેમની કૃતિ ‘મંત્રપુત્ર’(1986)ને સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. મુઝફ્ફર ખાતેની બિહાર યુનિવર્સિટીમાંથી તેમણે હિંદી તેમજ મૈથિલી – એ બંનેમાં એમ.એ.ની ડિગ્રીઓ મેળવી હતી. બિહાર યુનિવર્સિટીમાં તેમણે મૈથિલીના પ્રોફેસર તરીકે તેમજ સહરસા…

વધુ વાંચો >

મિશ્રમંજરી

Feb 5, 2002

મિશ્રમંજરી (1963) : તેલુગુ છંદ-કાવ્યોનો અદ્યતન સંગ્રહ. આ કૃતિને 1965ના વર્ષનો ભારતીય કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ કૃતિના રચયિતા રાયપ્રોલુ સુબ્બારાવ આચાર્યે (જ. 1892) તેમાં પ્રેમનો વિષય છેડ્યો છે. પ્રેમ તમામ નૈતિકતાનું રહસ્ય છે અને પ્રેમનું હાસ્ય વિશ્વને પ્રકાશિત કરે છે, એવી ભાવનાની તેમાં પ્રતીતિ થાય છે.…

વધુ વાંચો >

મિશ્ર, રાજન

Feb 5, 2002

મિશ્ર, રાજન (જ. 1 ઑગસ્ટ 1951, વારાણસી) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના બનારસ ઘરાનાના વિખ્યાત ગાયક. પિતાનું નામ હનુમાનપ્રસાદ, જેઓ પોતે વિખ્યાત સારંગીવાદક અને સંગીતકાર હતા. માતાનું નામ ગગનદેવી, જેઓ સંગીતકારોના પરિવારમાં જન્મેલાં. રાજન મિશ્રે બાળપણથી જ સંગીતની સાધનાની શરૂઆત કરેલી. તેમના પરિવારમાં છેલ્લાં ત્રણ સો વર્ષોથી શાસ્ત્રીય સંગીતનો વારસો ચાલતો…

વધુ વાંચો >

મિશ્ર, રાજેન્દ્ર

Feb 5, 2002

મિશ્ર, રાજેન્દ્ર (જ. 1943, દ્રોણીપુર, ઉત્તરપ્રદેશ) : સંસ્કૃત ભાષાના લેખક. રાજેન્દ્ર મિશ્રની સંસ્કૃત કૃતિ ‘ઇક્ષુગન્ધા’ને 1988ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે 1964માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ.ની ડિગ્રી મેળવી છે. તેમની શૈક્ષણિક કારકિર્દી ઘણી તેજસ્વી હતી. 1966માં તેમણે ડી. ફિલ.ની ઉપાધિ મેળવી. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં સંસ્કૃતના રીડર તરીકે કામગીરી બજાવવા…

વધુ વાંચો >

મિશ્ર, સતીશચન્દ્ર

Feb 5, 2002

મિશ્ર, સતીશચન્દ્ર (જ. 22 જુલાઈ 1925; હોશંગાબાદ, મધ્યપ્રદેશ; અ. 23 સપ્ટેમ્બર 1984, વડોદરા) : ગુજરાતના સલ્તનત કાળના નામાંકિત ઇતિહાસકાર. તેમણે એમ. એ. તથા પીએચ.ડી.નો અભ્યાસ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં કર્યો હતો. પીએચ.ડી. માટે તેમણે ‘શેરશાહ સૂર’ વિશે મહાનિબંધ લખ્યો હતો. ત્યારબાદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ઇતિહાસ-વિભાગના અધ્યક્ષ પ્રોફેસર શેખ અલાદુન રશીદના સંશોધનમદદનીશ…

વધુ વાંચો >

મિશ્ર, સાજન

Feb 5, 2002

મિશ્ર, સાજન (જ. 7 જાન્યુઆરી 1956, વારાણસી) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના બનારસ ઘરાનાના વિખ્યાત ગાયક. છેલ્લાં લગભગ ત્રણસો વર્ષથી શાસ્ત્રીય સંગીતનો વારસો ધરાવતા પરિવારમાં તેમનો જન્મ થયેલો. પિતા પંડિત હનુમાનપ્રસાદ મિશ્ર પોતે અગ્રણી સારંગીવાદક હતા, જેમની પાસેથી તેમણે શાસ્ત્રીય સંગીતની પ્રાથમિક તાલીમ મેળવી હતી. માતાનું નામ ગગનદેવી. પિતા ઉપરાંત જાણીતા…

વધુ વાંચો >

મિશ્ર, સૌભાગ્યકુમાર

Feb 5, 2002

મિશ્ર, સૌભાગ્યકુમાર (જ. 1941, બરહામપુર, ઓરિસા) : ઓરિસાના જાણીતા કવિ, વિવેચક અને અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘દ્વા સુપર્ણા’ બદલ 1986ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી અને હાલ બરહામપુર યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે કામગીરી કરે છે. અત્યાર સુધીમાં તેમનાં 6 કાવ્યસંગ્રહો, 2 વિવેચનગ્રંથો…

વધુ વાંચો >

મિશ્ર સ્ફટિકો

Feb 5, 2002

મિશ્ર સ્ફટિકો (Mixed crystals) : બે કે તેથી વધુ સમરૂપ અથવા અંશત: સમરૂપ ઘટકોથી બનેલા સ્ફટિકો. દ્વિઅંગી મૅગ્માની સ્ફટિકીકરણ-પ્રક્રિયા એવી સમજ આપે છે કે તેમાં તૈયાર થતા ઘટકો બદલાતા જતા બંધારણવાળા હોતા નથી અને પ્રત્યેક ઘટક એકબીજાથી સ્વતંત્રપણે સ્ફટિકીકરણ પામે છે; પરંતુ હકીકતમાં, મોટાભાગના આગ્નેય ખનિજોમાં આ લક્ષણ જોવા મળતું…

વધુ વાંચો >

મિશ્રા, જ્ઞાનસુધા

Feb 5, 2002

મિશ્રા, જ્ઞાનસુધા (જ. 28 એપ્રિલ 1949, રાંચી, ઝારખંડ) : સર્વોચ્ચ અદાલતનાં મહિલા ન્યાયાધીશ. તેમના પિતા સતીશચંદ્ર મિશ્રા પટણા વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ હતા. તેમના ભાઈ સ્વ. શૈલેશચંદ્ર મિશ્રા જાણીતા વરિષ્ઠ ઍડ્વોકેટ હતા. પટણાની કૉન્વેન્ટ શાળામાં તેમણે અભ્યાસ કર્યો અને પટણા યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્ર વિષય સાથેની અનુસ્નાતક પદવી મેળવી. આ જ યુનિવર્સિટીમાંથી તેઓ…

વધુ વાંચો >

મિશ્રા, રામદેવ

Feb 5, 2002

મિશ્રા, રામદેવ (જ. 26 ઑગસ્ટ, 1908; અ. 1991) : ભારતીય પરિસ્થિતિવિજ્ઞાની (ecologist). તેમની કારકિર્દીના પ્રારંભથી 1950 સુધી તેમણે સાગર યુનિવર્સિટીમાં કાર્ય કર્યું અને પરિસ્થિતિવિજ્ઞાનનો પાયો નાખ્યો. ત્યારપછી 1956માં તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટી, વારાણસીમાં વનસ્પતિવિજ્ઞાનના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે જોડાયા. તેમનાં સંશોધનોને કારણે આ યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પરિસ્થિતિવિદ્યાનું એક મહત્વનું સંશોધનકેન્દ્ર…

વધુ વાંચો >