૧૬.૦૫

મિશ્ર મયાનંદથી મીન રાશિ

મીડ, માર્ગારેટ

મીડ, માર્ગારેટ (જ. 16 ડિસેમ્બર 1901, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા; અ. 15 નવેમ્બર 1978, ન્યૂયૉર્ક સિટી) : વિશ્વવિખ્યાત અમેરિકન સાંસ્કૃતિક માનવશાસ્ત્રી. માનવશાસ્ત્રના ક્ષેત્રે તેમનું પ્રદાન ધ્યાનાકર્ષક અને ચર્ચાસ્પદ રહ્યું છે. તેઓ વર્ષો સુધી અમેરિકન મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટ્રીમાં એથ્નૉલૉજીના ઍસોસિયેટ ક્યુરેટર અને કોલંબિયા યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રનાં અધ્યાપક રહ્યાં હતાં. તેમણે 1929માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >

મીડ, રિચાર્ડ

મીડ, રિચાર્ડ (જ. 1938, એપસ્ટૉ, મન્માઉથશાયર, સાઉથ ઈસ્ટ વેલ્સ) : નિષ્ણાત અશ્વારોહક. બ્રિટનના તેઓ એક સૌથી સફળ અને ઑલિમ્પિક કક્ષાના અશ્વારોહક હતા. ઑલિમ્પિક્સમાં તેઓ ત્રિદિવસીય સાંધિક રમતના સુવર્ણચંદ્રકના 1968 અને 1972માં વિજેતા બન્યા તથા 1972માં વ્યક્તિગત વિજયપદકના વિજેતા બન્યા અને એ રીતે 3 સુવર્ણચંદ્રક મેળવ્યા. 1970 અને 1982માં તેઓ વિશ્વચૅમ્પિયનશિપની…

વધુ વાંચો >

મીડાવર, પીટર બ્રિયાન (સર)

મીડાવર, પીટર બ્રિયાન (સર) (જ. 28 ફેબ્રુઆરી 1915, રિયો ડી જાનેરો; અ. 2 ઑક્ટોબર 1987) : રોગપ્રતિકારક્ષમતા(પ્રતિરક્ષા, immunity)ની સંપ્રાપ્ત સહ્યતા શોધી કાઢવા બદલ સન 1960ના તબીબી અને દેહધર્મવિદ્યા માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમના સહવિજેતા હતા સર ફ્રૅન્ક એમ. બર્નેટ (Barnet). બ્રાઝિલમાં જન્મેલા અને બ્રિટિશ નાગરિકત્વ ધરાવતા મીડાવરે બ્રિટનમાં પ્રતિરક્ષાવિદ્યા(immunology)ના અભ્યાસનો…

વધુ વાંચો >

મીડિયા

મીડિયા : ઉત્તર ઈરાનમાં આવેલ પ્રાચીન દેશ. વાયવ્ય ઈરાનમાં આઝરબૈજાન, કુર્દિસ્તાન પ્રાંતો આવેલા છે. ત્યાં મીડીઝ લોકો રહેતા હતા. મીડીઝ લોકો ઇન્ડો-યુરોપિયન હતા. તેઓ ઈ. સ. પૂ. 1200 પછી ઈરાનમાં પ્રવેશ્યા હતા. તે વખતે તેઓ અસિરિયન રાજાઓની સત્તા હેઠળ હતા. અસિરિયન રાજા શાલમનસેર ત્રીજાએ મીડિયા પર ઈ. સ. પૂ. 836માં…

વધુ વાંચો >

મીડ્નર, લુડવિગ

મીડ્નર, લુડવિગ (જ. 8 એપ્રિલ 1884, બર્નસ્ટેટ, જર્મની; અ. 14 મે 1966, ડાર્મસ્ટેટ, જર્મની) : જર્મન-અભિવ્યક્તિવાદી ચિત્રકાર. તેઓ નગરચિત્રોના સર્જન માટે પ્રસિદ્ધિ પામ્યા હતા. 1901–1902 દરમિયાન તેમણે કડિયા તરીકે તાલીમ લીધી. 1903થી 1905 દરમિયાન બ્રૅટ-લૉની રૉયલ એકૅડેમી ઑવ્ આર્ટમાં અભ્યાસ કર્યો. 1906થી 1907 સુધી પૅરિસની અકાદમી જુલિયાં અને અકાદમી કૉર્મોમાં…

વધુ વાંચો >

મીણ

મીણ (wax) : નીચા ગલનબિંદુવાળું કાર્બનિક પદાર્થોનું મિશ્રણ અથવા ઊંચા અણુભારવાળું એવું સંયોજન કે જે ઓરડાના તાપમાને ઘન રૂપમાં હોય છે તથા જેનું સંઘટન સામાન્ય રીતે ચરબી અને તેલને મળતું આવતું હોય છે પણ તેમાં ગ્લિસરાઇડ સંયોજનો હોતાં નથી. મીણ પૈકીનાં કેટલાંક હાઇડ્રૉકાર્બન-સંયોજનો હોય છે જ્યારે જેને સાચા મીણ કહી…

વધુ વાંચો >

મીતૈ, સાગોલસેમ લનચેનબા

મીતૈ, સાગોલસેમ લનચેનબા (જ. 1961, ઇમ્ફાલ) : મણિપુરી ભાષાના કવિ. તેમના ‘હિ નંગ્બુ હોન્દેદા’ નામક કાવ્યસંગ્રહને ભારતીય સાહિત્ય અકાદમીનો 1999ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમણે મણિપુર યુનિવર્સિટીમાંથી હિંદી વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે. 1987થી તેઓ ‘ધનમંજરી કલા મહાવિદ્યાલય’માં હિંદીના પ્રાધ્યાપક તરીકે કાર્ય કરે છે. તેઓ મણિપુરી રાઇટર્સ ઍસોસિયેશનના સેક્રેટરી, મણિપુર…

વધુ વાંચો >

મીનનગર

મીનનગર : ભારતનું એક પ્રાચીન નગર. ‘પેરિપ્લસ’ નામના પુસ્તકમાં બે ઠેકાણે આ સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે; પરંતુ પૂર્વાપર સંબંધ જોતાં આ ઉલ્લેખ સુરાષ્ટ્ર પ્રદેશના મુખ્ય નગરને જ લાગુ પડે છે. (1) સિરાસ્ત્રી (સુરાષ્ટ્ર) દેશનું પાટનગર મીનનગર હતું. ‘પેરિપ્લસ’નો લેખક સુરાષ્ટ્રની રાજધાનીનું નામ મીનનગર જણાવે છે. પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીના મતાનુસાર…

વધુ વાંચો >

મીનનગર (ઈરાન)

મીનનગર (ઈરાન) : ઈરાનમાં શકસ્તાનનું પાટનગર. પૂર્વ ઈરાનમાં વસતા શક લોકોએ ઉત્તર ભારતના પશ્ચિમના કેટલાક પ્રદેશો પણ કબજે કર્યા હતા. પ્રથમ સદીની શરૂઆતમાં ઇસીડોર નામના લેખકે ઈરાનમાં શક લોકો વસતા હતા, તેનું નામ શકસ્તાન અને તેના પાટનગરનું નામ મીનનગર જણાવ્યું છે. ભારતમાં પણ આ નામનું નગર હતું. જયકુમાર ર. શુક્લ

વધુ વાંચો >

મીન રાશિ

મીન રાશિ : જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિચક્રની છેલ્લી રાશિ. તેનો આકાર અવળસવળ બે માછલાં જેવો છે. તેમાં 35 તારાઓ છે અને તેનું ક્ષેત્ર ઘણું લાંબું દેખાય છે. મીન રાશિ ચરણ રહિત, કફ પ્રકૃતિવાળી, જલતત્વવાળી, રાત્રિબલી, શબ્દહીન, નોળિયાના જેવા રંગની, સૌમ્ય અને દ્વિસ્વભાવવાળી, જલચર, ક્રાન્તિમાન, બહુસ્ત્રીસંગ કરનારી, બહુ પ્રજાવાળી, બ્રાહ્મણ જાતિની, ઉત્તર…

વધુ વાંચો >

મિશ્ર, મયાનંદ

Feb 5, 2002

મિશ્ર, મયાનંદ (જ. 17 ઑગસ્ટ 1934, બૈનનિયા, બિહાર; અ. 31 ઑગસ્ટ 201, પટણા) : મૈથિલી સાહિત્યકાર. તેમની કૃતિ ‘મંત્રપુત્ર’(1986)ને સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. મુઝફ્ફર ખાતેની બિહાર યુનિવર્સિટીમાંથી તેમણે હિંદી તેમજ મૈથિલી – એ બંનેમાં એમ.એ.ની ડિગ્રીઓ મેળવી હતી. બિહાર યુનિવર્સિટીમાં તેમણે મૈથિલીના પ્રોફેસર તરીકે તેમજ સહરસા…

વધુ વાંચો >

મિશ્રમંજરી

Feb 5, 2002

મિશ્રમંજરી (1963) : તેલુગુ છંદ-કાવ્યોનો અદ્યતન સંગ્રહ. આ કૃતિને 1965ના વર્ષનો ભારતીય કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ કૃતિના રચયિતા રાયપ્રોલુ સુબ્બારાવ આચાર્યે (જ. 1892) તેમાં પ્રેમનો વિષય છેડ્યો છે. પ્રેમ તમામ નૈતિકતાનું રહસ્ય છે અને પ્રેમનું હાસ્ય વિશ્વને પ્રકાશિત કરે છે, એવી ભાવનાની તેમાં પ્રતીતિ થાય છે.…

વધુ વાંચો >

મિશ્ર, રાજન

Feb 5, 2002

મિશ્ર, રાજન (જ. 1 ઑગસ્ટ 1951, વારાણસી) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના બનારસ ઘરાનાના વિખ્યાત ગાયક. પિતાનું નામ હનુમાનપ્રસાદ, જેઓ પોતે વિખ્યાત સારંગીવાદક અને સંગીતકાર હતા. માતાનું નામ ગગનદેવી, જેઓ સંગીતકારોના પરિવારમાં જન્મેલાં. રાજન મિશ્રે બાળપણથી જ સંગીતની સાધનાની શરૂઆત કરેલી. તેમના પરિવારમાં છેલ્લાં ત્રણ સો વર્ષોથી શાસ્ત્રીય સંગીતનો વારસો ચાલતો…

વધુ વાંચો >

મિશ્ર, રાજેન્દ્ર

Feb 5, 2002

મિશ્ર, રાજેન્દ્ર (જ. 1943, દ્રોણીપુર, ઉત્તરપ્રદેશ) : સંસ્કૃત ભાષાના લેખક. રાજેન્દ્ર મિશ્રની સંસ્કૃત કૃતિ ‘ઇક્ષુગન્ધા’ને 1988ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે 1964માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ.ની ડિગ્રી મેળવી છે. તેમની શૈક્ષણિક કારકિર્દી ઘણી તેજસ્વી હતી. 1966માં તેમણે ડી. ફિલ.ની ઉપાધિ મેળવી. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં સંસ્કૃતના રીડર તરીકે કામગીરી બજાવવા…

વધુ વાંચો >

મિશ્ર, સતીશચન્દ્ર

Feb 5, 2002

મિશ્ર, સતીશચન્દ્ર (જ. 22 જુલાઈ 1925; હોશંગાબાદ, મધ્યપ્રદેશ; અ. 23 સપ્ટેમ્બર 1984, વડોદરા) : ગુજરાતના સલ્તનત કાળના નામાંકિત ઇતિહાસકાર. તેમણે એમ. એ. તથા પીએચ.ડી.નો અભ્યાસ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં કર્યો હતો. પીએચ.ડી. માટે તેમણે ‘શેરશાહ સૂર’ વિશે મહાનિબંધ લખ્યો હતો. ત્યારબાદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ઇતિહાસ-વિભાગના અધ્યક્ષ પ્રોફેસર શેખ અલાદુન રશીદના સંશોધનમદદનીશ…

વધુ વાંચો >

મિશ્ર, સાજન

Feb 5, 2002

મિશ્ર, સાજન (જ. 7 જાન્યુઆરી 1956, વારાણસી) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના બનારસ ઘરાનાના વિખ્યાત ગાયક. છેલ્લાં લગભગ ત્રણસો વર્ષથી શાસ્ત્રીય સંગીતનો વારસો ધરાવતા પરિવારમાં તેમનો જન્મ થયેલો. પિતા પંડિત હનુમાનપ્રસાદ મિશ્ર પોતે અગ્રણી સારંગીવાદક હતા, જેમની પાસેથી તેમણે શાસ્ત્રીય સંગીતની પ્રાથમિક તાલીમ મેળવી હતી. માતાનું નામ ગગનદેવી. પિતા ઉપરાંત જાણીતા…

વધુ વાંચો >

મિશ્ર, સૌભાગ્યકુમાર

Feb 5, 2002

મિશ્ર, સૌભાગ્યકુમાર (જ. 1941, બરહામપુર, ઓરિસા) : ઓરિસાના જાણીતા કવિ, વિવેચક અને અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘દ્વા સુપર્ણા’ બદલ 1986ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી અને હાલ બરહામપુર યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે કામગીરી કરે છે. અત્યાર સુધીમાં તેમનાં 6 કાવ્યસંગ્રહો, 2 વિવેચનગ્રંથો…

વધુ વાંચો >

મિશ્ર સ્ફટિકો

Feb 5, 2002

મિશ્ર સ્ફટિકો (Mixed crystals) : બે કે તેથી વધુ સમરૂપ અથવા અંશત: સમરૂપ ઘટકોથી બનેલા સ્ફટિકો. દ્વિઅંગી મૅગ્માની સ્ફટિકીકરણ-પ્રક્રિયા એવી સમજ આપે છે કે તેમાં તૈયાર થતા ઘટકો બદલાતા જતા બંધારણવાળા હોતા નથી અને પ્રત્યેક ઘટક એકબીજાથી સ્વતંત્રપણે સ્ફટિકીકરણ પામે છે; પરંતુ હકીકતમાં, મોટાભાગના આગ્નેય ખનિજોમાં આ લક્ષણ જોવા મળતું…

વધુ વાંચો >

મિશ્રા, જ્ઞાનસુધા

Feb 5, 2002

મિશ્રા, જ્ઞાનસુધા (જ. 28 એપ્રિલ 1949, રાંચી, ઝારખંડ) : સર્વોચ્ચ અદાલતનાં મહિલા ન્યાયાધીશ. તેમના પિતા સતીશચંદ્ર મિશ્રા પટણા વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ હતા. તેમના ભાઈ સ્વ. શૈલેશચંદ્ર મિશ્રા જાણીતા વરિષ્ઠ ઍડ્વોકેટ હતા. પટણાની કૉન્વેન્ટ શાળામાં તેમણે અભ્યાસ કર્યો અને પટણા યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્ર વિષય સાથેની અનુસ્નાતક પદવી મેળવી. આ જ યુનિવર્સિટીમાંથી તેઓ…

વધુ વાંચો >

મિશ્રા, રામદેવ

Feb 5, 2002

મિશ્રા, રામદેવ (જ. 26 ઑગસ્ટ, 1908; અ. 1991) : ભારતીય પરિસ્થિતિવિજ્ઞાની (ecologist). તેમની કારકિર્દીના પ્રારંભથી 1950 સુધી તેમણે સાગર યુનિવર્સિટીમાં કાર્ય કર્યું અને પરિસ્થિતિવિજ્ઞાનનો પાયો નાખ્યો. ત્યારપછી 1956માં તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટી, વારાણસીમાં વનસ્પતિવિજ્ઞાનના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે જોડાયા. તેમનાં સંશોધનોને કારણે આ યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પરિસ્થિતિવિદ્યાનું એક મહત્વનું સંશોધનકેન્દ્ર…

વધુ વાંચો >